કુમારપાળ (શાસન કાળ: ઇસ ૧૧૪૩- ઇસ ૧૧૭૨), ત્રિભુવનપાળ સોલંકીના પુત્ર અને અણહિલવાડ પાટણ, ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત રાજા હતા.
કુમારપાળ | |
---|---|
ડાબે લક્ષ્મીજી અને જમણી બાજુ "શ્રીમંત-કુપારપાળદેવ" લખાણ ધરાવતો સિક્કો. | |
શાસન | ઇ.સ. ૧૧૪૩-૧૧૭૨ |
પુરોગામી | સિદ્ધરાજ જયસિંહ |
અનુગામી | અજયપાળ |
જન્મ | દધિષ્ઠલી (હવે દેથળી, સિદ્ધપુર નજીક) |
મૃત્યુ | ઇ.સ. ૧૧૭૨ પાટણ, ગુજરાત |
જીવનસાથીઓ | ભોપાલદેવી |
વંશ | સોલંકી |
પિતા | ત્રિભુવનપાળ |
ધર્મ | હિંદુ ધર્મ (આજીવન), જૈન ધર્મ (જીવનના અંતિમ વર્ષોમાં) |
તેમનો જન્મ દધિસ્થલીમાં (હવે દેથલી, સિદ્ધપુર) વિક્રમ સંવત ૧૧૪૯માં થયો હતો. તેમનાં શાસન દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો અને જૈન ધર્મ મહત્વનો બન્યો હતો. તેઓ જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા.
કુમારપાળે પોતાના શિલાલેખોમાં મુખ્યત્વે ભગવાન શિવનું આહવાન કરેલ છે અને તેના શિલાલેખોમાં કોઈ જૈન તીર્થંકર અથવા જૈન દેવતાનો ઉલ્લેખ નથી. મુખ્ય વેરાવળ શિલાલેખ તેમને મહેશ્વર-નૃપ-અગ્રણી (શિવજીના આગેવાન તરીકેનો રાજા) કહે છે, જૈન ગ્રંથો પણ જણાવે છે કે તેઓ (સોમેશ્વર, શિવ)ની પૂજા કરતા હતા. એક શિલાલેખ મુજબ તેમણે ઘણા હિંદુ મંદિરો, સ્નાનઘાટ અને યાત્રાળુઓની સુવિધાઓ સાથે અદભૂત સોમનાથ-પાટણ તીર્થ સ્થળનું પુનઃનિર્માણ કર્યું, આ રીતે ગઝનીના મહેમુદ દ્વારા આક્રમણ અને વિનાશ બાદ તેમના પૂર્વજ ભીમદેવ પહેલા દ્વારા ફરીથી બાંધવામાં આવેલ સોમનાથ મંદિરનું કુમારપાળે વિસ્તરણ કર્યું. શિલાલેખો સૂચવે છે કે તેઓ હિંદુ હતા અને વૈદિક વિધિઓમાં ભાગ લીધો હતા, છેલ્લા જાણીતા શિલાલેખો સુધી તેઓ હિન્દુ હતા. જ્યારે તેમના સમકાલીન કેટલાક પુસ્તકોમાં લેખક દ્વારા તેમના જૈન હોવાનો ઉલ્લેખ કરે છે.
"કલિ કાલ સર્વજ્ઞ" હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાયાથી બનેલા રાજ્યની સ્થાપના કરી. કુમારપાળે પોતાના શાસન દરમિયાન અનેક યુદ્ધોમાં સફળતાપૂર્વક ભાગ લીધો. ગુરૂની સલાહથી તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તેમણે ઘણાં જૈન મંદિરો પણ બંધાવ્યા. જેમાં તારંગા અને ગિરનારના મંદિરોનો સમાવેશ થાય છે. તેમણે પાલી, રાજસ્થાનમાં સોમનાથનું મંદિર પણ બંધાવેલું. ખંભાતનો ચતુર અને સાહસિહ વેપારી ઉદયન મહેતા તેમનો મંત્રી હતો જેણે કુમારપાળના કાકા સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી તેમને ગાદી પર લાવવામાં ફાળો આપેલો. સિદ્ધરાજ જયસિંહને કુમારપાળ ગમતા નહોતા તેથી તેમણે કુમારપાળ ગાદી પર ન આવે તે માટેના પ્રયત્નો કરેલા, જેમાં કુમારપાળની હત્યાના પ્રયત્નોનો પણ સમાવેશ થતો હતો. કુમારપાળને ગુર્જરેશ્વર પણ કહેવામાં આવતા હતા. કુમારપાળનો શાસનકાળ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે જે દરમિયાન વેપાર, સંસ્કૃતિ, સાહિત્ય અને અન્ય કળાઓ ખીલી ઉઠી હતી. તેમનું મૃત્યુ તેમના ગુરૂ હેમચંદ્રાચાર્યના મૃત્યુના ૬ મહિના પછી સંવત ૧૨૩૦માં ૮૦ વર્ષની ઉંમરે થયું.
કુમારપાળના લગ્ન ભોપાલદેવી સાથે થયેલા.
