વંશીય જૂથ લોકોનું બનેલું એક એવું જૂથ છે જેનાં સભ્યો એકબીજા સાથે, વાસ્તવિક કે ધારી લેવામાં આવેલાં એક સહિયારા સાંસ્કૃતિક વારસા દ્વારા અભિન્નપણે જોડાયેલાં હોય છે.
આ હિસ્સેદારીપૂર્ણ સાંસ્કૃતિક વારસાનો આધાર કલ્પિત, પૈતૃક પરંપરા, ઇતિહાસ, સંસ્કૃતિ, રૂઢિઓ, સગપણ, ધર્મ, ભાષા, સહિયારું રાજ્ય, રાષ્ટ્રીયતા અને/અથવા શારીરિક દેખાવ હોઇ શકે છે. વંશીય જૂથનાં સભ્યો પોતાનાં વંશીય જૂથને લઈને સભાન હોય છે; તદુપરાંત વંશીય અભિન્નતાને અન્ય લોકો જૂથની લાક્ષણિકતા સૂચવતા ચિહ્નો દ્વારા ઓળખી શકે છે.
સ્ટેટીસ્ટીક્સ કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ સેંસસ બ્યુરો દ્વારા (એપ્રિલ 1-3, 1992) આયોજિત પરિષદ "વંશીય વિશ્વ માપન માટેનાં પડકારો: વિજ્ઞાન, રાજનીતિ અને વાસ્તવિક્તા" ખાતે ચર્ચા કરવામાં આવેલા, "માનવ જીવનમાં વંશીયતા એ એક આધારભૂત પરિબળ છે: માનવીય અનુભવ અંતર્ગત સાહજિક રીતે બનતી આ એક અસાધારણ ઘટના છે." જો કે, ઘણાં સામાજિક વિજ્ઞાનીઓ, જેમ કે ફ્રેડરીક બાર્થ અને એરિક વુલ્ફ જેવાં માનવશાસ્ત્રનાં જ્ઞાતાઓ, વંશીય અભિન્નતાને નિરપવાદ માનવા તૈયાર નથી. તેઓ વંશીયતાને માનવીય જુથોને સાહજિક રીતે પ્રાપ્ત જરૂરી ગુણવત્તા કરતાં, વિશિષ્ટ પ્રકારે આંતર-જૂથ પ્રતિક્રિયાની ફલશ્રુતિ ગણાવે છે.
એવી પ્રક્રિયાઓ કે જેનાં પરિણામે આવી અભિન્નતાઓ ઉદભવે છે, તેને વંશીય-ઉત્પત્તિ વિજ્ઞાન કહેવામાં આવે છે. સમય જતાં, વંશીય જૂથનાં સભ્યો સમગ્રતામાં, સાંસ્કૃતિક સાતત્યતાનો દાવો કરતા હોય છે. જો કે, ઇતિહાસકારો અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રઓએ નોંધ્યું છે કે ઘણા બધાં મૂલ્યો, પ્રસ્થાપિત રીતો, અને ધોરણો કે જેનાં દ્વારા ભૂતકાળ સાથે સાતત્ય સાધી શકાય છે તે બધાં સાપેક્ષાત્મક રૂપે વર્તમાનમાં શોધાયેલી વસ્તુઓ છે.
થોમસ હાઈલેંડ એરિક્સેન મુજબ, હમણાં સુધી વંશીયતાને બે ભિન્ન વાદના પ્રભાવ હેઠળ અભ્યાસ કરવામાં આવતી હતી. તેમાંનો એક “આદિકાળવાદ” અને “નિમિત્તવાદ”ની વચ્ચેનો છે. આદિકાળવાદના અભિપ્રાય મુજબ, વંશીય જૂથનાં સહભાગીદારો તેમાં ઉભી થતી મુશ્કેલીને બહારથી આવી પડેલી, અને જુલમગાર પરંતુ સામાજિક રીતે જોડી રાખનાર તત્ત્વ તરીકે સામૂહિક સ્વીકાર કરે છે. જ્યારે કે, નિમિત્તવાદી અભિગમ વંશીયતાને મૂળભૂત રીતે રાજકીય વ્યૂહરચનાનાં હંગામી તત્ત્વ તરીકે જુએ છે, જેનો ઉપયોગ સ્થાપિત હિતો પોતાનાં સહાયક ઉદ્દેશ્ય જેવાં કે, સંપત્તિ, સત્તા કે માન-મોભો વધારવા માટે કરતાં હોય છે. આ ચર્ચા હજી પણ રાજ્યશાસ્ત્રમાં એક મહત્વના સંદર્ભ તરીકે જોવામાં આવે છે, યદ્યપિ મોટાં ભાગનાં વિદ્ધવાનોનો અભિગમ આ બન્ને ધ્રુવની વચ્ચે આવીને ક્યાંક અટકે છે.
બીજી ચર્ચા “રચનાવાદ” અને “તત્વવાદ” વચ્ચેની છે. રચનાવાદીઓ રાષ્ટ્રીય અને વંશીય એકત્વને, મહદઅંશે, જ્યારે અભિન્નતાઓને આરંભ કાળની હોય તે રીતે રજૂ કરવાં છતાં ઐતિહાસિક અનિવાર્યતાની ફલશ્રુતિ તરીકે જુએ છે. તત્વવાદીઓ આવી અભિન્નતાઓને સત્તત્ત્વ સ્વરૂપ મીમાંસાની શ્રેણીઓ તરીકે સામાજિક અદાકારોની વ્યાખ્યા આપતાં જુએ છે, અને સામાજિક ક્રિયાનાં પરિણામ તરીકે નહીં.
