વીમો ,કાયદા અને અર્થશાસ્ત્રની ભાષામાં જોખમ સંચાલન છે, જેનો પ્રાથમિક ઉપયોગ સંભવિત જોખમ સામે હેજ(જોખમ સામે રક્ષણ) આપવાનો છે.
વીમો એટલે પ્રિમીયમના વિનિમયમાં એક પક્ષમાંથી બીજા પક્ષને નુકસાનના જોખમનું સમાન હસ્તાંતરણ, તેને મોટા નુકસાન, તેને સંભવતઃ ભયંકર મોટા નુકસાનને અટકાવવા માટે ખાતરીપુર્વકનું નાનું નુકસાન ગણી શકાય.વીમાદાતા એ વીમો વેચનાર કંપની છે, ઇન્શ્યોર્ડ (વીમા ધારક) અથવા પોલિસી ધારક એ કોઇ વ્યક્તિ કે પક્ષ છે જે વીમો ખરીદે છે.વીમા દર એ ચોક્કસ વીમા કવચ પર વસૂલવામાં આવતો ચાર્જ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું પરિબળ છે, તેને પ્રિમીયમ કહેવાય છે.જોખમ સંચાલન એ જોખમનું મૂલ્યાંકન કરવાની અને તેને અંકુશમાં લેવા માટેની પ્રસ્થાપિત રીત છે. તે અભ્યાસ અને રીતભાગના એક સ્વતંત્ર ક્ષેત્ર તરીકે વિકસ્યું છે.
ઢાંચો:Financial market participants વ્યાપારી ધોરણે વીમો લઇ શકાય તેવા જોખમો સાત સમાન લાક્ષણિકતા ધરાવે છે.
સેટેલાઇટ લોન્ચ ઇન્શ્યોરન્સ એવી ઘટનાઓ માટે વીમો ઉતારે છે કે જે જવલ્લેજ બનતી હોયમોટી વેપારી મિલકત પૉલિસી અપવાદરૂપ મિલકતોનો વીમો ઉતારી શકે છ જેના માટે કોઇ સમાન રોકાણ એકમો નથી.આ માપદંડ સંતોષવામાં નિષ્ફળ રહેવા છતાં આના જેવા ઘણા રોકાણને વીમો ઉતારી શકાય તેવા ગણવામાં આવે છે.
આગ, વાહન અકસ્માત અને કામદારોને ઇજા તમામ આ માપદંડને સરળતાથી સંતોષી શકે છે.અન્ય પ્રકારના નુકસાન સૈદ્ધાંતિક રીતે નિશ્ચિત જ હોઇ શકે છે.દાખલા તરીકે, હાનિકારક વાતાવરણમાં લાંબો સમય કામ કરવાથી કામદારમાં વ્યવસાય સાથે સંકળાયેલી બિમારી પેદા થઇ શકે છે જેમાં કોઇ ચોક્કસ સમય, સ્થળ કે કારણ જાણી શકાતું નથી.આદર્શ રીતે, નુકસાનના સમય, સ્થળ અને કારણ એટલા સ્પષ્ટ હોવા જોઇએ કે વ્યક્તિ, પુરતી માહિતી સાથે, ત્રણેય મૂળભૂત બાબતોની ઉદેશપૂર્વક ખરાઇ કરી શકે.
નુકશાનની ભરપાઈની તક્નીકી વ્યાખ્યા થાય છે કે ફરીથી કોઈ વસ્તુનું નિર્માણ કરવું.બે પ્રકારના વીમા કરાર હોય છે.
દસ્તાવેજમાં તેની વચ્ચેનો તફાવત દેખાઈ આવે છે જ્યારે રોજબરોજની પ્રેક્ટીસમાં તેનો ભાગ્યે જ ઉલ્લેખ કરાય છે.
" ઇન્ડેમ્નિટિ" પૉલિસીમાં ત્યાં સુધી દાવાની ચૂકવણી કરવામાં આવતી નથી જ્યાં સુધી ત્રીજા પક્ષ તરફનો વીમો લેવામાં આવ્યો ન હોય.દાખલ તરીકે એક મુલાકાતીએ તમારા ઘરમાં લપસી ગયો છે અને તેને થોડી ઈજા થઈ છે જેથી તેણે તમારા પર 10,૦૦૦ ડોલરનો દાવો માંડ્યો છે અને તે જીતી ગયો છે. "ઇન્ડેમ્નિટિ" પૉલિસી મુજબ મકાનમાલિકે 10 હજાર ડોલર ચૂકવવા પડે છે પરંતુ તેની સામે વીમા કંપની તે રકમ મકાનમાલિકને ચૂકવે છે. .
આજ સ્થિતિમાં , "ને બદલે ચૂકવણી" પૉલિસી, વીમા કેરિયરે દાવો ચુકવવો પડે છે અને વીમેદાર (મકાનમાલિક)ને કશી ચૂકવણી કરવી પડતી નથી. હાલમાં મોટાભાગની જવાબદારી વીમાઓ "ને બદલે ચૂકવણી"ની ભાષામાં લખાયેલા હોય છે..
જે વપણ જોખમ તબદીલ કરવા માંગે છે (વ્યકિત, કોર્પોરેશન કે પછી અન્ય કોઈ) અને એક વખત વીમો આપનાર કંપની વીમો ઉતારે છે ત્યારે બીજો પક્ષ વીમો મેળવનાર પક્ષ બને છે. આને કરાર,કહેવાય છે જેને વીમા પૉલિસી કહેવાય છે.સામાન્ય રીતે, વીમા કરારમાં નીચેના તત્વો સામેલ હોય છે. : પક્ષ ( વીમેદાર, વીમો આપનાર અને લાભ મેળવનાર), પ્રિમીયમ, કવરેજન સમયગાળો, રક્ષિત કરાયેલા બનાવ અંગે નુકશાન, કવરેજની રકમ ( દાખલા તરીકે નુકશાનના સમયે વીમેદાર અથવા લાભ મેળવનારને ચુકવાતી રકમ ), અને એક્સક્લુઝન (exclusions) (જે બનાવોને રક્ષિત કરવામાં આવ્યા નથી.). જેથી વીમાકૃત કવર કરવામાં આવેલા નુકશાન સામે " ઇન્ડેમ્નિફાઈડ ( indemnified) " થાય છે.
જ્યારે વીમાદારને ચોક્કસ જોખમ સામે નુકશાન ઉભું થાય છે ત્યારે પૉલિસી લેનાર વીમો લેનાર સામે પોલીસી આધારિત નક્કી કરાયેલી રકમની નુકશાની અંગે 'દાવો ' કરે છે. જોખમ લેવા બદલ વીમેદાર દ્વારા વીમો આપનારને જે ફી ચુકવવામાં આવે છે તેને ' પ્રિમીયમ' કહેવાય છે. ઘણા બધા લોકો દ્વારા આપવામાં આવતી વીમા પ્રિમીયરની રકમનો ઉપયોગ વળતર માટે કરવામાં આવતા દાવાની ચૂકવણી માટે અને ઓવરહેડ ખર્ચ માટે અનામત રાખવામાં આવે છે. અપેક્ષિત નુકશાન માટે ચોક્કસ રકમની ફાળવણી કર્યા બાદ બાકી રહેતી રકમ વીમા કંપનીનો નફો છે.
બિઝનેસ મોડલને સરળ રીતે રજૂ કરીએ તોઃ નફો = કમાવેલું પ્રિમીયમ + રોકાણ આવક- નુકસાન- વીમાકરણ ખર્ચ.
વીમાદાતા બે રીતે નાણા કમાવી શકે છેઃ (1)વીમાકરણ દ્વારા, જેમાં વીમાદાતા જે જોખમ પર વીમો આપવાનો છે તેની પસંદગી કરે છે અને આ જોખમ સ્વીકારવા પર કેટલું પ્રિમીયમ ચાર્જ કરવું જોઇએ તે નક્કી કરે છે (2) તેઓ વીમાધારક ગ્રાહકો પાસેથી જે પ્રિમીયમ મેળવે છે તેનું રોકાણ કરીને
વીમા બિઝનેસથી સૌથી જટીલ બાબત પૉલિસીનું વીમાકરણ છે.પુષ્કળ માહિતી અને આંકડાઓનો ઉપયોગ કરીને વીમાદાતા તેની પૉલિસી સામે સંભવિત દાવાની રકમની ધારણા કરે છે અને તે મુજબ તેની પ્રોડક્ટની કિંમત નક્કી કરે છે.આ માટે વીમાદાતા, તેઓ કેટલું જોખમ ઉઠાવવા માંગે છે અને આ જોખમ ઉઠાવવા માટે તેઓ શું પ્રિમીયમ ચાર્જ કરશે તે નક્કી કરવા આંકડાકીય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.ચોક્કસ જોખમ પર સંભવિત દાવા માટે આંકડાનો સઘન અભ્યાસ કરાય છે.આંકડાકીય વિજ્ઞાન જોખમનું મૂલ્ય આંકવા માટે આંકડાશાસ્ત્ર અને સંભાવનાનો ઉપયોગ કરે છે અને આ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વીમાદાતાના કુલ રોકાણનો અંદાજ કાઢવા માટે ઉપયોગ કરાય છે.ચોક્કસ પૉલિસી રદ કરવાતા, મેળવાયેલા પ્રિમીયમની કુલ રકમ અને તે પ્રિમીયમના રોકાણમાંથી થયેલા ફાયદાના સરવાળામાંથી દાવાની ચૂકવણીની રકમ બાદ કરતા વીમાદાતાનો તે પૉલિસી માટે વીમાકરણ નફો મળે છે.વીમાદાતાની દ્રષ્ટિએ કેટલીક પૉલિસીઓ વિજેતા (એટલે કે, વીમાદાતા પ્રિમીયમ અને રોકાણની આવકની સામે દાવા અને ખર્ચની ચૂકવણી ઓછી કરે છે) છે જ્યારે કેટલીક નુકસાનકારક (એટલે કે, વીમાદાતા પ્રિમીયમ અને રોકાણની આવકની સામે દાવા અને ખર્ચ પર ઊંચી ચુકવણી કરે છે). વીમા કંપનીઓ આંકડાકીય વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિજેતા પૉલિસીઓનું વીમાકરણ કરીને તેમજ નુકસાનકારક પોલિસીની ચૂકવણી કરીને પણ નફાકારકતા જાળવી રાખે છે.
