બાઇબલ મુજબસાત ઘોર પાપ, કે જે ગંભીર પાપ અથવા કાર્ડીનલ પાપ તરીકે ઓળખાય છે તે, સૌથી વધુ વાંધાજનક ગંભીરદોષનું વર્ગીકરણ છે કે જે પ્રારંભના ક્રિશ્ચિયન સમયથી શિષ્યોને પાપમાં પડવાની માનવી વૃતિની અનૈતિકતા સામે શિક્ષિત કરવા ઉપદેશ આપવામાં ઉપયોગમાં લેવાય છે.
તેની સુચિના આખરી સ્વરૂપમાં સમાવેશ છે ક્રોધ, લોભ આળસ, ગર્વ, વાસના, ઇર્ષા અને ખાઉધરાપણું.
કેથોલીક ચર્ચે પાપને બે મુખ્ય કક્ષામાં વહેંચ્યો છે: “ક્ષમ્ય કે નજીવા પાપ” જે પ્રમાણમાં હળવા છે અને ચર્ચની ધાર્મિક વિધિઓ (સાત વિધિઓ) કે તેમાંની એક કરીને માફ કરી શકાય છે અને વધુ "ગંભીર" કે ભયંકર પાપ. ભયંકર પાપ મોહકતાની જીંદગીનો નાશ કરે છે અને પેનાન્સની ચર્ચની વિધિ દ્વારા કે પ્રાયશ્ચિત કરનાર દ્વારા સંપુર્ણ પસ્તાવા દ્વારા તેનો નાશ ન કરાય તો શાશ્વત નરકની સજાનો ભય ઊભો કરે છે.
14 મી સદીના પ્રારંભમાં તે વખતના યુરોપીયન કલાકારોમાં મુખ્ય વિષય તરીકે આ સાત ઘોર પાપની લોકપ્રિયતાએ, કેથોલીક સંસ્કારના ઘણા ક્ષેત્રોમાં તથા કેથોલીક માન્યતામાં એકંદર દુનિયાભરમાં ઊંડી જડ નાંખવામાં મદદ કરી હતી. આવી એક ઊંડી જડ હતી આ સાત ઘોર પાપના લેટીન ભાષાના પ્રથમાક્ષરો સુપર્બીયા, એવેરીટીયા, લુક્ષુરીયા, ઇન્વીડીયા, ગુલા, ઇરા, અકેડીયા ના આધારે સ્મરણશક્તિના "સેલીજીયા"ની રચના હતી.
બુક ઓફ પ્રોવર્બ્સમાં, ખાસ કરીને ઇશ્વરને અણગમો છે તેવી છ બાબતો અને સાતમો તેના આત્માને જે ગમતી નથી તે બાબત દર્શાવી છે જેના નામ નીચે મુજબ છે.
આમાં સાત હોવા છતા તે પરંપરાગત યાદી કરતા ઘણું અલગ છે, બંને તરફ સમાન હોય તેવું પાપ માત્ર ગર્વ છે. બીજી ખરાબ વસ્તુની યાદી, આ વખતે જે એપિસ્ટલ દ્વારા ગેલેશિયન્સને આપવામાં આવી હતી તેમાં પરંપરાગત સાત પાપના વધારે પાપ સમાવેશ કરે છે, જો કે યાદી ઘણી લાંબી છે: વ્યભિચાર, અપરિણત સ્ત્રી-પુરૂષનો દેહસંબંધ, અસ્વચ્છતા, કામાતુરતા, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, તિરસ્કાર, અણબનાવ, સ્પર્ધાત્મકતા, ગુસ્સો, કજિયો, રાજદ્રોહ, પાખંડ, ઈર્ષ્યા, ખૂન, દારૂડિયાપણું, ખાઈ-પીને મસ્તી કરવી "અને તેના જેવા".
