અગાથા ક્રિસ્ટી, પૂર્ણ નામ અગાથા મેરી ક્લેરિસ્સા ક્રિસ્ટી (૧૫ સપ્ટેમ્બર ૧૮૯૦ – ૧૨ જાન્યુઆરી ૧૯૭૬) અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક હતા.
તેમનો જન્મ ઇંગ્લેન્ડના સમુદ્ર કિનારે આવેલા ટોર્કે નામના ગામમાં થયો હતો. તેમણે પ્રથમ કવિતા માત્ર છ વર્ષ ની ઉંમરે લખી હતી. તેઓ નિરક્ષર હતા. તેમની પ્રથમ રહસ્યમય નવલકથા ધી મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઇલ્સ ૧૯૨૦માં પ્રગટ થઈ હતી.
અગાથા ક્રિસ્ટી | |
---|---|
જન્મ | Agatha Mary Clarissa Miller ૧૫ સપ્ટેમ્બર ૧૮૯૦ Ashfield |
મૃત્યુ | ૧૨ જાન્યુઆરી ૧૯૭૬ Winterbrook (યુનાઇટેડ કિંગડમ), વૉલિંગફોર્ડ |
વ્યવસાય | લેખક, crime fiction writer |
કાર્યો | The A.B.C. Murders See Agatha Christie bibliography |
શૈલી | crime novel |
જીવન સાથી | Max Mallowan, Archie Christie |
બાળકો | Rosalind Christie |
માતા-પિતા | |
પુરસ્કારો | |
વેબસાઇટ | https://agathachristie.com |
સહી | |
તેમનાં પુસ્તકો વિશ્વભરમાં લોકપ્રિય હતાં અને તેણીના પુસ્તકો અત્યંત વેચાયા છે. તેમની વાર્તાઓ હત્યાઓ અને તે હત્યાઓ કોણે કરી તે વિશેની છે. તેમનાં પુસ્તકોનાં અત્યંત જાણીતાં પાત્રો મિસ માર્પલ અને હર્ક્યુલે પોઇરોટ છે. મિસ માર્પલ એ ઘરડી સ્ત્રી છે અને તે બધાં સાથે મળતાવડી છે. તેણી તર્કનો ઉપયોગ કરીને હત્યા માટે જવાબદાર કોણ છે તે શોધે છે. હર્ક્યુલે પોઇરોટ એ બેલ્જિયમનો જાસૂસ છે, જે લંડનમાં રહે છે. તે બધાં પૂરાવાનો વિચાર કરીને હત્યા કોણે કરી તે શોધે છે.
તેણીએ બે વખત લગ્ન કર્યા હતા. તેઓના બીજા લગ્ન ૧૯૩૦માં મેક્સ મેલોવાન સાથે થયા હતા અને રોસાલિન્ડ હિક્સ નામની પુત્રી હતી. તેણીએ દવાખાનાંમાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દવાની દુકાનમાં કામ કર્યું હતું. અગાથા ક્રિસ્ટીએ પ્રણય નવલકથાઓ અને નાટકો પણ લખ્યા હતા. તે પણ અત્યંત સફળ થયા હતા. ૧૯૭૧માં, તેણીને ડેમ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ બ્રિટનની રાણી દ્વારા આપવામાં આવ્યો હતો.
અગાથા ક્રિસ્ટીનું અવસાન ૧૨ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ ૮૫ વર્ષની ઉંમરે કુદરતી કારણોસર તેમના ઘરે થયું હતું.
અગાથા ક્રિસ્ટી સૌથી વધુ વેચાણ ધરાવતાં નવલકથાકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ ધરાવે છે. તેમના કુલ મળીને ૧૧૦ જેટલા પુસ્તકો છે. જેમાં ૪ પુસ્તકો પ્રકીર્ણ છે. ૬ પુસ્તકો પ્રણયકથા ના છે. ૨૦ જેટલા નાટક અને ૬૬ જેટલી રહસ્ય કથા છે. જેના ૧૫૭ ભાષામાં અવતરણ થયા છે. વેચાણ ની બાબતમાં તેના પુસ્તકો વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. તેમની નવલકથાઓની કુલ ૪૦૦ કરોડ નકલો વેચાઇ છે. વિલિયમ શેક્સપીયર અને બાઇબલ પછી તેમના પુસ્તકો સૌથી વધુ વેચાયા છે. તેમનાં પુસ્તકોનું ૧૦૩ ભાષાઓમાં ભાષાંતર થયેલ છે. તેમની સૌથી વધુ વેચાયેલ નવલકથા એન્ડ ધેન ધેર વેર નન છે, જેની ૧૦ કરોડ નકલો વેચાયેલ છે. તે વિશ્વની સૌથી વધુ વેચાયેલ રહસ્ય નવલકથા છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અગાથા ક્રિસ્ટી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.