એરિક્સેનના મત મુજબ, આ ચર્ચાઓને, જુદાં-જુદાં વંશીય જૂથો અને રાષ્ટ્રોનાં સભ્યો દ્વારા રાજકીય સ્વરૂપે સ્વ-પ્રતિનિધિત્વની વધતી જતી પ્રવૃતિની પ્રતિક્રિયાના વિદ્વાનોના પ્રયાસ-સ્વરૂપે, વિશેષતઃ: માનવશાસ્ત્રમાંથી કાઢી નાંખવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા જેવાં દેશો, કે જે વિવિધ સંસ્કૃતિવાળા ઘણા બધાં દેશોની દેશાગમન કરેલ વસતી ધરાવે છે, અને વસાહતવાદ પછીના સમયગાળા દરમ્યાન કેરેબિયન અને દક્ષિણ એશિયાના દેશોમાં, બહુસાંસ્કૃતિકવાદ ઉપર કરવામાં આવતી ચર્ચાઓનાં સંદર્ભમાં આમ માનવામાં આવે છે.
“વંશીયતા”(એથ્નિસિટી) અને “વંશીય જૂથ”(એથ્નિક ગ્રુપ) શબ્દો ગ્રીક શબ્દ એથ્નોસ પરથી આવ્યા છે, જેનું સામાન્ય અનુવાદ “રાષ્ટ્ર”(નેશન) અથવા સામાન્ય રીતે એક જાતિ સ્વરૂપે ઓળખાતાં લોકો જે ચોક્ક્સ સંસ્કૃતિ ધરાવે છે, તેમ કરવામાં આવે છે. “એથ્નિક” શબ્દ અને તેનાં આનુષાંગિક સ્વરૂપો અંગ્રેજીમાં 14મી સદીથી 19મી સદીના મધ્ય સુધી “મૂર્તિપૂજક/અસંસ્કારી” નાં અર્થમાં વપરાતા હતાં. થીઈ.ટોંકીન , એમ.મેકડોનાલ્ડ અને એમ.ચેપમેન, હિસ્ટ્રી એન્ડ એથ્નિસિટી (લંડન 1989), પીપી. 11-17 (જે.હચીંસન અને એ.ડી. સ્મિથ(ઈડીએસ.)માં અવતરણ કરવામાં આવેલ છે, ઓક્ષ્ફોર્ડ રીડર્સ: એથ્નિસિટી (ઓક્ષ્ફોર્ડ 1996), પીપી.18-24)
“વંશીય જૂથ”(એથ્નિક ગ્રુપ)નો આધુનિક ઉપયોગ, જો કે, ઔદ્યોગિક રાષ્ટ્રો દ્વારા તેમનાં અધીન જૂથની સાથે વિવિધ પ્રકારનાં ઘર્ષણો દર્શાવે છે, જેમ કે દેશાગમન કરેલ લોકો અને વસાહતી પાત્રો; “વંશીય જૂથ” “રાષ્ટ્ર” ની વિરુદ્ધમાં આવીને ભિન્ન સાંસ્કૃતિક અભિન્નતા ધરાવતાં લોકો કે જે, સ્થાનાંતરણ કે જીત દ્વારા, વિદેશી રાષ્ટ્રોની વિષય વસ્તુ બની ચૂક્યાં છે, એવાં લોકોનો સંદર્ભ સૂચવે છે. શબ્દનો આધુનિક પ્રયોગ પ્રમાણગત રીતે નવો છે–1851 – અને વંશીય જૂથ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1935,માં થયો હતો, અને ઓક્ષ્ફોર્ડ ઇંગ્લિશ ડિક્ષ્નેરીમાં તેને સમાવેશ 1972માં કરવામાં આવ્યો હતો.
ઓક્ષ્ફોર્ડ ઈંગ્લિશ ડિક્ષ્નેરીમાં આપવામાં આવેલી આધુનિક ઉપયોગની વ્યાખ્યા છે:
a[djective]
- ...
- 2.a. Pertaining to race; peculiar to a race or nation; ethnological. Also, pertaining to or having common racial, cultural, religious, or linguistic characteristics, esp. designating a racial or other group within a larger system; hence (U.S. colloq.), foreign, exotic.
- b ethnic minority (group), a group of people differentiated from the rest of the community by racial origins or cultural background, and usu. claiming or enjoying official recognition of their group identity. Also attrib.
n[oun]
- ...
- 3 A member of an ethnic group or minority. orig. U.S.
— Oxford English Dictionary "ethnic, a. and n."
ગ્રેટ બ્રિટેન અને યુનાઇટેડ સ્ટેટ્સની સામાન્ય ભાષામાં “વંશીય” શબ્દના ઉપયોગ વિશે લખતાં વૉલમેને નોંધ્યું છે કે,
આ રીતે, આજની દૈનિક ભાષામાં, “વંશીય” અને “વંશીયતા” શબ્દોનાં વર્તુળમાં હજી પણ વિલાયતી લોકો, લઘુમતીના પ્રશ્નો અને વંશીય સંબંધો રહેલાં છે.
