નાણાં વ્યવસ્થામાં, કોઇ વસ્તુનો સંચય (સંચયકરણ ) કરવાને નફામાં એકી સાથે વધારો કરવો કે રોકાણોમાં થોડાક સમય બાદ થતી ભિન્નતા એમ થાય છે.
એકાઉન્ટીંગમાં તેને એક ખાસ મતલબ છે, જ્યાં તેનો ઉલ્લેખ એકાઉન્ટના સરવૈયામાં થાય છે, જે તેની સંચય આધારિત એકાઉન્ટની જવાબદારીઓ અને રોકડ નાણાં પર આધારિત ન હોય તેવી અસ્ક્યામતને દર્શાવે છે.
આ રીતના એકાઉન્ટોના પ્રકારમાં, ચૂકવવા પાત્ર એકાઉન્ટો, મળવા પાત્ર એકાઉન્ટો, પાઘડી, સ્થગિત કર જવાબદારી અને ભવિષ્યના નફાના ખર્ચનો સમાવેશ થાય છે. ઉદાહરણ માટે, એક કંપની પોતાનો માલ એક ગ્રાહકને આપે છે, જે તેની કિંમતની ચૂકવણી પછીના રાજવૃત્તીય વર્ષમાં 30 દિવસ બાદ કરશે, અને આ સમયસીમાની શરૂઆત માલની સોંપણીના એક અઠવાડિયા પછી શરૂ થશે. સોંપણીના રાજવૃત્તીય વર્ષ માટે કંપની તેને હાલના આવક પત્રકમાં તેને એક આવક તરીકે ચાલુ રાખે છે, જો તેને આવનારા એકાઉન્ટીંગ સમયગાળા દરમિયાન તેની કિંમત ચૂકવી દેવામાં આવે તો પણ. રાજવૃત્તીય વર્ષની સોંપણી માટે સરવૈયાને એક સ્થગિત આવક (અસ્ક્યામત) તરીકે ચાલુ રખાય છે, પણ તે પછીના રાજવૃત્તીય વર્ષ માટે જ્યારે તેની કિંમતની ચૂકવણી થઇ જાય છે ત્યારે તેને સ્થગિત આવક નથી માનવામાં આવતી.
સમાનપણે, સેલ્સપર્સન (વેચનાર માણસ), જે ઉત્પાદનને વેંહચે છે, તે સમયે તે વેચાણમાંથી તે દલાલી મેળવે છે (કે સોંપણીથી). કંપની આ દલાલીને ચાલુ આવક પત્રકમાં એક ખર્ચ તરીકે ઓળખાવે છે, જોકે, જે તે સેલ્સપર્સનને ખરેખરમાં આવનારા અઠવાડિયાના બીજા એકાઉન્ટીંગ સમયગાળામાં તેની કિંમત મળી જવાની હોય તો પણ. સોંપણીના સમય માટે સરવૈયા પર આ દલાલી એક સ્થગિત ખર્ચ (જવાબદારી) હોય છે, પણ આ વાત પછીના સમયમાં તેને આ દલાલી (નાણાં)ની કિંમત ચૂકવણી પછી લાગુ નથી પડતી. કમનસીબે, સંચય શબ્દનો ઉપયોગ ઘણીવાર સંચિત ખર્ચ અને સંચિત આવક શબ્દના એક સંક્ષિપ્ત શબ્દ તરીકે કરવામાં, તેઓ સમાન નામ શબ્દ ધરાવે છે પરંતુ તેઓ વિરુદ્ધ આર્થિક / એકાઉન્ટિંગ લાક્ષણિકતાઓ ધરાવે છે.
