કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી (સંક્ષિપ્ત રીતે સીપીઆઇ (એમ) અથવા સીપીએમ )એ ભારતનો રાજકીય પક્ષ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
તે કેરાલા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં મજબૂત હાજરી ધરાવે છે. 2010ના અનુસાર સીપીઆઇ (એમ) આ ત્રણે રાજ્યોમાં નેતૃત્વ કરતી સરકાર હતી. આ પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના ભાગલામાંથી 1964માં ઊભરી આવ્યો હતો. સીપીઆઇ (એમ)પોતાની પાસે 982,155 સભ્યો હોવાનો દાવો કર્યો હતો.
Communist Party of India (Marxist) | |
---|---|
Secretary-General | Prakash Karat |
Leader in Lok Sabha | Basudev Acharia |
Leader in Rajya Sabha | Sitaram Yechuri |
Founded | 1964 |
Headquarters | New Delhi, India |
Newspaper | People's Democracy (English), Lok Lehar (Hindi) |
Student wing | Students Federation of India |
Youth wing | Democratic Youth Federation of India |
Women's wing | All India Democratic Womens Association |
Labour wing | Centre of Indian Trade Unions |
Peasant's wing | All India Kisan Sabha |
Ideology | Communism Marxism-Leninism |
ECI Status | Recognised Party |
Alliance | Left Front |
લોક સભામાં બેઠકો | 16 |
રાજ્ય સભામાં બેઠકો | 14 |
વેબસાઇટ | |
Official Website |
સીપીઆઇ (એમ) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)ના ભાગલામાંથી ઊભરી આવ્યો હતો. અવિભાજિત સીપીઆઇએ બીજા વિશ્વ યુદ્ધ પછીના વર્ષો દરમિયાનમાં ઉર્ધ્વગમન થતુ અનુભવ્યું હતું. સીપીઆઇએ તેલનગંગા, ત્રિપુરા અને કેરાલામાં સશસ્ત્ર બળવાખોરોની આગેવાની લીધી હતી. જોકે, તેમણે સંસદીય માળખામાં કામ કરવાની તરફેણ કરતા સશસ્ત્ર ક્રાંતિની વ્યૂહરચનાનો તરત જ ત્યાગ કર્યો હતો. 1950 બી.ટી.રાણાડાઇવમાં,સીપીઆઇના સામાન્ય સચિવ અને પાર્ટીની અંદરના ઉદ્દામવાદી ભાગના આગળ પડતા પ્રતિનિધિને ડાબેરી-બેપરવાહીના ધોરણે પદચ્યુત કરવામાં આવ્યા હતા.
જવાહરલાલ નહેરુના પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સરકાર હેઠળ સ્વતંત્ર ભારતે સોવિયેત સંઘ સાથે ગાઢ સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવી હતી. પરિણામે સોવિયેત સરકારે એવી ઇચ્છા કરી હતી કે ભારતીય સામ્યવાદીઓ ભારતીય રાજ્ય તરફની તેમની ટીકાને હળવી બનાવે અને કોંગ્રેસ સરકારો પરત્વે ટેકાત્મક ભૂમિકા બજાવે. જોકે, સીપીઆઇના મોટા ભાગનાએ એવો દાવો કર્યો હતો કે ભારત અર્ધ જાગીરશાહી ધરાવતો દેશ છે અને તે વર્ગના સંઘર્ષને સોવિયેત વેપાર અને વિદેશી નીતિના હિતોના રક્ષણાર્થે અગ્રિમતામાં ઘટાડો કરવા માટે મૂકી શકાય નહી. વધુમાં, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મોટે ભાગે રાજકીય સ્પર્ધા તરફે હરીફ તરીકે ઉભરી આવી હતી. 1959માં, કેન્દ્ર સરકારે ઇ.એમ.એસ. નામ્બૂદીરીપાડ કેબિનેટ (દેશમાં એક માત્ર કોંગ્રેસ વિનાની સરકાર)ને ગબડાવીને કેરાલામાં રાષ્ટ્રપતિ શાસન લાદવા બાબતે દરમિયાનગીરી કરી હતી.
તેની સાથે જ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ સોવિયેત યુનિયન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. 1960ના પ્રારંભમાં, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ સીપીએસયુની સુધારાવાદી તરફ વળવાને કારણે ટીકા કરવાનું શરૂ કર્યું હતું અને માર્ક્સીઝમ-લેનિનિઝમના માર્ગેથી ફંટાવાનું શરૂ કર્યું હતું. સરહદી વિવાદોને કારણે 1962નું ભારત-ચીન યુદ્ધ ફીટા નીકળતા સાઇનો ઇન્ડિયન સંબંધો પણ વણસ્યા હતા. યુદ્ધ દરમિયાન ભારતીય સામ્યવાદીઓના થોડા ભાગે ભારતીય સરકારની સ્થિતિને ટેકો આપ્યો હતો, જ્યારે અન્ય ભાગે સમાજવાદી અને મૂડીવાદી રાજ્ય વચ્ચે સંઘર્ષ હોવાનો દાવો કર્યો હતો. અસંખ્ય સીપીઆઇ નેતાઓ કે જેમની પર ચાઇનીઝ તરફી હોવાનો આરોપ હતો તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. તેમજ કેટલાક રાષ્ટ્રવાદીઓને પણ જેલભેગા કરાયા હતા, કેમ કે તેઓ ફક્ત પક્ષના મંચ પર જ તેમના મંતવ્યો વ્યક્ત કરવા ટેવાયેલા હતા અને સીપીઆઇનું સત્તાવાર વલણ ચાઇના તરફી હતું. હજ્જારો સામ્યવાદીઓને કેસ કર્યા વિના જ કેદ કરી લેવાયા હતા. જેમને રાજ્ય દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા તેમણે, પક્ષના અંકુશ પર પોતાનું નેતૃત્વ ધરાવવા માટે કોંગ્રેસ સરકાર સાથે સીપીઆઇના કાવતરાની સોવિયેત તરફી નેતાગીરીને આરોપી ઠરાવી હતી.
સીપીઆઇના સામાન્ય સચિવ અજોય ઘોષનું 1962માં અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ, એસ.એ. ડાંગેને પક્ષના અધ્યક્ષ (નવો દરજ્જો) તરીકે અને ઇ.એમ.એસ. ના્બૂદીરીપાદને સામાન્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમાધાન સુધી પહોંચવાનો આ એક પ્રયત્ન હતો. ડાંગેએ પક્ષના જમણેરી ભાગનું અને ઇ.એમ.એસ.એ ડાબેરી ભાગનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 11 એપ્રિલ 1964ના રોજ, સીપીઆઇ નેશનલ કાઉન્સીલની યોજાયેલી બેઠકમાં 32 કાઉન્સીલના સભ્યોએ વિરોધમાં બેઠકનો ત્યાગ કર્યો હતો અને ડાંગે અને તેમના અનુયાયીઓને "એકતા વિરોધી અને વિરોધી કોમ્યુનિસ્ટ નીતિ" બદલ આરોપી ઠરાવ્યા હતા.
