નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ₹૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.
નરસિંહ મહેતા પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૧૯૯૯ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૯૯ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૩ | |
કુલ પુરસ્કાર | ૨૨ | |
પુરસ્કાર આપનાર | નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ | |
રોકડ પુરસ્કાર | ₹ ૧,૫૧,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. | |
પ્રથમ વિજેતા | રાજેન્દ્ર શાહ | |
અંતિમ વિજેતા | ઉદયન ઠક્કર |
This article uses material from the Wikipedia ગુજરાતી article નરસિંહ મહેતા એવોર્ડ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.