પુરુષોત્તમ યોગ એ ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય છે.
આ અધ્યાયમાં કુલ વીસ શ્લોક છે. આ અધ્યાયમાં વેદ, વેદાંત અને વૈરાગ્યની વાતો છે. સમગ્ર વિશ્વમાં ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના પુરુષો કહેવાયા છે અને આ બંન્નેથી પર એવા ત્રીજા પુરુષને ઈશ્વર કહ્યા છે એવી સમજ અપાઈ છે. ઈશ્વરને અહીં પુરુષોત્તમ કહ્યા છે તેથી આ અધ્યાય "પુરુષોત્તમ યોગ" કહેવાયો છે.
સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં તેજ સ્વરૂપ ઈશ્વર જ છે. ઔષધીઓમાં રસ ભરનાર અને સર્વે પ્રાણીઓમાં વૈશ્વાનર સ્વરૂપે વસી અન્ન પચાવનાર ઈશ્વર તે હું જ છું એવું જ્ઞાન આપવામાં આવ્યું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article પુરુષોત્તમ યોગ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.