32 નેશનલ કાઉન્સીલ સભ્યોને લાગેવળગતા ડાબેરી વિભાગે 7થી 11 જુલાઇ સુધી તેનાલી, આંધ્રપ્રદેશમાં એક સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં, પક્ષના આંતરિક વિવાદોના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. 146 પ્રતિનિધિઓ 100,000 સીપીઆઇ સભ્યોને રજૂ કરતા કરતા હોવાનો દાવો હતો તેમણે કાર્યવાહીમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં સમાન વર્ષમાં પાછળથી કલકત્તામાં 7મી પાર્ટી કોંગ્રેસ ઓફ સીપીઆઇની બેઠક યોજવાનું નક્કી કર્યું હતું. ડાંગેના સીપીઆઇના વિભાગ તરફના તફાવતને નોંધતા તેનાલી સંમેલનમાં ચાઇનીઝ સામ્યવાદી નેતા માઓ ઝેડોંગની મોટી છબી મૂકવામાં આવી હતી.
ઢાંચો:Indcom તેનાલી સંમેલન ખાતે બંગાળ સ્થિત ચાઇનીઝ તરફી જૂથ કે જે સીપીઆઇની ડાબેરી પાંખના અનેક ઉદ્ધામવાદી મૂળ પ્રવાહોમાંના એકનું પ્રતિનિધિત્વ કરતા હતા તેમણે તેમનો પોતાની મુસદ્દા કાર્યક્રમ દરખાસ્ત રજૂ કરી હતી. આ ઉદ્દામવાદીઓએ વર્ગ સંઘર્ષને ગુપ્ત રાખવા બદલ અને સીપીએસયુ અને સીપીસી વચ્ચે વિચારધારા સંઘર્ષમાં ચાઇનીઝ તરફી સ્થિતિ સ્પષ્ટ કરવામાં નિષ્ફળતા બદલ એમ. બાસાવાપુન્નીયાહ દ્વારા તૈયાર કરાયેલ મુસદ્દા કાર્યક્રમ દરખાસ્તની ટીકા કરી હતી.
તેનાલી સંમેલન બાદ સીપીઆઇ ડાબેરી પાંખે પાર્ટી જિલ્લા અને રાજ્ય પરિસંવાદોનું આયોજન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં, આમાંની થોડી બેઠકો અત્યંત ઉદ્દામવાદી અને વધુ મદાર મતવાદી નેતાગીરી વચ્ચે યુદ્ધમેદાનમાં ફેરવાઇ ગઇ હતી. કોલકત્તા પાર્ટી ડિસ્ટ્રીક્ટ કોન્ફરન્સમાં વૈકલ્પિક મુસદ્દા કાર્યક્રમ પરિમલ દાસ ગુપ્તા (પાર્ટીમાં દૂરના ડાબેરી બુદ્ધિશાળીઓમાં અગ્રણી વ્યક્તિત્વ)દ્વારાની નેતાગીરી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અન્ય વૈકલ્પિક દરખાસ્ત અઝીઝુલ હક દ્વારા કલકત્તા પાર્ટી ડિસ્ટ્રીક્ટ કોન્ફરન્સમાં આગળ ધપાવવામાં આવી હતી, પરંતુ કોન્ફરન્સ આયોજકો દ્વારા હક પર પ્રારંભમાં તેને રજૂ કરવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કલકત્તા પાર્ટી ડિસ્ટ્રીક્ટ કોન્ફરન્સ ખાતે 42 પ્રતિનિધિમંડળોએ એમ. બાસવાપુન્નીયાહના સત્તાવાર મુસદ્દા કાર્યક્રમ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.
સિલીગુરી પાર્ટી ડિસ્ટ્રીક્ટ કોન્ફરન્સ ખાતે મુખ્ય મુસદ્દા દરખાસ્તને પાર્ટી કાર્યક્રમ માટે સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ સમાન વધારાના મુદ્દાઓ સાથે દૂરના ડાબેરી ઉત્તર બંગાળ વખત (કેડર)ના ચારુ મજૂમદાર દ્વારા સુચવવામાં આવી હતી. જોકે, હરેક્રિશ્ના કોનારે (જેઓ સીપીઆઇ ડાબેરી પાંખની નેતાગીરી છતી કરતા હતા) ઉભરી રહેલા સૂત્ર માઓ ત્સે તુંગ ઝીંદાબાદ (માઓ ત્સે તુંગ વધુ જીવો)નો કોન્ફરન્સ ખાતે વિરોધ કર્યો હતો. સીપીઆઇ ડાબેરી પાંખની વેસ્ટ બેંગાલ સ્ટેટ કોન્ફરન્સમાં નેતાગીરી સમક્ષ પણ પરિમલ દાસ ગુપ્તાનો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો. દાસ ગુપ્તા અને અન્ય લોકોએ કોન્ફરન્સ ખાતે સંબોધન કર્યું હતું અને 1951ની સીપીઆઇ કોન્ફરન્સના ભારતીયપણાના વર્ગ પૃથ્થકરણને પાર્ટીએ અપનાવી લેવું જોઇએ તેવી માગ કરી હતી. જોકે તેમની દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી.
કોલકત્તા કોંગ્રેસનું 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરની મધ્મયાં દક્ષિણ કલકત્તામાં ત્યાગરાજા હોલ ખાતે આયોજન કરાયું હતું. તેની સાથે જ ડાંગે જૂથે બોમ્બેમાં સીપીઆઇની પાર્ટી કોંગ્રેસ બોલાવી હતી. આમ, સીપીઆઇ બે અલગ પક્ષોમાં વિભાજિત થયું હતું. જે જૂથ કલકત્તામાં એકત્ર થયું હતું તેણે પાછળથી પોતાની જાતે ડાંગે જૂથથી અલગ બતાવવાના ઉદ્દેશથી 'કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)' એવુ નામ અપનાવ્યું હતું. સીપીઆઇ (એમ) પણ તેના પોતાના રાજકીય કાર્યક્રમોને અપનાવ્યા હતા. પી.સુંદરાયાને પાર્ટીના સામાન્ય સચિવ તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતા.
