કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે.
અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા, ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.
કેદારનાથ કેદારખંડ | |
---|---|
નગર | |
કેદારનાથનું એક દ્રશ્ય | |
અક્ષાંશ-રેખાંશ: 30°44′N 79°04′E / 30.73°N 79.07°E | |
દેશ | ભારત |
રાજ્ય | રુદ્રપ્રયાગ |
નામકરણ | કેદારનાથ જ્યોતિર્લિંગ |
વિસ્તાર | |
• કુલ | ૨.૭૫ km2 (૧.૦૬ sq mi) |
ઊંચાઇ | ૩,૫૮૩ m (૧૧૭૫૫ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૬૧૨ |
• ગીચતા | ૨૨૦/km2 (૫૮૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
Pin Code | ૨૪૬૪૪૫ |
વાહન નોંધણી | UK-13 |
વેબસાઇટ | badrinath-kedarnath |
આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧,૭૫૫ ફૂટ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન (જોલી ગ્રાંટ હવાઈ મથક) ખાતે આવેલા છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article કેદારનાથ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.