કેશુભાઈ પટેલ (૨૪ જુલાઇ, ૧૯૨૮ - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦) ભારતીય રાજકારણી હતા.
તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.
કેશુભાઈ પટેલ | |
---|---|
ગુજરાતના દસમા મુખ્યમંત્રી | |
પદ પર ૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ | |
પુરોગામી | છબીલદાસ મહેતા |
અનુગામી | સુરેશભાઈ મહેતા |
બેઠક | મણીનગર |
પદ પર ૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧ | |
પુરોગામી | દિલીપ પરીખ |
અનુગામી | નરેન્દ્ર મોદી |
અંગત વિગતો | |
જન્મ | વિસાવદર | 24 July 1928
મૃત્યુ | ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ અમદાવાદ |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૨) ગુજરાત પરીવર્તન પાર્ટી (૨૦૧૨ – ૨૦૧૪) |
જીવનસાથી | લીલાબહેન |
સંતાનો | પાંચ પુત્રો, એક પુત્રી |
૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ સ્ત્રોત: [{{{source}}}] |
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ૨૦૦૭ની રાજ્ય ચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા.
૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.
૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.
૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.
૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર (મરણોત્તર) એનાયત કરાયો હતો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કેશુભાઈ પટેલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.