માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (July 2010) |
તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. જો કે તેમાં રાજ્ય કક્ષાના કાયદાથી સંચાલિત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી. આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક "જાહેર સત્તાધિકારી" (સરકાર અથવા "રાજ્યોના સાધનરૂપ" તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી ખૂબ માગ કરી શકશે અને તેમણે ઝડપથી અથવા ત્રીસ દિવસના ગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે. આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય. 15મી જૂન, 2005ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો અને 12મી ઑક્ટોબર, 2005ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો. ભારતમાં અત્યાર સુધી ઓફિશ્યલ સિક્રેટ એક્ટ 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે.
ભારતમાં સરકારી માહિતીની જાહેરાત, બ્રિટીશ રાજ દરમિયાન ઘડવામા આવેલા કાયદા પ્રમાણે થતું હતું, જેના અંતર્ગત મોટા ભાગનો પ્રદેશ પર કે જે હાલમાં ભારતમાં છે તે આવતો હતો, 1889ના ઓફિશ્યલ સિક્રેટ એક્ટમાં 1923માં સુધારણા કરવામાં આવી હતી. આ કાયદો રાષ્ટ્રની સલામતી, દેશના સાર્વભૌમ અને વિદેશી દેશો સાથેના મિત્રતાપૂર્ણ વ્યવહારોની માહિતી સુરક્ષિત રાખે છે અને બિન-વર્ગીકૃત માહિતીઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકતી જોગવાઇઓને અટકાવે છે. નાગરિક સેવાઓ કાયદા ઘડે છે અને ઇન્ડિયન એવિડન્ટ એક્ટ સરકારી અધિકારીઓની જાહેર જનતાને માહિતી પૂરી પાડવાની સત્તાઓ પર વધુ પ્રતિબંધ લાદે છે.
આરટીઆઇ(RTI) કાયદાઓની જે રાજ્ય સરકારો દ્વારા સૌપ્રથમ સફળતાપૂર્વક રચના કરવામાં આવી હતી તેમાં – તામિલનાડુ (1997), ગોવા (1997), રાજસ્થાન (2000), કર્ણાટક (2000), દિલ્હી (2001), મહારાષ્ટ્ર (2002), આસામ (2002), મધ્યપ્રદેશ (2003) અને જમ્મુ અને કાશ્મીર(2004)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને દિલ્હી રાજ્ય સ્તરની રચનાઓને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી હોવાનું માનવામાં આવે છે. દિલ્હી આરટીઆઇ એક્ટ હજુ પણ અમલમાં છે. જમ્મુ અને કાશ્મીર તેમનો પોતાનો માહિતીનો અધિકાર 2009 ધરાવે છે, જે J&K માહિતીના અધિકાર, 2004 અને તેના 2008ના સુધારા પછીનો છે.
રાષ્ટ્રીય સ્તરનો કાયદો પસાર કરવો જો કે મુશ્કેલ કાર્ય બની ગયું હતું. વ્યવહારુ કાયદાઓ પસાર કરવામાં રાજ્ય સરકારોના અનુભવ પરથી કેન્દ્ર સરકારે એચ.ડી. શોરીના નેતૃત્વમાં એક કાર્યકારી જૂથની નિમણૂક કરી હતી અને તેમને કાયદાના મુસદ્દાનું કામ સોંપવામાં આવ્યું હતું. શૌરી મુસદ્દો, અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપ છે, તે માહિતી સ્વતંત્રતા ખરડો, 2000 માટેનો પાયો હતો, જે અંતે માહિતીની સ્વતંત્રતા કાયદો 2002 હેઠળ કાયદો બની ગયો હતો. ફક્ત રાષ્ટ્રીય સલામતી અને સાર્વભૌમત્વતાના કારણોસર જ નહીં પરંતુ, “જાહેર સત્તાના સ્ત્રોતોના અયોગ્ય રીતે બીજે વાળવા” અંગેની વિનંતીઓને સામેલ કરવામાં આવે છે, ઉપરાંત આ કાયદામાં અસંખ્ય મુક્તિઓ આપવામાં આવી હોવાથી તેની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. લાદવામાં આવનારા આરોપો પર કોઇ ઉપલી મર્યાદા ન હતી. માહિતીની વિનંતીને અનુસરવા માટે કોઇ પ્રકારનો દંડ ન હતો. FoI એક્ટ ક્યારેય અસરકારક રીતે અસ્તિત્વમાં આવ્યો ન હતો.