કોઇ પણ વીમાદાતાનો વીમાકરણ દેખાવ તેના સંયુક્ત ગુણોત્તરમાં માપવામાં આવે છે.કંપનીનો સંયુક્ત ગુણોત્તર નક્કી કરવા માટે તેના નુકસાન ગુણોત્તર (ભોગવેલું નુકસાન અને નુકસાન ખર્ચનો પ્રિમીયમમાંથી થયેલી આવક સાથે ગુણોત્તર)ને ખર્ચ ગુણોત્તર (વીમાકરણ ખર્ચનો રાઇટ કરાયેલા ચોખ્ખા પ્રિમીયમ સાથેનો ગુણોત્તર)માં ઉમેરો કરવામાં આવે છે. સંયુક્ત ગુણોત્તર કંપનીની કુલ વીમાકરણ નફાકારકતાનું પ્રતિબિંબ છે.૧૦૦ ટકા કરતા ઓછો સંયુક્ત ગુણોત્તર વીમાકરણ નફાકારકતા દર્શાવે છે જ્યારે ૧૦૦ ટકા કરતા વધુ સંયુક્ત ગુણોત્તર કંપનીનું વીમાકરણ નુકસાન દર્શાવે છે.
વીમા કંપનીઓ હાથ પર રહેલા ભંડોળમાંથી પણ રોકાણ નફો કમાવી શકે છે.હાથ પર રહેલું ભંડોળ એક ઇન્શ્યોરન્સ પાસે કોઇ પણ સમયે હાજર રહેલી રોકડ રકમ છે જે પ્રિમીયમ તરીકે મેળવવામાં આવી છે પરંતુ દાવાઓની ચૂકવણી કરવામાં તેનો ઉપયોગ થયો નથી.વીમાદાતા દાવાની ચૂકવણી ના થાય ત્યાં સુધી આવતા પ્રિમીયમનું રોકાણ કરવાનું શરૂ કરી દે છે અને તેના પર વ્યાજ કમાવે છે. એસોસિયેશન ઓફ બ્રિટીશ ઇન્શ્યોરર (યુકેની ૪૦૦ વીમા કંપનીઓ અને ૯૪ ટકા વીમા સેવાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા) લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં ૨૦ ટકા જેટલું રોકાણ ધરાવે છે.[સંદર્ભ આપો]
અમેરિકામાં 2003ના અંતે પુરા થતા પાંચ વર્ષમાં મિલકત અને અકસ્માત વીમા કંપનીઓનું વીમાકરણ નુકસાન 142.3 અબજ ડોલર હતું.પરંતુ હાથ પર રહેલા ભંડોળને કારણે કુલ નફો ૬૮.૪ અબજ ડોલર હતો.હેન્ક ગ્રીનબર્ગ જેવા કેટલાક વીમા ઉદ્યોગના માંધાતા નથી માનતા કે વીમાકરણ નફા વગર હાથ પર રહેલા ભંડોળમાંથી નફો ટકાવી રાખવો હંમેશા શક્ય છે. સ્વાભાવિક રીતે મંદીના સમયે હાથ પર રહેલા ભંડોળના રોકાણમાંથી વ્યાજ કમાવવાનું ચાલુ રાખવું મુશ્કેલ છે.મંદીમય માર્કેટ વીમાદાતાને તેમના રોકાણ પાછા ખેંચી લેવા અને તેમના અંડરરાઇટિંગ માપદંડ વધુ ચુસ્ત કરવા ફરજ પાડે છે. આમ નબળા અર્થતંત્રનો સામાન્ય રીતે અર્થ છે ઊંચા વીમા પ્રિમીયમ.નફાકારક અને બિનનફાકારક સમય વચ્ચેની તબદીલીની પ્રકૃતિને સામાન્ય રીતે વીમાકરણ અથવા વીમા ચક્ર તરીકે ઓળખવામાં આવે છે.
મિલકત અને અકસ્માત વીમા કંપની અત્યારે મોટા ભાગની કમાણી તેમના ઓટો વીમા બિઝનેસમાંથી કરે છે.ઓટો નુકસાન પર સારા આંકડા અને માહિતી ઉપલબ્ધ છે અને ગણતરી માટેની આધુનિક ટેકનોલોજીને કારણે ઓટો વીમાના વીમાકરણને મોટો ફાયદો થયો છે.વધુમાં, અમેરિકામાં અણધારી કુદરતી હોનારતને કારણે મિલકત નુકસાને આ ટ્રેન્ડને ઉત્તેજિત કર્યો છે.
દાવા અને નુકસાન સંચાલન વીમાની ભૌતિક સેવા છે. તેનો ક્યારેય ઉપયોગ નહીં કરવો પડે તેવી વીમાધારકની આશા હોવા છતાં, તે જેના માટે ચૂકવણી થાય છે તે વાસ્તવિક પ્રોડકટ છે.વીમાધારક દ્વારા વીમાદાતાને દાવો સીધો અથવા દલાલ અથવા એજન્ટ દ્વારા ફાઇલ કરી શકાય છે.વીમાદાતા ઇચ્છે છે કે દાવો તેના પોતાના અરજીપત્રમાં ફાઇલ થાય અથવા તે એકોર્ડ દ્વારા રજૂ કરાયેલા જેવા વીમા ઉદ્યોગની પ્રમાણભૂત અરજીમાં દાવો સ્વીકારે છે.
વીમા કંપનીના દાવા વિભાગો મોટી સંખ્યામાં ક્લેમ એડજસ્ટરને કામે લગાડે છે અને તેમને રેકોર્ડ્સ મેનેજર અને ડેટા એન્ટ્રી ક્લર્કની સહાય મળે છે.કંપની પાસે આવેલા દાવાઓનું તેની ગંભીરતાને આધારે વર્ગીકરણ કરાય છે અને એડજસ્ટરને આપવામાં આવે છે જોએ જ્ઞાન અને અનુભવને આધારે વિવિધ સેટલમેન્ટ સત્તા ધરાવે છે.એડજસ્ટર પ્રત્યેક દાવાની ઝીણવટભરી તપાસ કરે છે, સામાન્ય રીતે વીમાધારકના સહકાર સાથે, તેનું યોગ્ય નાણાકીય મૂલ્ય નક્કી કરે છે અને ચૂકવણી અધિકૃત કરે છે.જવાબદારી વીમા દાવાઓનો નિકાલ કરવો મુશ્કેલ છે કારણકે તેની સાથે ત્રીજો પક્ષ (ફરિયાદકર્તા જે વીમાદાતા સામે દાવો માંડે છે) સંકળાયેલો છે જે વીમાદાતાને સહકાર આપવા માટે બંધાયોલો નથી અને તે વીમાદાતાને સમૃદ્ધ ગણે છે.એડજસ્ટરે વીમાધારક માટે કાનૂની સલાહકાર મેળવવો જ જોઇએ. (આંતરિક સલાહકાર અથવા બહારનો પેનલ સલાહકાર). તેણે વર્ષો સુધી ચાલી શકે તેવા કાનૂની દાવા પર નજર રાખવી જોઇએ અને જ્યારે જજ દ્વારા વિનંતી કરાય ત્યારે વ્યક્તિગત રીતે અથવા ટેલિપોન પર નિકાલ સત્તા તરીકે નિકાલ કોન્ફરન્સમાં હાજર રહેવું જોઇએ.
દાવાઓના નિકાલની કામગીરી દરમિયાન વીમાદાતા ગ્રાહકનો સંતોષ, વહીવટી ખર્ચ અને દાવાની વધુ પડતી ચૂકવણીની શક્યતા વચ્ચે સંતુલન જાળવવા ઇચ્છે છે.આ સંતુલન સાધવાની કામગીરીના ભાગરૂપે દગાબાજ અપ્રમાણિક વીમા પ્રવૃત્તિ આ કારોબાર માટે મોટું જોખમ છે અને તેને દૂર કરવી જોઇએ.દાવાની કાયદેસરતા અથવા દાવાના નિકાલ કરવાની પ્રક્રિયા મુદ્દે વીમાદાતા અને વીમાધારક વચ્ચે કેટલીકવાર અદાલતમાં દાવો મંડાય છે, જુઓ વીમા ખરાબ વિશ્વાસ.
