છત્તીસગઢ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલું મહત્વનું રાજ્ય છે.
આ રાજ્યનો મોટો વિસ્તાર ગાઢ જંગલોથી ભરપૂર છે, જેમાં મોટેભાગે આદિવાસીઓ વસવાટ કરે છે. આદિવાસી સંસ્કૃતિના રીતરીવાજો અનોખા હોય છે. અહીંયા છત્તીસગઢના આદિવાસીઓના દેવદેવતા, કે જેમની પુજા વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે, એનો પરિચય આપવામાં આવ્યો છે.
બસ્તરની મુખ્ય દેવીઓ
દેવારોમાં લોક દેવીદેવતાઓના સંદર્ભમાં એક ખાસ બાબત નામ ફેરફારને લગતી જોવા મળે છે. એક જ આરાધ્ય દેવ અલગ અલગ સમય, પ્રસંગ તેમ જ સંદર્ભોમાં વીવીધ પરિચયથી પૂજાય છે. ખૈરાગઢિયા દેવને ઘરની બહાર પરંપરાગત પવિત્ર વિધિ કરી લઇ જવામાં આવે છે. જ્યારે આ દેવતાની પુજા ઘરની બહાર કરવામાં આવે છે તે સમયે એમને બૈરાસૂ કહેવાય છે. આ જ દેવતાની ઘરની અંદર આરાધના કરતી વેળાએ બીજું નામ આપવામાં આવે છે. ત્યારબાદ આ નવા પરિચયથી એમની અર્ચના કરવામાં આવે છે. દેવારોમાં અન્ય બીજા કુળ કે ગૌત્રના વાહકો એમને ગોસાઈ-પોસાઈના નામથી આરાધના કરે છે. માંગલિક પ્રસંગોની જેમ જ અનુષ્ઠાતિક ક્રિયાકરમના પ્રસંગોમાં પણ બલિ ચઢાવવાનો રિવાજ અનિવાર્ય છે.જેટલા દેવીદેવતાઓની પુજા હોય, એમની પસંદ અનુસાર બલિ ચઢાવી કાર્ય સંપન્ન કરવામાં આવે છે. અમુક ખાસ પૂજા અથવા દેવીદેવતાઓની અર્ચના વખતે મહીલાઓ સામેલ થતી નથી. માત્ર પુરુષવર્ગ જ આ વખતે પુજામાં ભાગ લે છે.
એકતાલ રાયગઢના ઝારા ધાતુશિલ્પિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ૨૧ દેવીદેવતાઓની કલાકૃતિઓ છે, જે નીચે દર્શાવ્યા મુજબની છે:
બુઢી માં દેખાવે વૃધ્ધ, સફેદ વાળ, ગાલ પર કરચલીઓ તેમ જ કમરમાંથી ઝુકેલી અને હાથમાં ટેકણલાકડી હોય છે. શરીર ઉપર શીતળાનાં ચાઠાં હોય છે. એની પાસે લીમડાની ડાળખી, પૂજાનું લાલ કપડું અને ત્રિશૂળ હોય છે.
માવલી બકરીના રૂપમાં હોય છે.
સ્ત્રીનો ચહેરો તેમ જ આખા શરીર પર ફુલ હોય છે.
એક હાથમાં ખડગ, એક હાથમાં ત્રિશૂળ, વિખરાયેલા વાળ તેમ જ મોં પર લોહી વહેતું હોય છે.
મોટાં નખવાળી, ઉલટા હાથ, વાંકાચૂકા પગ, વિખરાયેલા વાળ, દાંત બહાર તેમ જ મોઢું પાછળ હોય છે.
કમરમાં ડિઢૌરી, હાથમાં એક ડાંગ અને એક હાથમાં ચૂંગી પકડીને પીતા હોય છે.
તરુણી માંના બંન્ને હાથ આશીર્વાદ આપતા હોય છે. જીભ લાંબી હોય છે.
ચૈત્ર માસમાં મંગલા માંનું પૂજન થાય છે. માતાના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ખડગ હોય છે. હાથ ચુડીઓથી ભરેલા હોય છે.
ગરત માવલીનું પેટ મોટું ગર્ભવતી જેવું હોય છે. જે ગર્ભવતી સ્ત્રી અવસાન પામે તેને આદિવાસીઓ ગરત માવલી તરીકે પુજે છે.
દંતેશ્વરી માંએ દુર્ગા માતાનો અવતાર લીધો હોય છે.
માથા પર વાળ હોતા નથી અને દેવીનું રૂપ ધારણ કરેલું હોય છે.
સાતેસાત બહેનોની સૂરત એક જ સરખી દેખાતી હોય છે.
ફુલસુન્દરી માં અતિ સુંદર દેખાય છે.
ગર્ભકાળના આઠ માસ પછી ગર્ભ આડો થવાને લીધે અવસાન પામેલી સ્ત્રીને ગરબ સોલ માવલી મનવામાં આવે છે.
ગામમાં આવતી આફતો વેળા ચેતવે છે તેમ જ જીવ જોખમની પણ ચેતવણી આપે છે, એમ્ આદિવાસીઓ માને છે.
દૂધગોડી માઈ આવવાથી શરીરમાં ઝીણા ઝીણા દાણા દેખાય છે. પૂજા કરવાથી તે સારું થાય એમ આદિવાસીઓ માને છે.
એમની ઓળખ આખા શરીરે કાંટા હોય છે.
ચાવર પૂરન માંના બંન્ને હાથોમાં ચાવર પકડેલા હોય છે.
હીરા કુડેન માં બાલિકા રૂપમાં હોય છે. હાથમાં ચૂડી, માંગમાં સિન્દુર અને મોઢા પર લાલી લગાડેલી હોય છે.
નિરમલા માતાની ઓળખ મસ્તક પર કમળનું ફુલ અને યોગ આસન હાથમાં ગોળ ચક્ર હોય છે.
માણસ ઉલટી કરતાં કરતાં અવસાન ન પામે તે માટે આદિવાસીઓ મુચિન ખેંદરની પુજા કરે છે.
નગ્ન રૂપમાં હોય છે. ગળામાં ખોપરીનો હાર હોય છે. જીભ લાંબી હોય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article છત્તીસગઢના આદિવાસી દેવીદેવતા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.