પ્રોર્વબ્સ 6:16-24 પ્રોર્વબ્સ 6
સાત ઘોર પાપોની આધુનિક વિભાવના, 4થી સદીના સંતઈવાગ્રિયસ પોન્ટિકસના કામો સાથે જોડાયેલી છે, જેમણે ગ્રીકમાં દુષ્ટ વિચારો ની યાદી કરી હતી જે નીચે મુજબ છે:
તેનું ભાષાંતર લેટિનમાં કેથલિક સ્પિરિટયુલ પાઈટાસમાં (અથવા કેથલિક ઉપાસનાઓમાં) નીચે મુજબ કરવામાં આવ્યું હતું:
આ ’દુષ્ટ વિચારોને’ ત્રણ જૂથમાં વિભકત કરી શકાય:
ઈ.સ. 590 માં એવાગ્રિયસના થોડાક વર્ષો બાદ, પોપ ગ્રેગરી 1 દ્વારા આ યાદી સુધારવામાં આવી અને વધુ સામાન્ય સાત ઘોર પાપો ની યાદી બનાવી, જેમાં દુ:ખ/નિરાશા ને ધર્મ પ્રત્યેની ઉદાસીનતા માં અને બડાઈખોર ને અભિમા નમાં આવરી લીધા અને અતિશય ખર્ચાળપણું તથા ઈર્ષ્યા ને ઉમેરીને યાદીમાંથી અપરિણિત સ્ત્રી-પુરૂષ દેહસંબંધ ને કાઢી નાખવામાં આવ્યું. પોપ ગ્રેગરી અને દાંતે અલિધિએરીએ તેના મહાકાવ્ય ધ ડિવાઈન કોમેડી માં વાપરેલ ક્રમમાં સાત ઘોર પાપ નીચે પ્રમાણે છે:
તેમના ઇતિહાસ દરમિયાન સાત ઘોર પાપોની ઓળખ અને વ્યાખ્યા એક પ્રવાહી પ્રક્રિયા રહી છે અને સાતેય પાપોમાં જે વિચાર ખરેખર આવરી લેવામાં આવ્યો છે તેમાં સમય જતા વિકાસ થયો છે. વધુમાં સિમેન્ટિક (ભાષા વિજ્ઞાનની શાખા) પરિવર્તનને પરિણામે:
દાન્તેએ આ સુધારેલ યાદીનો ઉપયોગ કર્યો છે. (આમ છતાં અતિશય ખર્ચાળપણાને બાકાત નથી કર્યા - દાન્તેએ સ્વર્ગના ચોથા સર્કલમાં નિરર્થકને સજા પામેલ રૂપે રાખેલ છે). સિમેન્ટિક પરિવર્તનની પ્રક્રિયાને એ હકિકતથી સહાય મળી છે કે બાઈબલે પોતે, ક્યાં તો જોડનાર કે સાંકેતિક ઢબે, સામૂહિક વ્યકિતત્વના લક્ષણોનો સામૂહિક રીતે ઉલ્લેખ કર્યો નથી; આના બદલે અન્ય સાહિત્યિક અને ધર્મવિષયક પુસ્તકોની વ્યાખ્યા તારવી શકાય તેવાં સ્ત્રોતો તરીકે ચર્ચાવિચારણા થાય છે. દાન્તેની ડિવાઈન કોમેડી ના પુર્ગાટોરિયા નો ભાગ 2 લગભગ ચોક્કસપણે નવજાગૃતિના સમયકાળથી સૌથી ઉત્તમ જાણીતો સ્ત્રોત બની રહયો છે.
આધુનિક રોમન કેથલિક કેટકિસમ પાપોની યાદી કરે છે, "અભિમાન, લોભ લાલચ, ઈર્ષ્યા, ક્રોધ, કામાતુરતા, ખાઉધરાપણું અને ધર્મ પ્રત્યે સુસ્તી/ઉદાસીનતા . હવે દરેક સાત ધોર પાપો સામે વિરુધ્ધ આનુષંગિક પવિત્ર સાત ગુણો પણ છે. (કેટલીકવાર તેનો વિરુધ્ધ ગુણો તરીકે પણ ઉલ્લેખ થાય છે). આ પાપોના સમાંતર ક્રમમાં તેઓની વિરુધ્ધના સાત પવિત્ર ગુણો છે, નમ્રતા, સખાવત, દયા, ધીરજ, પવિત્રતા, સંયમ અને ખંત.
