મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા.
મહેંદી નવાઝ જંગ | |
---|---|
જન્મ | ૨૩ મે ૧૮૯૪ Haidrabad |
મૃત્યુ | ૨૮ જૂન ૧૯૬૭ હૈદરાબાદ |
તેમનો જન્મ ૧૪ મે, ૧૮૯૪ના દિવસે હૈદરાબાદ ખાતે થયો હતો અને અવસાન ૨૮ જૂન, ૧૯૬૭ના દિવસે હૈદરાબાદ ખાતે થયુ હતું. તેમણે હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી. ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ હતી.
ઈ.સ. ૧૯૬૫માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સભાખંડનું નામ તેમના ઉપરથી મહેંદી નવાઝ જંગ હોલ આપવામાં આવ્યું છે.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article મહેંદી નવાઝ જંગ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.