એફઓઆઇ(FoI) એક્ટનો વિનાશ વધુ સારા રાષ્ટ્રીય આરટીઆઇ(RTI) રચના માટે કાયમી દબાણમાં પરિણમ્યો હતો. માહિતીના અધિકારના ખરડાનો પ્રથમ મુસદ્દો સંસદમાં 22 ડિસેમ્બર 2004ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. ઉગ્ર ચર્ચા બાદ, જ્યારે ખરડાને અંતે પસાર કરવામાં આવ્યો ત્યારે ડિસેમ્બર 2004 અને 15 જૂન 2005ની મધ્યમાં મુસદ્દા ખરડામાં સો કરતાં પણ વધુ સુધારાઓ કરવામાં આવ્યા હતા. કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ સંપૂર્ણપણે અસરમાં આવ્યો હતો.
જ્યાં J&K માહિતીનો અધિકાર લાગુ પડે છે તેવા જમ્મુ અને કાશ્મીર સિવાય આ કાયદામાં સમગ્ર ભારતનો સમાવેશ કરાયો છે. ભારતીય બંધારણના આર્ટિકલ 370માં દર્શાવ્યા અનુસાર સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને જો રાજ્યની ધારાસભા દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હોય તો જમ્મુ અને કાશ્મીરના રાજ્યને આપોઆપ જ લાગુ પડતા નથી.તે કારોબારીતંત્ર, કાયદા ઘડનાર તંત્ર અને ન્યાયતંત્ર સહિતની તમામ બંધારણીય સત્તાઓને લાગુ પડે છે; સંસદ અથવા રાજ્યની ધારાસભાના કાયદા દ્વારા સ્થાપિત કે રચાયેલ કોઇ પણ સંસ્થા કે સંગઠન તેમાં સમાવેશ થાય છે. કાયદામાં એવું પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે કે તે સંગઠનો અથવા સત્તાઓ કે જે સરકાર દ્વારા “સીધી રીતે કે આડકતરી રીતે ભંડોળ” પૂરું પાડવામાં આવ્યું હોય તેવી સરકારી અથવા બિનસરકારી સંસ્થાઓ દ્વારા “માલિકીની, અંકુશિત અથવા નોંધપાત્ર રીતે ભંડોળ પૂરું પડાયેલ” હોય તેવા સંગઠનો સહિતની યોગ્ય સરકારી સંસ્થાઓના હુકમ કે નોટીફિકેશન (જાહેરાત) દ્વારા સ્થાપિત કે રચાયેલા સંગઠનો અથવા સત્તાઓનો પણ તેમાં સમાવેશ કરી લેવાયો છે.
ખાનગી સંસ્થાઓ સીધી રીતે કાયદાના પરિપ્રેક્ષ્યમાં આવતી નથી. જો કે, જાહેર સત્તા દ્વારા અસ્તિત્વમાં હોય તેવા કોઇ પણ કાયદા હેઠળ જે માહિતીનો ઉપયોગ કરી શકાય તેની પણ વિનંતી કરી શકાય છે. 30 નવે. 2006ના (સરબજીત રોય વિરુદ્ધ ડીઇઆરસી(DERC)')માં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં કેન્દ્રીય માહિતી પંચે સ્પષ્ટતા કરી હતી કે ખાનગી જાહેર ઉપયોગિતા કંપનીઓ ખાનગીકરણ ધરાવતી હોવા છતાં આરટીઆઇ(RTI) કાયદાના પરિપ્રેક્ષ્યમાં રહે છે. આ કાયદો સ્પષ્ટપણે કોઇ પણ અસાતત્યતાની માત્રાને ધોરણે, સત્તાવાર ખાનગી કાયદાને અને 15 જૂન 2005ના રોજ અસ્તિત્વમાં રહેલા અન્ય કાયદાઓને બિનઅસરકારક બનાવે છે.