અતિશય ખર્ચાળપણું એટલે અનિયંત્રિત આત્યંતિકતા. અતિશય ખર્ચાળપણાની વર્તણુંકમાં મોજશોખની વસ્તુઓની વારંવાર ખરીદીનો અને વિલાસિતાના સ્વરૂપોની ખરિદીનો સમાવેશ થાય છે. રોમાન્સની ભાષાઓમાં, લક્ષેરિયા તે સમાનાર્થીમાંથી (પાપનું લેટિન નામ) ઉદ્દભવ્યું છે, જેનો સંપૂર્ણતયા સેકસ્યુઅલ અર્થ થાય છે; જેથી ફ્રેન્ચ મૂળ સમાનાર્થી અંગ્રેજીમાં લક્ષરી તરીકે અપનાવામાં આવ્યો, પરંતુ 14મી સદી સુધીમાં તેનો સેકસને લગતો અર્થ નાશ પામ્યો.
કામાતુરતા અથવા લેચેરી(કાર્નલ "લક્ષેરિયા ") સામાન્યપણે સેકસ્યુઅલ પ્રકૃત્તિના અતિશય વિચારો કે ઈચ્છાઓ તરીકે વિચારાય છે. એરિસ્ટોટલનું ધોરણ હતું, બીજાઓ પ્રત્યેનો અતિશય પ્રેમ , જેથી તેમનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠા ગૌણ-દ્વિતિય ક્રમે ગણાતો હતો. દાંતેના પુર્ગાટોરિયા માં, પસ્તાવો કરનાર પોતાનો કામપૂર્ણ, લૈંગિક વિચારો અને લાગણીઓ શુધ્ધ કરવા જવાળાઓમાં થઈને ચાલે છે. દાંતેના "ઈન્ફર્નો" માં કામતુરતાના પાપના માફ ન કરાયેલ આત્માઓ પવનની જેમ જંપીને ન રહેતા વાવાઝોડામાં ઊડી જાય છે, જે ભૌતિક જીવનમાં પોતાના કામપૂર્ણ આવેશો પર તેમના પોતાના નિયંત્રણના અભાવના પ્રતીકરૂપ છે.
લેટિન શબ્દ ગ્લુટિર પરથી વ્યુત્પન્ન થયેલો શબ્દે, જેનો અર્થ છે ઉતાવળથી કોળિયા ઉતારી જવા કે ગળી જવા.ખાઉધરાપણું (લેટિન [gula] Error: {{Lang}}: text has italic markup (help)- એટલે બગાડના મુદ્દે કોઈપણ વસ્તુમાં અતિશય અસંયમ અને અતિશય ઉપભોગ. ખ્રિસ્તી ધર્મમાં તેને પાપ ગણાય છે, કારણ કે ખોરાકની આત્યંતિક ઈચ્છા, અથવા જરૂરીયાતમંદ પાસેથી તેનો ઉપયોગ અટકાવવાને પાપ ગણવામાં આવે છે.