કુલ 422 પ્રતિનિધિઓએ કોલકત્તા કોંગ્રેસમાં ભાગ લીધો હતો. સીપીઆઇ (એમ)એ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના કુલ સભ્યપદમાંથી 60 ટકા એટલે કે 104,421 સીપીઆઇ સભ્યોને રજૂ કરે છે. કલકત્તા કોન્ફરન્સ ખાતે પાર્ટીએ ભારતીયપણાના પાત્રના વર્ગ પૃથ્થકરણને અપનાવ્યું હતું, જેણે ભારતીય મોટો મધ્યમ વર્ગ વધુને વધુ સામ્રાજ્યવાદ સાથે ભળી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. પરિમલ દાસ ગુપ્તાનો વૈકલ્પિક મુસદ્દા કાર્યક્રમ કલકત્તા કોન્ફરન્સ ખાતે વહેંચવામાં આવ્યો ન હતો. જોકે, દૂરના ડાબેરીના મજબૂત ગઢ દાર્જીલીંગના પ્રતિનિધિ સૌરેન બાસુએ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે અન્ય કોમ્યુનિસ્ટ વફાદારોના ચિત્રો સાથે માઓ ત્સે તૂંગનું ચિત્ર શા માટે ઊભુ કરવામાં આવ્યું નથી. તેમના હસ્તક્ષેપને કોન્ફરન્સના પ્રતિનિધિઓ તરફથી ભારે વધાવી લેવામાં આવ્યો હતો.
સીપીઆઇ (એમ)નો ઉદ્ભવ વિપરીત રાજકીય આબોહવામાં થયો હતો. તેની કલકત્તા કોંગ્રેસ જાળવી રાખવાના સમયે તેના નેતા અને કેડરોના મોટા ભાગને સૂનાવણી વિના જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ફરીથી 29-30 ડિસેમ્બરના રોજ હજ્જારો સીપીઆઇ (એમ) કેડરોની ધરપકડ કરવામાં આવી હતી અને સૂનાવણી વિના જ જેલમાં રાખવામાં આવ્યા હતા. 1965માં પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ (એમ) કેડરોની ધરપકડ કરવાનું નવું મોઝુ ફૂંકાયું હતું, કેમ કે પાર્ટીએ કલકત્તા ટ્રામવેયઝમાં વધારવામાં આવેલા ભાડા સામે અને તે સમયે પ્રવર્તતી અનાજની કટોકટી સામે ધરણા કર્યા હતા. 5, ઓગસ્ટ, 1965, 10-11 માર્ચ 1966 અને 6 એપ્રિલ 1966ના રોજ રાજ્યભરમાં હડતાલો બંધ દુકાનો કરવામાં આવી હતી. માર્ચ 1966 પડેલી સામાન્ય હડતાલને લીધે પોલીસ સાથેની અથડામણમાં વિવિધ લોકો માર્યા ગયા હતા.
કેરાલામાં પણ 1965માં સીપીઆઇ (એમ) કેડરની ધરપકડો હાથ ધરવામાં આવી હતી. બિહારમાં પણ, પટણા ખાતે પાર્ટીએ કોંગ્રેસ રાજ્ય સરકારની વિરુદ્ધમાં 9 ઓગસ્ટ, 1965માં બંધ (સામાન્ય હડતાલ)નું એલાન આપ્યું હતું. હડતાલ દરમિયાન, પોલીસે હડતાલના આયોજકો સામે હિંસક પગલાંનો આશરો લીધો હતો. રા્જ્યના અન્ય ભાગમાં હડતાલ બાદ દેખાવો કરવામાં આવ્યા હતા. પી.સુંદરાઇયાહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા બાદ સપ્ટેમ્બર 1965-ફેબ્રુઆરી 1966 સુધીનો સમય તબીબી સારવાર માટે મોસ્કોમાં ગાળ્યો હતો. મોસ્કોમાં તેમણે સીપીએસયુ સાથે પણ વાતચીત કરી હતી.
સીપીઆઇ (એમ)ની મધ્યસ્થ સમિતિએ તેની પ્રથમ બેઠક 12-19 જૂવ 1966માં યોજી હતી. નિયમિત મળતી સીસી બેઠકમાં મોડું કરવાનું કારણ એ હતું કે કલકત્તા કોંગ્રેસ ખાતે સીસી સભ્યો તરીકે ચુંટાયેલી વ્યક્તિઓ તે સમયે જેલમાં હતી. સીસી બેઠક 1964ના છેલ્લા દિવસોમાં ત્રિચુરમાં યોજાવાની હતી, પરંતુ પાર્ટી સામેના ધરપકડના દોરને કારણે રદ થઇ હતી. આ બેઠકમાં ચુંટણીલક્ષી જોડાણ માટેની યુક્તિની ચર્ચા કરવામાં આવી હતી અને અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતં કે પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પ્રતિક્રિયા નહી દર્શાવતી તમામ પાર્ટીઓ (એટલે કે દરેક પાર્ટીઓ સિવાય કે જન સંઘ અને સ્વતંત્ર પાર્ટી)સાથે વ્યાપક ચુંટણીલક્ષી જોડાણો કરવાની ઇચ્છા રાખવી જોઇએ. આ નિર્ણયની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, પાર્ટી ઓફ લેબર ઓફ અલ્બાનીયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ન્યુઝીલેન્ડ અને પાર્ટીમાં જ રહેલા ઉદ્દામવાદીઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. ઓક્ટોબર 1966માં જલ્લન્દરમાં નેશનલ કાઉન્સીલ બેઠક ખાતે લાઇન બદલવામાં આવી હતી, જ્યાં એવું નક્કી કરાયું હતું કે પાર્ટીએ પસંદગીની ડાબેરી પાર્ટીઓ સાથે જોડાણો કરવા જોઇએ.
1967ની લોક સભાની ચુંટણીમાં સીપીઆઇ (એમ)ના 59 ઉમેદવારો ઉમેદવારી કરી હતી. તેમાંથી કુલ 19 લોકોએ ચુંટણી જીતી હતી. પાર્ટીએ 6.2 મિલીયન મતો (રાષ્ટ્રીય સ્તરના કુલ 4.28 ટકા મતો)મેળવ્યા હતા. તુલનાત્મક રીતે, સીપીઆઇએ 23 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રીય સ્તરે 5.11 ટકા મતો મેળવ્યા હતા. તેની સાથે યજાયેલી રાજ્ય વિધાનસભાની ચુંટણીમાં, સીપીઆઇ (એમ) કેરાલા અને પશ્ચિમ બંગાળામાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કેરાલામાં ઇ.એમ.એસ. નામ્બૂદિરીપાડના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ ફ્રંટ સરકાર રચાઇ હતી. પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ (એમ), યુનાઇટેડ ફ્રંટની રચાયેલ સરકાર પાછળ મુખ્ય પરિબળ હતું. મુખ્ય પ્રધાનપદુ બાંગ્લા કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસનું પ્રાદેશિક ફાંટા જુથ)ના અજોય મુખર્જીને આપવામાં આવ્યું હતું.