માણસોના ઇતિહાસની સાથે સાથે વીમાનો પણ ઇતિહાસ શરૂ થતો હોય તેવું લાગે છે. આપણે જાણીયે છીએ કે આપણા સમાજમાં બે પ્રકારના અર્થતંત્ર છે. એક આર્થિક (માર્કેટ, નાણા, નાણાકીય સાધનો અને બીજા ઘણા બધા ) અને બીન નાણાકીય અથવા કુદરતી અર્થતંત્ર ( જેમાં નાણા, માર્કેટ, કે નાણાકીય સાધનોનો ઉપયોગ ન હોય તે.). પહેલો પ્રકાર કરતા બીજો પ્રકાર વધુ પુરાણો છે. આ પ્રકારના સમાજ કે અર્થતંત્રમાં, વ્યકિતઓ એકબીજાને મદદરૂપ બને છે જે વીમાનું એક સ્વરૂપ છે. દાખલા તરીકે, જો ઘર સળગી જાય તો સમાજના સભ્યો તે વ્યકિતને બીજું ઘર ઉભું કરવા મદદ કરશે. પડોશીનું ઘર બળી જાય તો તેના પડોશીએ મદદ કરવી જોઈએ તે ભાવના આ સાથે જોડાયેલી છે. નહીંતર, પડોશીને ભવિષ્યમાં કોઈ મદદ મળશે નહીં. હાલના વિશ્વના કેટલાક દેશો જ્યાં હજી પણ આધુનિક નાણા આધારિત અર્થતંત્ર મજબૂત અને વ્યાપક બન્યું નથી ત્યાં વીમાનો આ પ્રકાર હજુ ચાલુ છે.( દાખલા તરીકે રશિયા સાથે જોડાયેલા તેના ભૂતપૂર્વ સાથી દેશો).
આધુનિક પરીપેક્ષમાં વીમાની વાત કરીએ તો ( આધુનિક નાણાકીય અર્થતંત્રમાં વીમોએ એક નાણાકીય સાધન છે.), પહેલા જોખમને વહેંચવાની અને બદલવાનો ઉપયોગ ઈસ્વીસન પૂર્વેની બીજી અને ત્રીજી સદીના સુર્વણયૂગ દરમિયાન ચાઈનીઝ અને બેબિલોનીયામાં વેપારીઓ દ્વારા થતો હતો. ચાઈનીઝ વેપારીઓ તોફાની નદીને પાર કરતા તેમને થતું નુકશાન ઓછું કરવા માટે તેમનો માલ વિવિધ જહાજોમાં વહેંચી દેતા હતા જેથી જો એક જહાજ ડુબી જાય તો બધું જ નાશ પામે નહીં. બેબિલોનવાસીઓએ વિકસાવેલી પદ્ધતિ કોડ ઓફ હામુરાભીમાં નોંધાઈ છે. . ઈસ્વીસન પૂર્વે 1750માં અને તેનો ઉપયોગ ભૂમધ્ય સમુદ્રમાં વેપારીઓ દ્વારા કરાતો હતો. જો વેપારીને તેના માલ માટે લોન મળે તો તેણે નાણા ધીરનારને થોડા વધુ નાણા ચૂકવવા પડતા હતા કારણ કે જો તેનો માલ ચોરાઈ જાય તો લોન કેન્સલ કરાશે તેવું નાણા ધીરનાર બાહેંધરી આપતો હતો.
પ્રાચીન પર્શિયાના અચેમેનિયન રાજાઓ પ્રથમ એવા રાજા હતા જેમણે પોતાની પ્રજાનો વીમો ઉતરાવ્યો હતો અને દરેક વ્યકિતએ તેમની વીમા અંગેની નોંધણી સરકારના અધિકારીઓ સમક્ષ કરાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. દર વર્ષે વીમાને ફરીથી નવરોઝ( ઈરાનીઓના નવા વર્ષનો પ્રારંભ) ના દિવસે રિન્યુ કરાતો. આ સમારંભમાં વિવિધ સમુદાયના નેતાઓ ભેગા થતા અને તેઓ રાજાને ભેટ આપતા. સૌથી વધુ કિંમતી ભેટ એક વિશેષ સમારંભમાં પ્રસ્તૂત કરવામાં આવતી હતી. જ્યારે ભેટ 10,000 ડેરિક (એચમેનિયન સોનાના સિક્કા) થી વધુ હોય તો તેની નોંધણી વિશેષ કચેરીમાં કરવી પડતી હતી. વિશેષ ભેટ રજૂ કરતા લોકો માટે આ ફાયદારૂપ હતું. જ્યારે બીજા લોકોની ભેટનું આકલંન રાજાના વિશ્વાસુઓ કરતા હતા. આ બાદ ભેટની કિંમત વિશેષ કચેરીમાં નોંધાઈ જતી હતી.
આ ભેટ નોંધવાનો હેતું એવો હતો કે જ્યારે ભેટ આપનાર વ્યકિત મુશ્કેલીમાં હોય ત્યારે રાજા અને કોર્ટ તેને મદદ કરી શકે. ઇતિહાસકાર અને લખેક, જાહેઝ પ્રાચીન ઈરાન પૂસ્તકમાં લખે છે કે " જ્યારે ભેટ આપનાર વ્યકિત મુશ્કેલીમાં હોય, મકાન બાંધવું હોય, સમારંભ યોજવો હોય કે તેના સંતાનોના લગ્ન કરાવવા હોય ત્યારે કોર્ટનો અધિકારી ભેટમાં આપેલી વસ્તુઓની નોંધણીની ચકાસણી કરતો.જો તેણે આપેલી ભેટની રકમ 10,૦૦૦ ડેરિકથી વધી જાય તો, તે અથવા તેણેને તેને આપેલી ભેટ કરતા બેથી ત્રણ ઘણી રકમ આપવામાં આવતી હતી. "http://www.iran-law.com/article.php3?id_article=61 સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૪ ના રોજ વેબેક મશિન
એક વર્ષ બાદ , રોડેશ લોકોએ આ ખ્યાલને ' સામાન્ય સરેરાશ તરીકે અપનાવ્યો હતો. જે વેપારીઓનો માલ એક સાથે જતો હોય તેઓ પ્રિમીયમની રકમ ભાગી લેતા અને સરખે ભાગે પ્રિમિયમ ચુકવતા. જ્યારે કોઈ વેપારીને જહાજ ડૂબી જવાથી કે તોફાનથી નુકશાન થાય ત્યારે તેને આ પ્રિમીયમની રકમમાંથી નુકશાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું.
ગ્રીક અને રોમન લોકોએ આરોગ્ય અને જીવન વીમાનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 600ની સાલમાં તેમણે "હિતકારી સમાજ" નામનું એક જૂથ રચ્યું હતું, જે જૂથના સભ્યના પરિવારની દેખભાળ રાખતું હતું અને મૃત્યુ વખતે અંતિમવીધીનો ખર્ચ ઉપાડી લેતું હતું. એક જ ઉદ્દેશ માટે ભેગા થયેલા જૂથના સભ્યો મધ્યમ ય ધરાવતા હતા. તાલમુડ માલના વીમા અંગેના વિવિધ પાસાની જાણકારી રાખતો હતો. 17મી સદીના અંત સુધીમાં વીમાનો ખ્યાલ વિકસ્યો " મિત્રતા ધરાવતા સમુદાય " ઈંગ્લેન્ડમાં અસ્તિત્વ ધરાવતા હતા, જેમા લોકો કેટલીક રકમનો ફાળો આપતા હતા જેનો ઉદ્દેશ કટોકટીની સ્થિતિમાં પહોંચી વળવાનો હતો.
અલગ પ્રકારના વીમા કરાર ( દા.ત. વીમા કરાર લોન કે અન્ય પ્રકારના કરાર સાથે ન આવતા હોય તેવા)ની શોધ જીનોઓમાં 14મી સદીમાં થઈ હતી, જેમાં વીમાની સામે સંપતિ ગીરો મુકાતી હતી. આ પ્રકારના નવા વીમા કરારો દ્વારા વીમાને રોકાણથી અલગ પાડવામાં આવતો હતો, આ પ્રકારની અલગ ભૂમિકા દરિયાઈ વીમામાં અસરકારક રહી હતી. યુરોપના પુનરુજ્જીવનકાળ બાદ વીમો વધુ કાર્યદક્ષ બન્યો હતો.
સાતમી સદીના અંત સુધીમાં, લંડન વેપારના કેન્દ્ર તરીકે વિકસતા દરિયાઈ વીમાની માંગ વધી હતી. 1680ના દાયકાના અંત ભાગમાં, એડવર્ડ લોયડ દ્વાર એક કોફી હાઉસ શરૂ કરવામાં આવ્યું તે વહાણ માલિકો, વેપારીઓ અને વહાણના કેપ્ટનમાં લોકપ્રિય સ્થળ બની ગયું હતું.જેને કારણે તે વહાણ ઉદ્યોગના તાજા અને ભરોસાપાત્ર સમાચાર માટેનું સ્થળ બની ગયું હતું. આ સ્થળ વહાણો અને માલ માટે વીમો લેવા માંગતા પક્ષો માટે બેઠકનું સ્થળ બની ગયું હતું હાલમાં, લોયડ ઓફ લંડન (નોંધનીય છે કે લોયડ વીમા કંપની નથી) દરિયાઈ અને અન્ય પ્રકારના વીમાના કામ અલગ શાખ ધરાવે છે, તેઓ હાલના વીમાના ખ્યાલથી અલગ પ્રકારે કામ કરે છે.
