બધિરતા અથવા બહેરાશ (deafness) એક સામાન્ય બીમારી છે.
આ બીમારીમાં વ્યક્તિની સાંભળવાની શક્તિ ઘટી જાય છે અને આવી સ્થિતિમાં સામાજીક અને માનસિક રીતે વ્યક્તિને તકલીફો પડે છે. જ્યારે ધ્વનિનું સર્જન થાય છે ત્યારે હવામાં કંપન થાય છે અને આવા કંપનો કાનના પડદા સુધી પહોચે છે અને ત્યાં રહેલા ખાસ હાડકાઓ મેલિયસ, ઇન્કસ તથા સ્ટેપીજ દ્વારા કાનની અંદર પહોચી સાંભળવાની નસ સુધી પહોચે છે અને છેવટે મગજ સુધી ધ્વનિનો સંદેશ પહોચે છે. હવે જો આ ધ્વનિને મગજ સુધી પહોચવામાં અવરોધ ઊભો થાય અને તે કાનના પડદા અથવા હાડકા સુધીજ સીમિત રહે તો તેને કન્ડક્ટિવ ડેફનેસ એટલે કે ધ્વનિવાહકતાની ખામી પ્રકારની બહેરાશ કહે છે. અને જો તે સાંભળવાની નસમાં પહોચે અને તે નસમાં તકલીફ હોય તો તેને સંવેદના ચેતાતંત્રીય બહેરાશ (સેન્સરી ન્યૂરલ ડેફનેસ) કહેવામાં આવે છે.
બધિરતા | |
---|---|
ખાસિયત | Otolaryngology |
ઢાંચો:Diseases of the ear and mastoid process
This article uses material from the Wikipedia ગુજરાતી article બધિરતા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.