ભારતીય જ્યોતિષવિદ્યા એ ભારતમાં પ્રચલીત ભવિષ્યકથનની પદ્ધતિ છે.
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે. |
ભારતીય જ્યોતિષવિદ્યામાં વ્યક્તિના જન્મ સમય અને સ્થળના આધારે વિવિધ પ્રકારની ગણતરીઓ કરીને વ્યક્તિની એક કરતા વધુ પ્રકારની કુંડળી બનાવવામાં આવે છે અને એ પછી એ કુંડળીઓનું વિષ્લેષણ કરીને ફળાદેશ કાઢવામાં આવે છે. ભારતીય જ્યોતિષવિદ્યાનો પાયામાં આકાશમાં સતત ગતિમાન રહેતા સુર્ય, ચંદ્ર અને બીજા અન્ય પૃથ્વીની નજીક આવેલા આકાશીય પદાર્થોની ગતિ માનવો માટે ભુતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની અગત્યની કડીઓ સુચવે છે એ સિધ્ધાંત રહેલો છે. આકાશીય પદાર્થોની ગતિવિધિ એક માનવીના જીવનને કેવી અને કેટલી અસર કરે છે એ વિષે ઘણા મત-મતાંતર છે.
"ગ્રહ" અને "તારો" શબ્દ ભારતીય જ્યોતિષવિદ્યાના સંદર્ભમાં પ્રચલીત વિજ્ઞાન કરતા જરા જુદા અર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો સુર્ય (પ્રચલીત વિજ્ઞાન મુજબ એક તારો) અને ચંદ્ર ((પ્રચલીત વિજ્ઞાન મુજબ પૃથ્વીનો ઉપગ્રહ) એ બન્ને ને ભારતીય જ્યોતિષવિદ્યા "ગ્રહ" તરીકે સંબોધે છે. જેને લીધે એને ગેરમાર્ગે દોરનારુ ગણવામાં આવે છે પણ એ શબ્દ મનુષ્યજીવનને અસરકરતા પરિબળોના એક સર્વનામ તરીકેના અર્થમાં અભિપ્રેત છે એ વાત જ્યોતિષને વિજ્ઞાનનો દરજ્જો ન આપવા માટેની દલીલ વખતે ભુલાઇ જવાય છે. આપણી નજીક રહેલા આકાશીય પદાર્થોના ગુરુત્વાઅકર્ષણની અસર માનવજીવન પર દુર રહેલા આકાશીય પદાર્થો કરતા વધારે થાય છે એ સિદ્ધાંત મુજબ સરળતા ખાતર આવા પૃથ્વી નજીકના આકાશીય પદાર્થોને સરળતા ખાતર એક નામે સંબોધવામાં આવ્યા છે.
આમ, ભારતીય જ્યોતિષવિદ્યામાં સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શની એમ સાત ગ્રહો ને ગણતરીમાં લેવામાં આવે છે. આ ઉપરાંત, "રાહુ" અને "કેતુ" નામના બે "છાયા ગ્રહ" ને પણ ગણતરીમાં લેવામાં આવે છે જે આકાશીય પદાર્થ નથી પણ ગાણીતિક બિંદુઓ છે. આમ આ બન્ને મળીને નવ "ગ્રહ" ને ગણતરીમાં લેવામાં આવે છે.
જોકે, બીજા સામાન્ય જનતામાં ઓછા જાણીતા સિધ્ધાંત મુજબ આ નવ ઉપરાંત અગીયાર ગાણીતિક બિંદુઓને પણ કેટલીક ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેને ભારતીય જ્યોતિષવિદ્યા "ઉપગ્રહ" તરીકે સંબોધે છે.
તદૌપરાંત, અન્ય કેટલાક ગાણીતિક બિંદુઓ વિવિધ "લગ્ન"નાં સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે જેમકે જાતકનાં જન્મસમયે જે તે સ્થળે પુર્વ દીશામાં ક્ષીતીજ પર જે રાશી ઉગી રહી હોય તે ગાણીતિય બિંદુને "જન્મ લગ્ન" કહેવામાં આવે છે. જાતકનાં જન્મસમયે જે તે સ્થળે ચંદ્ર જે રાશીમાં હોય તે ગાણીતિય બિંદુને "ચંદ્ર લગ્ન" કહેવામાં આવે છે.
