જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે (નર્મદ) દ્વારા ૧૮૭૩માં લખાયેલી એક કવિતા છે.
ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.
નર્મદને પ્રથમ આધુનિક ગુજરાતી લેખક માનવામાં આવે છે. તેમણે ૧૮૭૩માં તેમના પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોશની પ્રસ્તાવનામાં "જય જય ગરવી ગુજરાત" લખ્યું હતું.
આ કવિતામાં નર્મદ ગુજરાતી ભાષી લોકોના ક્ષેત્રને ઓળખીને પ્રાદેશિક ગૌરવની ભાવનાને રજૂ કરે છે. તેઓ ગુજરાતી ભાષી વસ્તી કઈ સીમામાં રહે છે તેની રેખા રેખાંકિત કરે છે. ઉત્તરમાં અંબાજી; પૂર્વમાં પાવાગઢ; દક્ષિણમાં વાપી નજીક કુંતેશ્વર મહાદેવ; અને પશ્ચિમમાં સોમનાથ, દ્વારકા. તેમણે ઉલ્લેખ કરેલો આ પ્રદેશ હવે ભારત દેશના પશ્ચિમ રાજ્ય આધુનિક ગુજરાત નું નિર્માણ કરે છે. કવિતાના અંતે નર્મદ ગુજરાતની જનતાને આશા આપે છે કે કાળાં વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થવામાં છે.
૨૦૧૧માં, ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગુજરાતી ગાયકો દ્વારા ગવાયેલી રચનાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગીતના શબ્દો નીચે મુજબ છે:
જય જય ગરવી ગુજરાત (ગુજરાતી લિપિ) | Jaya jaya garavī gujarāta (લેટિન પ્રતિલિપિ) | Victory To Proud Gujarat! (અંગ્રેજી) |
---|---|---|
જય જય ગરવી ગુજરાત! | Jaya jaya garavī gujarāta! | Victory to proud Gujarat! |
This article uses material from the Wikipedia ગુજરાતી article જય જય ગરવી ગુજરાત, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.