આ કાયદો દર્શાવે છે કે નાગરિકો પાસે નીચેના હકો છે:
કાયદા હેઠળ, આવરી લેવામાં આવેલા બધા સત્તાધિકારીઓએ જાહેર માહિતી અધિકારી (પીઆઇઓ-PIO)ની નિમણૂક કરવી પડે છે. કોઇ પણ વ્યક્તિ માહિતી મેળવવા માટે પીઆઇઓ(PIO)ને લેખિતમાં વિનંતી સુપરત કરી શકે છે. આ કાયદા હેઠળ માહિતીની માગ કરતા કોઇ પણ ભારતીય નાગરિકને માહિતી પૂરી પાડવાની પીઆઇઓ (PIO)ની જવાબદારી છે. જો કરવામાં આવેલી વિનંતી અન્ય જાહેર સત્તા સાથે સંબંધ ધરાવતી હોય તો પાંચ દિવસના સમયગાળામાં સંબંધિત વિભાગને તબદીલ કરવા કે પહોંચાડવાની જવાબદારી પીઆઇઓ (PIO)ની હોય છે. આ ઉપરાંત, પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ પીઆઇઓ (PIO)ને પહોંચાડવા માટે આરટીઆઇ (RTI) વિનંતીઓ અને અપીલ સ્વીકારવા મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIOs)ની નિમણૂક કરવી જરૂરી છે. માહિતીની માગ કરતા નાગરિક તેના નામ અને સંપર્કની વિગતો સિવાયની કોઇ જ વિગતો જાહેર કરવા જવાબદાર નથી.
કાયદામાં વિનંતીનો જવાબ આપવા નિશ્ચિત સમયગાળો દર્શાવવામાં આવ્યો છે:
માહિતી મેળવવા માટે ચૂકવણી કરવી પડતી હોવાથી પીઆઇઓ(PIO)નો જવાબ વિનંતી સામે માહિતી આપવાનો ઇનકાર (પૂર્ણ અથવા આંશિક રીતે) અને/અથવા "વધુ ફી"ની ગણતરી આપવા સુધી મર્યાદિત રહે તે જરૂરી છે. પીઆઇઓના જવાબ અને માહિતી માટે વધારાની ફી જમા કરાવવા માટે લીધેલા સમયની વચ્ચેના ગાળાને મંજૂરી આપેલા સમયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
જો આ ગાળામાં માહિતી પૂરી પાડવામાં ન આવે તો તેને ઇનકાર કર્યો હોવા તરીકે ગણવામાં આવે છે. કારણો સાથે કે તેના વિના કરાયેલો ઇનકાર કદાચ અપીલ અથવા ફરિયાદ માટેનું કારણ બની શકે. વધુમાં, નિશ્ચિત સમયગાળામાં પૂરી નહી પાડવામાં આવેલી માહિતી વિના મૂલ્યે પૂરી પાડવી જોઇએ.
કેન્દ્રીય વિભાગો માટે as of 2006[update], વિનંતી ફાઇલ કરાવવાની ફી રૂ. 10, પાના દીઠ માહિતી માટે રૂ. 2 અને પ્રથમ કલાક બાદ નિરીક્ષણના દરેક કલાક માટેની ફી રૂ. 5 છે. જો અરજદાર ગરીબી કાર્ડ ધારક હોય તો કોઇ પણ ફી લાગુ પડશે નહી. આ પ્રકારના બીપીએલ કાર્ડ ધારકોએ જાહેર સત્તા સમક્ષ તેમની અરજી સાથે તેમના બીપીએલ(BPL) કાર્ડની નકલ પૂરી પાડવાની હોય છે. રાજ્ય સરકાર અને હાઈ કોર્ટ તેમના પોતાના નિયમો નક્કી કરે છે.