હાલમાં આપણે જે વીમાના સ્વરૂપને જાણીયે છીએ તેના મુળ લંડનમાં 1666માં લાગેલી ગ્રેટ ફાયર ઓફ લંડનની આગ તરફ જાય છે. આ આગમાં 13,200 ઘર બળી ગયા હતા. આ આપત્તી બાદ, નિકોલસ બારબોને મકાનોનો વીમો ઉતારવાની ઓફિસ શરૂ કરી હતી. 1680માં , તેણે ઈંગ્લેન્ડની પ્રથમ વીમા કંપની " ધ ફાયર ઓફિસ," શરૂ કરી જે ઈંટો અને ઘરનો વીમો લેતી હતી.
યૂનાઈટેડ સ્ટેટ્સમાં પ્રથમ વીમા કંપની 1732માં દક્ષિણ કેરોલીનાના ચાર્લ્સ ટાઉન (હાલના દિવસોમાં ચાર્લ્સટન) ખાતે શરૂ થઈ હતી. બેન્જામિન ફ્રેન્કલીનએ વીમાને વધુ વ્યસ્થિત અને લોકપ્રિય થવામાં મદદ કરી હતી, અને તે પણ ખાસ કરીને આગ સામે, કાયમી વીમા તરીકે તેનો ઉપયોગ થતો હતો. 1752માં તેમણે આગથી નુકશાન પામતા ઘરોને બચાવવા ફિલાડેલ્ફિયા કન્ટ્રીબ્યુશનશીપનો પ્રારંભ કર્યો. ફ્રેન્કલીનની કંપની આગ સામેના રક્ષણ માટે પ્રદાન કરતી પહેલી કંપની હતી. આ ઉપરાંત કંપની ચોક્કસ આગ લગાડતા પરિબળોઅંગે ચેતવણી આપતી હતી તેમજ, તે આગનું જ્યાં વધુ જોખમ હોય તેવી ઈમારતો જેમ કે લાકડાના ઘરોનો વીમો લેવાનો પણ ઈનકાર કરતી હતી. યૂનાઈટેડ સ્ટેટ્સમાં વીમા ઉદ્યોગનું નિયમન, બલ્કેનાઈઝ છે. પ્રાથમિક જવાબદારી રાજ્યના વીમા વિભાગો નિભાવે છે. જેથી વીમા બજાર કેન્દ્રીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બન્યા છે. રાજ્યના વીમા કમિશનરો અલગ રીતે કામ કરે છે જો કે તેઓ નેશનલ ઈન્શ્યોરન્સ કમિશનર્સ ઓર્ગેનાઈઝેશનની પરવાનગી મેળવી લે છે. તાજેતરના વર્ષોમાં કેટલાક લોકોએ રાજ્ય અને ફેડરલ નિયંત્રણ સિસ્ટમની તરફેણ કરી છે. (સામાન્ય રીતે તેને ઓપ્શનલ ફેડરલ ચાર્ટર (OFC)).
ગણી શકાય તેવા કોઇ પણ જોખમનો વીમો લઇ શકાયચોક્કસ પ્રકારના જોખમ કે જેના પર દાવો કરી શકાય તેને જોખમ કહેવાય છે.વીમા પૉલિસીમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવશે કે પૉલિસી હેઠળ ક્યા જોખમ સામે રક્ષણ આપવામાં આવ્યું છે અને કોની સામે નહીં.હાલ પ્રચલિત હોય તેવા વીમાના કેટલાક પ્રકારોની એક અપૂર્ણ યાદી નીચે દર્શાવેલી છે.એક જ વીમા નીચે દર્શાવેલી એક અથવા તેથી વધુ શ્રેણીનું જોખમ કવર કરી શકે છે.દાખલા તરીકે, ઓટો વીમો મિલકત જોખમ (કારની ચોરી અથવા નુકસાન સામે રક્ષણ)અને જવાબદારી જોખમ (અકસ્માતના સંદર્ભમાં ઉભા થતા કાનૂની દાવા સામે રક્ષણ) બંને સામે રક્ષણ આપે છે.અમેરિકામાં ઘરમાલિકનો વીમામાં ઘર અને માલિકની વસ્તુઓને નુકસાન સામે રક્ષણ આપતા મિલકત વીમો, માલિક સામેના કેટલાક કાનૂની દાવાઓ સામે રક્ષણ આપતા જવાબદારી વીમો અને માલિકની મિલકતમાં ઇજા પામેલા મહેમાનના તબીબી ખર્ચની નાની રકમનો સમાવેશ થાય છે.
વ્યાપાર વીમો એટલે એવો કોઇ પણ વીમો કે જે વ્યાપારને જોખમ સામે રક્ષણ આપે છે.વેપાર વીમાના કેટલાક કેટલાક પ્રકાર જોઇએઃ (a) વિવિધ પ્રકારના વ્યાવસાયિક જવાબદારી વીમો કે જે પ્રોફેશનલ ઇનડેમ્નિટી ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે (b) વેપાર માલિક પૉલિસી, જેમાં ઘરમાલિક વીમામાં જે રીતે ઘરમાલિકની તમામ જરૂરિયાત કવર કરવામાં આવે છે તે રીતે વેપાર માલિકની જરૂરિયાત કવર કરવામાં આવે છે.
ઓટો વીમો તમને જો અકસ્માત થાય તો નાણાકીય નુકશાન સામે તમારું રક્ષણ કરે છે.તે તમારી અને વીમા કંપની વચ્ચેનો કરાર છે. તમે પ્રિમીયમ ચુકવવા માટે સંમત થાવ છો અને વીમા કંપની તમારી પૉલિસીમાં નક્કી કરાયેલી શરતએ નુકશાન ચુકવવા સંમત થાય છે. ઓટો વીમો મિલકત, જવાબદારી કે તબીબી ક્ષેત્રને આવરી લે છે.
ઓટો વીમોમાં છ પ્રકારના કવરેજને આવરી લેવામાં આવે છે. મોટાભાગના દેશોમાં આ કવરેજમાંથી કેટલાક કવરેજ ખરીદવા જરૂરી છે.જો તમે લોનથી કાર ખરીદી રહ્યા છો તો તમને લોન આપનાર પણ વીમા અંગે પુચ્છા કરશે. મોટાભાગની ઓટો પૉલિસી છ મહિનાથી એક વર્ષની હોય છે.
યુનાઈટેડ સ્ટેટસ્માં વીમા કંપનીએ ગ્રાહકને જણાવવું પડે છે કે ક્યારે પૉલિસી રીન્યુ કરાવવાનો સમય થયો છે.
આપત્તિમાં ઘરને થયેલા નુકશાન માટે ગૃહ વીમો તમને વળતર આપે છે. કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કેટલીક ચોક્કસ પ્રકારની આપત્તિઓ જેમ કે પૂર, ભૂકંપનો વીમામાં સમાવેશ કરતા નથી. આ માટે તમારે વિશેષ કવરેજ માંગવું પડે છે. રખરખાવ-અને તેને લગતી મુશ્કેલીઓએ મકાન માલિકની જવાબદારી છે. પૉલિસીમાં યાદી હોય છે અથવા અલગ પૉલિસી ખરીદવી પડે છે. અને જેઓ પોતાનું ઘર ભાડે આપે છે તેમને માટે પૉલિસી ખરીદવાની ખાસ જરૂરીયાત છે. કેટલાક દેશોમાં વીમા કંપનીઓ ઘરના સભ્યો દ્વારા જેમાં પાળતું જાનવરનો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા થતું નુકશાન, ઈજા વગેરે જેવી જવાબદારીઓ અને કાયદેસરના ખર્ચનો સમાવેશ કરતા પેકેજ ઓફર કરે છે.
યુનાઈટેડ કિંગ્ડમમાં નેશનલ હેલ્થ સર્વિસની આરોગ્ય પૉલિસી કે અન્ય લોકોના નાણા દ્વારા ચાલતા આરોગ્ય પોગ્રામ તબીબી સારવારનો ખર્ચ વહન કરે છે. દંત્ય વીમો, જેમ કે વૈદ્યકીય વીમો વ્યકિતઓને ડેન્ટલ કોસ્ટ સામે રક્ષણ આપે છે. ઘણી વખત યુએસમાં, દંત્ય વીમો હેલ્થ વીમોની સાથે નોકરીદાતાના બેનિફિટ પેકેજમાં સમાવેશ કરાય છે.
અકસ્તામ વીમો દુર્ઘટના સામે રક્ષણ આપે છે તેમાં ચોક્કસ પ્રોપર્ટી સાથે સંકળાયેલા જોખમ સામે જ રક્ષણ મળે એવું જરૂરી નથી.
જીવન વીમો મૃતકના પરિવાર અથવા અન્ય અધિકૃત લાભાર્થીને નાણાકીય લાભ પુરો પાડે છે અને તે વીમાધારકના પરિવારને ખર્ચ પણ પુરી પાડી શકે છે. જેમાં દફનવિધિ, અગ્નિદાહ અને અન્ય અંતિમક્રિયાને લગતા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.જીવન વીમા પૉલિસીમાં રકમ લાભર્થીને ચુકવવાનો પણ ઘણીવાર વિકલ્પ હોય છે. જેમાં ઉચ્ચક રોકડ રકમ અથવા વાર્ષિક ચૂકવણીનો સમાવેશ થાય છે.
