મીરાંબાઈ: કૃષ્ણભક્ત મધ્યયુગીન કવિયત્રી

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે.

આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈ ના પદો વ્રજ નો ઉપરાંત હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષામાં મળે છે.

મીરાંબાઈ
મીરાંબાઈ: જીવન, મીરાંબાઈના ગુરુ, સર્જન
જન્મ૧૪૯૮ Edit this on Wikidata
કુડકી Edit this on Wikidata
મૃત્યુ૧૫૪૬, ૧૫૪૭ Edit this on Wikidata
વ્યવસાયકવિ, લેખક Edit this on Wikidata
જીવન સાથીભોજ રાજ Edit this on Wikidata
મીરાંબાઈ: જીવન, મીરાંબાઈના ગુરુ, સર્જન
મીરાનું કૃષ્ણ મંદિર, ચિત્તોડ કિલ્લો.

જીવન

મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.

મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.

પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા.

મીરાંબાઈના ગુરુ

ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસ ઉલ્લેખ કરેલો છે.

સર્જન

મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

  • નરસિંહ રા માહ્યરા
  • ગીત ગોવિંદ ટીકા
  • રાગ ગોવિંદ
  • રાગ સોરઠ કે પદ

આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મીરાંબાઈ જીવનમીરાંબાઈ ના ગુરુમીરાંબાઈ સર્જનમીરાંબાઈ સંદર્ભમીરાંબાઈ બાહ્ય કડીઓમીરાંબાઈકૃષ્ણગુજરાતીમારવાડી ભાષાવ્રજ ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતની નદીઓની યાદીઆવળ (વનસ્પતિ)મહિષાસુરગૌતમ અદાણીમહેસાણાક્રિકેટમુંબઈકચ્છનો ઇતિહાસલોકમાન્ય ટિળકપરશુરામકુદરતભદ્રનો કિલ્લોભગત સિંહમટકું (જુગાર)સોનુંમોરબી જિલ્લોઆનંદીબેન પટેલબારોટ (જ્ઞાતિ)લાલ બહાદુર શાસ્ત્રીપ્રથમ વિશ્વ યુદ્ધમહાત્મા ગાંધીનું કુટુંબમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપ્રાણીવસુદેવલીચી (ફળ)યોગ (મનોશારીરીક જીવનશૈલી)ગુજરાતજીસ્વાનરવીન્દ્ર જાડેજાપટેલભારતીય સ્વતંત્રતા ચળવળજલિયાંવાલા બાગ હત્યાકાંડખરીફ પાકગુદા મૈથુનવાઘજામનગરકેન્સરમદ્યપાનસ્વાઈન ફ્લૂસાંચીનો સ્તૂપહાફુસ (કેરી)ગુજરાતના લોકમેળાઓસમાનાર્થી શબ્દોસૂર્યવંશીખોડિયારવર્તુળનો પરિઘશિવાજીભરતનવોદય વિદ્યાલયપ્રિયંકા ચોપરાપાટણનવસારીગરબામહુડોખાંટ રાજપૂતહમ્પીઝાલાકેરીગુજરાત સાહિત્ય અકાદમીશીતળાલાભશંકર ઠાકરચાણક્યભગવદ્ગોમંડલધરતીકંપકંપની (કાયદો)ગુજરાત મેટ્રોવિશ્વ વેપાર સંગઠનઇડર રજવાડુંઇડરઉધઈઔરંગઝેબગુજરાતી લોકોકરીના કપૂરભારતીય જનતા પાર્ટીનક્ષત્રસમઘનગુપ્ત સામ્રાજ્ય🡆 More