અનિલ અંબાણી (Gujarati:અનીલ અંબાણી)(જન્મ 4 જૂન, 1959) ભારતીય વેપારી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર છે.
અનિલના મોટાભાઈ, મુકેશ અંબાણી પણ અબજોપતિ છે, અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીની માલિકી ધરાવે છે. તેમની વ્યકિતગત અંદાજિત 17 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, તે મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ પછી વિશ્વમાં ત્રીજા સૌથી શ્રીમંત ભારતીય છે.
અનિલ અંબાણી | |
---|---|
જન્મ | મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
જીવન સાથી | ટીના મુનિમ |
બાળકો | અનમોલ અંબાણી |
કુટુંબ | Deepti Salgaocar |
તે પેનસિલ્વાનિયાની વોર્ટન સ્કુલ ઓફ યુનિવર્સિટી ખાતે ઓવરસીઝ બોર્ડના સભ્ય છે. તે કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી; અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ગર્વનર બોર્ડના સભ્ય છે. તે કેન્દ્રિય સલાહકાર સમિતિ, કેન્દ્રિય વીજળી નિયંત્રક આયોગના સભ્ય છે. માર્ચ 2006માં, તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓ ગાંધીનગર ખાતે DA-IICT ના ગર્વનર બોર્ડના અધ્યક્ષ પણ છે.
અંબાણી, 1983માં તેમના સ્વ. પિતાશ્રી ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કંપની રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાયા અને ભારતીય મૂડી બજારમાં ઘણાં નાણાકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવામાં પ્રતિષ્ઠા સંપન્ન કરી. ઉદાહરણ તરીકે, તેમણે પ્રથમ વૈશ્વિક થાપણ આવકો, કન્વર્ટિબલ્સ અને બોન્ડથી આંતરરાષ્ટ્રીય લોક પ્રસ્તુતિ સાથે દરિયાપારના મૂડી બજારોમાં ભારતના પ્રથમ આક્રમણનું નેતૃત્વ કર્યું. તેમણે જાન્યુઆરી 1997માં સૌથી ઊંચા પોઈન્ટે 100 વર્ષીય યાન્કી બોન્ડ બહાર પાડવા સાથે, દરિયાપારના નાણાકીય બજારોમાંથી 2 બિલિયન યુએસ ડોલરનું ફંડ ઊભું કરીને 1991થી પોતાના પ્રયત્નો દ્વારા રિલાયન્સને આગળ ધપાવ્યું, ત્યારબાદ લોકો તેમને નાણાંકીય જાદૂગર તરીકે ગણવા લાગ્યા.[સંદર્ભ આપો] તેમણે તેમના ભાઈ મુકેશ અંબાણી સાથે રહીને કાપડ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, વીજળી, અને ટેલિકોમ કંપનીમાં ભારતના અગ્રેસર તરીકે રિલાયન્સ ગ્રુપને તેના વર્તમાન દરજ્જા સુધી પહોચાડ્યું.
તેઓ તેમની લાંબી કારર્કિદીમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી પોતાની પત્ની સહિત અનેક સિને-જગતની વ્યકિતઓ સાથે સંકળાયેલ છે. તે, ચિત્ર જગતના અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ સુબ્રતો રોયના નજદીકી મિત્ર છે.મનોરંજન ઉદ્યોગમાં એડલેબ્સ, ચિત્ર નિર્માણથી વિતરણથી મલ્ટિપ્લેક્ષ કંપનીનો હવાલો સંભાળ્યો તે તેમની મુખ્ય સિદ્ધિ છે, જે ભારતના એકમાત્ર ડોમ થિયેટરની માલિકી ધરાવે છે અને તાજેતરમાં સ્ટીવન સ્પીલબર્ગ સાથે 825 મિલિયન યુ.એસ ડોલરની કિંમતના સંયુકત સાહસની જાહેરાત કરી છે.
તેઓ મુકેશ અંબાણી, તેમના ભાઈ સાથે કે.જી. બેઝિનમાંથી ગેસના પુરવઠા અંગેની તકરારમાં સંડોવાયેલા છે..
તાજેતરમાં છેલ્લે 2000ની મંદીમાં નાણા ગુમાવનાર વેપારી અગ્રેસરોની 'વિશ્વની સૌથી મોટી ખોટ કરનાર' ટોચની વેપારી યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યા છે, જેમણે 2008માં 32.5 બિલિયન ડોલરની ખોટ કરી હતી, જેનાથી ટોચના દસની યાદીમાંથી ખસીને 2009માં 34મું સ્થાન મેળવ્યું હતું.
23 એપ્રિલ 2009ની સાંજે, તેમના 13-બેઠકના હેલિકોપ્ટર VT-RCL ના (બેલ 412) ગિયર બોકસમાં કાદવ, કાંકરા અને પથ્થરો મળી આવ્યા હતા. ગિયર બોકસ જમીનથી 10 ફૂટની ઊંચાઈએ રાખેલું હોવા છતાં ગિયર બોકસની ફિલર કેપમાં કાંકરા અને પથ્થરો મૂકવામાં આવ્યા હતા. રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લિમિટેડ ના સિનિયર પાયલોટ કેપ્ટન આર. એન. જોષીએ મુંબઈ પોલીસ કમિશનરની કચેરી, મહારાષ્ટ્ર મુખ્ય મંત્રીની કચેરી, મહારાષ્ટ્ર ગૃહમંત્રીની કચેરી, મુખ્ય સચિવની કચેરી, સંયુકત પોલીસ કમિશનરની કચેરી તેમજ શાંતાક્રુજ પોલીસ સ્ટેશને પણ ફરિયાદ દાખલ કરી હતી.