આ તબક્કે પાર્ટી ચોરાહા પર ઊભી હતી. પાર્ટીના ઉદ્ધામવાદી વિભાગો પણ હતા, જેઓ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને કેરાલામાં ચુંટણી જીત બાદ પાર્ટીના સંસદ પરત્વે વધતા જતા ધ્યાન બાબતે સાવધાની વર્તતા હતા. ચીનમાં થયેલી પ્રગતિએ પણ પાર્ટીની અંદરની સ્થિતિને માઠી અસર પહોંચાડી હતી. પશ્ચમ બંગાળમાં બે અલગ આંતરિક મતભેદ વલણો વિકસ્યા હતા, જેને બન્નેને ચાઇનીઝ લાઇનના ટેકા તરીકે ઓળખી શકાય. 1967માં, ઉત્તરીય પશ્ચિમ બંગાળમાં નક્સલબારીમાં ખેડૂત અશાંતિ પેદા થઇ હતી. આ બળવાખોરીની આગેવાની જિલ્લા સ્તરના સીપીઆઇ (એમ) સંકુચિત નેતાઓ ચારુ મજૂમદાર અને કાનુ સનવાલ દ્વારા લેવામાં આવી હતી. સીપીઆઇ (એમ)માં રહેલા સંકુચિતોએ નક્સલબારીના ઉદભવને એક ચિનગારી તરીકે જોઇ હતી, જે ભારતીય ક્રાંતિને પલીતો ચાંપનાર હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ નક્સલબારી ચળવણને વખાણી હતી, જે સીપીઆઇ (એમ)-સીપીસી સંબંધોમાં ઓચિંતી બ્રેક સમાન પૂરવાર થઇ હતી. નક્સલબારી ચળવળને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા હિંસક રીતે દાબી દેવામાં આવી હતી, જેમાંથી સીપીઆઇ (એમ) મોટી ભાગીદાર હતી. પાર્ટીમાં, સંકુચિત લોકોની સંખ્યા ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેશન કમિટી ઓફ કોમ્યુનિસ્ટ રિવોલ્યુશનરીઝ સુધી પ્રસરી હતી. 1968 બાદ સીપીઆઇ (એમ)ની બુર્દવાન બેઠકે (5-12 એપ્રિલ, 1968ના રોજ યોજાયેલ), એઆઇસીસીસીઆરને પોતાને સીપીઆઇ (એમ)થી અલગ પાડી દીધા હતા. આ ભાગલાએ દેશભરમાં પાર્ટીને અલગ પાડી દીધી હતી. પરંતુ નોંધપાત્ર છે કે પશ્ચિમ બંગાળમાં કે જે ઇદ્દામવાદી પ્રવાહનું કેન્દ્ર હતું,ત્યાં કોઇ આગળ પડતી વ્યક્તિએ પાર્ટી છોડી ન હતી. પાર્ટી અને નક્સલવાદ (જેમકે બળવાખોરોને કહેવાતું હતું) ટૂંક સમયમાં જ લોહીયાળ જંગમાં ફેરવાયો હતો.
આંધ્રપ્રદેશમાં અન્ય બળવો આકાર લઇ રહ્યો હતો. ત્યાં નક્સલવાદ તરફી મતભેદોએ સ્થાન લીધું ન હતું. પરંતુ પાર્ટીના સંચાલનમાં તેલનગંગા સશસ્ત્ર સંઘર્ષમાંથી ઘણા નિવૃત્તો હતા, જેમણે કેન્દ્રિય પાર્ટી નેતાગીરી સામે વિરોધ કર્યો હતો. આધ્રપ્રદેશમાં ઉદ્દામવાદીઓ રાજ્ય સ્રતની નેતાગીરીમાં પણ મજબૂત પાયો ધરાવતા હતા. ઉદ્દામવાદી વલણના મુખ્ય નેતા ટી. નેગી રેડ્ડી હતા, જેઓ રાજ્ય ધારાસભાના સભ્ય હતા. 15 જૂન 1968ના રોજ ઉદ્દામવાદી વલણ અખાબારી નિવેદનમાં પ્રકાશિત થયું હતું જેમાં સીપીઆઇ (એમ)ની પ્રગતિના ટીકાકારો પર ભાર મૂકાયો હતો. તેમાં ટી. નેગી રેડ્ડી, ડી.વી.રાવ, કોલ્લા વેંકીયાહ અને ચંદ્ર પુલ્લા રેડ્ડીએ હસ્તાક્ષર કર્યા હતા. આંધ્રપ્રદેશમાં આશરે 50 ટકા પાર્ટી કેડરોએ આંધ્રપ્રદેશ કોઓર્ડિનેશન કમિટી ઓફ કોમ્યુનિસ્ટ રિવોલ્યુશનરીઝની ટી. નેગી રેડ્ડીની નેતાગીરી હેઠળ રચના કરવા માટે પાર્ટી છોડી દીધી હતી.
નવેમ્બર 1967માં, પશ્ચિમ બંગાળ યુનાઇટેડ ફ્રંટ સરકારને કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવી હતી. શૂઆતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પ્રફુલ ચંદ્ર ઘોષના નેતૃત્વમાં લઘુમતી સરકારની રચના કરી હતી, પરંતુ તે કેબિનેટ લાંબા સમય સુધી ટકી શકી ન હતી. યુનાઇટેડ ફ્રંટ સરકારને પદચ્યુત કરવામાં આવી છે તેવી જાહેરાતને પગલે રાજ્યભરમાં 48 કલાક સુધી દુકાનો બંધ રહી હતી. ઘોષ કેબિનેટના પતન બાદ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું. સીપીઆઇ (એમ)એ પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ સામે દેખાવો કર્યા હતા. સીપીઆઇ (એમ)ની 8મી પાર્ટી કોંગ્રેસ 23-29, 1968ના રોજ કોચીન, કેરાલામાં યોજાઇ હતી. 25 ડિસેમ્બર 1968ના રોજ, જ્યારે કોંગ્રેસનું આયોજન કરાયું હતું ત્યારે કિલાવેનમાનીના તમિલ ગામમાં 42 દલિતોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ઊંચા વેતન માટે દલિત મજૂરોએ સીપીઆઇ (એમ) દેખાવોમાં ભાગ લીધો હોવાથી તેના બદલારૂપે જમીનમાલિકો દ્વારા આ હત્યાકંડ આચરવામાં આવ્યો હતો.
