વસ્તી

જીવવિજ્ઞાનમાં, વસ્તી એ ચોક્કસ જાતિના આંતરિક સંવર્ધનના ભાગનું એકત્રીકરણ છે; સમાજશાસ્ત્રમાં, માનવજાતનું એકત્રીકરણ છે.

કુલ વસ્તીમાં વ્યક્તિગત પરિબળની વહેંચણી કરે છે જેને કદાચ આંકડાકીય સરેરાશ દ્વારા ઘટાડી શકાય, પરંતુ કંઇપણ લાગુ પાડવા માટે આ પ્રકારનું સામાન્યકરણ કદાચ સંદિગ્ધ હોઇ શકે છે.

વસ્તી
1994માં વિશ્વની વસ્તીની વહેંચણી.
વસ્તી
દર અબજ લોકો માટે લીધેલો સમય વૈશ્વિક વસ્તીમાં ઉમેરાશે (ભવિષ્યના અંદાજો સહિત). ઓલ્ટ.ચાર્ટ પણ જુઓ.

જન્મ-મૃત્યુ ગણતરીનો માર્કેટિંગમાં વ્યાપક પણે ઉપયોગ થાય છે, જે આર્થિક એકમને સંભવિત ગ્રાહકને લાગે વળગે છે. ઉદા. તરીકે, કોફીશોપ કે જે નાની વયની પ્રજાને વેચાણ કરવા ઇચ્છે છે તે જે તે વિસ્તારના જન્મ-મૃત્યુ દર તરફ નજર નાખે છે, જેથી આ નાની વયની પ્રજાને અરજ કરી શકે.

વૈશ્વિક વસ્તી

યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યૂરો દ્વારા વિશ્વની કુલ વસ્તી સમીકરણ ક્ષતિ : અણધારી સમીકરણ નિશાની < અબજ હોવાનો અંદાજ છે.

યુનાઇટેડ સ્ટેટસ સેન્સ બ્યૂરોદ્વારા પ્રકાશિત કરાયેલા પેપર અનુસાર, 24 ફેબ્રુઆરી 2006ના રોજ વિશ્વની વસ્તી 6.5 અબજ (6,500,000,000)ના આંકને સ્પર્શી ગઇ હતી. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે 12 ઓક્ટોબર 1999ના દિવસને વૈશ્વિક વસ્તી 6 અબજના આંકને સ્પર્શી જવાના દિવસ તરીકે ઠરાવ્યો છે. આવું આશરે 12 વર્ષો પછી થયું હતુ જેમાં વિશ્વની વસ્તી 1987માં 5 અબજના આંકને સ્પર્શી ગઇ હતી અન 6 વર્ષ બાદ 1993માં વિશ્વની વસ્તી 5.5 અબજના આંકને સ્પર્શી ગઇ હતી. જોકે, કેટલાક દેશો જેમ કે નાઇજિરીયા અને ચીનની વસ્તી મિલીયનની નજીક સુધી પણ હોવાનું જણાયું નથી, તેથી આ પ્રકારના અંદાજમાં નોંધપાત્ર અસંખ્ય ભૂલો હોવાની શક્યતા છે.

1700 બાદ ઔદ્યોગિક ક્રાંતિએ ઝડપ હાંસલ કરતા વસ્તી વૃદ્ધિમાં નોંધપાત્ર રીતે વધારો થયો હતો. તબીબી ક્ષેત્ર આગળ વધતા અને કૃષિ ઉત્પાદકતામાં ખાસ કરીને 1960થી 1995ના ગાળામાં હરિયાળી ક્રાંતિને પગલે નોધપાત્ર વધારો થતા છેલ્લા 50 વર્ષોમાં વસ્તી વૃદ્ધિના દરમાં ઘણો ઝડપી વધારો જોવા મળ્યો છે. 2007માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલશન ડિવીઝને અંદાજ મૂક્યો છે કે 2055 સુધીમાં વિશ્વની વસ્તી 10 અબજના આંકને વટાવી દેશે તેવી ધારણા છે. ભવિષ્યમાં, વૈશ્વિક વસ્તી ઊંચામાં ઊંચી વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા સેવાય છે, ત્યાંથી આર્થિક કારણો, આરોગ્યને લગતા કારણો, જમીન ધોવાણ અને પર્યાવરણીય નુકસાનને કારણે તેમાં ઘટાડો થવાનું શરૂ થશે. સદીના અંત પહેલા વૈશ્વિક વસ્તીમાં વધારો અટકી જવાની 85 ટકા તકો છે. 2100 પહેલા વૈશ્વિક વસ્તી 10 અબજ કરતા વધે નહી તેની 60 ટકા જેટલી તકો છે અને સદીના અંતે વૈશ્વિક વસ્તી આજની તુલનામાં 15 ટકા ઓછી હશે તેવી શક્યતા છે. વિવિધ પ્રદેશો માટે, તારીખ અને સૌથી વધુ વસ્તીનુ કદ નોંધપાત્ર રીતે અલગ પડશે.