સામાજિક વિજ્ઞાનમાં, જો કે, તેનો ઉપયોગ બધાં જ માનવીય જૂથો કે જેઓ સ્પષ્ટપણે પોતાની જાતને સાંસ્કૃતિક રીતે અલગ માને છે અને અન્યો દ્વારા પણ તેમને અલગ માનવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં સૌ પ્રથમ વખત “વંશીય જૂથ” શબ્દનો પ્રયોગ કરનાર જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબર હતાં, જેમણે આ પ્રમાણે વ્યાખ્યા આપી હતી કે:
શારીરિક પ્રકાર કે રિવાજો કે બન્નેની સમાનતાના કારણે કે વસાહતવાદ અને સ્થાનાંતર ની યાદોનાં કારણે પોતાનાં સમાન વંશ ઉદગમની વિષયાત્મક માન્યતાઓને પ્રાધાન્ય આપનારું માનવીય જૂથ; આ માન્યતાઓ જૂથની રચના કરવા માટે મહત્વની હોવી જોઇએ; વધુમાં એ બાબતોથી કોઈ ફરક નથી પડતો કે વાસ્તવિક લોહીનાં સંબંધો અસ્તિત્વ ધરાવે છે કે નહીં.
વેબર દૃઢતા પૂર્વક જણાવે છે કે વંશીય જૂથો કુંસ્ટ્લીચ (બનાવટી, એટલે કે સામાજિક રીતે ઘડી કાઢવામાં આવેલાં) હતાં કેમ કે તેમની ઉપસ્થિતિનો આધાર હિસ્સેદારી જેમિંસ્કાફ્ટ (સમુદાય)ના સિદ્ધાંત પર અવલંબિત હતો. બીજું, આ માન્યતા હિસ્સેદારીપૂર્ણ જેમિંસ્કાફ્ટ જૂથ બનાવતાં નહોતાં; પરંતુ જૂથ માન્યતાનું નિર્માણ કરતાં હતાં. ત્રીજું, જૂથની રચના સત્તા અને સામાજિક પ્રતિષ્ઠાનાં એકાધિકાર મેળવવા માટેની હોડનું પરિણામ હતું. આ પ્રવર્તમાન સમયની પ્રકૃતિશાસ્ત્રજ્ઞ માન્યતાથી તદ્દન ઊલટું હતું, જેમાં એવી માન્યતા વ્યાપ્ત હતી કે લોકોમાં પરસ્પર જ્યારે સહિયારા વંશ ઉદગમમાંથી આનુવંશિક વિશિષ્ટ લક્ષણો અને વૃત્તિને કારણે સામાજિક-સાંસ્કૃતિક અને વર્તણુંકને લાગતાં મતભેદ ઉગી નીકળે છે, ત્યારે “વંશ” કહેવામાં આવે છે.
વંશીયતાનાં વિવરણકારોમાં ફ્રેડરીક બાર્થનું નામ આગવું મહત્વ ધરાવતું છે, જેની 1969 ની “વંશીય જૂથો અને સીમાઓ” એ સમાજ શાસ્ત્રમાં આ શબ્દના ઉપયોગનો 1980 અને 1990નાં દશકમાં ફેલાવો કરનાર તરીકે આધારભૂત ગણવામાં આવે છે. વંશીયતાનાં યોજનાબદ્ધ મૂળ સ્વરૂપ પર ભાર મૂકવાનાં મામલે બાર્થ, વેબર કરતાં પણ આગળ જાય છે. બાર્થનાં જણાવ્યા પ્રમાણે, વંશીયતા શાશ્વત પણે બાહ્ય આરોપણ અને આંતરિક સ્વ-ઓળખ દ્વારા એકતા સિદ્ધ કરીને કરવામાં આવેલી વાટાઘાટ અને પુન:વાટાઘાટો હતી. બાર્થનાં મત મુજબ વંશીય જૂથો સાંસ્કૃતિક રીતે એકલાં પાડી દેવામાં આવેલાં વિછિન્ન લોકો, કે તર્કસંગત રીતે ક્રમાનુસાર અગ્રિમ પંક્તિ ના નથી, જે કુદરતીપણે લોકો હોય છે. તે સંસ્કૃતિઓનાં માનવશાસ્ત્રનાં મૂળભૂત ખ્યાલને એકસૂત્રમાં બંધાયેલી વસ્તુને વિભાજિત કરવાં માગતા હતા, અને વંશીયતાને આદિકાળથી અસ્તિત્વ ધરાવતી હોવાનું જણાવીને, તેઓ જૂથોની વચ્ચે ચાલતી ક્રિયા-પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં બદલવા માગતા હતા. એટલાં માટે, “વંશીય જૂથો અને સીમાઓ”, એ વંશીય અભિન્નતાનાં આંતરજોડાણ પર કેન્દ્રિત છે. બાર્થ લખે છે: “[...] શ્રેણીગત વંશીય તફાવતોનું અવલંબન સ્થળાંતરશીલતા, સંપર્ક અને માહિતીના અભાવ પર કાયમ નથી હોતું, પરંતુ વ્યક્તિગત ઇતિહાસના જીવન-ક્રમમાં બદલાતી જતી સહભાગિતા અને સભ્યપદ હોવા છતાં વિવિત્ત કક્ષાઓને જાળવી રાખીને બાકાત રાખવાં અને જોડાણની સામાજિક પ્રક્રિયાઓને આવશ્યક બનાવે છે.”