સીપીઆઇ, આરએસપી, કેટીપી અને મુલ્સીમ લીગ પ્રધાનોએ રાજીનામુ આપી દેતા કેરાલા સ્થિત યુનાઇટેડ ફ્રંટ સરકારને ઓક્ટોબર 1969માં ઓફિસ છોડી દેવાની ફરજ પડી હતી. ઇ.એમ.એસ. નામ્બીદિરીપાડે 24 ઓક્ટોબરા રોજ પોતાનું રાજીનામુ સુપરત કર્યું હતું. સીપીઆઇ નેતા સી. અચ્યુથા મેનનના નેતૃત્વ હેઠળ યુતિ સરકારની રચના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બહારના ટેકાથી થઇ હતી.
પશ્ચિમ બંગાળમાં નવેસરથી ચુંટણીઓ યોજાઇ હતી. સીપીઆઇ (એમ)એ 97 બેઠકો પરથી ચુંટણી લડી હતી અને 80 પર જીત પ્રાપ્ત કરી હતી. હવે આ પાર્ટી પશ્ચિમ બંગાળ ધારાસભામાં સૌથી મોટી હતી. પરંતુ સીપીઆઇ અને બાંગ્લા કોંગ્રેસના સક્રિય ટેકાને કારણે અજોય મુખર્જી રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે પરત ફર્યા હતા. સીપીઆઇ, બાંગ્લા કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વચ્ચે સીપીઆઇ (એમ) વિરુદ્ધ એક સંધિ થતા 16 માર્ચ 1970ના રોજ મુખર્જીએ રાજીનામુ આપ્યું હતું. સીપીઆઇ (એમ)નવી સરકારની રચનાથી વંચિત રહી ગઇ હતી, પરંતુ તેના બદલે કેન્દ્ર સરકારે રાજ્યને રાષ્ટ્રપતિ શાસન હેઠળ મૂકી દીધું હતું.
કેરાલામાં 1970માં નવેસરથી ચુંટણીઓ યોજાઇ હતી. સીપીઆઇ (એમ)એ 73 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી અને 29 પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ચુંટણી બાદ અચ્યુથા મેનને નવા મંત્રાલયની રચના કરી હતી, જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રધાનોનો પણ સમવેશ કરાયો હતો.
1964ના ભાગલાને પગલે સીપીઆઇ (એમ) કેડર ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સાથે સક્રિય રહી હતી. પરંતુ સીપીઆઇ અને સીપીઆઇ (એમ) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી જતા, અને પશ્ચિમ બંગાળ અને કેરાલામાં અથડામણો થતા આ ભાગલા એઆઇટીયુસી (આઇટુક)માં પણ સપાટી પર આવી ગયા હતા. ડિસેમ્બર 1969માં આઠ સીપીઆઇ (એમ) સભ્યોએ વર્કીંગ કમિટી બેઠકનો ત્યાગ કર્યો હતો. આ આઠેય જણાએ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સંમેલન બોલાવવાની હાકલ કરી હતી, જે 9-10 એપ્રિલ, 1970માં ગોવામાં યોજાઇ હતી. આ સંમેલનનમાં એવું નક્કી કરાયું હતું કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોન્ફરન્સ કલકત્તા ખાતે 28-31 મે દરમિયાન યોજવામાં આવશે. કલકત્તા કોન્ફરન્સ, નવી સીપીઆઇ (એમ) તરફી વ્યાપારી સંગઠન ચળવળ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સની સ્થાપના અંગેની કોન્ફરન્સ હશે.
1971માં બાંગ્લાદેશે (અગાઉનું પૂર્વ પાકિસ્તાન) પાકિસ્તાનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી. પાકિસ્તાની લશ્કરે આ ઉદભવને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે લશ્કરી માર્ગે હસ્તક્ષેપ કર્યો હતો અને બાંગ્લાદેશી પ્રતિકારને સક્રિય ટેકો આપ્યો હતો. કરોડો બાંગ્લાદેશીઓ આશ્રિતોએ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભારત પાસે આશ્રય માંગ્યો હતો.
બાંગ્લાદેશી કોમ્યુનિસ્ટ ચળવળના ઉદ્દામવાદી વિભાગના સમયે ભાગલામાં વિભાજન કરાયું હતું. તે સમયે સોવિયેત તરફી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બાંગ્લાદેશે પ્રતિકાર સંઘર્ષમાં સક્રિયપણે ભાગ લીધો હતો, ચાઇની તરફી કમ્યુનિસ્ટ વલણે પોતાની જાતને વિચિત્ર સ્થિતિમાં અનુભવી હતી, કેમ કે ચાઇના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં અલગ પડી ગયું હતું. કલકત્તામાં, જ્યાં ઘણા બાંગ્લાદેશી ડાબેરીઓએ આશ્રય માંગ્યો હતો, ત્યારે સીપીઆઇ (એમ)એ નવા રાજકીય સંગઠનની રચના કરવા માટેના પ્રયત્નોમાં સંકલન કરવાની કામગીરી કરી હતી. ત્રણ નાના જૂથોના પતનમાં કે જે તમામને સીપીઆઇ (એમ) આધારિત હતા તેઓ બાંગ્લાદેશ કો્યુનિસ્ટ પાર્ટી (લેનિનીસ્ટ)ની રચના કરવા માટે એકત્ર થયા હતા. નવો પક્ષ બાંગ્લાદેશમાં સીપીઆઇ (એમ)ના પેટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.
બાંગ્લાદેશ યુદ્ધના પગલે અને પ્રજાવાદી રાષ્ટ્રીય નેતા તરીકે ઇન્દિરા ગાંધીની ઉભરતી ભૂમિકાને લીધે 1971ની લોક સભાની ચુંટણી યોજાઇ હતી. સીપીઆઇ (એમ)એ 85 બેઠક પર ચુંટણી લડી હતી અને 25 પર જીત પ્રાપ્ત કરી હતી. પાર્ટીએ કુલ 7510089 મતો મેળવ્યા હતા (રાષ્ટ્રીય મતના 5.12%). જેમાં 20 બેઠકો પશ્ચિમ બંગાળમાંથી આવી હતી (જેમાં બુર્દવાનમંથી ચુંટાયેલા સોમનાથ ચેટર્જીનો સમાવેશ થાય છે, કેરાલામાંથી 2 બેઠકો (જેમાં ત્રિચુરમાંથી ચુંટાયેલા એ.કે. ગોપાલનનો સમાવેશ થાય છે), 2 ત્રિપુરામાંથી (બિરેન દત્તા અને દસરથ દેબ) અને 1 આંધ્રપ્રદેશમાંથી જીતી હતી.