વસ્તી અંકુશ

વસ્તી અંકુશ એ વસ્તી વધારાને નાથવા માટેની પ્રક્રિયા છે, સમાન્ય રીતે જન્મ દરમાં ઘટાડા દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન ગ્રીસના જીવંત ભૂતકાળના દસ્તાવેજવસ્તી અંકુશના સૌપ્રથમ જાણીતા ઉદાહરણો છે. તેમાં સામૂહિકવાદ ચળવળનો સમાવેશ થાય છે, જેમાં વિવિધ રાજ્યોની વધારાની વસ્તીને સમાવવા માટે મેડીટેરેનિયન અને કાળા સમુદ્રના કિનારે બાંધવામાં આવી રહેલી ગ્રીકઆઉટપોસ્ટ અસ્તિત્વમાં આવી હતી. બાળહત્યા અને ગર્ભપાતને કેટલાક ગ્રીક શહેરોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેથી વસ્તીને નીચી રાખી શકાય.

ફરજિયાત વસ્તી અંકુશનું મહત્વનું ઉદાહરણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની એક જ બાળકની નીતિછે,જેમાં એક કરતા વધુ બાળકો ધરાવનારાને ભારે બિનઆકર્ષક ગણવામાં આવતા હતા. તેના કારણે એવા આક્ષેપો થયા હતા કે આ નીતિ ફરજિયાત ગર્ભપાત, ફરજિયાત વંધ્યત્વ અને બાળહત્યામાં પરિણમી હતી. 114 છોકરાઓ સામે 100 છોકરી એમ દેશનો જાતિ ગુણોત્તરકદાચ પૂરાવો બની શકે છે કે બાદમાં પસંદગીયુક્ત જાતિઅપનાવાય.

સરકારી અથવા રાજ્ય સ્તરીય વસ્તી વૃદ્ધિના નિયમનની નીતિને કારણે વ્યક્તિગત નિર્ણય લેવો અને વસ્તી અંકુશ પ્રજનન અંકુશ વચ્ચે તફાવત કરવામાં સહાયરૂપ થાય છે. જ્યારે કોઇ વ્યક્તિગત કે દંપતી અથવા પરિવારો બાળક ધરાવવા માટેનો તેમનો પોતાનો સમય નક્કી કરે ત્યારે જ પ્રજનન અંકુશ શક્ય બને છે. એન્સલે કોલની વારંવાર દર્શાવવામાં આવતી પ્રક્રિયામાં પ્રજનનમાં સતત ઘટાડા માટે ત્રણ પૂર્વશરતો જવાબદાર છે તે છે : (1) ગણતરીપૂર્વકની પસંદગીનો સ્વીકાર (નસીબ અથવા તક અથવા ભગવાનની વિરુદ્ધ ) પ્રજનનમાં માન્ય તત્વ તરીકે, (2) ઘટેલી પ્રજનનક્ષમતાથી દેખીતો ફાયદો અને (3) અંકુશની અસરકારક તરકીબોની જાણકારી અને નિપુણતા. કુદરતી પ્રજનનક્ષમતા સાથે સમાજની વિરુદ્ધમાં, જે સમાજ પ્રજનનક્ષમતાને અંકુશમાં રાખવાની ઇચ્છા કરે છે અને તેવું કરવાનો જે આશય ધરાવે છે તેઓ બાળક ધરાવવાના, બાળક ધરાવવા માટે સમય રાખવાના અથવા બાળક ધરાવવાનું બંધ કરી દેવાના ઉદ્દેશોનો ઉપયોગ કરી શકે છે. સંભોગ (અથવા લગ્ન) કરવામાં વિલંબ, અથવા કુદરતી કે કૃત્રિમ ગર્ભનિરોધકના માર્ગો અપનાવવા એ વ્યક્તિગત અથવા પરિવારમાં ઘણી વાર બને છે, જેના પર રાજ્યની નીતિ અથવા સમાજલક્ષી પ્રતિબંધો હોતા નથી. બીજી બાજુ, જે વ્યક્તિગતો કે જે પોતાની પ્રજનનક્ષમતા પર અંકુશ રાખવા વિચારે છે તેઓ પણ આયોજન દ્વારા અનુક્રિયા વૃત્તિ અથવા બાળક ધરાવવાની સફળતામાં વધારો કરી શકે છે.

