સંગોલી રાયન્ના (૧૫ ઓગસ્ટ ૧૭૯૮ – ૨૬ જાન્યુઆરી ૧૮૩૧) એ રાણી ચેન્નમ્મા દ્વારા શાસિત કર્ણાટકના કિત્તુર રાજ્યના સૈન્યના સેનાપતિ હતા.
તેમણે મૃત્યુ સુધી બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી. તેમનું જીવન ૨૦૧૨ની કન્નડ ફિલ્મ સંગોલી રાયન્નામાં ચિત્રિત કરવામાં આવ્યું છે.
સંગોલી રાયન્ના | |||||
---|---|---|---|---|---|
ક્રાંતિવીર | |||||
જન્મ | સંગોલી, બેલગાવી, કર્ણાટક, ભારત | 15 August 1798||||
મૃત્યુ | 26 January 1831 નંદગઢ | (ઉંમર 32)||||
અંતિમ સંસ્કાર | ૨૬ જાન્યુઆરી ૧૮૩૧ નંદગઢ | ||||
| |||||
રાજવંશ | કુરુબા ગોવડા | ||||
પિતા | દોડ્ડા બરમપ્પા બાલપ્પા રોગન્નાવર | ||||
વ્યવસાય | સેનાપતિ |
તેઓ હલુમાથા કુરૂબા સમુદાયના સભ્ય હતા. ઈ.સ. ૧૮૨૪ની ક્રાંતિમાં સંગોલી રાયન્નાએ ભાગ લીધો હતો તેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી, પાછળથી તેમને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ તેમણે અંગ્રેજો સામે લડવાનું ચાલુ રાખ્યું. તેઓ રાજા મલ્લસર્જા અને રાણી ચેન્નમ્માના દત્તક પુત્ર, શિવલિંગપ્પાને કિત્તુરના શાસક તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. તેમણે સ્થાનિક લોકોને એકઠા કર્યા અને અંગ્રેજો સામે ગેરિલા પ્રકારનું યુદ્ધ શરૂ કર્યું. તેમનું સૈન્ય અને તેઓ પોતાના સ્થાન બદલતાં રહેતા. તેઓ સરકારી કચેરીઓ બાળતા, અંગ્રેજોના સૈન્યને વેરવિખેર કરતા અને અંગ્રેજોના ખજાનાને લૂંટતા. તેમની મોટાભાગની જમીન જપ્ત કરવામાં આવી હતી અને તેમાં જે બાકી હતી તેના ઉપર ભારે કર લાદવામાં આવ્યો હતો. તેમણે જમીનદારો પર વેરો લગાડ્યો અને જનતામાંથી સૈન્ય ઊભું કર્યું. ખુલ્લા યુદ્ધમાં અંગ્રેજો સૈન્ય તેને હરાવી શક્યા નહીં આથી, વિશ્વાસઘાત દ્વારા, તેમને એપ્રિલ ઈ. સ. ૧૮૩૦માં પકડવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. નવા રાજા શિવલિંગપ્પાની પણ અંગ્રેજોએ ધરપકડ કરી હતી.
રાયન્નાને ૨૬ જાન્યુઆરી ૧૮૩૧ ના દિવસે બેલાગવી જિલ્લાના નંદગઢથી લગભગ ૪ કિલોમીટર દૂર વડનાં ઝાડ પર ફાંસી આપવામાં આવી હતી.
૧૮૨૯-૩૦ના અંગ્રેજો સામેની ક્રાંતિમાં રાયન્નાને સીદી યોદ્ધા ગજવીરાએ મદદ કરી.
રાયન્નાને નંદગઢ નજીક દફનાવવામાં આવ્યા હતા. સામાન્ય ૬ ફૂટની કબરથી વિપરીત, રાયનાની કબર ૮ ફુટ લાંબી છે કારણ કે રાયન્ના ૭ ફૂટથી વધુ ઊંચા હતા. દંતકથા કહે છે કે રાયન્નાના એક નજીકના સાથીએ તેની કબર પર એક કેળાંનો રોપ લગાવ્યો હતો. તે આજ દિવસ સુધી ઉભું છે. ઝાડ પાસે અશોક સ્તંભ સ્થાપિત કરાયો હતો. સંગોલી રાયન્ના નામે એક નાનું મંદિર સંગોલી ગામમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં રાયન્નાની પ્રતિમા શરીરના વ્યાયામ માટે વપરાયેલા લાકડાના બે વજન પકડીને ઊભી છે. આ લાકડાના વજનમાંથી એક વજન તો મૂળ એ જ વજન છે, જેનો ઉપયોગ રાયન્નાએ પોતે કરતા હતા. સંગોલી ખાતે રાયન્નાના સ્મરણાર્થે ગ્રામજનોએ એક સમુદાહિક સભાગૃહ બાંધ્યો છે.[સંદર્ભ આપો]
ગી ગી ગીતો (બેલેડ) એ ઉત્તર કર્ણાટક માં રચિત વીર લોકવાયકાના શ્લોકો/સ્તુતિઓ છે અને આ પ્રકારના ઘણા ગીતો કિત્તુરમાં ચેન્નમ્મા, સંગોલી રાયન્ના અને આઝાદી પૂર્વેની કર્ણાટકની અન્ય હસ્તીઓ વિશે ગવાય છે. બેંગલુરુ રેલ્વે સ્ટેશન નજીક જમણા હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘોડા પર સવાર સંગોલી રાયન્નાની પૂર્ણ કદની એક કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બેંગલુરુ શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશનનું નામ ૨૦૧૫ માં "ક્રાંતિવેરા સંગોલી રાયન્ના રેલ્વે સ્ટેશન" રાખવામાં આવ્યું છે. આ સ્ટેશનને સત્તાવાર રીતે ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ના દિવસે "ક્રાંતિવીર સંગોલી રાયન્ના" રેલ્વે સ્ટેશન તરીકે જાહેર કરાયું હતું.
ઈ.સ. ૨૦૧૨ માં, તેમના જીવન ઇતિહાસ પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. તેનું નામ "ક્રાંતિવીર સંગોલી રાયન્ના" (લિજેન્ડરી વોરિયર સંગોલી રાયન્ના) હતું. આ ફિલ્મ નગન્નાએ નિર્દેશિત કરી હતી અને તેમાં દર્શન ઠુગુદીપ, જયાપ્રદા અને નિકિતા ઠુકરાલે અભિનય કર્યો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article સંગોલી રાયન્ના, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.