સમાન વર્ષમાં, રાજ્યની ધારસભાની ચુંટણીઓ ત્રણ રાજ્યોમાં યોજાઇ હતી; પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને ઓરિસ્સા. પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ (એમ) પાસે 241 ઉમેદવારો હતા, જેમણે 113 બેઠકો જીતી હતી. પાર્ટીએ કુલ 4241557 મતો મેળવ્યા હતા (રાજ્ય સ્તરના 32.86% મત). તામિલનાડુમાં સીપીઆઇ (એમ)એ 37 બેઠકો માટે ચુંટણી લડી હતી, પરંતુ એક પણ હાંસલ કરી ન હતી. પાર્ટીએ 259298 મતો મેળવ્યા હતા. (રાજ્ય સ્તરે 1.65% મત). ઓરિસ્સામાં પાર્ટીએ 11 બેઠકો પર ચુંટણી લડી હતી અને બે જીતી હતી. સીપીઆઇ (એમ)ના રાજ્યમાં 52785 મત હતા (રાજ્ય સ્તરે 1.2% મત).
સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૧" નો ઉપયોગ. 1977માં, સીપીઆઇ (એમ)એ પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોંગ્રેસ (આઇ)ને હરાવીને કાયદા વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત કરી હતી. જ્યોતિ બાસુ મુખ્ય પ્રધાન બન્યા હતા અને તેઓ 2000માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે ઓફિસ સંભાળી હતી. સીપીઆઇ (એમ)એ 1977થી પશ્ચિમ બંગાળ સરકારમાં સતત બહુમતી જાળવી રાખી હતી. પાર્ટીએ ત્રિપુરામાં પણ 60 બેઠકોમાંથી 49 બેઠકો જીતી લીધી હતી. તે રાજસ્થાન વિધાનસભામાં 3 સંસદસભ્યો ધરાવે છે. બિહારમાં તે સીપીઆઇ (એમએલ) એલ અને સીપીઆઇ સાથે જોડાણ ધરાવે છે. તે રાજ્યમાં મજબૂત પાયો ધરાવે છે અને તામિલનાડુમાં તેણે દલિતો માટે કામ કર્યું છે.
ધી કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૨ ના રોજ વેબેક મશિનએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પિનારવી વિજયને (પોલીટબ્યુરોના સભ્ય અને સીપીઆઇ (એમ)ના કેરાલા રાજ્ય સચિવ)1998માં કેરાલાના ઉર્જા પ્રધાન તરીકે કેનેડાની કંપની એસએનસી લાવલીન સાથે એક સોદો કર્યો હતો, જેમાં ત્રણ જનરેટરની મરમ્મત કરવાની હતી, જે એક મોટું કૌભાંડ હતું અને તેના કારણે સરકારી તિજોરી પર રૂ. 3.76 અબજનો ખર્ચ થયો હતો. 16 જાન્યુઆરી 2007ના રોજ કેરાલા હાઇ કોર્ટે એસએનસી લાવનીન કેસમાં તપાસ કરવાના સીબીઆઇને આદેશ આપ્યો હતો. . 21 જાન્યુઆરી 2009ના રોજ, સીબીઆઇએ કેરાલા હાઇકોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. પિનારવી વિજયનનું નામ કેસમાં 9મા આરોપી તરીકે હતું. . સીપીએમે વિજયનને એમ કહીને ટેકો આપ્યો હતો કે આ કેસ રાજકીય પ્રેરિત છે. . સીપીએમના નેતૃત્ત્વવાળી કેરાલા સરકારે કેસમાં કાર્યવાહી નહી કરવાનું નક્કી કર્યું હતું . કેબિનેટની ભલામણને ધ્યાનમાં લીધા વિના ગવર્નરે વિજયન સામે પ્રથમ દર્શનીય અહેવાલને આધારે સીબીઆઇને કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપી હતી . ભ્રષ્ટાચારના કેસમા પોલીટબ્યુરોના સભ્ય સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવું પાર્ટીના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું હતું . બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને વિજયનને આ કેસમાં દોષમુક્ત જાહેર કર્યા હતા. . રાજકીય કારણોસર વિજયન પર ભ્રષ્ટાચારનું આરોપણ કરાયું હતું અને તેમની પાર્ટી સીપીઆઇએમએ હંમેશા આ મુદ્દે વિજયનને ટેકો આપ્યો હતો.
12 જુલાઇ 2009ના રોજ, સીપીઆઇએમ મધ્યસ્થ સમિતિએ કેરાલાના મુખ્ય પ્રધાન વી.એસ. અચ્યુથાનંદનને તેના પોલીટબ્યુરોમાંથી દૂર કરવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણયે સામાન્ય પ્રજા અને પાર્ટીના કાર્યકરો તરફથી મોટા પાયે ટીકાઓને જન્મ આપ્યો હતો, કેમ કે આ નિર્ણયને પિનારવી વિજયન કે જેમને કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં આરોપી ઠરાવાયા હતા તેમને તરફેણ કરતો અને વી.એસ. દ્વારા લેવાયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધના વલણ તરીકે જોવાયો હતો. .
સીપીઆઇ (એમ) તેની દેખરેખ નીતિઓ બાબતે ડાબેરીપાંખ ક્ષેત્ર તરફથી ટીકાઓનો સામનો કરે છે. કેટલાક સીપીઆઇ (એમ)ના આંતરિક વર્તુળોએ પણ સીપીઆઇ (એમ)ના કોર્પોરેટ હિતો સાથેના સમાધાન બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બુદ્ધાદેબ ભટ્ટાચાર્યના પોતાના કેબિનેટ પ્રધાન (જમીન સુધારણા પ્રધાન) અને સીપીઆઇ (એમ)ના નેતા અબ્દુલ રજ્જાક મોલ્લાહે બુદ્ધાદેબની સંભવિત "નિયો લિબરલ" (આર્થિક વૃદ્ધિની જરૂર વાળી નીતિ) લાઇનનો વિરોધ કર્યો હતો. [સંદર્ભ આપો] તેમણે પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં જમીન સંપાદન ખરડાની જોગવાઇઓનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અને પૂર્વ સીપીઆઇ (એમ) રાજ્ય સભાના સભ્ય ડો. અશોક મિત્રાએ પણ સીપીઆઇ (એમ)ની આર્થિક ઉદારીકરણ તરફની વિચારધારાના પરિવર્તન અંગે અસંમતિ વ્યક્ત કરી હતી.