સંચિત આવક (કે સંચિત અસ્ક્યામત)એ એક અસ્ક્યામત છે, જેમ કે એક સેવા કે માલની સોંપણી પછી નહીં ચૂકવાયેલી રકમ, જ્યારે આવી આવક ઊપાર્જિત કરવામાં આવે છે અને સંબંધિત આવક વસ્તુને માન્યતા આપવામાં આવે છે, જ્યારે રોકાણ બાદના તબક્કામાં મેળવવામાં આવે છે, જ્યારે રકમને સંચિત આવક માંથી બાદ કરવામાં આવે છે. ભાડા ઉદ્યોગમાં, ભાડાની આવક માટે વિશિષ્ટ આવક સંચયો હોય છે જે મહિનાઓના અંતની સીમા રેખાઓને પાર કરી જાય છે. તેનો સામાન્ય રીતે ભાડા કંપનીઓ દ્વારા ઉપયોગ થાય છે, જેઓ કરારની તારીખની વર્ષગાંઠને આધારે એરીયર્સમાં ચાર્જ કરે છે. ઉદાહરણ તરીકે, એક ભાડા કરાર 15 જાન્યુઆરીથી શરૂ થાય છે, તે રિકરીંગ માસિક આધારે ભરતિયું થતું હોવાથી 14 ફેબ્રુઆરી સુધી તેનું પ્રથમ ભરતિયું તૈયાર નહીં કરે. માટે જાન્યુઆરીના રાજવૃત્તીય સમયગાળાના અંતમાં 16 દિવસ માટે સચય ઊભું કરવું જ પડે છે. તે પ્રમાણ અનુસારને આઘારિત (ઉદા. 16/31ની માસિક ઉઘરાણી) સરળ હોઇ શકે કે અથવા જો તે માત્ર અઠવાડિયાના દિવસો ચાર્જ કરવામાં આવતા હોય કે માનક મહિનાનો ઉપયોગ કરાયો (ઉદા. 28 દિવસો, 30 દિવસો વગેરે) હોય તો તે વધુ જટિલ બની જાય છે.
તેનાથી વિરુદ્ધ, સંચિત ખર્ચ, એક અનિશ્ચિત સમય કે રકમ સાથેની એક જવાબદારી છે, પણ અહીં અનિશ્ચિતતા જોગવાઇ બની શકે તેટલી નોંધપાત્ર નથી. સામેવાળા પક્ષ તરફથી મેળવવામાં આવેલા માલ કે સેવાની ચૂકવણી કરવા માટેનું પેન્ડિંગ ઓબ્લિગેશન તેનું ઉદાહરણ છે, જ્યારે રોકડ બાદના એકાઉન્ટિંગ સમયગાળામાં ચૂકવવાની થતી હોવાથી તે સમયે રકમ સંચિત ખર્ચ માંથી બાદમાંથી બાદ થાય છે. અમેરિકામાં આ તફાવતને આઇએએસ (IAS) 37 દ્વારા સારી રીતે સ્પષ્ટ કરાયો છે. જે જણાવે છે કેઃ "ચૂકવવા પાત્ર વેપાર અને સંચયો જેવી અન્ય જવાબદારીમાંથી 11 જોગવાઇ અલગ પાડી શકાય છે કારણકે તેમાં સમય અથવા પતાવટ માટે જરૂરી ભાવિ ખર્ચની રકમ બાબતે અનિશ્ચિતતા છે. તેનાથી વિપરીત:
"(એ) વેપાર ચૂકવવાપાત્રએ મેળવેલી કે આપૂર્તિ કરાયેલા માલ કે સેવા માટે ચૂકવવાની થતી જવાબદારીઓ છે અને તેનું ભરતિયું કરાય છે અથવા આપૂર્તિકર્તા સાથે ઔપચારિક રીતે સંમત થયેલી છે; અને
"(બી) સંચયે મેળવેલી કે આપૂર્તિ કરાયેલા માલ કે સેવા માટે ચૂકવવાની થતી જવાબદારીઓ છે પરંતુ ચૂકવાઇ નથી, તેનું ભરતિયું થાય છે અથવા આપૂર્તિકર્તા સાથે સંમત થઇ છે જેમાં કર્મચારીને ચૂકવવાની બાકી રહેતી રકમ (દાખલા તરીકે, સંચિત વેકેશન પેને લગતી રકમ)નો પણ સમાવેશ થાય છે. જો કે કેટલીક વખત સંચિત રકમ અથવા સમયનો અંદાજ કાઢવો જરૂરી હોવા છતાં અનિશ્ચિતતા જોગવાઇ કરતા ઘણી ઓછી હોય છે.
