સુઈગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે.
સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સુઈગામ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | સુઈગામ |
સરપંચ | |
વસ્તી | ૭,૩૫૩ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, તાલુકા પંચાયત |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | જીરૂ, બાજરી, કઠોળ, શાકભાજી, ઘઉં |
સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી વાવના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ રાડોસણ અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા. ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું, જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં આવી ગયું.
સુઇગામ કચ્છના રણથી 6 miles (9.7 km) દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.
ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ રણછોડદાસ પગીએ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ રણછોડ પગી ચોકી રાખવાનું નક્કી કરેલ છે.
અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર અને નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે.
આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ 336–337, 348. માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article સુઈગામ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.