કેરાલામાં, પ્રોફે. એમ.એન. વિજયન, કે જેઓ સીપીઆઇ (એમ)ની માલિકીના "દેશાભિમાની સાપ્તાહિક"ના પૂર્વ સંપાદક હતા તેમણે દલીલ કરી હતી કે સીપીઆઇ (એમ)ની નીતિઓ પર હવે ઉદાર આર્થિક સુધારાનો પ્રભાવ છે અને પાર્ટીની કામગીરી પર વિદેશી ભંડોળના પ્રભાવ, સાંસ્કૃતિક ક્ષેત્રે મૂડીના પ્રભાવ સામે બળવો પોકાર્યો હતો અને ઓળખપાત્ર રાજકારણ સાથે વર્ગ આધારિત રાજકારણને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. એમ.એન. વિજયનની નેતાગીરી હેઠળ કેરાલામાં અભિનીવેસા પ્રથીરોધા સમિતિ (રેઝીસ્ટીંગ ઇમ્પીરિયલીસ્ટ ગ્લોબલાઇઝેશન માટેની કાઉન્સીલ)ની રચના કરાઇ હતી.
સીપીઆઇ (એમ)ના અર્થશાસ્ત્રી પ્રભાત પટનાયકે પણ પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક નીતિની આવશ્યક શરત હોવાથી ગ્રાન્ડે ઉદ્યોગના માર્ગનો ઉપયોગ કરીને ઔદ્યોગિકીકરણના તર્કના પ્રભાવ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. .
ડેમોક્રેટિક ઇન્ડિયાની અસંખ્ય અન્ય રાજકીય પાર્ટીઓની જેમ સીપીઆઇ (એમ)એ પણ વિવિધ રાજકીય પાર્ટીઓમાં તાકાત સંઘર્ષને પ્રતિભાવ આપવાના ઉદ્દેશથી હિંસક માર્ગોનો ઉપયોગ કરવા બદલ આરોપી ઠેરવી હતી. તેને વિરોધ પક્ષો દ્વારા પણ તેમની સામે હિંસક માર્ગોનો ઉપયોગ કરવા સામે આરોપી ઠેરવવામાં આવ્યા હતા.
સીપીઆઇ (એમ)એ છેલ્લી સંસદીય ચુંટણીમાં (મે 2004) 5.66 ટકા મતો પ્રાપ્ત કર્યા હતા અને તેની પાસે 43 સંસદસભ્યો હતા. તેણે 69 બેઠકો પર ચુંટણી લડી હતી તેમાં સરેરાશ 42.31% જીતી હતી. તેણે નવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ-ની આગેવાની વાળી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયંસ સરકારને તેનો ભાગ બન્યા સિવાય ટેકો આપ્યો હતો. 9 જુલાઇ 2008ના રોજ તેણે યુપીએ સરકારને ખાસ કરીને એવું સમજાવતા ઔપચારીક રીતે ટેકો પાછો ખેંચ્યો હતો કે આ ઇન્ડો યુએસ ન્યુક્લિયર સોદો અને આઇએઇએ સેફગાર્ડઝ કરાર વિશે મતભેદો છે.
પશ્ચમ બંગાળ અને ત્રિપુરામાં તે ડાબેરી મોરચામાં ભાગ લે છે. કેરાલામાં પાર્ટી એ ડાબેરી લોકશાહી મોરચાનો ભાગ છે. તામિલનાડુમાં તે શાસકપક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝગામ (ડીએમકે)ની આગેવાની હેઠળના ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયંસનો એક ભાગ હતી. જોકે, ત્યારથી તેણે ટેકો પાછો ખેંચી લીધો હતો.
તેના ગ્રેટ બ્રિટનના સભ્યો મતાધિકારને લગતા મોરચા યુનિટી ફોર પીસ એન્ડ સોસિયાલિઝમમાં હતા, જેની સાથે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બ્રિટન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બાંગ્લાદેશના બ્રિટીશ રહેવાસી વિભાગો અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ગ્રીસ (કેકેઇ) હતા. મે 2008ની લંડન વિધાનસભા ચુંટણીના લંડનમાં પથરાયેલી યાદી વિભાગમાં 13 ઉમેદવારો સાથે ઊભી છે.
2004ના રોજ, પાર્ટીએ 867,763નું સભ્યપદ હોવાનો દાવો કર્યો હતો.
રાજ્ય | 2001 | 2002 | 2003 | 2004 | મતદાર સંઘમાં પક્ષના સભ્યોની ટકાવારી |
---|---|---|---|---|---|
આંધ્ર પ્રદેશ | 40785 | 41879 | 45516 | 46742 | 0.0914 |
આસામ | 10480 | 11207 | 11122 | 10901 | 0.0726 |
આંદામાન અને નિકોબાર | 172 | 140 | 124 | 90 | 0.0372 |
બિહાર | 17672 | 17469 | 16924 | 17353 | 0.0343 |
છત્તીસગઢ | 1211 | 1364 | 1079 | 1054 | 0.0077 |
દિલ્હી | 1162 | 1360 | 1417 | 1408 | 0.0161 |
ગોવા | 172 | 35 | 40 | 67 | 0.0071 |
ગુજરાત | 2799 | 3214 | 3383 | 3398 | 0.0101 |
હરિયાણા | 1357 | 1478 | 1477 | 1608 | 0.0131 |
હિમાચલ પ્રદેશ | 1005 | 1006 | 1014 | 1024 | 0.0245 |
જમ્મુ અને કાશ્મીર | 625 | 720 | 830 | 850 | 0.0133 |
ઝારખંડ | 2552 | 2819 | 3097 | 3292 | 0.0200 |
કર્ણાટક | 6574 | 7216 | 6893 | 6492 | 0.0168 |
કેરાલા | 301562 | 313652 | 318969 | 316305 | 1.4973 |
મધ્યપ્રદેશ | 2243 | 2862 | 2488 | 2320 | 0.060 |
મહારાષ્ટ્ર | 8545 | 9080 | 9796 | 10256 | 0.0163 |
મણીપુર | 340 | 330 | 270 | 300 | 0.0195 |
ઓરિસ્સા | 3091 | 3425 | 3502 | 3658 | 0.0143 |
પંજાબ | 14328 | 11000 | 11000 | 10050 | 0.0586 |
રાજસ્થાન | 2602 | 3200 | 3507 | 3120 | 0.0090 |
સિક્કિમ | 200 | 180 | 65 | 75 | 0.0266 |
તામિલનાડુ | 86868 | 90777 | 91709 | 94343 | 0.1970 |
ત્રિપુરા | 38737 | 41588 | 46277 | 51343 | 2.5954 |
ઉત્તરાંચલ | 700 | 720 | 740 | 829 | 0.0149 |
ઉત્તરપ્રદેશ | 5169 | 5541 | 5477 | 5877 | 0.0053 |
પશ્ચિમ બંગાળ | 245026 | 262882 | 258682 | 274921 | 0.579 |
સીસી સ્ટાફ | 96 | 95 | 95 | 87 | |
કુલ | 796073 | 835239 | 843896 | 867763 | 0.1292 |
સીપીઆઇ (એમ)ના હાલના સામાન્ય સચિવ પ્રકાશ કરાત છે. સીપીઆઇ (એમ)ની 19મી પાર્ટી કોંગ્રેસ કોઇમ્બતોરમાં 29 માર્ચ-3 એપ્રિલ 2008ના રોજ મળી હતી અને 87 સભ્યો સાથે મધ્યસ્થ સમિતિને ચુંટી કાઢી હતી. મધ્યસ્થ સમિતિએ બાદમાં 15 સભ્યના પોલીટબ્યુરોને ચુંટી કાઢ્યું હતું :
સૌથી વરિષ્ઠ સભ્ય, વી.એસ. અચ્યુથાનંદનને 12 જુલાઇ 2009ના રોજ પોલીટ બ્યુરોમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
19મી કોંગ્રેસે પોલીટ બ્યુરોના છેલ્લા બે સભ્યોની વિદાય જોઇ હતી, જેઓ મૂળ પોલીટ બ્યુરોમાં 1964થી સ્થાન ધરાવતા હતા, જેમાં હરકિશેનસિંહ સુરજીત અને જ્યોતિ બાસુનો સમાવેશ થાય છે.