વાર્ષિકી નિયમિત ચુકવણી પુરી પાડે છે અને તેનું સામાન્ય રીતે વીમા તરીકે વર્ગિકૃત કરાય છે કારણકે તે વીમા કંપની દ્વારા અપાય છે. અને તેનું વીમા તરીકે નિયમન થાય છે અને તેમાં જીવન વીમામાં જે પ્રકારની કુશળતા જોઇએ છે તે પ્રકારની કુશળતાની જરૂર પડે છે.વાર્ષિકી અને પેન્શન જે જીવન માટે લાભ ચૂકવે છે તેને તે શક્યતા સામે વીમો કહેવાય છે કે જેમાં નિવૃત્ત થનાર વ્યક્તિ જીવી જાય છે તેના નાણાકીય સંસાધન કરતા પણ વધુ.તે દ્રષ્ટિએ તેઓ જીવનવીમાના પુરક છે અને વીમાકરણની દ્રષ્ટિએ પ્રતિબિંબ છે જીવનવીમાનું.
ચોક્કસ જીવન વીમા કરાર રોકડ મૂલ્ય સંચયિત કરે છે જે પોલિસી સરન્ડર કરવાથી અથવા પૉલિસી સામે ઋણ મેળવવા માટે વીમાધારક દ્વારા લઇ શકાય છે.વાર્ષિકી જેવી કેટલીક પૉલિસી અને એન્ડોમેન્ટ પૉલિસી સમૃદ્ધિ સંચયિત કરવાના અથવા જ્યારે જરૂર પડે ત્યારે મુક્ત કરવા માટેના નાણા સાધનો છે.
અમેરિકા અને બ્રિટન જેવા કેટલાક દેશમાં કર કાયદામાં જોગવાઇ છે કે ચોક્કસ પરિસ્થિતમાં આ રોકડ મૂલ્ય પરનું વ્યાજ કરપાત્ર નથી.આને પગલે જીવન વીમાનો બચત માટેની કર કાર્યક્ષમ પદ્ધતિ તેમજ વહેલા મૃત્યુના કિસ્સામાં રક્ષણ તરીકે ઉપયોગ વધ્યો છે.
અમેરિકામાં જીવન વીમા પૉલિસી અને વાર્ષિકી પર થતી વ્યાજની આવક પરનો કર સામાન્ય રીતે મોકૂફ રખાય છે.જો કે કેટલાક કિસ્સામાં કર મોકૂફીમાંથી મેળવેલો લાભ નીચા વળતરથી સરભર થઇ જાય છે.તેનો વીમા કંપની, પૉલિસીનો પ્રકાર અને અન્ય પરિબળો (મૃત્યુદર, બજાર વળતર, વગેરે.)પર આધાર રહે છે.વધુમાં અન્ય આવકવેરા બચત સાધનો (દાખલા તરીકે, આઇઆરએ, ૪૦૧ (કે) પ્લાન, રોથ આઇઆરએ) મૂલ્ય સંચય માટે સારા વૈકલ્પિક સાધનો પુરવાર થઇ શકે છે.લો-કોસ્ચ ટર્મ જીવન વીમો અને ઉંચુ વળતર આપતું કર કાર્યક્ષમ નિવૃત્તિ એકાઉન્ટનું મિશ્રણ સારું રોકાણ વળતર આપી શકે છે.
મિલકત વીમો તમને મિલકતે ચોરી અથવા હવામાનને કારણે થતા નુકશાન સામે રક્ષણ આપે છે. આ વીમામાં કેટલાક વિશેષ વિભાગો પાડવામાં આવ્યા છે જેમ કે આગ વીમો , પૂર વીમો, ભૂકંપ વીમો , મકાન વીમો, દરિયાઈ વીમો અથવા બોઈલર વીમો.
જવાબદારી વીમો એ વ્યાપક અર્થ ધરાવતો વીમો છે જે વીમેદાર સામે થતા કાયદેસરના દાવા સામે રક્ષણ આપે છે. ઘણા પ્રકારના વીમામાં જવાબદારીના તત્વને આવરી લેવામાં આવે છે.દાખલા તરીકે, મકાનમાલિક વીમા પૉલિસીમાં સામાન્ય રીતે જવાબદારી કવરેજનો સમાવેશ થાય છે જે મિલકતની મુલાકાત દરમિયાન કોઈ વ્યકિત લપસી જાય અને તેના દ્વારા કરતા દાવા સામે વીમેદારને રક્ષણ આપે છે. ; ઓટોમોબાઈલ વીમોમાં જવાબદારી વીમાની વાત સમવાઈ છે જેમ અકસ્માતગ્રસ્ત કાર અન્યને પણ ઈજા કે અન્યની મિલકતને નુકશાન કરી શકે છે જે સામે કંપની વળતર ચુકવશે.જવાબદારી વીમા દ્વારા જે રક્ષણ આપવામાં આવે છે તે બે ભાગમાં હોય છે. : એક વીમેદાર સામે માંડવામાં આવતા દાવાઓ અને બીજું નુકશાન સામે વળતર ( વીમેદાર તરફથી વળતર) આ વળતર કોર્ટના ચુકાદા પર આધારિત હોય છે. જવાબદારી પૉલિસી સામાન્ય રીતે વીમેદારની બેજવાબદારી સામે રક્ષણ આપે છે. પરંતુ વીમેદાર દ્વારા જાણીજોઈને કરવામાં આવેલી હરકતોને કારણે થતા નુકશાન સામે વળતર ચુકવાતું નથી.
ધિરાણ વીમો જ્યારે ઋણધારકને માથે બેરોજગારી, અપંગતા અથવા મૃત્યુ જેવી ઘટના બને ત્યારે તમામ અથવા કેટલીક લોનની પુનઃચુકવણી કરે છે.
કેટલાક સમુદાયો તેમનામાં કરારબદ્ધ જોખમ તબદીલી સિવાયના અન્ય વિકલ્પ મારફતે વાસ્તવિક વીમાનું સર્જન કરવાનું પસંદ કરે છે.એમિશ અને કેટલાક મુસ્લિમ સમુદાયો સહિતના કેટલાક ધાર્મિક સમુદાયો મોટી હોનારતના સમયે તેમના સમુદાય દ્વારા પુરી પડાતી મદદ પર આધાર રાખે છે.કોઇ પણ એક વ્યક્તિનું જોખમ સમગ્ર સમુદાય દ્વારા સામુહિક રીતે ઉઠાવવામાં આવે છે, જેમાં તમામ લોકો ગુમાવેલી મિલકતો ફરીથી ઉભી કરવા માટેનો ખર્ચ ઉઠાવે છે અને કોઇ પ્રકારના નુકસાન બાદ જરૂરિયાતમંદ લોકોને મદદ પુરી પાડે છે.સહાયકારક સમુદાયોમાં અન્ય લોકો સમુદાયના નેતાને અનુસરે છે ત્યારે વીમાનું આ સ્વરૂપ અસરકારક નીવડે છે.આ રીતે સમુદાય તેના સભ્યોની વીમાક્ષમતામાં રહેલો તીવ્ર તફાવત દુર કરી શકે છે.સ્પષ્ટ વીમા કરારના નૈતિક જોખમ લાદીને વધુ સ્પષ્ટતા કરી શકાય છે.
યુનાઇટેડ કિંગડમમાં ધ ક્રાઉન (મુલકી સેવા માટે) સરકારી ઇમારતો જેવી મિલકતોનો વીમો ઉતારતી નથી.જો સરકારી ઇમારતોને નુકસાન થાય તો તેના સમારકામનો ખર્ચ જાહેર ભંડોળમાંથી ભરપાઇ કરવામાં આવશે, લાંબા ગાળે તે વીમા પ્રિમીયમ ભરવા કરતા વધુ સસ્તું પડે છે.યુકોમાં મોટાભાગની સરકારી ઇમારતો પ્રોપર્ટી કંપનીઓને વેચાઇ ગઇ છે અને ભાડે અપાઇ છે માટે આ ગોઠવણ હવે ઓછી જોવા મળે છે લગભગ અદ્રશ્ય જ થઇ ગઇ છે.
વીમા કંપનીઓને બે જૂથમાં વર્ગિકૃત કરી શકાયઃ
સામાન્ય વીમા કંપનીઓ વધુ બે પેટાજૂથમાં વર્ગિકૃત કરી શકાય છે.
મોટા ભાગના દેશોમાં જીવન અને બિન-જીવન વીમાદાતાઓ વિવિધ નિયમનકારી પ્રથા અને વિવિધ કર અને એકાઉન્ટિંગ નિયમોને આધિન હોય છે.બે પ્રકારની કંપનીઓ વચ્ચેના તફાવત પાછળનું મુખ્ય કારણ તે છે કે જીવન, વાર્ષિકી અને પેન્શન કારોબારો સ્વભાવે લાંબાગાળાનો છે- જીવન અને પેન્શન માટેના કવરમાં ઘણા દાયકાઓ સુધીના જોખમ સામે રક્ષણ મળે છે.તેનાથી વિપરિત બિન-જીવન વીમા કવચ સામાન્ય રીતે એક વર્ષ જેવા ટૂંકાગાળાના સમય માટે રક્ષણ આપે છે.