સંસ્કૃતિ પર આધાર રાખીને, તેને દુર્ગુણ કે દરજ્જાની નિશાની તરીકે જોઈ શકાય. જયાં અન્નની પ્રમાણમાં અછત હોય ત્યાં સારી રીતે ખાઈ શકાય તે અભિમાન લેવા જેવી કોઈક વસ્તુ બને. પરંતુ જે વિસ્તારમાં રાબેતા મુજબ વિપુલ માત્રામાં હોય ત્યાં, તેના અતિશય ભોગ ભોગવવાની લાલચનો પ્રતિકાર કરવો એ આત્મસંયમની નિશાની ગણી શકાય. મધ્યકાળના ચર્ચના અગ્રણીઓએ (દા.ત. થોમસ એકિવનસ) ખાઉધરાપણાનો એક ખૂબ વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો, તેમણે દલીલ કરી કે તેમાં ભોજનનું વળગેલી અપેક્ષા, અને સ્વાદિષ્ટ તથા અતિશય કીમતી આહાર સતત ખાવાનો સમાવેશ થાય છે. એકિવનસે ખાઉધરાપણું આચરવાના છ માર્ગોની યાદી તૈયાર કરી, જેમાં સમાવિષ્ટ છે:
લોભ (લેટિન, [avaritia] Error: {{Lang}}: text has italic markup (help)), જેને લાલચ કે લાલસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કામાતુરતા અને ખાઉધરાપણાની જેમ અતિશયતાનું પાપ છે. આમ છતાં લોભ (ચર્ચ દ્વારા જોવામાં આવે છે તે પ્રમાણે) તે ધન, દરજ્જો અને સત્તાના ખૂબ આત્યંતિક કે બેહદ લોભપૂર્ણ ઈચ્છા અને તેની મેળવવાની શોધ છે. સંત થોમસ એકિવનને લખ્યું હતું કે લોભ એ "ઈશ્વર સામેનું, બધા નશ્વર પાપોની જેમ પાપ છ, જેને માણસ ભૌતિક વસ્તુઓ ખાતર શાશ્વત વસ્તુઓને વખોડે છે." દાંતેના પુર્ગાટોરિમાં પસ્તાવો કરનારાઓને પાર્થિવ વિચારો પર અતિશય ધ્યાન આપવા બફલ બાંધીને ભૂમિ પર મોં નીચું રાખીને સુવાડવામાં આવ્યા હતા. "લાલચ" એ વિશેષ તો ઢાંકપિછોડ કરનાર શબ્દ છે, જે લોભી વર્તણુંકના બીજા અનેક ઉદાહરણોનું વર્ણન કરી શકે છે. આમાં ખાસ કરીને વ્યકિતગત લાભ માટે રાજદ્રોહ, જાણીબુઝીને બેવફાઈ, છેતરપિંડી[સંદર્ભ આપો]નો સમાવેશ થાય છે, ખાસ કરીને વ્યક્તિગત લાભ માટે, ઉદાહરણ તરીકે રુશ્વત મારફત. વસ્તુઓ શોધવી[સંદર્ભ આપો]અને માલસામાન કે પદાર્થોના સંગ્રહ કરવો ખાસ કરીને હિંસા, યુકિત પ્રયુકિત કે સત્તાના દુરૂપયોગ દ્વારા ચોરી અને લૂંટ, આ તમામ કૃત્યો લોભ દ્વારા પ્રેરિત થાય છે. આવાં દુષ્કૃત્યોમાં ચર્ચાનો વેપાર માટે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે, જયાં વ્યકિત ચર્ચની અંદર ખરેખરી સરહદની અંદર માલ પ્રાપ્ત કરીને નફો કરે છે.
ધર્મ પ્રત્યે ઉદાસીનતા (લેટિન, [acedia] Error: {{Lang}}: text has italic markup (help)) (ગ્રિક ακηδία માંથી) એટલે વ્યકિતએ જેની સંભાળ રાખવી જોઈએ તે પ્રત્યે બેકાળજી. તેનું આનંદરહિત હતાશા; ઉદાસીન નીરસતામાં ભાષાંતર કરાય છે. તે ખિન્નતા જેવી છે, જો કે ધર્મ પ્રત્યે ઉદાસીનતા ના વર્તનનું વર્ણન કરે છે, જયારે ખિન્નતા , તેનું નિર્માણ કરતી લાગણી સૂચવે છે. પ્રારંભિક ખ્રિસ્તી વિચારણામાં આનંદના અભાવને, ઈશ્વરના સારાપણાને તથા ઈશ્વરે સર્જેલી દુનિયાનો ઈરાદાપૂર્વકનો ઈન્કાર ગણવામાં આવતો; તેથી વિરુધ્ધ, ઉદાસીનતાને જરૂરીયાતના સમયે બીજાઓને મદદ કરવાનો ઈન્કાર ગણવામાં આવતો..