ત્રિપુરામાં, ગણમુક્તિ પરિષદ એ રાજ્યના આદિજાતિ લોકોમાં મોટી જંગી સંસ્થા છે. કેરાલામાં આદિવાસી ક્ષેમા સમિથી, એ આદિવાસી સંસ્થા છે અને તેની પર સીપીઆઇ (એમ)નો અંકુશ છે. આ સિવાય, સાંસ્કૃતિક ક્ષેત્રે વધુમાં વધુમાં 12 જેટલી મોટી સંસ્થાઓની આગેવાની સીપીઆઇ (એમ) કરે છે.
કેન્દ્રમાંથી બે સાપ્તાહિક અખબારોનું પ્રકાશન થાય છે, પીપલ્સ ડેમોક્રેસી (ઇંગ્લીશ) અને લોક લેહર (હિન્દી). પાર્ટીનું કેન્દ્રિય થિયોરેટિકલ અંગ ધી માર્ક્સસીસ્ટ છે, જે ઇંગ્લીશમાં ત્રિમાસિક ધોરણે પ્રકાશિત થાય છે.
2008ના અનુસાર, સીપીઆઇ (એમ)એ પશ્ચિમ બંગાળ, કેરાલા અને ત્રિપુરામાં રાજ્ય સરકારનું નેતૃત્વ કર્યું હતું. પાર્ટીને લાગેવળગતા મુખ્ય પ્રધાનોમાં બુદ્ધાદેબ ભટ્ટાચારજી, વી.એસ. અચ્યુથાનંદન અને માનિક સરકારનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પાર્ટીએ તેના પોતાના રાજ્યની વિધાનસભામાં મહત્તમ બેઠકો પ્રાપ્ત કરી હતી, પરંતુ તેની સંભાળ લેફ્ટ ફ્રંટ ભાગીદાર સાથે લીધી હતી. કેરાલામાંસ પાર્ટીએ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટનું સૌથી મોટું ઘટક છે.
હિંદીમાં સીપીઆઇ (એમ)ને ઘણી વખત मार्क्सवादी कमयुनिस्ट पार्टी (માર્કવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી કહેવાય છે, જેનું સંક્ષિપ્ત MaKaPa થાય છે). જોકે હિન્દીમાં પાર્ટીનું સત્તાવાર નામ જોકે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) છે.
1964માં ભાગલા પડ્યા બાદના પ્રારંભિક ગાળમાં, પાર્ટીને ઘણી વખત 'લેફ્ટ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (લેફ્ટ-ડાબેરી)' તરીકે સંબોધવામાં આવતી હતી. સીપીઆઇ ત્યારથી, સમાન બોલચાલમાં 'રાઇટીસ્ટ કોમ્યુનિસ્ટ પાર્ટી' તરીકે સંબોધવામાં આવે છે. માર્ચ 1965ના કેરાલા ધારાસભા વિધાનસભાની ચુંટણી બાદ ચુંટણી પ્રતીક પ્રાપ્ત કરવા માટે 'કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સસીસ્ટ)' એવું નામ અપનાવવાનું નક્કી કર્યું હતું.
અસંખ્ય વિશાળ પાર્ટઓની રચના સીપીઆઇ (એમ)માં થયેલા ભાગલાને પરિણામે થઇ હતી, જેમ કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સીસ્ટ-લેનિનીસ્ટ), માર્ક્સસીસ્ટ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, ઝારખંડમાં માર્ક્સસીસ્ટ કોઓર્ડિનેશન કમિટી, જાનાથીપથીયા સમરક્ષણા સમિથી, કોમ્યુનિસ્ટ માર્ક્સસીસ્ટ પાર્ટી અને કેરાલામાં બીટીઆર-ઇએમએસ-એકેજી જાનકીવા વેદી, પશ્ચિમ બંગાળમાં પાર્ટી ઓફ ડેમોક્રેટિક સોસિયાલિઝમ, ત્રિપુરામાં જંગાનોતાંત્રિક મોર્ચા, પંજાબમાં રામ પાસલા ગ્રુપ, ઓરિસ્સામાં ઓરિસ્સા કોમ્યુનિસ્ટ પાર્ટી વગેરે.
2009 લોક સભાની ચુંટણીમાં પાર્ટીએ જેની પર તેની મજબૂત પક્કડ હતી તેમાંથી બેમાં, પશ્ચિમ બંગાળ અને કેરાલામાં વિવિધ બેઠકો ગુમાવી હતી, જ્યારે જેની પર તેની મજબૂત પક્કડ હતી તેવી ત્રીજી ત્રિપુરાની બેઠક પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
ઢાંચો:Communist Parties
ઢાંચો:Indian political parties
This article uses material from the Wikipedia ગુજરાતી article ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.