સામાજિક સ્તરે, પ્રજનનક્ષમતામાં ઘટાડો મોટે ભાગે સ્ત્રીઓમાં વધતા જતા જાતીય શિક્ષણનું અનિવાર્ય પરિણામ છે. જોકે, સામાન્યથી લઇને ઉચ્ચ કક્ષાની પ્રજનનક્ષમતાની કવાયત જરૂરીપણે ઓછા પ્રજનન દરમાં લાગુ પડતી નથી. એટલું જ નહી જે સમાજ નોધપાત્ર પ્રજનન અંકુશની કવાયત હાથ ધરે છે, પ્રજનન અંકુશ (કેટલા બાળકો રાખવા અને તેમને ક્યારે રાખવા)ની કવાયત હાથ ધરવાની સમાજની સમાન ક્ષમતા પ્રજનનના (જન્મેલા બાળકોની સંખ્યા)મોટા પાયે વિવિધ ધોરણો દર્શાવી શકે છે જે વ્યક્તિગત અને બાળકોની સંખ્યા માટેની સાસ્કૃતિક અગ્રિમતાઓ અથવા પરિવારના કદ સાથે સંકળાયેલા છે.

પ્રજનન અંકુશ ની વિરુદ્ધમાં, કે જે વ્યક્તિગત સ્તરનો નિર્ણય છે,તેમાં સરકાર ગર્ભનિરોધકના માર્ગોનો લાભ લેવાનું વધારીને અથવા અન્ય વસ્તી નીતિઓ અને કાર્યક્રમો મારફતે વસતી નિયંત્રણ ની કવાયત હાથ ધરવાનો પ્રયત્ન કરી શકે છે. "વસ્તી નિયંત્રણ"નો ખ્યાલ, સરકારી અથવા સામાજિક સ્તરના વસ્તી વૃદ્ધિના નિયમનોમાં, "પ્રજનન નિયંત્રણ"ની જરૂર નથી કેમ કે, તેને ઉપર ઓળખી કાઢવામાં આવ્યા છે, કરણે કે સમાજ પ્રજનન નિયંત્રણ માટે ઓછા પ્રયત્નો કરતો હોય તેની વસ્તી પર રાજ્ય અસર પાડી શકે છે. વસ્તી નિયંત્રણ માટે અને રાજ્યો તેની વૃદ્ધિને ફક્ત સીમીત બનાવીને વસ્તી નિયંત્રણ કરવા માગતું હોય તે દ્રષ્ટિએ વસતી વધારા ની નીતિને તરફેણ કરવાની બાબત પણ એટલી જ અગત્યની છે. વસ્તી વધારાની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર ફક્ત કાયમી વસવાટને જ ટેકો આપી શકે એટલું જ નહી પરંતુ વધુ બાળકો ધરાવવા માટે દંપતિઓને પ્રોત્સાહન આપવાની નીતિઓ જેમ કે કર લાભ, નાણાંકીય ફાયદાઓ, પગાર સાથેની રજાઓ અને વધારાના બાળકો ધરાવનારાઓને ઉત્તેજન આપવા માટે બાળક સંભાળ જેવી નીતિઓ પણ ઘડી શકે છે. ઉદા. તરીકે આ પ્રકારની નીતિઓ તાજેતરમાં ફ્રાંસ અને સ્વીડનમાં લાગુ પાડવામાં આવી હતી. વસ્તી વૃદ્ધિમાં વધારાના સમાન લક્ષ્યાંક સાથે પ્રસંગોપાત સરકારે ગર્ભપાત અથવા જન્મ નિયંત્રણના આધુનિક માર્ગોને મર્યાદિત બનાવવાની ખેવના સેવી છે. તેનું ઉદાહરણ રોમાનીયાનો1966નો માગ કરતાની સાથે જ ગર્ભનિરોધક અને ગર્ભપાત પર પ્રતિબંધ છે.