અમેરિકામાં સ્ટાન્ડર્ડ લાઇન વીમા કંપનીઓ મુખ્યપ્રવાહની વીમાદાતા કંપનીઓ છે.આ એવી કંપનીઓ છે કે જે ખાસ કરીને ઓટો, ઘર અને કારોબારનો વીમો આપે છે.તેઓ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં વિવિધતા વગરની પેટર્ન અથવા કૂકી-કટર નીતિનો ઉપયોગ કરે છે.તેના પ્રિમીયમ એક્સેસ લાઇન કરતા નીચા હોય છે અને તે વ્યક્તિને સીધું વેચી શકાય છે.તેનું દેશના કાયદા દ્વારા નિયમન થાય છે, તે વીમા પૉલિસી માટે તેમના દ્વારા લેવાતા ચાર્જની રકમ મર્યાદિત કરી શકે છે.
એક્સેસ લાઇન વીમા કંપનીઓ એવા જોખમ પર વીમો આપે છે કે જેના પર સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ લાઇન બજાર દ્વારા કવર અપાતું નથી.તેને વ્યાપકપણે નોન-એડમિટેડ વીમાદાતાના વીમા તરીકે ઓળખાય છે.નોન એડમિટેડ વીમાદાતાઓ જ્યાં જોખમ સ્થાયી થયેલું છે તે રાજ્યોમાં લાઇસન્સ ધરાવતા નથી.આ કંપનીઓમા વધુ ફ્લેક્સિબિલિટી હોય છે અને તે પ્રમાણભૂત ઇન્શ્યોરન્સ કંપનીઓની તુલનાએ ઝડપથી કામ કરી શકે છે કારણકે તેને એડમિટેડ કેરિયર્સની જેમ દર અને અરજીપત્રો ફાઇલ કરવાની જરૂર રહેતી નથી. જો કે તેમના પર પણ નિયમનકારી અંકુશો તો છે જ.કાયદા મુજબ વીમો સરપ્લસ લાઇન એજન્ટ અને દલાલ દ્વારા લેવાવો જોઇએ નહીં કે પ્રમાણભૂત લાઇસન્સધારક વીમાદાતા પાસેથી.
વીમા કંપનીઓનું સામાન્ય રીતે મ્યુચ્યુઅલ અથવા સ્ટોક કંપની એમ વર્ગીકરણ કરવામાં આવે છે.મ્યુચ્યુઅલ કંપનીઓની માલિકી પોલીસીધારકોની છે જ્યારે સ્ટોકધારકો (તેઓ પોલીસી ધરાવતા હોય અને ના પણ હોય) સ્ટોક વીમા કંપનીની માલિકી ધરાવે છે. સ્ટોક કંપનીની રચના માટે મ્યુચ્યુઅલ વીમાદાતાના ડીમ્યુચ્યુઅલાઇઝેશન તેમજ સંકર કંપનીની રચનાને મ્યુચ્યુઅલ હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રણાલી અમેરિકા જેવા દેશોમાં 20મી સદીથી પ્રચલિત બની છે. વીમા કંપનીના અન્ય સ્વરૂપમાં રેસિપ્રોકલ નો સમાવેશ થાય છે જેમાં પોલીસીધારક જોખમની વહેંચણીમાં ભાગીદારી કરે છે. અને લોયડ્સ સંસ્થાઓ.
વીમા કંપનીઓનું એ. એમ. બેસ્ટ જેવી વિવિધ એજન્સીઓ દ્વારા રેટિંગ થાય છે.રેટિંગમાં કંપનીના નાણાકીય ક્ષમતાનો સમાવેશ થાય છે જે તેની દાવો ચૂકવવાની ક્ષમતાનું આકલન કરે છે.તે વીમા કંપની દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા નાણા સાધનોનું પણ રેટિંગ કરે છે જમાં બોન્ડ્સ, નોટ્સ અને જામીનગીરી પ્રોડકટ્સનો સમાવેશ થાય છે.
રિઇન્શ્યોરન્સ કંપનીઓએ એવી વીમા કંપનીઓ છે જે અન્ય વીમા કંપનીઓને પોલીસી વેચે છે અને તેમને તેમનું જોખમ ઘટાડવા અને તેમના મોટા નુકસાન સામે રક્ષણ મેળવવાની પરવાનગી આપે છે.રિઇન્શ્યોરન્સ બજારમાં મોટું ભંડોળ ધરાવતી કેટલીક મોટી કંપનીઓનું જ પ્રભુત્વ છે.રિઇન્શ્યોરર વીમા જોખમનો સીધો રાઇટર પણ હોઇ શકે છે.
આંતરિક વીમા કંપનીઓને મર્યાદિત ઉદેશવાળી વીમા કંપનીઓ કહી શકાય જેની રચના તેમના મૂળ જૂથમાંથી ઉભા થતા જોખમને ભંડોળ પુરુ પાડવાના ચોક્કસ ઉદેશ સાથે કરવામાં આવી હોય છે.આ વ્યાખ્યામાં ઘણીવાર મૂળ કંપનીના ગ્રાહકોના જોખમનો પણ સમાવેશ કરવામાં આવે છે.ટૂંકમા કહીએ તો તે ઇન-હાઉસ-સેલ્ફ-ઇન્શ્યોરન્સ સાધન છે.આંતરિક વીમા કંપની મ્યુચ્યુઅલ આંતરિક કંપની (જે ઉદ્યોગજગતના સભ્યોના સંયુક્ત જોખમનો વીમો આપે છે)ની અને એસોસિયેશન આંતરિક કંપની (જે વ્યવસાયિક, વેપારી અથવા ઔદ્યોગિક એસોસિયેશનના સભ્યોના વ્યક્તિગત જોખમ પર સ્વયં વીમો આપે છે)ની શુદ્ધ કંપની (જે સેલ્ફ-ઇન્શ્યોર્ડ મૂળ કંપનીની સંપૂર્ણમાલિકીની પેટાકંપની છે)નું સ્વરૂપ લઇ શકે છે.આંતરિક કંપનીઓ તેમના પ્રાયોજકને વેપારી, આર્થિક અને કરમાં લાભ કરાવી આપે છે કારણકે તેઓ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરે છે અને વીમા જોખમ સંચાલનને સરળ બનાવે છે તેમજ નાણા પ્રવાહમાં ફ્લેક્સિબિલિટી પુરી પાડે છે.વધુમાં, તે એવા જોખમ પર રક્ષણ પુરું પાડી શકે છે કે જે પરંપરાગત વીમા બજારમાં વાજબી ભાવે ઉપલબ્ધ નથી અથવા ઓફર કરાતું નથી.
આંતરિક કંપની તેમની મૂળ કંપનીના જે જોખમ અન્ડરરાઇટ કરી શકે છે તેના પ્રકારમાં મિલકતને નુકસાન, જાહેર અને પ્રોડક્ટ જવાબદારી, વ્યવસાયિક ઇનડેમ્નિટી, કર્મચારી લાભ, નોકરીદાતાની જવાબદારી, મોટર અને તબીબી મદદ ખર્ચનો સમાવેશ થાય છે. આંતરિક કંપનીનું આવા જોખમમાં રોકાણ રિઇન્શ્યોરન્સના ઉપયોગને કારણે મર્યાદિત હોય છે.
કેપ્ટિવ તેમની મૂળ કંપની માટે જોખમ સંચાલન અને જોખમ ધિરાણ વ્યૂહરચના માટે વધુ મહત્વની બાબત બની રહી છે.તે નીચેની બાબત પરથી સમજી શકાય છે.
એવી પણ કંપનીઓ છે કે જે વીમા કન્સલ્ટન્ટ તરીકે ઓળખાય છે.મોર્ગેજ દલાલની જેમ ગ્રાહક ઘણી વીમા કંપનીઓમાંથી શ્રેષ્ઠ વીમા પોલીસી ખરીદવા માટે આ કંપનીઓને ફી ચૂકવે છે.વીમા કન્સલ્ટન્ટની જેમ વીમા દલાલો પણ ઘણી વીમા કંપનીઓમાંથી શ્રેષ્ઠ વીમા પોલીસી ખરીદવડાવે છે.જો કે વીમા દલાલના કિસ્સામાં ફી સીધી ગ્રાહક જોડેથી લેવાના સ્થાને દલાલ જે કંપનીનો વીમો પસંદ કરે છે તેના તરફથી કમિશનના સ્વરૂપમાં ફી ચૂકવાય છે.
વીમા કન્સલ્ટન્ટ કે વીમા દલાલો વીમા કંપનીઓ નથી અને વીમાની લેવડદેવડમાં કોઇ જોખમ તેમને તબદીલ થતું નથી. ત્રીજો પક્ષીય વહીવટકર્તા એવી કંપનીઓ છે જે વીમા કંપનીઓ માટે વીમાકરણ કરે છે અને કેટલીકવાર ક્લેમ હેન્ડલિંગ સેવા પણ આપે છે.આ કંપનીઓ વિશેષ નિપુણતા ધરાવતી હોય છે જે ઘણી વાર વીમા કંપનીઓમાં હોતી નથી.
