સંશયવાદ અથવા સંદેહવાદ (અંગ્રેજી: Skepticism or Scepticism) જ્ઞાન અને શ્રદ્ધાની શક્યતાને સંશયની નજરે જોવાનું વલણ ધરાવતી ફિલસૂફીની એક શાખા તે સંશયવાદ.
આ સંશય બે પ્રકારના: (૧) વિનીત (soft) અને (૨) ઉગ્ર (hard). ગ્રીક તત્વચિંતક પાયરહો, પ્લેટો તેમજ સેક્સટસ ઍમ્પિરિક્સ અને દ્'કાર્ત આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.
બીજી સદીના ચિંતક સેક્સટસ એમ્પિરિક્સે સંદેહવાદી ચિંતકને સમીક્ષક, સત્યશોધક, જિજ્ઞાસુ તરીકે ઓળખાવ્યો છે. સમીક્ષા પછી, શોધતપાસ બાદ કોઈ સત્યશોધકને જો લાગે કે તત્વજ્ઞાનમાં પ્રવર્તતા જે તે મતને ન તો સત્ય કે ન તો અસત્ય માની શકાય, તો એવું સમજનારો સત્યશોધક કોઈ પણ સિદ્ધાંતની સત્યતા કે અસત્યતા અંગેના આખરી નિર્ણયને મોકૂફ રાખે છે. સેક્સટસ પ્રમાણે નિશ્ચય-મોકૂફી પછી પણ પ્રશ્નને ખુલ્લો રાખનાર અને શોધ ચાલુ રાખનાર ચિંતક જ સાચા અર્થમાં સંદેહવાદી છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article સંશયવાદ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.