થોમસ એકિવનસ એ ધર્મ પ્રત્યે ઉદાસીનતા ને યાદીનું તેનું અર્થઘટન કર્યું ત્યારે તેઓએ તેનું મનની બચેની તરીકે વર્ણન કર્યું છે, કેમ કે અશાંતિ અને અસ્થિરતા જેવા હળવા પાપો માટેના તે પૂર્વજો છે. દાંતેએ આ વ્યાખ્યામાં વધુ સુધારો કરીને ઉદાસીનતાનું વ્યકિતએ પૂરા હૃદયથી પૂરા મનથી અને પૂરા આત્માથી ઈશ્વરને પ્રેમ કરવાની નિષ્ફળતા તરીકે વર્ણન કર્યું છે; તેના મતે તે મધ્યમ પાપ છે, જેનું વર્ણન પ્રેમનો અભાવ કે અપૂરતા પ્રેમ દ્વારા જ કરાય.
નિરાશા (લેટિન, [Tristitia] Error: {{Lang}}: text has italic markup (help)) આ સંદર્ભમાં નિરાશા એ આત્મહત્યાનું અવિચારી કારણ છે. નિરાશા, વિષાદ અને માથે તોળાઈ રહેલ નિયતિને લગતી લાગણીઓ એ ખિન્નતાની સ્થિતિ જેવી ન હતી. "માણસ નિરાધાર હોય તો તેને આશ્વાસન આપો. તેને શારીરિક દુખ હોય તો દવા આપો. જો તેને મૃત્યુની ઇચ્છા હોય, તો તેને આશા આપો. કારણ, ઉત્સાહ અને શ્રધ્ધા, આશા પેદા કરે છે, તેથી તેઓનો ઉદારતાથી ઉપયોગ કરો." ફ્રાન્સિસ ઓફ અસિસિ ખિન્નતા/દુ:ખનું પરિણામ ઉદાસીનતામાં આવતું હોવાથી પોપ ગ્રેગરીની યાદીની સુધારણા નિરાશા ને ધર્મ પ્રત્યે ઉદાસીનતા ની કોટિમાં મૂકે છે.
ધીમે ધીમે ધ્યાન કારણને બદલે ઉદાસીનતાના પરિણામો તરફ કેન્દ્રિત થઈ રહયું છે, અને તેથી, 17 મી સદી સુધીમાં ઉલ્લેખ કરાયેલ ચોક્કસ ઘોર પાપ ને વ્યકિતની પ્રતિભા અને બક્ષિસનો ઉપયોગ કરવાની નિષ્ફળતા હોવાનું માનવામાં આવતું હતું. [સંદર્ભ આપો]વ્યવહારમાં તે ધર્મ પ્રત્યે ઉદાસીનતા કરતાં સુસ્તી (લેટિન, [Socordia] Error: {{Lang}}: text has italic markup (help))ની વધુ નજીક આવતું હતું. દાંતેના સમયમાં પણ આ પરિવર્તનની નિશાનીઓ હતી; તેમના પુર્ગાટોરિયો માં તેમણે સુસ્તીને માટે તપશ્ચર્યાને ટોચની ઝડપે સતત દોડનાર તરીકે વર્ણન કર્યું હતું. આધુનિક અભિપ્રાય આગળ વધે છે, જેમાં વસ્તુના કેન્દ્ર સ્થાને પાપ તરીકે પ્રસાદ અને ઉદાસીનતા છે. આ વધુ હેતુપૂર્વકની નિષ્ફળતાની વિરુધ્ધ છે, ઉદાહરણ તરીકે ઈશ્વરને અને તેનાં કામોને ચાહવાથી, સુસ્તી ઘણીવાર બીજાં પાપો કરતાં ઠીક ઠીક પ્રમાણમાં ઓછા ગંભીર પાપ તરીકે જોવામાં આવે છે, વિશેષમાં, કાર્ય કરવા કરતાં કાર્ય ચૂકવવાનું પાપ.
