જાડેજા એ ભારતની ના ચંદ્રવંશી રાજપૂત જ્ઞાતિ છે. જેઓ રાજપૂત યદુકુળના છે.સિંધ ઉપર રાજ્ય ભોગવતાં સમ્મા રાજપૂતો જામ શ્રી જાડાજી ના ઉપર થી એક અલગ શાખા જાડેજા ઉભરી આવી અને.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લાખાજી જાડેજા સિંધ માંથી પશ્ચિમી કચ્છના વિસ્તાર માં આવ્યા અને પોતાના ભાઈ લખિયારજી ઉપર થી લખિયારવીરો નામની રાજધાની સ્થાપી.તેઓ શ્રી કૃષ્ણના ના વંશજ છે અને ચંદ્રવંશી ક્ષત્રિય મુળ નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલાર અને કચ્છ માં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં. .કચ્છ રજવાડામાં જાડેજા વંશે ૧૫૪૦ થી ૧૯૪૮ સુધી ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી શાસન કર્યું હતું. આ રજવાડાની સ્થાપના બાર જાડેજા કુટુંબના વડાઓને અને બે વાઘેલા રાજપૂત વડાઓને ભેગા કરીને રાજા ખેંગારજી પ્રથમે કરી હતી કરી હતી. ખેંગારજી અને તેમના વંશજોએ આ સંગઠન ભાયાત ૧૮મી સદીના મધ્ય ભાગ સુધી જાળવી રાખ્યું હતું.જાડેજા વંશ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝુઝારુ રાજવંશ શાસન કરે છે જાડેજા વંશનો મૂળ ક્ષત્રિય વંશ છે. જાડેજા વંશ ગુજરાતનો સૌથી મોટો રાજપૂત રાજવંશ માનવામાં આવે છે. જાડેજા રાજપૂતોના સૌરાષ્ટ્રમાં આશરે 700 જેટલા ગામડાઓ વસેલા છે અને આઝાદી સમયે આશરે 2300 ગામો તેમના દ્વારા શાસન કરતા હતા.
જાડેજા | |
---|---|
વર્ણ | ક્ષત્રિય |
જાતિ | ચંદ્રવંશી રાજપૂત |
વર્ગીકરણ | રાજપૂત |
ગોત્ર | અત્રિ |
વેદ | સામવેદ |
કૂળદેવતા | સોમનાથ |
કૂળદેવી | મોમાઈ માં |
ગુરૂ | દુર્વાસા |
નિશાન | સુરખપક્ષી |
ધર્મો | હિંદુ |
ભાષાઓ | ગુજરાતી, કચ્છી |
દેશ | ભારત |
મૂળ રાજ્ય | સૌરાષ્ટ્ર, કચ્છ |
વસ્તીવાળા રાજ્યો | સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, ગુજરાત |
પ્રદેશ | પશ્ચિમ ભારત |
કુળ શિર્ષક | જામ, રાવ, મહારાવ |
રંગ | કેસરી |
ગાદી | લાખીયારવીરો |
ઉપશાખાઓ | આમર, મોરવાણી,સાહેબ, રાયબ,ખીમાણી, દેદાણી, ભારાણી, ફુલાણી, હાલા,કાયાણી, મોડ, અબડા, જેસર,વેણ, વસણ, બુટ્ટા,બારાચ, વિરભદ્ર,હોથી,કન્હડદે, ભોજદે, કેશૂર, તોતા, જિયા, હાપા, ડુંગરાણી |
ઐતિહાસિક વંશ | જાડેજા વંશ |
શૈક્ષણિક અનામત | નથી |
રોજગાર અનામત | નથી |
અન્ય અનામત | નથી |
મુળ રજવાડું | સિંધ, ગઝનીઅફઘાનિસ્તાન |
અન્ય રજવાડાં | કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, વિરપુર, ગોંડલ, મોરબી |
ભારતની સ્વતંત્રતા પહેલાંના જાડેજા રાજપૂતોના અન્ય રજવાડાઓમાં ધ્રોલ, ગોંડલ, મોરબી, નવાનગર, રાજકોટ, અને વીરપુરનો સમાવેશ થતો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article જાડેજા વંશ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.