વિશ્વની સાત મોટી ભૂલો એ મહાત્મા ગાંધીએ તેમનાં પૌત્ર અરૂણ ગાંધીને, પોતાનાં જીવનનાં અંતિમ દિવસોમાં, એક કાગળની ચબરખી પર લખીને આપેલી યાદી છે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
આ યાદી ગાંધીજીએ હિંસાના મૂળ કારણને શોધવાનાં પ્રયત્નો દરમિયાન બનાવી હતી. આ કૃત્યોને તેઓ નિષ્ક્રિય હિંસા કહેતા. પોતાની જાતને અને સમાજને હિંસકવૃત્તિથી બચાવવાનો ઉત્તમ માર્ગ, આ ભુલોથી બચવું તે છે.
આ યાદીમાં, અરૂણ ગાંધીએ આઠમી ભુલ, "જવાબદારીઓ વિનાના હક્કો" (rights without responsibilities), ઉમેરી છે.
અરૂણ ગાંધી અને સ્ટિફન કોવ (Stephen Covey) એ આના પર ટિપ્પણીઓ આપેલ છે. સ્ટિફન કોવનાં કહેવા મુજબ, આ તમામ ભુલો સામાજીક અને રાજકીય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલ છે, અને આ તમામ "કાતિલ પાપો" નો ઇલાજ સ્પષ્ટ બાહરી માનક, કે કુદરતી સિદ્ધાંતો કે કાયદાઓમાં છે, સામાજીક મુલ્યોમાં નહીં. તેમણે ચોથી ભૂલને, 'આદમ સ્મિથે' પોતાના પુસ્તક 'નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત' (The Theory of Moral Sentiments)માં આપેલ વિચાર સાથે સરખાવ્યો, જે વર્ણવે છે કે,આપણી સિસ્ટમની સફળતાનો પાયો નૈતિક આધાર પર છે. તે દાવો કરે છે કે, "અત્યાધિક પ્રભાવશાળી લોકોની સાત આદતો" આ સાત ભુલોથી બચવામાં મદદ કરે છે.
અરૂણ ગાંધીનાં કહેવા મુજબ, પ્રથમ ભુલનોં વિચાર જમીનદારી પ્રથામાંથી ઉદ્ભવેલ છે. ઉપરાંત પ્રથમ અને દ્વિતિય ભુલો એક બિજા સાથે સંકળાયેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વિશ્વની સાત મોટી ભૂલો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.