ક્રોધ (લેટિન, [ira] Error: {{Lang}}: text has italic markup (help)), જે ગુસ્સા અથવા "ક્રોધાવેશ" તરીકે પણ જાણીતો છે, તેને ધિક્કાર અને ગુસ્સાની અવિચારી અને અનિયંત્રિત લાગણીઓ તરીકે વર્ણવી શકાય. ગુસ્સો એવા શુધ્ધ સ્વરૂપમાં, સ્વ-વિનાશ, હિંસા અને તિરસ્કાર સાથે રજૂ થાય છે, જે એવા હાડવેરને ઉત્તેજન આપે છે, જે સૈકાઓ સુધી ચાલુ રહી શકે છે. ગુસ્સો, જે વ્યકિત બીજા તરફ ગંભીર ખોટું કૃત્ય કરે તે મૃત્યુ પામે ત્યારપછી પણ લાંબો સમય ચાલુ રહી શકે. "તેની હકિકતમાં રૂઝ આવવામાં દશ પેઢીઓ પસાર થઇ જાય છે. સમય જતા આપણે, આખુંય વિશ્વ અંધ અને દંતહીનતામાં સમેટાશે એવા ભયથી ’આંખ માટે આંખ અને દાંત સામે દાંતની’ માગણીનો અંત આણીશું..." મહાત્મા ગાંધી
ગુસ્સાની લાગણીઓ અધીરાઈ, બદલો અને સાવધતા સહિત અનેક રીતે વ્યકત થઈ શકે છે.
ક્રોધ એ એકમાત્ર પાપ એવું છે, જે સ્વાર્થીપણા કે સ્વ-હિત સાથ આવશ્યકપણે સંકળાયેલ નથી. (જો કે વ્યકિત સ્વાર્થના કારણસર ક્રોધી બને શકે, જેમ કે ઈર્ષ્યા, જે અદેખાઈના પાપ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે) દાંતે વેરને "બદલા તથા દ્વેષના કુમાર્ગે વળેલ ન્યાય ના પ્રેમ" તરીકે વર્ણવે છે. તેના મૂળ સ્વરૂપમાં, ક્રોધના પાપમાં પણ બાહયને બદલે વિશેષ આંતરિક તરફ નિર્દેશિત ગુસ્સાને આવરી લે છે. આમ આત્મહત્યા, એ આખરી, જો કે કરુણ, આંતરિક રીતે નિર્દેશિત ક્રોધની અભિવ્યકિત છે, ઈશ્વર દ્વારા આપવામાં આવેલ બક્ષિસ નો આખરી ઈન્કાર છે.
લોભની જેમ ઇર્ષ્યા (લેટિન, [invidia] Error: {{Lang}}: text has italic markup (help)) ને સંતોષી ન શકાય તેવી ઈચ્છા દ્વારા વર્ણવી શકાય; જો કે તે બે મુખ્ય કારણોસર અલગ પડે છે. પ્રથમ, લોભ મહદંશે ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલ છે, જયારે ઈર્ષ્યા વિશેષ સામાન્યપણે લાગુ પાડી શકાય છે. બીજું, જેઓ ઈર્ષ્યાનું પાપ કરે છે તેઓને ગુસ્સો આવે છે કે બીજી વ્યકિત પાસે કોઈક વસ્તુ છે, જેનો તેમની પાસે અભાવ છે, અને ઈચ્છે છે કે તે વ્યકિત પણ તેનાથી વંચિત થાય. દાંતેએ આની વ્યાખ્યા, "બીજી વ્યકિતને તેમની વસ્તુઓથી વંચિત કરવાની ઇચ્છા" એમ કરે છે. ઈર્ષ્યા સીધે સીધી ટેન કમાન્ડમેન્ટ્સ સાથે સંબંધિત કરી શકાય છે, ખાસ કરીને "તમારા પડોશી પાસે હોય તે કોઈપણ વસ્તુની... તમે ઈચ્છા કરશો નહીં." દાંતેના પુર્ગાટોરિમાં ઈર્ષ્યાવાળા માણસો માટેની સજા, તેમની આંખોને તારથી સીવી લેવાની છે, કારણ કે તેઓએ બીજાઓ નીચે આવે તે જોવાનો પાપપૂર્ણ આનંદ મેળવ્યો છે. એકિવનસે ઈર્ષ્યાનું "અન્યના સારા માટે થતું દુખ" તરીકે વર્ણન કર્યું હતું.
