સોનિયા ગાંધી (ઉચ્ચાર (મદદ·માહિતી); જન્મ નામ એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો; ૯ ડિસેમ્બર ૧૯૪૬) ઈટાલીયન મૂળના ભારતીય રાજકારણી છે.
નહેરુ-ગાંધી કુટુંબના સભ્ય એવા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ) પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. ૧૯૯૮માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા પછી તેઓ ૧૯ વર્ષો સુધી પક્ષના પ્રમુખ રહ્યા, જે દરમિયાન કોંગ્રેસ પક્ષે મધ્યમ-ડાબેરી નિતીઓ તરફ વલણ અપનાવ્યું હતું.
સોનિયા ગાંધી લોક સભાના સભ્ય | |
---|---|
પૂર્વ અધ્યક્ષા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
પદ પર ૧૪ માર્ચ ૧૯૯૮ – ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ | |
પુરોગામી | સીતારામ કેસરી |
અનુગામી | રાહુલ ગાંધી |
રાષ્ટ્રીય સલાહકાર સમિતિના ચેરપર્સન | |
પદ પર ૨૯ માર્ચ ૨૦૧૦ – ૨૫ મે ૨૦૧૪ | |
પદ પર ૪ જૂન ૨૦૦૪ – ૨૩ માર્ચ ૨૦૦૬ | |
યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સના ચેરપર્સન | |
પદ પર | |
Assumed office ૧૬ મે ૨૦૦૪ | |
વિપક્ષના પ્રમુખ | |
પદ પર ૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૨૦૦૪ | |
પુરોગામી | શરદ પવાર |
અનુગામી | લાલકૃષ્ણ અડવાણી |
લોક સભાના સભ્ય રાય બરેલી મતવિસ્તાર | |
પદ પર | |
Assumed office ૧૭ મે ૨૦૦૪ | |
પુરોગામી | સતીષ શર્મા |
લોક સભાના સભ્ય અમેઠી મતવિસ્તાર | |
પદ પર ૧૦ ઓક્ટોબર ૧૯૯૯ – ૧૭ મે ૨૦૦૪ | |
પુરોગામી | સંજય સિંઘ |
અનુગામી | રાહુલ ગાંધી |
અંગત વિગતો | |
જન્મ | એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો 9 December 1946 લુસિના, વેનેટો, ઈટલી |
નાગરિકતા | ઈટલી (૧૯૪૬–૧૯૮૩) ભારત (૧૯૮૩–હાલમાં) |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | રાજીવ ગાંધી (લ. 1968; મૃત્યુ 1991) |
સંતાનો |
|
નિવાસસ્થાન | ૧૦ જનપથ, નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | બેલ એજ્યુકેશન ટ્રસ્ટ |
કુલ સંપત્તિ | ₹ ૯.૨૮ કરોડ |
તેમનો જન્મ વિસેન્ઝા, ઈટલી નજીકના નાના ગામમાં થયો હતો અને રોમન કેથલીક ખ્રિસ્તી કુટુંબમાં ઉછેર થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ ગયા અને ૧૯૬૮માં રાજીવ ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. પછીથી તેમણે ભારતીય નાગરિકતા સ્વિકારી અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઘરમાં રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન અને તેમના પતિના વડાપ્રધાન પદ દરમિયાન તેઓ મોટાભાગે જાહેરજીવનથી દૂર રહ્યા હતા.
તેમના પતિની હત્યા પછી કોંગ્રેસના નેતાઓએ તેમને સરકારમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૯૭માં છેવટે તેઓ રાજકારણમાં જોડાયા અને પક્ષના પ્રમુખ તરીકે નામાંકિત થઇને ચૂંટાયા હતા. તેમના નેતૃત્વ નીચે કોંગ્રેસ પક્ષે ૨૦૦૪માં અન્ય મધ્ય-ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર રચી હતી. યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (UPA)ની રચના અને વિસ્તાર માટે તેમને યશ અપાય છે અને ૨૦૦૯માં પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં આવી. તેમણે ફરીથી કોઇ પદ સ્વિકાર્યું નહી પરંતુ પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહ્યા અને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં રહ્યા.
UPA સરકારના બીજા શાસનના પાછલા ભાગમાં તેમણે સક્રિય રાજકારણમાં રસ લેવાનો ઓછો કર્યો. અત્યાર સુધી પાંચ વિદેશમાં જન્મેલા નેતાઓ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, તેમ છતાં ૧૯૪૭ પછી વિદેશમાં જન્મેલા અને પ્રમુખ રહેલા પ્રથમ નેતા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, મનરેગા જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી તેમજ બોફોર્સ કૌભાંડ અને નેશનલ હેરાલ્ડ કેસ જેવી બાબતોમાં સંડોવાયા હતા. તેમના વિદેશી કુળમાં જન્મનો મુદ્દો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બન્યો છે. તેઓ સરકારમાં કોઇ જાહેર પદ પર ન રહ્યા હોવા છતાં દેશના શક્તિશાળી નેતાઓમાંના એક તેમજ વિશ્વના પણ શક્તિશાળી નેતાઓમાંના એક ગણાય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article સોનિયા ગાંધી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.