એર વર્કસના ટેકનિશિયન ભરત બોર્ગે ભાંગફોડ થયેલી જોઈ ત્યારે હેલિકોપ્ટર મુંબઈ હવાઈ મથકના હેન્ગરની બહાર ઊભું હતું. બોર્ગ વીલેપાર્લેઅને અંધેરી વચ્ચે મુંબઈ પરાના રેલ્વે ટ્રેક પર 28 એપ્રિલ, 2009ના રોજ મૃત હાલતમાં મળ્યો હતો. તેની પાસે એક પત્ર પણ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસ માને છે કે તે ચર્ચગેટ સુધીની ફાસ્ટ લોકલની અડફેટમાં આવી ગયો હોઈ શકે છે. “બોર્ગેના રહસ્યમય મોતે ગભરાટ પેદા કર્યો છે કે અમુક પ્રતિર્સ્પધી ધંધાદારી જૂથો તેને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહ્યાના અનિલ અંબાણીના આક્ષેપને સમર્થન પૂરું પાડે છે.”
ભરત બોર્ગેના શબ-પરીક્ષણમાં જાહેર થયું હતું કે બહુવિધ ફ્રેકચરોને પરિણામે બ્રેઈન-હેમરેજને કારણે આઘાતથી તે મૃત્યુ પામ્યો હતો. મરાઠીમાં લખેલો પત્ર તેના ખિસ્સામાંથી મળી આવ્યો હતો, જેમાં લખેલું કે, “મે કશું ખોટું કર્યું નથી”. તે દિવસે, કેટલાક રિલાયન્સના લોકો આવ્યા હતા અને મારી સાથે વાત કરી હતી. મેં તેઓને કશું કહ્યું ન હતું. તેઓ પૈકી એકે મારો નંબર લીધો અને કહ્યું કે તે મારી સાથે પછીથી વાત કરશે. મને લાગ્યું હતું કે તેઓ મારો ઉપયોગ કરી રહ્યા હતા. આખી રાત વિચાર કર્યા પછી હું આ પત્ર લખું છું. એવું લાગે છે કે દોષ મારી પર આવશે. હું માનું છું કે તપાસ સાચા માર્ગે થઈ રહી છે અને સત્ય જલ્દીથી બહાર આવશે.”
તપાસ કરનારાઓએ પછીથી કહ્યું હતું કે બોર્ગેનું મોત અકસ્માત હતો અને આપઘાત ન હતો.
એર વર્કસ ઈન્ડિયા એન્જિયનિયરીંગ પ્રા. લિમિટેડ, કંપની કે જે હેલિકોપ્ટરની સંભાળ રાખે છે, તેણે તેના કર્મચારીઓની આ કેસમાં પૂછપરછ કરી હતી.
તેમણે ભારતીય બોલિવુડની અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા અને તેમને અણમોલ તથા આશુંલ એમ બે દીકરા છે. તેમણે મુંબઈ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. અંબાણી, કોકાકોલા ચેમ્પિયનશીપ કલબ, ન્યુકેસલ યુનાઈટેડના જબરજસ્ત ચાહક પણ છે અને સપ્ટેમ્બર, ૨૦૦૮માં કલબ ખરીદવામાં અત્યંત નિકટવર્તી હતા. જૂન ૨૦૦૪માં અનિલ રાજ્ય સભા-ઉપલા ગૃહ, ભારતીય સંસદમાં સમાજવાદી પક્ષના ટેકાથી સ્વતંત્ર સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે દરરોજ સવારે ૪ (ચાર) વાગ્યે ઊઠી જાય છે, સમાચાર તપાસે છે અને દોડવા માટે જાય છે. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૨૯ ના રોજ વેબેક મશિન
તે દરરોજ ૬ લીટર પાણી પીવે છે અને પાઉં-ભાજી ખાવાનું પસંદ કરે છે. [૨][હંમેશ માટે મૃત કડી]
તેમની પાસે બેલ 412 બનાવટનું, ૧૩ બેઠકનું હેલિકોપ્ટર છે, જે તેમણે ઇ. સ. ૨૦૦૧માં ખરીદ્યું હતું.
અંબાણીએ કલબની માલિકી હસ્તક કરવાના સોદા બાબત એવર્ટન અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ પહેલાં તેઓ ન્યુકેસલ યુનાઈટેડ ખરીદવાની અણી પર પણ હતા. હવે તેઓ એવર્ટનમાં પોતાનો રસ ફરી પેદા થયો હોવાનું માને છે, કેમ કે તેના અધ્યક્ષ બિલ કેનરાઈટે સ્વીકાર્યું છે કે હવે તેઓ સક્રિયપણે પોતાના શેર વેચી દેવા માગે છે, કેમ કે કલબ્સ તૂટી પડવાને કારણે ડેસ્ટિનેશન કર્કબી સ્ટેડિયમ પ્રોજેકટ તૂટી પડયો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article અનિલ અંબાણી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.