અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.
જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.
અયોધ્યા | |
---|---|
શહેર | |
સમઘડી દિશામાં ઉપરથી: રામ કી પૈડી ઘાટ, અયોધ્યા ઘાટ, કનક ભવન મંદિર, વિજયરાઘવ મંદિર | |
અન્ય નામો: મંદિરોનું નગર | |
અક્ષાંશ-રેખાંશ: 26°48′N 82°12′E / 26.80°N 82.20°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | અયોધ્યા |
જિલ્લો | અયોધ્યા |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | ઋષિકેશ ઉપાધ્યાય, ભાજપ |
વિસ્તાર | |
• કુલ | ૭૯.૮ km2 (૩૦.૮ sq mi) |
ઊંચાઇ | ૯૩ m (૩૦૫ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૫,૮૯૦ |
• ગીચતા | ૭૦૦/km2 (૧૮૦૦/sq mi) |
ભાષા | |
• અધિકૃત | હિંદી |
• સ્થાનિક | અવધી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૨૪૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૫૨૭૮ |
વાહન નોંધણી | UP-42 |
વેબસાઇટ | ayodhya.nic.in, https://ayodhya.nic.in/ |
સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું. ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.
બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.
૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ અયોધ્યા ખાતે જન્મભૂમિ મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું. ફૈજાબાદ-ગોરખપુર હાઇવે પર 500-acre (2.0 km2) વિસ્તારમાં નવ્ય અયોધ્યા શહેરનું આયોજન થયું છે. વર્ષ ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામલલ્લા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી ને મંદિર જાહેરજનતાના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
કુલ વસ્તી (૨૦૦૧) | પુરુષો % | સ્ત્રીઓ % | બાળકો (૬ વર્ષથી નાના) % | સાક્ષરતા દર % | પુરુષ સાક્ષરતા % | સ્ત્રી સાક્ષરતા % | રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
---|---|---|---|---|---|---|---|
૪૯,૫૯૩ | ૫૯ | ૪૧ | ૧૨ | ૬૫ | ૬૬ | ૩૪ | વધુ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અયોધ્યા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.