1978માં, માનવશાસ્ત્રી રોનાલ્ડ કોહેનએ દાવો કર્યો હતો કે સમાજ વિજ્ઞાનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી “વંશીય જૂથો” ની અભિન્નતા તદ્દેશીય વાસ્તવિકતાઓ કરતાં વધુ તો અચોક્કસ વર્ગસૂચકતા દર્શાવે છે:
... આપવામાં આવેલાં નામ ધરાવતી આપણે સ્વીકારેલી વંશીય અભિન્નતા વિશે, સાહિત્યમાં જે મૂળભૂત વ્યાખ્યા આપવામાં આવી છે તેનો વિચાર કર્યા વગર જ, કે અચોક્ક્સતા પૂર્ણ રીતે ક્યારેક આપણે ફેંસલો ઠોકી બેસાડતાં હોઇએ છીએ.
આ રીતે, તેમણે એ હકીકત તરફ નિર્દેશ કર્યો છે કે બહારના લોકો ઉદાહરણ તરીકે માનવશાસ્ત્રીઓ, દ્વારા વંશીય જૂથની એકતા સિદ્ધ કરવામાં આવે છે, તે કદાચ જે તે જૂથનાં સભ્યોની સ્વ-ઓળખ સાથે મેળ નથી ખાતી. તેણે એવું પણ વર્ણન કર્યું છે કે ઉપયોગ શરૂ કર્યાનાં પહેલાં દસકાઓમાં, વંશીયતા શબ્દનો ઉપયોગ જ્યારે સમાન સાંસ્કૃતિક વ્યવસ્થાઓ અને સમાન વારસો ધરાવતાં નાનાં જૂથોનાં સંદર્ભમાં કરવામાં આવતો ત્યારે “સાંસ્કૃતિક” કે “આદિજાતિ જૂથ” શબ્દો પ્રયોજવામાં આવતાં હતાં, પરંતુ તે “વંશીયતા” એ આદિજાતિ અને આધુનિક સમાજો બન્ને વચ્ચે જૂથ અભિન્નતાની વ્યવસ્થામાં સમાનતાઓને વર્ણવી શકાય તે માટેનાં જરૂરી મૂલ્યો ઉમેર્યાં. કોહેને એ પણ સૂચવ્યું કે “વંશીય” અભિન્નતાઓને લગતાં કરવામાં આવતાં દાવાઓ ( જેમ કે અગાઉ “આદિજાતિ” અભિન્નતાને લગતાં દાવાઓ) વારંવાર કરવામાં આવતી વસાહતિવાદીઓની પ્રસ્થાપિત રીતો તેમજ વસાહતી બનાવવામાં આવેલાં લોકો અને રાષ્ટ્ર-રાજ્યની વચ્ચેના સંબંધોની અસર છે.
સમાજ વિજ્ઞાનીઓએ એટલે જ વંશીય અભિન્નતાને દર્શાવતાં સ્થિતિસૂચકોને કેમ, ક્યારે અને કેવી રીતે સ્પષ્ટ કરી શકાય, તેનાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તદનુસાર, માનવશાસ્ત્રી જોઆન વિંસેંટએ અવલોકન કર્યું કે વંશીય સીમાઓ કાયમ પારદમ્ય ચરિત્ર ધરાવે છે. રોનાલ્ડ કોહેન નિષ્કર્ષ આપતાં જણાવે છે કે વંશીયતા “અંતર્ભાવ અને અનન્યતાની દ્વિભાજકતાઓને ઉછેરવાની એક શ્રેણીબદ્ધ રીત છે. તેઓ જોઆન વિંસેંટના અવલોકન સાથે સંમત થાય છે કે (કોહેનના શબ્દોનાં રૂપાંતરમાં) “વંશીયતાને... રાજકીય ગતિશીલતાની નિશ્ચિત જરૂરિયાતોનાં સંબંધે તેના સીમાંકનને વિસ્તારી કે ટુંકાવી શકાય છે. એટલાં માટે જ કદાચ એવું હશે કે વંશના ઉદગમને ક્યારેક વંશીયતાનું સ્થિતિસૂચક માનવામાં આવે છે, તો ક્યારેક નહીં: જે વંશીયતાનો ભેદ-નિર્દેશક સ્પષ્ટ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે લોકો વંશીય સીમાઓને કઈ રીતે ઉપર કે નીચે ખેંચે છે, અને તેઓ તેને ઉપર કે નીચે ખેંચે છે તે સામાન્ય રાજકીય પરિસ્થિતિ ઉપર અવલંબે છે.
વંશીય વર્ગીકરણને અન્યો દ્વારા આપવામાં આવતાં જુદાં-જુદાં નામોથી કે સ્વ-ઓળખથી ઉભી થતી મુશ્કેલીને ખાળવા માટે, એવી દરખાસ્ત કરવામાં આવી કે “વંશીય વર્ગો”, “વંશીય રચનાતંત્રો” તેમજ “વંશીય સમુદાય” કે “વંશો” ની વિભાવનાઓ વચ્ચે લક્ષણાત્મક ભેદ પાડવાં જોઈએ.<સંદર્ભ>
માનવીય જીવન અને સમાજનાં પરિબળ તરીકે વંશીયતાનાં મૂળ સ્વરૂપને સમજવાના પ્રયાસ રૂપે જુદાં-જુદાં સમાજ વિજ્ઞાનીઓ દ્વારા વંશીયતાને સમજવા માટે જુદાં-જુદાં અભિગમોનો ઉપયોગ કરે છે. આવાં અભિગમોનાં ઉદાહરણોમાં : અસ્તિત્વવાદ, તત્વવાદ, સનાતનવાદ, રચનાવાદ, આધુનિકતાવાદ અને નિમિત્તવાદનો સમાવેશ થાય છે.
