નારિયેળ કે શ્રીફળ એક ફળ છે.
જે "નારિયેળી"ના વૃક્ષ પર ઉગે છે.
નારિયેળ અને નારિયેળી Cocos nucifera | |
---|---|
Coconut palm (Cocos nucifera) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Class: | Monocots |
Order: | Arecales |
Suborder: | Commelinids |
Family: | Arecaceae |
Subfamily: | Arecoideae |
Tribe: | Cocoeae |
Genus: | ''Cocos'' |
Species: | ''C. nucifera'' |
દ્વિનામી નામ | |
Cocos nucifera L. |
ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.
નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દૃષ્ટિથી નારિયેળને શ્રીફળ નામથી ઓળખાય છે.
હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે. પાકી ગયેલું નારિયેળ હિંદુ ધર્મમાં પવિત્ર ફળ મનાય છે અને મંદિરમાં ભગવાનને ધરાવાય છે તેમ જ ઘણાં ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં તેનો ઉપયોગ થાય છે.
નારિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૌંદર્ય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article નારિયેળ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.