કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે. સામાન્ય આવૃતિ અને અમાશયની ગતિ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે. (એક સપ્તાહ માં ૩ થી ૧૨ વખત મળ નિષ્કાસનની પ્રક્રિયા સામાન્ય માનવામાં આવે છે.
કબજિયાત |
---|
ખાસિયત | Gastroenterology |
---|
કારણો
- ઓછા રેશાયુક્ત ભોજનનું સેવન કરવું
- શરીરમાં પાણીની ઉણપ
- ઓછું ચાલવું કે કામ કરવું
- અમુક ખાસ દવાઓં નું સેવન કરવું
- મોટા આંતરડામાં ઘા કે વાગવું તેને કારણે કે મોટા આંતરડાનું કૈંસર
- થાયરૉઈડ હાર્મોનનું ઓછું બનવું
- કેલ્શિયમ અને પોટેશિયમ ની ઓછી માત્રા
- મધુમેહ ના રોગિઓમાં પાચન સંબંધી સમસ્યા
- કંપવાત (પાર્કિંસન બીમારી)
- અનિયમિત ઊંઘ કરાવી કે વધુ પડતા ઉજાગરા કરવા
- ચિંતા કરાવી
ઉપાય
- રેશાયુક્ત ભોજન નું અત્યધિત સેવન કરવું, જેમ સાબૂત અનાજ
- તાજા ફળ અને શાકનું અત્યધિક સેવન કરવું
- પર્યાપ્ત માત્રામાં પાણી પીવું
વધુ સમસ્યા થતા ચિકિત્સક ની સલાહ લેવી જોઈએ.
અમુક વિશિષ્ટ પ્રયોગ
ખાવામાં આવી ચીજો લો, જેનાથી પેટ સ્વયં જ સાફ થઈ જાય.
- મીઠું – નાની હરડે અને કાળું મીઠું સમાન માત્રા માં મેળવી પીસી લો. નિત્ય રાત્રે આની બે નાની ચમચી ગરમ પાણી સાથે લેતા દસ્ત સાફ આવે છે.
- ઈસબગોલ – બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્ત સાફ આવે છે. કેવળ સાકર અને ઈસબગોલ મેળવી પલાળ્યા વિના પણ લઈ શકાય છે.
- ચણા – કબજિયાત વાળા માટે ચણા ઉપકારી છે. આને ભીંજાવી ખાવા શ્રેષ્ઠ છે. જો ભીંજાવેલા ચણા ન પચે તો ચણા ને ઉકાળી નમક આદુ મેળવી ખાવા જોઈએ. ચણાના લોટની રોટલી ખાતા કબજિયાત દૂર થાય છે. આ પૌષ્ટિક પણ છે. કેવળ ચણા ના લોટની રોટલી સારી ન લાગે તો ઘઉં અને ચણા મેળવી રોટી બનાવી ખાવી પણ લાભદાયક છે. એક કે બે મુઠી ચણા રાત્રે પલાળી દો. પ્રાત: જીરું અને સૂંઠ પીસી ચણા પર નાખી ખાવ. કલાક બાદ ચણા ભીંજવેલ પાણી ને પણ પી લો. આનાથી કબજિયાત દૂર થશે.
- લીંબુ – લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ માં લેતા દસ્ત સાફ આવે છે. લીંબુ નો રસ અને સાકર પ્રત્યેક ૧૨ ગ્રામ એક ગ્લાસ પાણીમાં મેળવી રાત્રે પીતા અમુક જ દિવસોમાં જુના માં જુનો કબજિયાત દૂર થઈ જાય છે.
- નારંગી – સવારે નાસ્તામાં નારંગી નો રસ ઘણાં દિવસો સુધી પીતા રહેવાથી મળ પ્રાકૃતિક રૂપે આવવા લાગે છે. આ પાચન શક્તિ વધારે છે.
- મેથી – ના પાનનું શાક ખાવાથી કબજિયાત દૂર થઈ જાય છે.
- ઘઉં ના જ્વારાનો રસ લેવાથી કબજિયાત નથી રહેતી.
- ધાણા – સૂતા સમયે અડધી ચમચી પીસેલી વરિયાળીની ફાંકી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.
- તજ – સૂઠ, એલચી જરા મેળવી ને ખાતા રહેતા લાભ થાય છે.
- ટમેટા કબજિયાત દૂર કરવા માટે અચૂક દવા નું કામ કરે છે. અમશય આંતરડા માં જમા મળ પદાર્થ કાઢવામાં અને અંગોં ને ચેતનતા પ્રદાન કરવામાં ખૂબ મદદ કરે છે. શરીર ના આંતરિક અવયવોં ને સ્ફૂર્તિ દે છે.
સંદર્ભ
બાહ્ય કડીઓ
This article uses material from the Wikipedia ગુજરાતી article કબજિયાત, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.