રાધા ( સંસ્કૃત: राधा), જેને રાધિકા, રાધારાણી, રાધે, શ્યામા અને પ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની લોકપ્રિય દેવી છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
તેમનો જન્મ રાવળમાં થયો હતો અને ત્યારબાદ તેઓ બરસાણામાં રહેવા ગયા. તેમને વ્રજ ગોપિકાઓની પ્રધાન ગોપી પ્રમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવ માન્યતા અને અને પદ્મ પુરાણના કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. ગૌડિય વૈષ્ણવો મુજબ તે કૃષ્ણની શાશ્વત જીવનસાથી છે. તે ભક્તિ દેવીનો અવતાર છે. અને રાધાષ્ટમીના દિવસે તેમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
રાધા | |
---|---|
સુંદરતા અને પ્રેમની દેવી | |
રાધા | |
જોડાણો | માધવપ્રિયા, કૃષ્ણપ્રિયા, |
રહેઠાણ | ગોલોક,વૃંદાવન |
પ્રતીક | સુવર્ણ કમળ |
ગ્રંથો | શ્રીમદ્ ભાગવતમ્, બ્રહ્મવૈવર્ત પુરાણ, ગીત ગોવિંદ, ગર્ગ સંહિતા |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | બરસાના |
જીવનસાથી | રાયણ[૧] |
માતા-પિતા |
|
તેણીને વૃંદાવનશ્વરી ( વૃંદાવન ધામની રાણી) પણ કહેવામાં આવે છે. તે ગોપીઓની રાણી અને વૃંદાવન-બરસાણાની રાણી તરીકે પણ ઓળખાય છે. તેમણે ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ આપ્યું. રસિક સંતોએ તેમનો ઉલ્લેખ દેવી, યોગમાયા અને હ્લાદિની શક્તિ (દૈવી પ્રેમની શક્તિ) ના મૂળ સ્વરૂપ તરીકે કર્યો છે, જે ભગવાન કૃષ્ણની મુખ્ય શક્તિ છે. તેમને અને તેમના સાથી કૃષ્ણને સામૂહિક રીતે રાધા કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, સ્ત્રી અને પૌરૂષના સંયુક્ત સ્વરૂપે તે ભગવાનના સ્વરૂપને દર્શાવે છે. ભગવાન કૃષ્ણ તેની સાથે લીલાઓ કરે છે.
ભારતના કેટલાક પ્રદેશોમાં ખાસ કરીને ગૌડિય વૈષ્ણવો, પશ્ચિમ બંગાળના વૈષ્ણવો, બાંગ્લાદેશ મણિપુર અને ઓડિશાના વૈષ્ણવો દ્વારા રાધાની પૂજા કરવામાં આવે છે. અન્ય સ્થળે, તે નિમ્બરક સંપ્રદાય અને ચૈતન્ય મહાપ્રભુ સાથે જોડાયેલા સંપ્રદાયોમાં પણ તે આદરણીય છે. જ્યારે રામાનુજ, પાશુપત જેવા સંપ્રદાયો રાધાના અસ્તિત્વ ને નકારે છે.
કેટલાક લોકો દ્વારા રાધાને માનવ આત્માના રૂપક તરીકે માનવામાં આવે છે, તેમનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેની ઝંખનાને આધ્યાત્મિક રીતે આત્મિક વિકાસ અને પરમાત્મા સાથેના જોડાણ માટેની માનવ શોધના પ્રતિકાત્મકકરૂપે માનવામાં આવે છે. તેણીએ અસંખ્ય સાહિત્યિક કૃતિઓને પ્રેરણા આપી છે, અને કૃષ્ણ સાથેની તેમની રાસલીલાએ ઘણી નૃત્યકલામાં પ્રેરણા આપી છે.
સંસ્કૃત શબ્દ રાધા (સંસ્કૃત: राधा) નો અર્થ છે "સમૃદ્ધિ, સફળતા". તે એક સામાન્ય શબ્દ અને નામ છે જે ભારતના પ્રાચીન અને મધ્યયુગીન ગ્રંથોના વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે. આ શબ્દ નો અન્ય અર્થ "દયા, કોઈપણ ભેટ, ખાસ કરીને સ્નેહ, સફળતા, સંપત્તિની ભેટ" એવો પણ થાય છે. આ શબ્દ વૈદિક સાહિત્યમાં તેમજ મહાકાવ્યોમાં દેખાય છે, પરંતુ બહુઅર્થી છે.