"સંચયોને ઘણીવાર વેપાર અને અન્ય ચૂકવણીના ભાગ તરીકે નોંધાય છે જ્યારે જોગવાઇની અલગથી નોંધ થાય છે." આ બાબતને વધુ જટીલ કરતા કેટલીક લિગલિસ્ટિક એકાઉન્ટિંગ સિસ્ટમ "સંચિત આવક" અને "સંચિત ખર્ચ"નો સરળ અભિગમ લે છે અને પ્રત્યેકને ઔપચારિક રીતે ભરતિયું નહીં કરાયેલા આવક/ખર્ચ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે મુખ્યત્વે કર ગણતરીને લીધે છે, કેટલાક દેશોમાં ગ્રાહકે ચૂકવણી નહીં કરે અને સંબંધિત માંગણીની રકમ બિનવસૂલાતપાત્ર બને છે, છતાં ભરતિયું આપવાનું કાર્ય કરપાત્ર આવક રચે છે.
પગારપત્રકમાં નોકરીદાતા કર્મચારીને જે સામાન્ય લાભ પૂરો પાડશે, તે છે લાંબી રજા અથવા બિમારી સંચય . તેનો અર્થ તે થયો કે જેમ સમય પસાર થશે તેમ કર્મચારી વધારાનો બિમારી અથવા લાંબી રજાના સમયનો સંચય કરશે અને આ સમયને બેંકમાં મૂકવામાં આવે છે. સમય સંચયિત થયા બાદ નોકરીદાતા અથવા કર્મચારીનું પગારપત્રક બિમારી અથવા લાંબી રજા માટે વપરાયેલા સમયની રકમ પર નજર રાખશે.
મોટા ભાગના નોકરીદાતાઓ માટે ટાઇમ-ઓફ નીતિ પ્રકાશિત કરાય છે અને સંચયના લાભની બાબતમાં તેનું પાલન થાય છે. આ માર્ગદર્શિકા તે સુનિશ્ચિત કરે છે કે તમામ કર્મચારીઓ સાથે બિમારી અને લાંબી રજાના સમયના વિતરણ અને ઉપયોગ બાબતે ન્યાયી રીતે વ્યવહાર કરવામાં આવે. આ માર્ગદર્શિકામાં કર્મચારી જે દરે લાંબી રજા અથવા બિમારી સમય સંચયિત કરશે તે ઘણીવાર સેવા (કર્મચારીએ નોકરીદાતા માટે કરેલા કામના સમયની રકમ)ની લંબાઇ દ્વારા નક્કી કરાય છે.
અનેક કિસ્સામાં આ માર્ગદર્શિકા સૂચવે છે, કે નોકરીમાં એક ટ્રાયલ સમયગાળો છે (સામાન્ય રીતે 30 થી 90 દિવસો) જેમાં કર્મચારીને કોઇ સમય આપવામાં આવતો નથી. તે કર્મચારીને નોકરીએ રખાયા બાદ તાત્કાલિક બિમાર પડતા અટકાવી શકતો નથી, જો કે તેનો અર્થ એવો ચોક્કસ થાય છે કે તેમને તે સમયગાળા દરમિયાન પગાર નહીં મળે. જો કે તે કર્મચારીને કામના બીજા સપ્તાહ માટે લાંબી રજાનું આયોજન કરતા અટકાવતું નથી. આ ટ્રાયલ સમયગાળા બાદ સમયની એનાયતી શરૂ થઇ શકે છે અથવા તે નોકરીએ જોડાયા ત્યારની તારીખથી પાછલી અસરથી અમલી બની શકે છે.
કેટલીક સંચય નીતિઓમાં કેરી ઓવર કે રોલ ઓવર કેટલાક સમય કે તમામ બિનઉપયોગી સમય માટેની પણ સક્ષમ હોય છે, જે બીજા વર્ષમાં ઉપાર્જિત થાય છે. જો સંચય નીતિમાં કોઇ પ્રકારનો રોલઓવર ન હોય તો સંચિક સમય કે જે નોકરીદાતાના કેલેન્ડર વર્ષના અંતમાં મોટેભાગે જતો રહેતો હોય છે.
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે.(January 2010) |
This article uses material from the Wikipedia ગુજરાતી article સંચય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.