લગભગ તમામ યાદીમાં અભિમાન (લેટિન, [superbia] Error: {{Lang}}: text has italic markup (help)) કે હુબરિસ , સાત ઘોર પાપોમાં મૂળ અને સૌથી ગંભીર પાપ ગણવામાં આવ્યું છે, અને અલબત્ત બીજાઓના ઉદ્ભવ માટે જે સૌથી ઉત્તમ સ્ત્રોત છે. તેની ઓળખ, અન્ય કરતાં વધુ મહત્વપૂર્ણ કે આકર્ષક દેખાવાની ઈચ્છા, બીજાના સારા કામને સ્વીકારવામાં નિષ્ફળતા, અને જાત પ્રત્યે અનહદ પ્રેમ (ખાસ કરીને ઈશ્વર પ્રત્યેની યોગ્ય સ્થિતિમાંથી જાતને બહાર કાઢવી) છે. દાંતેની વ્યાખ્યા હતી "જાત માટેનો પ્રેમ તેના પાડોશી પ્રત્યેના ધિક્કાર અને તિરસ્કાર તરફ વળવો." જેકબ બિડરમેનના મધ્યકાળના ચમત્કારપૂર્ણ નાટક સેનોડોક્સ સમાં અભિમાન એ તમામ પાપો પૈકીનું સૌથી ઘોર પાપ છે અને તે સીધેસીધા પેરિસિયન નામધારી પ્રખ્યાત ડોકટરની દૂર્ગતિ તરફ દોરી જાય છે. કદાચ વધુ જાણીતા ઉદાહરણમાં લ્યુસીફરની વાર્તામાં, અભિમાન (ઈશ્વર સાથે સ્પર્ધા કરવાની તેની ઈચ્છા) ને કારણે તેનું સ્વર્ગમાંથી પતન થાય છે, અને પરિણામે, તે શેતાનમાં પરિણમ્યો. દાંતેની ડિવાઇન કોમેડી માં પસ્તાવો કરનારાઓને તેમના પીઠ પર પથ્થરની શિલાઓ ઉપાડીને ચાલવા દબાણ કરાયું હતું જેથી નિરાભિમાનની લાગણીઓ પેદા થાય.
બડાઈખોરી (લેટિન, [vanagloria] Error: {{Lang}}: text has italic markup (help)) એટલે વિનાકારણ ડંફાશ મારવી. પોપ ગ્રેગરીના મતે તે અભિમાનનું એક સ્વરૂપ હતું, તેથી તેને બડાઈખોરી ને, પાપની તેમની યાદીમાં અભિમાનમાં સમાવેશ કર્યો. લેટિન શબ્દ ગ્લોરિયા નો અંદાજે અર્થ બડાઈ મારવી તેવો થાય છે, જો કે તેનો અંગ્રેજી સમાનાર્થી શબ્દ ગ્લોરી સંપૂર્ણતયા હકારાત્મક અર્થ ધરાવે છે; ઐતિહાસિક રીતે બડાઈ એટલે નિરર્થક , પરંતુ 14મી સદી સુધીમાં અપ્રસ્તુત ચોકસાઈનો, મજબૂત અહંપ્રેમનો હળવો ઓપ આપ્યો, જેનો તે આજે ઉપયોગ કરે છે. આ સિમેન્ટીક પરિવર્તનોને પરિણામે, બડાઇખોરી શબ્દ ભાગ્યે જ વપરાતો શબ્દ બન્યો, અને તેનું હાલમાં સામાન્યપણે લડાઈ ના ઉલ્લેખ તરીકે અર્થઘટન કરાય છે (આધુનિક અહંપ્રેમના અર્થમાં).
રોમન કેથોલિક ચર્ચ સાત ગુણોને પણ સ્વીકારે છે, જે સરેક સાત ઘોર પાપો સામે વિરુદ્ધાર્થી સંલગ્ન થાય છે.
