રાણી સિપ્રીની મસ્જીદ અથવા મસ્જીદ-એ-નગીના, અથવા પૂર્વે રાની અસ્નીની મસ્જીદ એ મધ્યયુગીન ભારતના ગુજરાતમાં અમદાવાદ શહેરની કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદ છે.
આ મસ્જીદની સ્થાપના ગુજરાતના શાસક, મહમદ બેગડાની હિંદુ મહારાણી, રાણી સિપ્રી દ્વારા ૧૫૧૪ માં કરવામાં આવી હતી. તેની દીવાલો પર જટિલ જાળીદાર કોતરણીઓને કારણે તેને મસ્જિદ-એ-નગીના (મસ્જિદના રત્ન) તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૬-૦૭ માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના વિસ્તરણ માટે આ સ્મારકનો ભાગ તોડી નાખવાની દરખાસ્ત કરી હતી.
રાણી સીપ્રીની મસ્જીદ | |
---|---|
રાણી સીપ્રીની મસ્જીદ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′02″N 72°35′25″E / 23.017222°N 72.590278°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ |
સ્થાપત્ય શૈલી | ઇસ્લામીક વાસ્તુ અને મારુ ગુર્જર વાસ્તુ |
પૂર્ણ તારીખ | ૧૫૧૪ |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | 54 ft (16 m) |
ઊંચાઇ (મહત્તમ) | 50 ft (15 m) |
આ મસ્જિદનું નામ સુલતાન મહમદ બેગડાની હિંદુ રાણી, રાણી સિપ્રિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈ. સ. ૧૫૧૪ માં જ્યારે તેના પુત્રને કોઈ દુષ્કર્મ માટે રાજાએ મારી નાખ્યો ત્યારે રાણીએ આ મસ્જિદ શરૂ કરાવી. તેણીના મૃત્યુ પછી રાણીને આ મસ્જિદમાં દફનાવવામાં આવી હતી. મસ્જીદની અંદર, એક જનાના પણ છે, જે મહિલાઓની પ્રાર્થના માટે એક અલગ વિસ્તાર છે.
લહેરાતા છોડ અને ઝાડ દર્શાવતી જાળીદાર કોતરણી આ સ્મારકનું મુખ્ય આકર્ષણ છે. સીદી સૈયદની જાળી અને સરખેજ રોઝા જેવા શહેરના અન્ય ઇસ્લામિક સ્થાપત્ય સ્મારકો સમાન આ જાળીનું કામ પણ જટીલ છે
This article uses material from the Wikipedia ગુજરાતી article રાણી સિપ્રીની મસ્જીદ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.