રાધા એ ગોપીનું નામ છે જે કૃષ્ણની પ્રિય છે. રાધા અને કૃષ્ણ બંને, જયદેવ ગોસ્વામી રચિત ગીતા ગોવિંદના મુખ્ય પાત્રો છે.
હીત હરિવંશ અને સ્વામી હરિદાસનાં પુસ્તકો રાધાને મુખ્ય દેવી માને છે. અહીં, રાધાને લક્ષ્મીનો અવતાર ન માનતા ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. દેવી ભાગવત અને બ્રહ્મા વૈવર્ત પુરાણ, રાધાને અનંત લક્ષ્મીઓ, ગોપીઓ અને અનંત આત્માઓની માતા તરીકે દર્શાવવામાં આવે છે.
નારદ-પંચાત્રા કહે છે, "રાધા એ ગોકુલેશ્વરી છે, સ્વયંભૂ પ્રેમની સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ અને મહાભવ [ઉચ્ચતમ આધ્યાત્મિક ક્ષેત્ર]નો અવતાર છે. ભગવાન કૃષ્ણ, જે સર્વ અસ્તિત્વ ધરાવતા દેવોના સર્વોચ્ચ ઇશ્વર છે, તેણીની કૃપાથી પ્રાપ્ત થાય છે. રાધા કૃષ્ણની આંતરિક શક્તિ છે, અને તેણી પોતાની ભક્તિ અને સેવાની સંપૂર્ણ સંપત્તિથી તેમના પ્રિય એવા કૃષ્ણની પૂજા કરે છે."
સંમોહન-તંત્ર,માં દુર્ગા દેવી કહે છે, "દુર્ગા નામ, જેના દ્વારા હું જાણીતી છું, તે તેનું (રાધાનું) નામ છે. હું જે ગુણો માટે પ્રખ્યાત છું તે તેમના ગુણો છે. હું જે મહિમા સાથે ચમકી રહી છું તે જ તેની મહિમા છે. તે મહા-લક્ષ્મી, રાધા, કૃષ્ણથી અલગ નથી. તે તેની સૌથી પ્રિય પ્રેમિકા અને તેના પ્રિયજનોમાંની શિરોમણિ છે."
કૃપાલુ જી મહારાજે રાધાના ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું અને તેમના પ્રવચનો અને કીર્તનમાં રાધાનું ટૂંકું વર્ણન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, "તે સર્વોચ્ચ દેવી છે અને કૃષ્ણ સહિતના દરેક લોકો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે અને તેથી જ તેમને રાધા કહેવામાં આવે છે, જેનો અર્થ - "જે પૂજાનું સ્વરૂપ છે તે" એવો થાય છે.
રાધિકા એ ગોપી રાધાના પ્રિય સ્વરૂપનો ઉલ્લેખ કરે છે.
રાધા અને કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, ચંડીદાસ અને વૈષ્ણવની અન્ય પરંપરાઓમાં મંદિરોનું કેન્દ્ર છે. તે સામાન્ય રીતે રાધાને કૃષ્ણની બાજુમાં ઊભેલી બતાવવામાં આવી છે. કેટલાક મહત્વપૂર્ણ રાધા મંદિરો આ મુજબ છે:
એક બાજુ રાધા ઘણા સંપ્રદાયોમાં પૂજનીય છે તો બીજી બાજુ ઘણા લોકો રાધા ને કાલ્પનિક પાત્ર માને છે. કારણ કે કોઈ પણ પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ મળતો નથી. રાધાનો પ્રારંભિક ઉલ્લેખ ઉત્તરકાલીન ગ્રંથો અને કાવ્યોમા મળવાનો શરૂ થાય છે. પ્રસિદ્ધ વિદ્વાન કે. કા. શાસ્ત્રી મુજબ રાધા કવિઓની કલ્પના માત્ર છે. ભારતમાં રામાનુજ વગેરે ઘણા સંપ્રદાયો પણ રાધાની નિંદા કરે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા-કૃષ્ણના પ્રણયપ્રસંગોને લીધે વર્તમાનમાં ઘણા હિન્દુઓ અને બીજા ધર્મના લોકો રાધાનો વિરોધ કરી રહ્યા છે. જોકે રાધાના ઐતિહાસિક અસ્તિત્વ વિશેનું પ્રમાણ સંશોધન માંગી લે તેવો વિષય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article રાધા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.