વેબર પહેલાં, જાતિ અને વંશીયતાને કાયમ એક જ વસ્તુના બે પાસાં તરીકે જોવામાં આવતા હતાં. 1900ની આસપાસ અને વંશીયતાની તત્વવાદી અસ્તિત્વવાદી સમજ પ્રભાવ ધરાવતી હતી તે પહેલાં, લોકોની વચ્ચેના સાંસ્કૃતિક ભેદને વારસામાં ઉતરી આવેલાં વિશિષ્ટ લક્ષણો અને વૃત્તિઓ તરીકે જોવામાં આવતાં હતાં. આ એ સમય હતો જ્યારે “વિજ્ઞાન” જેવાં કે મસ્તિષ્ક સામુદ્રિકશાસ્ત્ર માટે એવો દાવો કરવામાં આવતો હતો કે તે જુદી-જુદી વસતીના વર્તણુંક અને સાંસ્કૃતિક લક્ષણોને તેમની બાહ્ય શારીરિક લાક્ષણિકતાઓ, જેવી કે તેમની ખોપરીના આકાર વિગેરેનો એકબીજા સાથે સંબંધ દર્શાવી શકે છે.
વેબર દ્વારા સામાજિક રચનાનો પરિચય વંશીયતા તરીકે આપવામાં આવ્યો તે સાથે જ, જાતિ અને વંશીયતાનો એકબીજાની સાથે વિચ્છેદ થઈ ગયો. જીવ વિજ્ઞાનની રીતે સારી રીતે વ્યાખ્યા કરવામાં આવેલ જાતિઓ અંગેની સામાજિક માન્યતા ટકી રહી. 1950માં, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલાં નિવેદન, “ધ રેસ ક્વેશ્ચન”- જાતિ અંગેનો વિવાદ, તે સમયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાનો (જેમાં એશ્લે મોંટેગ્યુ, ક્લૉડ લેવી-સ્ટ્રૉસ, [[ગન્નર મિર્ડેલ[[]], જુલિયન હક્સ્લી]] વિગેરેનો સમાવેશ થાય છે.), માં એવું સુચન કર્યું હતું કે: “જરૂરી નથી કે રાષ્ટ્રીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાઓનાં, અને સાંસ્કૃતિક જૂથો જાતીય રીતે એક હોય: અને આ પ્રકારના જૂથોનાં સાંસ્કૃતિક વિશિષ્ટ લક્ષણોમાં ક્યાંય જાતીય લક્ષણો સાથે જનનશાસ્ત્રને લગતાં કોઈ સંબંધ જોવામાં આવ્યાં નથી. જ્યારે સામાન્ય બોલચાલમાં “જાતિ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આદતનાં જોરે આ પ્રકારની ગંભીર ભૂલો થઈ જતી હોવાને કારણે, જ્યારે માનવીય જાતિઓ વિશે બોલતાં હોઇએ ત્યારે ‘જાતિ’ શબ્દને સમૂળગો પડતો મૂકીને ‘વંશીય જૂથો’ બોલવું સારૂં રહેશે.”
1982માં અમેરિકાના સાંસ્કૃતિક માનવશાસ્ત્રના જ્ઞાતાઓએ, માનવજાતના ફેલાવા પરના ચાલીસ વર્ષનાં સંશોધનોને એકત્ર કરી તારણ આપ્યું કે, જાતીય અને વંશીય શ્રેણીઓ દુનિયાના અલગ-અલગ ભાગમાંથી જુદી-જુદી રીતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એકત્ર થયાં તેની પ્રતીકાત્મક નિશાની હતી:
વુલ્ફ અનુસાર, યુરોપિયન વ્યાપાર વિસ્તરણનાં સમયગાળા દરમ્યાન જાતિની રચના અને તેને કાયદેસરતા આપવામાં આવી, અને વંશીય જૂથો મૂડીવાદી વિસ્તરણનાં સમયગાળા દરમ્યાન અસ્તિત્વમાં આવ્યાં.<સંદર્ભ>
અનેક વખત, વંશીયતા સહિયારી સંસ્કૃતિ, ભાષાની, આચરણ કે ધાર્મિક વૃત્તિને સૂચિત કરે છે. દાખલા તરીકે, કોઈને પણ જ્યુઈશ કે આરબ કહેવું એટલે તરત જ ભાષા, ધર્મ, સાંસ્કૃતિક અને જાતીય લક્ષણો જે પ્રત્યેક વંશીય શ્રેણીમાં એક સમાન હોય છે, તેને સંબોધન આપ્યું કહેવાય. આ પ્રકારની વિસ્તૃત વંશીય શ્રેણીઓને દીર્ઘ વંશીયતા તરીકે પણ પરિભાષિત કરવામાં આવે છે. આ તેને નાનાં, વધારે વિષયાત્મક વંશીય લક્ષણો, જેને અનેક વખત સૂક્ષ્મ વંશીયતા તરીકે ઓળખવામાં આવે છે, કરતાં અલગ પાડે છે.