વીમા કરાર ખરીદતી વખતે વીમા કંપનીની નાણાકીય સ્થિરતા અને ક્ષમતાને મુખ્યત્વે ધ્યાનમાં લેવા જોઇએ.અત્યારે ચૂકવાઇ રહેલું વીમા પ્રિમીયમ ભવિષ્યમાં ઘણો વર્ષો બાદ ઉભા થનારા જોખમ સામે રક્ષણ આપે છે.માટે વીમા કેરિયરનું અસ્તિત્વ અતિ મહત્વનું છે.તાજેતરના વર્ષોમાં ઘણી વીમા કંપનીઓ નાદાર બની છે અને તેના પોલીસીધારકોને કોઇ કવર વગર રઝડતા મુકી દીધા છે અથવા તે તેમને સરકારના સમર્થનવાળા વીમા પૂલ અથવા નુકસાન માટે ઓછી આકર્ષક ચૂકવણી કરતી અન્ય ગોઠવણનું જ કવરેજ છે.બેસ્ટ્સ, ફીચ, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ અને મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસ સંગ્રહિત ૨૦૧૦-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન જેવી અનેક સ્વતંત્ર રેટિંગ એજન્સીઓ માહિતી પુરી પાડે છે અને વીમા કંપનીના નાણાકીય અસ્થિત્વનું રેટિંગ કરે છે.
વૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. વૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. જીવન વીમામાં નફાકારતા સુધરી છે અને જીવન વીમા સિવાયના સેક્ટરોમાં વર્ષ દરમિયાન સહેજ ઘટાડો થયો છે. જીવન વીમાના પ્રિમીયમમાં 12.6 ટકાનો વધારો થયો છે, જાપાન અને યુરોપ સિવાયના વિકસિત દેશો સિવાયના દેશોમાં તેમાં ઝડપી વધારો નોંધાયો છે. જીવન વીમા સિવાયના પ્રિમીયમમાં પણ વર્ષ દરમિયાન 7. 6 ટકાનો વધારો નોંધાયો છે. 2008ના વર્ષ માટેના આંકડા મળી શક્યા નથી પરંતુ મંદીને કારણે વીમા ઉદ્યોગને પણ અસર થશે તેવી શક્યતા છે. રોકાણની આવક
વિકસિત અર્થતંત્રો વૈશ્વિક વીમા ક્ષેત્રમાં મોટો ભાગ ધરાવે છે. આ દેશોમાં પ્રિમીયમની આવક 1,681 અબજ ડોલર છે જેમાંથી મહત્વનો ભાગ યુરોપ છે ત્યાર બાદ ઉત્તર અમેરિકા(1,330 અબજ ડોલર) અને એશિયા( 814 અબજ ડોલર) આવે છે. 2007માં ટોચના ચાર દેશો પ્રિમીયમમાં 60 ટકા ભાગ ધરાવતા હતા. યુએસ અને યુકે જ વિશ્વ વીમામાં 42 ટકા હિસ્સો ધરાવતા હતા જે વૈશ્વિક વસ્તીના 7 ટકા કરતા ઘણો વધુ હતો. ઉદભવી રહેલા માર્કેટ વિશ્વની વસ્તીના 85 ટકા હિસ્સો ધરાવે છે તેમ છતાં તેઓ પ્રિમીયમમાં માત્ર 10 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
તેના વીમેદાર માટે સુરક્ષાનું કવચ પૂરૂ પાડીને વીમા કંપનીને ધ્યાનમાં આવે છે કે વીમેદાર તેના જોખમથી એટલો બધો બેધ્યાન નથી.( વ્યાખ્યા મુજબ વીમેદાર જોખમ વીમા કંપનીને તબદીલ કરે છે. ,) આ ખ્યાલ નૈતિક જોખમકહેવાય છે. જો વીમેદાર તેના જોખમ અને જવાબદારીને વધુ મોટી કરી રહ્યો છે તેવું માલુમ પડે તે સામેના રક્ષણ માટે જોગવાઈ કરે છે. આ દ્વારા તેઓ ફાયનાન્સિયલ એક્સપોઝર ઓછું કરી શકે.
દાખલા તરીકે, જીવન વીમા કંપનીઓ જોખમી વ્યવસાય કે પછી જોખમી રમત રમતા વ્યકિતનો વીમો લેવાની ના પાડી શકે છે અથવા તેઓ વધુ પ્રિમીયમ માંગી છે. જવાબદારી વીમા કંપનીઓ વીમેદાર દ્વારા આંતરરાષ્ટ્રીય અપકૃત્યઓને કારણે ઉભી થતી જવાબદારીઓ પૂરી પાડતી નથી.જો વીમા કંપની આ તબક્કે વીમો લેવા પણ માંગતી હોય તો આ મોટાભાગના દેશોની જાહેર નીતિની વિરુદ્ધમાં છે. જેથી આ એક ગેરકાયદે પગલું બની જાય છે.
વીમા પોલિસી જટિલ હોઈ શકે છે અને કેટલાક વીમેદારો તેની ફી અને તેનું કવરેજ સમજી શકતા નથી જેને પરિણામે તેમને અનુકુળ ન હોય તેવી પૉલિસીઓ તેઓ ખરીદે છે. આ મુદ્દાને કારણે ઘણા દેશોએ એક વ્યવસ્થિત નિયમન નીતિ ઘડી કાઢી છે જેમાં પૉલિસી માટે ઓછામાં ઓછી ગુણવત્તા તેમજ તેની જાહેરાત કેવી રીતે કરવી અને તેને કેવી રીતે વેંચવી જેવા મુદ્દાઓ સમાવાયા છે.
દાખલા તરીકે, મોટાભાગની વીમા પૉલિસીઓ અંગ્રેજી ભાષામાં હોય છે જેને સાદી અંગ્રેજી ભાષામાં લખવામાં આવે છે. ઘણી વખત અદાલતના ન્યાયમૂર્તિઓ પણ પૉલિસી સમજી શકતા નથી જેથી કરીને તેઓ વીમેદારને પોલીસીનું પાલન કરવાનો આદેશ કરી શકતા નથી.
વીમા ખરીદતી સંસ્થાઓ આ કારણે વીમા દલાલ દ્વારા વીમો લે છે. આ વીમા દલાલ પૉલિસી ખરીદનાર વ્યકિત તરફથી વાતચીત કરતો હતો છે, અહીં નોધવાલાયક હકિકત એ છે કે મોટાબાગના કેસોમાં દલાલનું વળતર વીમાના પ્રિમીયમના કમિશન પેટે આવે છે જેને કારણે દલાલ પોતાના નાણાકીય લાભ માટે વીમેદારને જરૂર હોય તેના કરતા વધુ પ્રમાણમાં વીમો લેવડાવે છે જેથી વીમેદારને નુકશાન થાય છે. દલાલ વિવિધ વીમા કંપનીઓ સાથે કરાર ધરાવતો હોય છે જેથી દલાલ બજારમાંથી સારામાં સારી કિંમતે વીમો ખરીદી શકે છે.
વીમો એજન્ટ દ્વારા પણ ખરીદી શકાય છે. પૉલિસીધારકનું પ્રતિનિધિત્વ કરતા દલાલ કરતા અલગ રીતે એજન્ટ વીમા કંપનીનો પ્રતિનિધિ હોય છે જેની પૉલિસી પોલીસીધારક ખરીદે છે. એક એજન્ટ એકથી વધુ કંપનીઓનો પ્રતિનિધિ હોઈ શકે છે.
સ્વતંત્ર વીમા સલાહાકાર ગ્રાહકને સલાહ આપે છે, વકીલની જેમ તેઓ સ્વતંત્ર સલાહ ઓફર કરે છે, તેઓ એજન્ટ કે પછી દલાલની જેમ કોઈ એક પક્ષ સાથે સંકળાયેલા હોતા નથી. જો કે, આવા સલાહાકારોએ દલાલો અથવા તો એજન્ટો વડે કામ કરવું પડે છે જેથી તેમના ગ્રાહકોને યોગ્ય કવરેજ મળી શકે.
કેટલાક ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં વીમાનો ઈનકાર કરાય તેને રેડલાઈનિંગ કહેવાય છે, વીમો ઈનકાર કરવાનું કારણ મોટાપ્રમાણમાં નુકશાન જવાબદાર હોય છે. વંશીય ભેદભાવ(Racial profiling) અથવા રેડલાઈનિંગનો અમેરિકામાં મિલકત વીમામાં એક લાંબો ઇતિહાસ છે. ઉદ્યોગોમાંથી, સરકારી દસ્તાવેજો, કોર્ટના દસ્તાવેજો અને વિવિધ સમુદાય તરફથી મળેલી માહિતી મુજબ વંશીય મુદ્દો વીમા ઉદ્યોગને લાંબા સમયથી અસર કરે છે
૨૦૦૭ના જુલાઈમાં ફેડરલ ટ્રેડ કમિશને શાખ આધારિત વીમા સ્કોર અને ઓટોમોબાઈલ વીમો અંગેના અભ્યાસનો એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ગ્રાહક દ્વારા કરવામાં આવતા દાવાઓની આગાહી અભ્યાસમાં રજૂ કરાયેલા સ્કોર દ્વારા કરી શકાય છે. (http://www2.ftc.gov/os/2007/07/P044804FACTA_Report_Credit-Based_Insurance_Scores.pdf સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન)
દરેક રાજ્યોમાં દરને નિયંત્રણ કરવા અંગેના અથવા ભેદભાવોને દૂર કરીને મુક્ત વેપાર માટેના કાયદા અસ્તિત્વ ધરાવતા હતા આમ છતાં રેડલાઈનિંગ જેવી વાત બનતી હતી.
