ડૉ.
રામ મનોહર લોહિયા (૨૩ માર્ચ ૧૯૧૦ – ૧૨ ઓક્ટોબર ૧૯૬૭) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા હતા.
ડૉ. રામ મનોહર લોહિયા | |
---|---|
ભારતીય ટપાલ ટિકિટ પર લોહિયા (૧૯૭૭) | |
જન્મની વિગત | અકબરપુર (આંબેડકરનગર), આગ્રા અને અવધનો સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | 23 March 1910
મૃત્યુ | 12 October 1967 | (ઉંમર 57)
રાષ્ટ્રીયતા | Indian |
શિક્ષણ સંસ્થા | કલકત્તા વિશ્વવિદ્યાલય હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન; જર્મની |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટી સમાજવાદી પક્ષ |
ચળવળ | ભારત છોડો આંદોલન ભારતીય સ્વતંત્રતા ચળવળ |
વેબસાઇટ | www |
તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. ૧૯૧૨માં તેમની માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા અને પછીનો ઉછેર તેમના પિતા હિરાલાલ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૧૮માં તેમના પિતા સાથે મુંબઈ આવી ગયા જ્યાં તેમણે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. મેટ્રિક પરીક્ષામાં પ્રથમ આવ્યા બાદ ઈન્ટરમીડિએટ કોર્સ પૂર્ણ કરવા ૧૯૨૭માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. બાદમાં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલય સંલગ્ન વિદ્યાસાગર કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ૧૯૨૯માં સ્નાતક (બી.એ.)ની પદવી મેળવી. બ્રિટીશ દર્શન પર પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરવા માટે તેમણે પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાન ફ્રેડરીક વિલિયમ વિશ્વવિદ્યાલય (હાલ હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન; જર્મની)માં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ દરમિયાન ડૉક્ટરેટના વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર અધ્યયન કર્યું. તેમણે ઝડપથી જર્મન ભાષા શીખી લીધી અને પોતાના ઉત્કૃષ્ઠ શૈક્ષણિક પ્રદર્શનના આધારે આર્થિક સહાય પણ મેળવી.
લોહિયાએ ગાંધીજીના આર્થિક–સામાજીક સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રીત કરીને ભારતમાં મીઠા પરના કર વિશે પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો હતો.
લોહિયા કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટીના સંસ્થાપકો પૈકીના એક હતા અને પાર્ટીના મુખપત્ર કોંગ્રેસ સોશિયાલીસ્ટના સંપાદક પણ હતા. ૧૯૩૬માં જવાહરલાલ નહેરુ દ્વારા તેમની વરણી કોંગ્રેસની કેન્દ્રીય નિર્ણાયક સભા તરીકે કાર્યરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિદેશ સચિવ તરીકે કરવામાં આવી. બે વર્ષ સુધી સમિતિમાં સક્રિય રહ્યા બાદ ૧૯૩૮માં તેમણે આ જવાબદારીથી મુક્ત થઈ કોંગ્રેસના ગાંધીવાદી નેતૃત્ત્વ દ્વારા આયોજીત પદોની આલોચનાત્મક તપાસ કરીને પોતાનો રાજનૈતિક દૃષ્ટિકોણ વિકસાવવાનું શરૂ કર્યું. જૂન ૧૯૪૦માં યુદ્ધ વિરોધી ભાષણ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી પરંતુ ૧૯૪૧ના અંત સુધીમાં છોડી મૂકવામાં આવ્યા.૧૯૪૨માં ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર ભારત છોડો આંદોલન શરુ થયું તેમાં લોહિયાએ ગુપ્ત રીતે વિદ્રોહને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું. ૧૯૪૪માં તેમની ધરપકડ કરવામાં આવી અને લાહોરની જેલમાં કેદ કરવામાં આવ્યા. ૧૧ એપ્રિલ ૧૯૪૬ના રોજ જયપ્રકાશ નારાયણ અને લોહિયાને મુકત કરવામાં આવ્યા.
૧૯૩૮માં કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ લોહિયા કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટી સાથે જોડાયા. ૧૯૪૨માં કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટી અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી પરસ્પર વિલય પામી પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીનું ગઠન કર્યું. નવી પાર્ટીથી નાખુશ લોહિયાએ ૧૯૫૬માં પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીથી છેડો ફાડી સોશિયાલીસ્ટ પાર્ટી (લોહિયા)ની સ્થાપના કરી. ૧૯૬૨ની સામાન્ય ચૂંટણીમાં જવાહરલાલ નેહરુ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો. ૧૯૬૩માં ફારુખાબાદ લોકસભા ક્ષેત્રની પેટા ચૂંટણીમાં જીત મેળવી લોકસભાના સદસ્ય બન્યા. ૧૯૬૫માં લોહિયાની સોશિયાલીસ્ટ પાર્ટીનો વિલય સંયુક્ત સોશિયાલીસ્ટ પાર્ટીમાં થયો. બન્ને સમાજવાદી પક્ષોના વિલય, વિભાજન અને પુનર્વિલય થતા રહ્યા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કનૌજ લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કર્યું.
લોહિયાનું અવસાન ૧૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ શસ્ત્રક્રિયા બાદ સ્વાસ્થ્ય સંબંધી જટીલતાઓના કારણે નવી દિલ્હી ખાતે થયું હતું.
This article uses material from the Wikipedia ગુજરાતી article રામ મનોહર લોહિયા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.