પરિસ્થિતિ વિજ્ઞાનમાં, પ્રસંગોપાત વસ્તી નિયંત્રણ ફક્ત પ્રિડેટર, રોગ, પરોપજીવી પ્રાણી, અને પર્યાવરણીય પરિબળો દ્વારા જ વિચારવામાં આવ્યું હતું. અવિરત પર્યાવરણમાં, વસ્તી નિયંત્રણનું ખાધાન્ન, પાણી અને સલામતી દ્વારા નિયમન કરવામાં આવે છે. ચોક્કસ વિસ્તારમાં ટેકો આપી શકાય તેવા પ્રાણીઓ અથવા વ્યક્તિગતોની વધુમાં વધુ સંખ્યાને વહન કરતી ક્ષમતા કહેવાય છે. ઘણી વાર પ્રાણીઓ અને છોડોની વસ્તી પર માનવીય અસરને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રાણીઓના સ્થળાંતરને પણ વસ્તી નિયંત્રણના કુદરતી માર્ગ તરીકે ગણી શકાય છે, કેટલીક ઋતુઓમાં જમીન પરના ખાદ્ય પદાર્થ માટે વધુ સમૃદ્ધ હોય છે. સ્થળાંતર પ્રારંભના વિસ્તારને હવે પછીના સમય માટે મોટી સખ્યાના પ્રાણીઓના ખોરાક પુરવઠા માટે છોડી દેવાય છે. કાયમી વસવાટ પણ જુઓ.

ભારત એ બીજું ઉદાહરણ છે જ્યાં સરકારે દેશની વસ્તી ઘટાડવા માટે પગલાંઓ લીધા છે. ઝડપથી વધતી જતી વસ્તી આર્થિક વૃદ્ધિ અને જીવનધોરણને માઠી અસર પહોંચાડશે તેવી ચિંતાઓએ ભારતને 1950ના અંતમાં અને 1960ના પ્રારંભમાં સત્તાવાર રીતે કુટુંબ નિયોજન કરવા પ્રેર્યું છે; વિશ્વમાં આવું કરનાર તે સૌપ્રથમ દેશ હતો.

નોંધ

બાહ્ય કડીઓ

Tags:

વસ્તી વૈશ્વિક વસ્તી અંકુશવસ્તી નોંધવસ્તી બાહ્ય કડીઓવસ્તીજીવવિજ્ઞાનસમાજશાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચોમાસુંબોટાદ જિલ્લોસાવિત્રીબાઈ ફુલેભારતના રજવાડાઓની યાદીભારતનું સ્થાપત્યખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)દશાવતારકુબેરશિક્ષણનું સમાજશાસ્ત્રસુરેશ જોષીમહી કાંઠા એજન્સીજાડેજા વંશગુજરાત વિધાનસભાપ્લાસીની લડાઈહોકાયંત્રશ્રીમદ્ ભગવદ્ ગીતાચકલીક્રિકેટખેતમજૂરીતત્ત્વરમાબાઈ આંબેડકરહોમિયોપેથીપ્રિયંકા ચોપરાબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસાંચીનો સ્તૂપનિરોધઅક્ષાંશ-રેખાંશનિતા અંબાણીવેદજયંતિ દલાલઅથર્વવેદભાવનગર જિલ્લોસમાજશાસ્ત્રગાંધી આશ્રમબર્બરિકમાળવાનો ઉચ્ચપ્રદેશધીરૂભાઈ અંબાણીબીજોરાપ્રીટિ ઝિન્ટાવલ્લભાચાર્યકર્કરોગ (કેન્સર)લોક સભાઆરઝી હકૂમતગોવામહેસાણાકાલિદાસપ્રાણીશુક્ર (ગ્રહ)ગુણવંત શાહફિરોઝ ગાંધીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસુરેન્દ્રનગર જિલ્લોશાહરૂખ ખાનબાંગ્લાદેશક્ષય રોગઐશ્વર્યા રાયપાણીપતની ત્રીજી લડાઈસુરેશભાઈ મહેતાપ્રાથમિક શાળાખેડબ્રહ્માબહારવટીયોદમણ અને દીવઅશ્વત્થામાવનરાજ ચાવડાવિકિમીડિયા ફાઉન્ડેશનમાઉન્ટ આબુપાલીતાણાગુજરાતી સાહિત્યઆણંદઉત્તર પ્રદેશસામાજિક પરિવર્તનરાવજી પટેલમકરંદ દવેખ્રિસ્તી ધર્મનાગલીરોગસોમનાથ🡆 More