પ્રિમીયમના દર નક્કી કરતી વખતે વીમા કંપની કેટલાક મહત્વના પરિબળો ધ્યાનમાં લે છે જેમાં સ્થળ ઉપરાંત શાખ આંકs, લિંગ, વેપાર, વૈવાહિક સ્થિતિ, અને શિક્ષણના સ્તરનો સમાવેશ થાય છે. જો કે કેટલાક પરિબળો ઘણી વખત અન્યાયી અને ગેરકાયદે ભેદભાવયુક્ત જણાયા છે અને જેને લઈને વિરોધ પણ ખાસો થયો છે. આ વિરોધ કેટલીક વખત રાજકીય કક્ષાએ પણ પહોંચ્યો છે.
વીમા કંપનીએ વીમેદારને થતા નુકશાન સામે વળતર આપવાની સ્થિતિની સમિક્ષા કરવાની છે. જ્યારે પણ કોઈ પરિબળ નુકશાનની સંભાવના વધારતું હોય ત્યારે તેઓ ઉંચા દર વસૂલ કરે છે. વીમાના પાયાના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. જો વીમા કંપની ચૂપ રહે તો સ્થિતિ ખરાબ બને છે.[સંદર્ભ આપો], "ભેદભાવ" યુક્ત ( દાખલા તરીકે, નકારાત્મક ભેદભાવયુક્ત વલણ) સંભવિત વીમેદારના જોખમનું યોગ્ય મુલ્યાંકન કરવું અને પ્રિમીયમ નક્કી કરવાની પ્રક્રિયા વીમા કંપનીઓની મુળભૂત ફરજ છે. દાખલા તરીકે વીમા કંપનીઓ વૃદ્ધ વ્યકિતઓ યુવા વ્યકિતઓના વીમાના પ્રિમીયમની સરખામણીમાં ઉંચા દર વસૂલ કરે છે.જેથી વૃદ્ધ વ્યકિતઓને યુવાન વ્યકિતઓથી અલગ રીતે મુલવવામાં આવે છે. વૃદ્ધો યુવાન લોકો કરતા વધુ જલદી મૃત્યુ પામતા હોય છે જેથી નુકશાન જવાનું જોખમ ( વીમેદારનું મોત) વધુ પ્રમાણમાં સંભવ છે જેથી વધુ જોખમ હોવાથી તે વધુ પ્રિમિયર વસૂલ કરે છે. પણ જો આવું કંઈ કારણ ન હોય આમ છતાં વીમા કંપની ભેદભાવયુક્ત વર્તે તો ચોક્કસ પણે તે ગેરકાયદે કૃત્ય ગણી શકાય.
ચર્ચામાં તર્ક દ્વારા શુદ્ધ દલીલોનો ઘણી વખત અભાવ જવા મળે છે. સાઉન્ડ ફેક્ટર જેવા કે જોખમની સામે અપૂરતી રકમની ચૂકવણી અને જેથી આ પદ્ધતિમાં અભાવ જોવા મળે છે..[સંદર્ભ આપો] આ અભાવને દૂર કરવાના પ્રયાસો કદાચ વીમા કંપનીના વીમેદારોના કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવતો નથી તો તેમને ઘણી વખત તકલીફ પણ પડે છે. .[સંદર્ભ આપો] જેથી આ અભાવને દુર કરવાના વિકલ્પો નીચે મુજબ છે. : અભાવનો ચાર્જ અન્ય પૉલિસી ધારકો પર અથવા તે ચાર્જ સરકાર પાસેથી વસૂલ કરવો ( વિસ્તૃત ખ્યામમાં સમાજ).[સંદર્ભ આપો]
નવી વીમા પૉલિસી પ્રોડ્કટની નકલ ન થાય તે માટે યુનાઈડેટ સ્ટેટ્સમાં બિઝનેશ મેથડ પેટન્ટહેઠળ તેને સુરક્ષિત કરાય છે.
તાજેતરમાં જ એક નવી વીમા પ્રોડ્કટની પેટન્ટ લેવાઈ છે જે વપરાશ આધારિત ઓટો વીમોછે. પહેલાના સંસ્કરણ સ્વતંત્ર રીતે શોધાયા હતા અને અમેરિકાની ઓટો વીમા કંપની પ્રોગ્રેશીવ ઓટો વીમો અને સ્પેનિશ સ્વતંત્ર શોધક , સાલ્વાડોર મિનગુઈજોન પેરેઝ(EP 0700009).દ્વારા પેટેન્ટ કરાવાયા હતા.
ઘણા સ્વતંત્ર શોધકો નવી વીમા પ્રોડક્ટને પેટન્ટ કરાવવા માંગતા હતા. મોટી કંપનીઓ તેમની નવી વીમા પ્રોડ્કટને બજારમાં લઈ જાય તે સામે પેટન્ટ દ્વારા રક્ષણ મળી શકે તેવો તેમનો ખ્યાલ હતો અમેરિકામાં નવી પેટન્ટ અરજીમાં ૭૦ ટકા અરજદારો સ્વતંત્ર શોધક હોય છે.
ઘણા વીમા એઝ્યુક્યુટીવ વીમા પ્રોડ્ક્ટને પેટન્ટ કરાવવાનો વિરોધ કરે છે કારણ કે આ કારણે તેમની પર નવું જોખમ ઉભું થાય છે. ધ હાર્ટફોર્ડ (The Hartford) વીમા કંપનીનું એક ઉદાહરણ છે. તાજેતરમાં કંપનીને 80 મિલિયન ડોલર એક સ્વતંત્ર શોધક બોનકોપ (Bancorp Services )ને ચુકવવા પડ્યા છે. બાનકોર્પોર દ્વારા શોધવામાં આવેલી અને પેટન્ટ કરાવાયેલી વીમા પ્રોડ્કટની ચોરી અને પેટન્ટ ઉલ્લંઘન કરવાનો હાર્ટફોર્ટ પર કેસ કરવામાં આવ્યો હતો જેનાથી બચવા માટે કંપની રકમ ચૂકવવા સંમત થઈ હતી.
અમેરિકામાં દર વર્ષે ૧૫૦ જેટલી નવી વીમા પ્રોડક્ટ માટે નવી પેટન્ટ અરજીઓ કરવામાં આવે છે. પેટન્ટ આપવાનો દર પણ સતત વધી રહ્યો છે. 2002માં આ આંક 15નો હતો જે 2006માં વધીને 44નો થયો છે.
શોધક હવે તેની વીમા યુએસ પેટન્ટ અરજીને પીઅર ટૂ પેટન્ટ પ્રોગ્રામ. પહેલી વીમા પેટન્ટ અરજી US2009005522 “ રીસ્ક એસેસમેન્ટ કંપની ” સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૦ ના રોજ વેબેક મશિનહતી. જે ૬ માર્ચ 2009ના રોજ ફાઈલ કરવામાં આવી હતી. આ પેટન્ટ અરજીઓ વીમા કંપનીઓ દ્વારા હાલની પરિસ્થિતિને અનુરૂપ હોય છે.
કેટલીક વીમા પ્રોડક્ટ અને પ્રેક્ટીશને વિવેચકો રેન્ટ સિકિંગ કહે છે.[સંદર્ભ આપો] કેટલીક વીમા પ્રોડ્કટ અથવા ગામગીરી કાયદેસરના ફાયદા માટે ઉપયોગી હોય છે જેમકે ટેક્ષ ઘટાડવો કે પછી અનિચ્છનિય ઘટના સમે રક્ષણ આપવું વગેરે..યુનાઈટેડ સ્ટેટ્સ કર કાયદા મુજબ, દાખલા તરીકે અસ્થિર વર્ષાસન( variable annuities ) અને અસ્થિર જીવન વીમા કંપની પ્રિમીયમની આવકને શેરબજારમાં રોકી શકે છે અને તેમના રોકાણ પર ચૂકવવામાં આવતા કરને જ્યાં સુધી રોકાણ પાછું ન ખેંચાય ત્યાં સુધી કે પછી થોડા સમય મુલત્વી રાખી શકાય છે. ઘણી વખત લોકો ટેક્ષ ચુકવવાનું મુલત્વી રાખવાની સગવડ માટે જ આનો ઉપયોગ કરે છે.[સંદર્ભ આપો] અન્ય ઉદાહરણ લીગલ ઈન્ફ્રાસ્ટ્કચર છે. કેટલીક જોગવાઈઓને કારણે એસ્ટેટ ટેક્ષ ચુકવવામાંથી મુક્તિ મળી જાય છે.
આ લેખની નિષ્પક્ષતા વિવાદાસ્પદ છે. કૃપા કરી સંબંધિત ચર્ચા માટે આ લેખનું ચર્ચાનું પાનું જુઓ. (September 2008) |
કેટલાક લોકો માને છે કે ઢાંચો:Weasel-inline હાલની વીમા કંપનીઓ નાણા રળવાનો ધંધો કરે છે તેમને વીમામાં ઘણો ઓછો રસ છે. .[સંદર્ભ આપો] તેમની દલીલ છે કે વીમા કંપનીઓનો ઉદ્દેશ જોખમનો હાઉ ઉભો કરવાનો છે જેથી મોટીમાત્રામાં કેસો મેળવી શકાય..[સંદર્ભ આપો]
અન્ય ટીકાઓમાં સામેલ છે.
દેશ આધારિત લેખો
ઢાંચો:Insurance
This article uses material from the Wikipedia ગુજરાતી article વીમો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.