કેટલાંક કિસ્સાઓમાં, ખાસ કરીને જેમાં આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર, કે વસાહતોનો ફેલાવો સામેલ હોય, ત્યાં વંશીયતાને રાષ્ટ્રીયતા સાથે જોડવામાં આવે છે. માનવશાસ્ત્રના જ્ઞાતાઓ અને ઇતિહાસકારો, અર્નેસ્ટ ગેલનર અને બેનેડિક્ટ એન્ડર્સન દ્વારા સુચવવામાં આવેલી વંશીયતાની આધુનિકતાવાદી સમજને અનુસરતાં, રાષ્ટ્રો અને રાષ્ટ્રીયતાને, સત્તરમી સદીમાં આધુનિક રાજ્ય વ્યવસ્થાનાં ઉદભવની સાથે વિકાસશીલ વસ્તુ તરીકે જુવે છે. તે અંતમાં “રાષ્ટ્ર-રાજ્યો” ના ઊગમમાં પરિણમી, જેમાં રાષ્ટ્રની સંભવનીય સીમાઓ (કે કેવળ કલ્પનાતીત થતી) ને રાજ્યની સીમાઓ સાથે એક ગણાવી. એટલે, પશ્ચિમમાં, રાષ્ટ્ર અને જાતિની જેમ જ, યુરોપિયન વસાહતોના વિસ્તરણના સંદર્ભમાં વંશીયતાની કલ્પનાનો વિકાસ એવાં સમયે થયો, જ્યારે વાણિજ્યવાદ અને મૂડીવાદ લોકોની વૈશ્વિક હિલચાલને પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં હતાં અને બરાબર એ જ સમયે રાજ્યની સીમાઓને વધુ સ્પષ્ટ અને જડતાથી નક્કી કરવામાં આવી રહી હતી. ઓગણીસમી સદીમાં, આધુનિક રાજ્યો સામાન્યપણે કાયદેસર રીતે “રાષ્ટ્રો” નું પ્રતિનિધિત્વ ધરાવવા માગતા હતાં. જો કે, રાષ્ટ્ર-રાજ્યો, સ્થિરપણે એવી વસતીનો સમાવેશ કરતા જતાં હતા જેને એક યા અન્ય કારણસર રાષ્ટ્રીય જીવનમાંથી બાકાત રાખવામાં આવ્યાં હોય. બાકાત કરવામાં આવેલાં જૂથોનાં સભ્યો, તેથી, કાં તો સમાનતાના આધારે સમાવેશ કરવાની માંગ કરતા હતાં, અથવા તો સ્વાયત્તતા ઇચ્છતા હતાં, ક્યારેક તો પોતાનાં જ રાષ્ટ્ર-રાજ્યમાં સંપૂર્ણ રાજકીય વિચ્છેદ સુધીની માંગ કરતા હતાં. આ પરિસ્થિતિ અંતર્ગત – જ્યારે લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતર કરે, કે એક રાજ્યને જીતી લે, લોકોને તેમની રાષ્ટ્રીય સીમાથી અલગ રાખીને તેઓની વસાહતો ઉભી કરે – ત્યારે એવાં લોકો દ્વારા વંશીય જૂથો બનાવવામાં આવતા હતાં જેમની ઓળખ તો એક રાષ્ટ્ર સાથે હોય પરંતુ તે અન્ય રાજ્યમાં નિવાસ કરતાં હોય.
ક્યારેક વંશીય જૂથો પૂર્વગ્રહયુક્ત મનોવૃત્તિના અને રાજ્ય કે તેના ઘટકોનાં શિકાર બની જતાં હતાં. વીસમી સદીમાં, લોકોએ એવી દલીલ કરવાની શરૂઆત કરી કે વંશીય જૂથો વચ્ચે કે વંશીય જૂથોનાં સભ્યો અને રાજ્ય વચ્ચેનાં સંઘર્ષોને બે માંથી એક પ્રકારે ઉકેલી શકાય અને ઉકેલવો જોઇએ. જુર્ગેન હેબર્મસ અને બ્રુસ બેરી જેવાં કેટલાંકે એવી દલીલ કરી કે આધુનિક રાજ્યોની કાયદેસરતા સ્વાયત્ત વ્યક્તિગત વિષયોનાં રાજકીય અધિકારોની કલ્પના પર આધારિત હોવી જોઇએ. આ વિચાર પ્રમાણે, રાજ્ય દ્વારા વંશીય, રાષ્ટ્રીય કે જાતીય ઓળખનો સ્વીકાર કરવાને બદલે બધાં જ વ્યક્તિઓને રાજકીય અને કાયદેસરની સમાનતા લાગુ થાય તેવાં પ્રયત્નો થવા જોઇએ. ચાર્લ્સ ટેલર અને વિલ કાઈમ્લિકા જેવાં, અન્યની દલીલ છે કે સ્વાયત્ત વ્યક્તિત્વની કલ્પના પોતાનામાં જ એક સાંસ્કૃતિક રચના છે. આ મત મુજબ, રાજ્યોએ વંશીય ઓળખને માન્ય કરવી જોઇએ અને એવી પ્રક્રિયાઓ વિકસાવવી જોઇએ કે જેનાં દ્વારા વંશીય જૂથોની વિશેષ જરૂરિયતોને રાષ્ટ્ર-રાજ્યની સીમાઓમાં સમાવિષ્ટ કરી શકાય.
