યશવંત નાથાલાલ કડીકર, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ (૧૨-૫-૧૯૩૪) : નવલકથાકાર.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક.
એમની પાસેથી ‘નીલ ગગનનો તારો’ (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત’ (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન’ (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો’ (૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા’ (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ’ (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ’ (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’ (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article યશવંત કડીકર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.