શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે.
અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.
શામળાજી | |
---|---|
મંદિર સંકુલ - બાજુ પરથી દેખાવ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | અરવલ્લી જિલ્લો |
દેવી-દેવતા | શ્યામ રંગના વિષ્ણુ અથવા કૃષ્ણ શામળાજી |
તહેવારો | કાર્તિક પૂર્ણિમાના દિવસે વાર્ષિક મેળો |
સ્થાન | |
સ્થાન | શામળાજી |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°41′17″N 73°23′13″E / 23.68806°N 73.38694°E |
સ્થાપત્ય | |
પૂર્ણ તારીખ | ૧૧મી સદી |
શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, બટાકાં, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
શામળાજી નજીક શ્યામલ વન આવેલ છે, જેમાં વિવિધ જાતનાં વૃક્ષો જોવા મળે છે. શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે. શ્યામલ વન નું કામ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્યામલ વન એ પ્રાચીન શામળાજીના કરમાં બાઈ તળાવમાં બાંધવામાં આવ્યું છે. શામળાજીમાં નાગધરા તરીકે પ્રખ્યાત વાંઘું છે. જ્યાં કાળી ચૌદસ ના દિવસે લોકો ત્યાં સ્નાન કરવા માટે આવે છે.
શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મૂળ મંદિર પાંચસોથી આઠસો વર્ષ ટકેલું અને ત્યારબાદ પંદરમી-સોળમી સદીની ઓળખ આજના મંદિરને મળે છે. અલબત્ત, ઠાકોરજીની પ્રતિમા સાતમી આઠમી સદીની ગણાય છે. ઉત્તરાભિમુખ છે. તેની જગતીનો ભાગ વિશાળ છે. મંદિરના તોરણવાળા પ્રવેશદ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે. જે લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઉંચી છે. આ ચતુર્ભૂજ વિષ્ણુપ્રતિમાની સામે ગરુડમૂર્તિ આવેલી છે. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર. મંદિરની દિવાલો દેવીદેવતાઓની મૂર્તિઓ, માનવી-પ્રાણીઓ તથા ફૂલવેલની આકૃતિઓના શિલ્પોથી કોતરાયેલી છે. આ શિલ્પશ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો ઈન્દ્ર, અજ્ઞિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઈન્દ્રાણી વગેરેની મૂર્તિઓ જોવા મળે છે. મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે. આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે. મંદિરમાંથી મળી આવેલાં તાંબાના પતરા પરના બે લેખો પરથી મંદિરનો જિર્ણોદ્ધાર ૧૭૬૨માં થયાનું જાણ થાય છે. જેમાં ૧૭૬રમાં ટિંટોઈના ઠાકોરે કરાવેલ જિર્ણોધ્ધારનો ઉલ્લેખ છે. આ બન્ને શિલાલેખોમાં મંદિર દેવનું નામ ગદાધર ' લખાયેલું છે જે વિષ્ણુ, કૃષ્ણ અને શામળાજીનું મિશ્ર નામ છે.
શામળાજીથી ૨ કિ.મી.ના અંતરે આવેલા દેવની મોરી તરીકે ઓળખાતા સ્થળ પરથી ક્ષત્રપકાલીન સ્તૂપ અને વિહાર મળી આવેલાં છે. આ અવશેષો આ સ્થાનને બૌદ્ધયુગનું મહત્વનું કેન્દ્ર હોવાનું સૂચવે છે.
શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ ને દિવસે ભરાય છે. મેળાની શરુઆત દેવઊઠી અગિયારસથી શરુ થાય છે. આ મેળો ત્રણ અઠવાડિયાં ચાલે છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !'
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article શામળાજી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.