જ્યારે જાતિ અંગેની વિભાવના રાષ્ટ્રીયતા સાથે સૌ પ્રથમ જર્મન સિદ્ધાંતકાર જોહાન્ન ગોટ્ફ્રાઈડ વૉન હર્ડર દ્વારા સંલગ્વીન કરવામાં આવી ત્યારે ઓગણીસમી સદીએ વંશીય રાષ્ટ્રીયતાની રાજકીય વિચારધારાનો વિકાસ જોયો. એવાં બનાવો કે જ્યાં ઇતિહાસ કે ઐતિહાસિક સંદર્ભોને જ્યાં સમાજો દ્વારા વંશીય જોડાણો પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું હોય ત્યાંથી દલીલો દ્વારા પ્રયત્નપૂર્વક દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યાં હોય, રાષ્ટ્રવાદી લક્ષ્યોને ન્યાય આપવામાં પરિણ્મ્યાં છે. આ બાબતને લગાતાર ઉદાહરણ તરીકે આલેખવા જે બે સમયગાળાને જોવામાં આવે છે તેમાં ઓગણીસમી સદીમાં જર્મન સામ્રાજ્યને મજબૂત કરવા અને વિસ્તરણ કરવા તેમજ વીસમી સદીમાં ત્રીજા (બહોળા જર્મન) રીચ મહત્વનાં છે. દરેકે સમગ્ર વંશીય વિચાર પ્રોત્સાહિત કર્યો કે આ સરકારો માત્ર એવી જમીન સંપાદન કરી રહી છે જે વંશીય જર્મનો દ્વારા રહેવા માટે ઉપયોગમાં લેવાતી હતી. રાષ્ટ્ર-રાજ્યના નમુનામાં મોડેથી પ્રવેશ કરનારાઓનો ઇતિહાસ, જેમ કે જે લોકો પૂર્વ નજીક અને દક્ષિણ પૂર્વીય યુરોપમાં ઑટોમન અને ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યનાં વિઘટન બાદ બહાર આવનારા, તેમજ જે લોકો પૂર્વ યુએસએસઆરમાંથી બહાર આવતા હતાં, તેઓ આંતર-વંશીય સંઘર્ષો દ્વારા નિશાનીબદ્ધ છે. આવાં સંઘર્ષો સામાન્યપણે બહુ-વંશીય રાજ્યોમાં જ, વિશ્વના અન્ય ભાગોની જેન જ, તેમની વચ્ચેના વિરોધને કારણે બનતા હતાં. એટલે, આ સંઘર્ષો જ્યારે તે બહુ-વંશીય રાજ્ય અંતર્ગત આંતર-વંશીય સંઘર્ષ હોય ત્યારે તેને ખોટી રીતે આંતર વિગ્રહ તરીકે ગેરમાર્ગે દોરે તે રીતે ચીતરવામાં આવતા હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં, “વંશીયતા” શબ્દનો ઉપયોગ અન્ય કેટલાંક દેશોમાં કરવામાં આવે છે તેનાં કરતાં ઘણાં વિસ્તૃત અર્થમાં ઉપયોગમાં લેવાય છે. વંશીયતાને સામાન્ય સંદર્ભમાં સંબંધિત જૂથોની સામૂહિકતા સાથે, જેનો સંબંધ રાજકીય સીમાઓ કરતાં વધુ તો આકાર વિજ્ઞાન, ખાસ કરીને ચામડીનાં રંગ સાથે જોડવામાં આવે છે. આ હેતુ માટે “રાષ્ટ્રીયતા” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વધુ કરવામાં આવે છે (દા.ત. ઈટાલીયન, જર્મન, ફ્રેંચ, રશિયન, જાપાનીઝ, વગેરે રાષ્ટ્રીયતાઓ છે.) યુ,એસ. માં સૌથી વધુ તો, લેટિન અમેરિકનમાંથી ઉતરી આવેલી વસતીને “હિસ્પેનિક” કે “લેટિનો” વંશીયતા ધરાવતાં જૂથો તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં ઑરિએંટલ વંશીય જૂથો તરીકે નક્કી કરવામાં આવેલાં ઘણાં બધા જૂથોને ગણતરીમાં લઈ શકાય તે માટે હવે એશિયન જાતીય જૂથો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
“બ્લેક” અને “આફ્રિકન અમેરિકન” આ પરિભાષાઓ, અલગ-અલગ હોવા છતાં, બન્નેને યુ.એસ. માં વંશીય શ્રેણીઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 1980નાં દશકનાં ઉત્તરાર્ધમાં “આફ્રિકન અમેરિકન” શબ્દને સૌથી ઉપયુક્ત અને રાજકીય રીતે સાચી જાતીય ઉપાધિ તરીકે મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેને ઘણીવાર “અશ્વેત જાતિ” ના ઐતિહાસિક વિચારો સાથે જોડાયેલાં અમેરિકાના ભૂતકાળની જાતીય અસમાનતાઓથી દૂર લઈ જવાનો હેતુપૂર્વકનો ઈરાદો કરવામાં આવ્યો, ત્યારે તે બ્લેક, કલર્ડ, નિગ્રો, અને તેના જેવી અનેક પરિભાષાઓ માટે સરળતાથી વપરાશમાં લઈ શકાય તેવો શબ્દ બની ચુક્યો હતો, જે કોઈપણ ઘેરાં રંગની ચામડી ધરાવતાં વ્યક્તિને તેનાં ભૌગોલિક વંશ ઉદગમથી પર રહીને ઉલ્લેખ કરતો હતો. એવી જ રીતે, આફ્રિકાથી આવેલાં હળવા રંગની ચામડી ધરાવતાં અમેરિકનોને “આફ્રિકન અમેરિકન” ગણવામાં આવતાં નથી. ઘણાં બધાં આફ્રિકન અમેરિકનો બહુજાતિય હોય છે. અડધાંથી પણ વધારે આફ્રિકન અમેરિકંસ એક પેઢીની સમકક્ષનું યુરોપીય કુળ ધરાવતાં હોય છે, અને પાંચ ટકા મૂળ અમેરિકન કુળ ધરાવે છે જે લગભગ એક પેઢી સુધી આગળ જાય છે.