વડનગર શિલાલેખ (ઇ.સ.૧૧૫૨)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુમારપાળે વડનગરનો કિલ્લો બાંધ્યો હતો. "જગડુચરિતા"માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે ભાદ્રવતી (ભદ્રેસર) ખાતે એક ટાંકી બાંધવાનો આદેશ આપ્યો હતો. પાટણ જિલ્લાના વાયડ ગામે આવેલી વાવ આ સમયગાળાની છે. વઢવાણ ખાતે આવેલી ગંગા વાવ પર ઇ.સ. ૧૧૬૯ (વિ.સં ૧૨૨૫)ની સાલ અંકિત કરેલી છે.
કુમારપાળે અનેક બ્રાહ્મણ અને જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું. જૈન ગ્રંથો મુજબ, તેમની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)માં મોટી સંખ્યામાં મંદિરો બાંધવા માટે તેઓ જવાબદાર હતા.
તેમણે ઈ.સ. ૧૧૬૯માં સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે તેમના સમયની સૌથી ભવ્ય અને સુંદર હતી. તેના ગુઢમંડપની છત લગભગ 341⁄2 ફૂટ છે, જે સમગ્ર ભારતમાં સૌથી વિશાળ છે. તેમણે કુમારપાલેશ્વર મંદિરનું નિર્માણ કર્યું અને અણહિલવાડ પાટણમાં કેદારેશ્વર મંદિરોનું નવીનીકરણ કર્યું. તેણે પ્રભાસ પાટણના બીજા તબક્કાના સોમનાથ મંદિરના સ્થાને વિશાળ કૈલાશ-મેરુ મંદિરનું સ્થાન લીધું હતું. તેમણે રાજસ્થાનના પાલીમાં પણ સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું.
જૈન 'પ્રબંધો'ના જણાવ્યા અનુસાર, તેમણે પ્રારંભિક જીવનમાં તેમના બિન-શાકાહારીવાદના પશ્ચાતાપ તરીકે ૩૨ જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું. યશપાલની 'મોહપરાજય-નાટક' (વિ.સં. ૧૨૨૯-૩૨, ઈ.સ. ૧૧૭૩-૧૧૭૬) તેમજ પ્રભાચંદ્રાચાર્યની 'પ્રભાવકચરિતા' (વિ.સ. ૧૩૩૪, ઈ.સ. ૧૨૭૮) અને મેરુતુંગાના 'પ્રબંધ ચિંતામણી' (વિ.સ. ૧૩૬૧, ઈ.સ. ૧૩૦૫)માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભલે તે સાચુ સ્પષ્ટીકરણ ન હોય, પરંતુ તેમણે પોતે મોટી સંખ્યામાં મંદિરોનું નિર્માણ કર્યું હતું અથવા તેમના રાજ્યપાલો, વહીવટકર્તાઓ અને અધિકારીઓએ તેનું નિર્માણ કર્યું હતું.
તેમણે પ્રભાસ પાટણમાં પાર્શ્વનાથને સમર્પિત ૨૪ દેવકુલિકા (મંદિર) ધરાવતા કુમારવિહારનું નિર્માણ કર્યું હતું. કુપારપાળે તેમના પિતા ત્રિભુવનપાળની સ્મૃતિમાં પ્રભાસ પાટણ ખાતે નેમિનાથને સમર્પિત ૭૨ દેવકુલિકા (મંદિર) ધરાવતા ત્રિવિહાર અને ત્રિભુવન-વિહાર (ઈ.સ.૧૧૬૦)નું નિર્માણ કર્યું હતું. કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલું તારંગાનું વિશાળ અજિતનાથ મંદિર હજુ પણ ટકી રહેલું છે, જ્યારે તેમના મોટાભાગના મંદિરો હવે અસ્તિત્વમાં નથી. તેમણે શેત્રુંજય, અર્બુદાગિરિ (માઉન્ટ આબુ), સ્તંભતીર્થ (ખંભાત), પ્રભાસ (પાર્શ્વનાથનું મંદિર) જેવા અનેક તીર્થસ્થળોએ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, આ ઉપરાંત થરાપાદરા (થરાદ), ઇલાદુર્ગા (ઇડર), જબલીપુત્ર (જાલોર, ઈ.સ.૧૧૬૫), દ્વિપ (દીવ), લાટપલ્લી (લાડોલ), કર્કરાપુરી (કાકર), મંડલી (માંડલ) અને મંગલપુરા (માંગરોળ)માં કુમારવિહારનું નિર્માણ કર્યું હતું. તેમણે મેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં જોલિકા-વિહાર (ઈ.સ. ૧૧૬૩)નું નિર્માણ કર્યું હતું. કુમારપાલપ્રતિબોધમાં વિટાભાયપુરાથી જીવનસ્વામી મહાવીરની મૂર્તિના ખોદકામ અને પ્રભાસ પાટણ સ્થિત મંદિરમાં તેની સ્થાપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્મ-વિહાર, યુકા-વિહાર અને મુશકા-વિહારનો ઉલ્લેખ 'પ્રબંધસંકેતમણિ', 'પુરાણ-પ્રબંધ-સંગ્રહ' અને 'કુમારપાલ-ચરિત્ર-સંગ્રહ'માં એક વિચિત્ર કથા સાથે કરવામાં આવ્યો છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article કુમારપાળ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.