ભારતીય જ્યોતિષવિદ્યા આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળ (સંપુણ રાશી ચક્ર) ને બાર ભાગમાં વિભાજિત કરે છે અને એ પ્રત્યેક ૩૦ ડિગ્રીના ભાગને આકાશમાં નરી આંખે જોઇ શકાતા તારાઓ ની આકૃતિ સાથે સાંકળીને એ ભાગને "રાશિ" નામ આપે છે. જે તે સ્થળેથી જોનાર વ્યક્તિને જે તે ગ્રહ જે તે રાશિમાં આવેલ દેખાય છે જેથી આ જે તે ગ્રહ આ જે તે રાશિમાં છે એમ કહેવાય છે. ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મેષ રાશિથી રાશિ ચક્ર શરુ થાય છે અને મીન રાશિ પર પુર્ણ થાય્ છે. આ રાશિઓના નામ નીચે પ્રમાણે છે.
ભારતીય જ્યોતિષવિદ્યા આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળ (સંપુણ રાશી ચક્ર) ને ૨૭ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે અને તેને નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રત્યેક નક્ષત્ર ૧૩ ડિગ્રી અને ૨૦ સેં. ના માપનું બને છે. ઉપરાંત પ્રત્યેક નક્ષત્ર ચાર ભાગમાં વહેચવામાં આવે છે જેને "પાદ" અથવા "ચરણ" કહે છે. તેમના નામ નીચે પ્રમાણે છે.
ભારતીય જ્યોતિષવિદ્યા પ્રમાણે કુંડળી દોરવાની ત્રણ પ્રચલીત પદ્ધતીઓ છે.
આ ત્રણે પદ્ધતીમાં ની પહેલી અને ત્રિજી પદ્ધતી રાશી આધારીત છે જ્યારે બીજી પદ્ધતી ભાવ આધારીત છે. રાશી આધારીત પદ્ધતી પ્રમાણે કુંડળી દોરતી વખતે પ્રત્યેક રાશીને એક ચોક્કસ જગ્યાએ જ મુકવામાં આવે છે જેને લીધે મેષ રાષી હંમેશા પ્રથમ ખાનામાં જ મુકવામાં આવે છે, અને એ પછી અનુક્રમે બાકીની રાશીઓ મુકવામાં આવે છે. ભાવ આધારીત પદ્ધતીમાં ભાવને પ્રથમ ખાનામાં મુકવામાં આવે છે અને ત્યાં "જન્મ લગ્ન" જે રાશીનું હોય તે રાશી અને "લ" સંકેત મુકવામાં આવે છે.
ભારતીય જ્યોતિષવિદ્યામાં પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. તિથિ,વાર,નક્ષત્ર,યોગ,કરણ એ પંચાંગના મુખ્ય અંગો છે.
તિથિ એ ચંદ્ર દિવસ છે જેની ગણના ચંદ્રની કળા સાથે કરવામાં આવે છે. મહિનામાં ૩૦ દિવસો હોય છે. મહિનાની પ્રથમ તિથિ એકમ તરીકે ઓળખાય છે. પૂર્ણીમાસાંત મુજબ પૂર્ણીમાં અને અમાવાસ્યાંત મુજબ અમાસના દિવસે મહિનાનો અંતિમ દિવસ ગણવામાં આવે છે. કુલ તિથિ ૧૫ છે. એકમથી ચૌદશને ક્રુષ્ણ અને શુક્લ એમ્ અબે પક્ષોમાં વિભાજિત કરવામાં આવે છે. છૌદશ પછી એક્ વખત અમાસ અને એક્ વખત પૂર્ણિમા આવે છે. આ તિથિની ગણતરી સૂક્ષ્મ નિરીયન પદ્ધતિથી કરવામાં આવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ભારતીય જ્યોતિષવિદ્યા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.