== કઈ માહિતી છતી કરી શકાતી નથી? == નીચેની માહિતીને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે [S.8)]
કાયદો રેકોર્ડના તે ભાગોની માહિતી પૂરી પાડવાની મંજૂરી આપે છે જેને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી નથી અને જેને વ્યાજબી રીતે મુક્તિવાળી માહિતી ધરાવતા ભાગોમાંથી આપી શકાય.
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સીઓ જેમ કે બીજા શિડ્યૂલ જેમ કે આઇ.બી., આર.એ.ડબ્લ્યુ. (રો), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યૂરો, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો, એવીયેશન રિસર્ચ સેન્ટર, સ્પેશિયલ ફ્રંટીયર ફોર્સ, બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, સીઆઇએસએફ, એનએસજી, આસામ રાયફલ્સ,સ્પેશિયલ સર્વિસ બ્યૂરો, સ્પેશિયલ બ્રાંચ (સીઆઇડી), આંદામાન અને નિકોબાર, ધી ક્રાઇમ બ્રાંચ-,સીઆઇડી-સીબી, દાદરાનગર હવેલી અને સ્પેશિયલ બ્રાંચ, લક્ષદીપ પોલીસમાં દર્શાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નોટીફિકેશન(જાહેરાત)થી નિશ્ચિત કરાયેલી એજન્સીઓને પણ બાકાત રાખવામાં આવશે. જો કે માહિતી અધિકારમાંથી બાકાત રાખવામાં આ એજન્સીઓ સંપૂર્ણપણે બાકાત નથી અને ભ્રષ્ટાચારના આરોપો અને માનવ અધિકાર ઉલ્લંઘનોને લગતી માહિતી પૂરી પાડવાની આ સંસ્થાઓની જવાબદારી છે. વધુમાં, માનવ અધિકાર ઉલ્લંઘનને સંબધિત માહિતી આપી શકાય પરંતુ તે પણ કેન્દ્ર અથવા રાજ્ય માહિતી પંચની મંજૂરી હોય તો જ.
કાયદાની કલમ 26 ભારતીય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને (J&K સિવાય) નીચે જરૂરી પગલાં ભરવા આદેશ આપે છે:
રાષ્ટ્રીય આરટીઆઇ(RTI)ના પ્રથમ વર્ષમાં કેન્દ્રીય (એટલે કે સમવાય) જાહેર સત્તા સમક્ષ માહિતી માટે 42,876 (જો કે સત્તાવાર નથી) અરજીઓ સુપરત કરવામાં આવી હતી. તેમાંથી 878 આખરી એપેલેટ તબક્કામાં- સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન નવી દિલ્હી ખાતે વિવાદાસ્પદ હતી. આમાંના થોડા નિર્ણયોએ ભારતની વિવિધ હાઇ કોર્ટોમાં વધુ કાનૂની વિવાદ ઉછાળ્યો હતો. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના આખરી એપેલેટ નિર્ણય પર સૌ પ્રથમ મનાઇહુકમ 3 મે 2006ના રોજદિલ્હીની હાઇ કોર્ટ દ્વારા ડબ્લ્યુપી (સી)(C)6833-35/2006 દ્વારા અપાયો હતો, જેને "એનડીપીએલ અને અન્યો "("NDPL & Ors.) વિરુદ્ધ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન અને અન્યો" તરીકે નોંધવામાં આવ્યો. ભારત સરકારનો 2006માં આરટીઆઇ એક્ટમાં સુધારો કરવાનો દેખીતો આશય જનતાના ઉહાપોહને કારણે બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ ફરીથી 2009માં તેની ડીઓપીટી(DoPT) દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
This article uses material from the Wikipedia ગુજરાતી article માહિતીનો અધિકાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.