સુઈગામ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સુઈગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે.

સુઈગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સુઈગામ
—  ગામ  —
સુઈગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ સુઈગામ: ઇતિહાસ, ભૂગોળ, જોવાલાયક સ્થળો ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
સરપંચ
વસ્તી ૭,૩૫૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, તાલુકા પંચાયત
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ જીરૂ, બાજરી, કઠોળ, શાકભાજી, ઘઉં

ઇતિહાસ

સુઇગામ પર પંચાજીના વંશજો રાજ કરતા હતા. પંચાજી વાવના સાંગોજીના જુવાન પુત્ર હતા, જેમણે ૧૫૬૯ (સંવત ૧૬૨૫)માં સુઇગામની સ્થાપના કરી હતી. ગામનું નામ ત્યાં રહેતી સુઇ નામની ઝાંપડા હાકે ભરવાડ કોમ પરથી પડ્યું હતું. પંચાજીના એક વંશજ રાજસિંહજીએ રાડોસણ અને તેના પાંચ ગામો આંજણા ચૌહાણ અને કુંભરકા અને અન્ય ગામો જાટ લોકો પાસેથી જીતીને રજવાડું સ્થાપ્યું હતું. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપ પછી બધી જમીન ખારી બની ગઇ અને કૂવાઓ નકામા બની ગયા હતા. ૧૮૨૦ના દાયકામાં સુઇગામે બ્રિટિશરો જોડે સંધિ કરી અને તે બ્રિટિશ આરક્ષિત રાજ્ય બન્યું. બ્રિટિશ સમયમાં ગામ પર ઠાકોર ભૂપતસિંહ અને નાથાજીએ રાજ કર્યું હતું. સુઇગામ બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું, જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, બોમ્બે પ્રેસિડેન્સીને બોમ્બે સ્ટેટ નામ મળ્યું. જ્યારે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં આવી ગયું.

ભૂગોળ

સુઇગામ કચ્છના રણથી 6 miles (9.7 km) દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા પારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.

ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે. આ વિસ્તારના જ રણછોડદાસ પગીએ પોતે આ વિસ્તારનાં ભોમીયા હોવાને કારણે યુદ્ધના સમયગાળા દરમ્યાન ભારતીય સેનાને કરેલ મદદને બિરદાવવા સીમા સુરક્ષા દળે આ સરહદીય ચોકીનું નામકરણ રણછોડ પગી ચોકી રાખવાનું નક્કી કરેલ છે.

જોવાલાયક સ્થળો

અહીં રાજેશ્વર દાદાનું મંદિર, તળાવની પાળ પર રામજી મંદિર તેમજ હમીર ભારથી દાદાનું મંદિર તેમજ અહીં ઝાંપડા ભરવાડના માતાજી શક્તિધામ સુઇગામ મંદિર અને નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે.

સંદર્ભ

નોંઘ

સંદર્ભ ગ્રંથો

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૬-૩૩૭, ૩૪૮.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.

સુઈગામ: ઇતિહાસ, ભૂગોળ, જોવાલાયક સ્થળો  આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ 336–337, 348. માં પ્રકાશિત અને પબ્લિક ડોમેઇનમાં રહેલ લખાણ ધરાવે છે.

Tags:

સુઈગામ ઇતિહાસસુઈગામ ભૂગોળસુઈગામ જોવાલાયક સ્થળોસુઈગામ સંદર્ભસુઈગામઆંગણવાડીકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંજીરુદિવેલીપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબનાસકાંઠા જિલ્લોબાજરીભારતરજકોવરિયાળીશાકભાજીસુઈગામ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય સિનેમાશ્રીનિવાસ રામાનુજનઉમાશંકર જોશીજાતીય સંભોગરણજિતરામ સુવર્ણચંદ્રકઓખાહરણઆર્યભટ્ટહિંદુધારાસભ્યસુભાષચંદ્ર બોઝલસિકા ગાંઠનવનિર્માણ આંદોલનરસિકલાલ પરીખવાલ્મિકીનવરાત્રીઅંબાજીદાહોદ જિલ્લોલોકનૃત્યફુગાવોભારતીય જીવનવીમા નિગમરાજસ્થાનીપક્ષીઝંડા (તા. કપડવંજ)ભારત રત્નભારતીય રેલઓમકારેશ્વરવેદગોરખનાથનકશોઅરવલ્લી જિલ્લોવાઘરીપરેશ ધાનાણીગંગા નદીબુધ (ગ્રહ)વિશ્વ પર્યાવરણ દિવસરાજ્ય સભાઅમરેલી જિલ્લોનવસારી લોક સભા મતવિસ્તારઉત્તરાખંડચોટીલાખાવાનો સોડાબીલીવિશ્વ બૌદ્ધિક સંપદા દિનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમાનવીની ભવાઇs5ettઆદિવાસીગીધનળ સરોવરભારતનો રાષ્ટ્રધ્વજવલ્લભભાઈ પટેલઅથર્વવેદઉંબરો (વૃક્ષ)ઝવેરચંદ મેઘાણીવિષ્ણુ સહસ્રનામઓઝોન અવક્ષયસૌરાષ્ટ્રધ્રાંગધ્રાક્રિકેટપૃથ્વીપ્રદૂષણજૂનું પિયેર ઘરલગ્નદ્વારકાધીશ મંદિરમોરબી જિલ્લોકળથીસલમાન ખાનસોનિયા ગાંધીકચ્છનું નાનું રણનરેન્દ્ર મોદીદમણ અને દીવક્ષેત્રફળC (પ્રોગ્રામિંગ ભાષા)યજુર્વેદસાપગુજરાત સલ્તનતહાફુસ (કેરી)લાલ બહાદુર શાસ્ત્રી🡆 More