“શ્વેત” શબ્દ સામાન્યપણે એવાં લોકોને વર્ણવે છે જેમનાં કુળને યુરોપ સુધી લંબાવી શકાય છે જેમાં યુરોપિયન લોકો જ્યાં આવીને વસ્યા છે તેવા દેશો જેવાં કે આર્જેંટીના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીલી, ક્યુબા, ન્યુઝીલેંડ, અને સાઉથ આફ્રિકા અને અન્ય ઘણાં બધાં દેશોનો સમાવેશ કરી શકાય.) અને જેઓ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં વસે છે. મધ્ય પૂર્વીય લોકોનો પણ ક્યારેક “શ્વેત” ની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. આમાં દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા, તેમજ, આરબ રાષ્ટ્રો, ઈરાન, અફઘાનિસ્તાન, અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ઉપરોક્ત દર્શાવવામાં આવેલાં બધાને, યુ.એસ. વસતી ગણતરીના વર્ગીકરણ મુજબ, “શ્વેત” જાતીય જૂથ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ શ્રેણીઓને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે: હિસ્પેનિક્સ અને નૉન-હિસ્પેનિક્સ ( દા.ત. શ્વેત નૉન-હિસ્પેનિક અને શ્વેત હિસ્પેનિક.) જો કે પૂર્વ એશિયાનાં લોકોની ચામડી વિશિષ્ટ પ્રકારે હળવો રંગ ધરાવતી હોય છે, એટલે તેમનાં મોંગોલોઇડ મૂળના કારણે “શ્વેત” તરીકે તેમનો સમાવેશ કરવામાં આવતો નથી, જે જાતીય જૂથોનાં સામાજિક-રચનાના લક્ષણને પ્રતિબિંબિત કરે છે.
યુનાઇટેડ કિંગડમમાં, ઔપચારિક અને અનૌપચારિક, ઘણાં અલગ-અલગ વંશીય વર્ગીકરણોને, ઉપયોગમાં લેવાય છે. કદાચ સૌથી વધારે સ્વીકૃત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર વર્ગીકરણ છે, જે 2001માં ઈંગ્લેંડ અને વેલ્સની (વંશીયતા (યુનાઇટેડ કિંગડમ) જુઓ) વસતી ગણતરી માં ઉપયોગમાં લેવાયેલાને બરાબર મળતું આવે છે. શ્વેત બ્રિટીશ વર્ગીકરણનો ઉપયોગ મૂળ બ્રિટીશ લોકોનાં સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. ઑરિએંટલ શબ્દનો ઉલ્લેખ ચીન, જાપાન, કોરિઆ અને પેસિફિક કિનારાનાં લોકોનાં સંદર્ભમાં કરવામાં આવે છે જ્યારે એશિયન શબ્દ ભારતીય ઉપખંડ; ભારત, પાકિસ્તાન અને બાંગ્લદેશીય લોકોનો ઉલ્લેખ સૂચવે છે.
ચીનમાં અધિકૃત રીતે 56 વંશીય જૂથો ઓળખી કાઢવામાં આવ્યાં છે, જેમાં સૌથી મોટું હાન ચાઈનીઝ છે. ઘણી વંશીય લઘુમતિઓએ પોતાની સંસ્કૃતિ, ભાષા અને ઓળખ જાળવી રાખી છે, જો કે કેટલીક વધુ પશ્ચિમી બની રહી છે. હાન-ચાઈનીઝ ચીનનાં મોટા ભાગનાં વિસ્તારોમાં, વસ્તીને લગતાં વિજ્ઞાન અને રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે, જો કે તિબેટ અને ઝિનજિયાંગ પ્રાંતમાં કે જ્યાં હાન હજુ પણ લઘુમતિમાં છે, ઓછું વર્ચસ્વ ધરાવે છે. હાન ચાઈનીઝ એકમાત્ર એવું વંશીય જૂથ છે જે એક-બાળકની નીતિને સ્વીકારીને ચાલે છે. (વધુ વિગતો માટે, ચીનમાં વંશીય જૂથોની સૂચિ અને ચીનમાં વંશીય લઘુમતિઓની સૂચિ જુઓ).
ફ્રાંસમાં, સરકાર વંશીય શ્રેણીઓની સાથે વસતી ગણતરીની વિગતો એકત્ર કરતી નથી. વિચી શાસનના ભ્રષ્ટાચારોની યાદમાં ધારાસભાએ સરકારને વંશીય વસતીના આંકડાઓને એકત્ર કરવાં, તેને જાળવી રાખવાં કે તેનો ઉપયોગ કરવાથી રોકવા માટેના કાનૂન માટેનાં ખરડાંઓ પસાર કર્યાં હતાં. ઢાંચો:Reference necessary.
ભારતમાં, વંશીય શ્રેણીઓની સરકાર દ્વારા ઓળખ કરવામાં આવતાં નથી. વસતીને, 1652 બોલાતી માતૃભાષાઓ અને/અથવા 645 અનુસૂચિત જાતિઓ કે જેમાં વ્યક્તિઓ સભ્ય હોય છે, તેનાં આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
રશિયામાં, ટોફલર કે ટોફ લોકો જે સાઈબેરિયા વિસ્તારના ટોફેલેરિયામાં વસે છે, તેમને વિશ્વના સૌથી નાના વંશીય જૂથ તરીકે માનવામાં આવે છે. [સંદર્ભ આપો]
This article uses material from the Wikipedia ગુજરાતી article વંશીય જૂથ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.