રણછોડદાસ પગી, જેઓ રણછોડદાસ રબારી (૧૯૦૧- ૧૭ જાન્યુઆરી ૨૦૧૩) તરીકે પણ ઓળખાય છે, જેમણે ભારતીય ભૂમિસેનાને યુદ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી હતી.
રણછોડદાસ પગી | |
---|---|
જન્મ | ૧૯૦૧ બનાસકાંઠા જિલ્લો |
મૃત્યુ | ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ |
તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા.
ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલાં પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધાં હતાં. રણછોડદાસે આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને ઘણી મહત્વની મદદ કરી હતી. તેમણે કરેલા ઉત્તમ કાર્યોમાં ઘોર અંધારા જંગલમાં છુપાયેલા ૧૨૦૦ જેટલા દુશ્મન સૈનિકોની શોધનો સમાવેશ થાય છે. તેમના પ્રયત્નોના કારણે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન હજારો સૈનિકોનો બચાવ થયો હતો એમ મનાય છે.
તેઓ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા.
ભારતના સીમા સુરક્ષા બળે (બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીને નામ આપ્યું છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા. ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.
This article uses material from the Wikipedia ગુજરાતી article રણછોડદાસ પગી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.