દુર્ગુણ | લેટિન | ગુણ | લેટિન |
---|---|---|---|
કામાતુરતા | લક્ષેરિયા | પવિત્રતા | કેસ્ટિટાસ |
ખાઉધરાપણું | ગુલા | મદ્યપાન નિષેધ | ટેમ્પેરેન્શિયા |
લોભ | અવારિશિયા | સખાવત | કેરિટાસ |
સુસ્તી | અકેડિયા | ખંત | ઇન્ડસ્ટ્રિયા |
ક્રોધ | ઇરા | ધીરજ | પેશન્શિયા |
ઇર્ષ્યા | ઇન્વિડિયા | દયા | હ્યુમાનિટાસ |
અભિમાન | સુપરબિયા | નમ્રતા | હ્યુમિલિટાસ |
ફાર્સી:شهوت،شكم پرستي،طمع،سستي،قهر،حسادت و فخر
1589 માં પીટર બિન્સફેલ્ડ એ, દરેક ઘોર પાપની સાથે રાક્ષસની જોડી કરી, જેઓ લોકોને પાપ સાથે સંકળાયેલ વસ્તુઓ તરફ આકર્ષિત કરતા. રાક્ષસોના બેન્સફિલ્ડના વર્ગીકરણ પ્રમાણે, જોડીઓ નીચે પ્રમાણે છે.
જેસ્યુટ વિદ્વાન, દ્વારા કરાવેલ 2009ના અભ્યાસ અનુસાર પુરૂષો દ્વારા એકરાર કરાતા સૌથી વધુ સામાન્ય ઘોર પાપો છે કામાતુરતા અને સ્ત્રીઓ માટે અભિમાન. એ બાબત સ્પષ્ટ નથી કે આ તફાવતો કાર્ય કરવાના જુદા જુદા પ્રમાણને કારણે હતા કે જેના પર "ગણતરી" કરાય અથવા કબૂલાત થાય તે અંગેના જુદા અભિપ્રાયોને કારણે હતા.
સાત ઘોર પાપો, લાંબા સમયથી, લેખકો અને કલાકારો માટે મધ્યકાલિન નીતિ કથાઓથી આધુનિક મેન્ગા શ્રેણીઓ અને વીડિયો રમતો સુધી પ્રેરણાનું સ્ત્રોત બનેલ છે.
કાર્લ મેનિન્જર એ 1973માં તેમના પુસ્તક વોટએવર બિકેમ ઓફ સિન માં દલીલ કરી હતી કે સાત ઘોર પાપોની પરંપરાગત યાદી અપૂર્ણ હતી; સૌથી વધુ આધુનિક નીતિશાસ્ત્રીઓ ક્રૂરતા અને અપ્રમાણિકતાનો સમાવેશ કરે છે અને કદાચ આને, ખાઉધરાપણા કે ઉદાસીનતા જેવાં કેટલાંક પરંપરાગત પાપો કરતાં વધુ ગંભીર તરીકે નિર્ધારિત કરશે.
એન્ડ્રુ કલ્બર્ટસને તેમના 1908ના પુસ્તક "હાઉ વન ઇસ નો ટુ બી" માં દલીલ કરી છે કે ઘોર પાપોમાં બે વધુ દુર્ગણો, ભય અને વહેમનો સમાવેશ કરવો જોઈએ. કલ્બર્ટસનના વર્ણનમાં ભયને આધુનિક માનસિક સ્થિતિ, ભ્રમણાત્મક વિકૃતિ ગણી છે, જયારે વહેમ એ "છળકપટ અને આધ્યાત્મિક વિશ્વાસ ધરાવતા માણસોને નાણાં આપવા સુધી, એવી વસ્તુઓની માન્યતા કે જે વ્યકિત સમજતો નથી."
એનિયાગ્રામ ઓફ પર્સનાલિટી સાત પાપો સાથે વધારાના બે "પાપો" છેતરપિંડી અને ભય નો સમન્વય કરે છે. એનિયાગ્રામના વર્ણનો પરંપરાગત ક્રિЉચયન અર્થઘટન કરતાં વ્યાપક છે અને તે સર્વાંગી નકશામાં રજૂ કર્યાં છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article સાત ઘોર પાપ (ખ્રિસ્તી ધર્મ), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.