ફોરેન એક્ષચેઇન્જ એ નાણાંતંત્રમાં બે ચલણ વચ્ચેનો વિનિમય દર (કે જે વિદેશી નાણાં વિનિમય દર, ફોરેક્સ દર અથવા એફએક્સ દર (FX rate) તરીકે પણ જાણીતો છે), તે એક ચલણનું બીજા ચલણના સંદર્ભમા મૂલ્ય કેટલું છે તે દર્શાવે છે.
તે સ્વદેશી ચલણનાં સંદર્ભમાં વિદેશના ચલણનું મૂલ્ય છે. દા.ત. 91 જાપાનીઝ યેન (જેપીવાય(JPY), ¥))ના યુએસ ડોલર(યુએસડી (USD), $) સામેના વિનિમય દરનો અર્થ એવો થાય કે 91 જાપાનીઝ યેનનું મૂલ્ય 1 યુએસડી (USD) જેટલું થાય છે. વિદેશી વિનિમયનું બજાર વિશ્વના સૌથી મોટા બજારો પૈકી એક છે. અમુક અંદાજ પ્રમાણે, દરરોજ લગભગ 3.2 ટ્રિલિયન યુએસડી (USD) મૂલ્યનાં ચલણ હસ્તાંતરીત થયા કરે છે.
હાજર વિનિમય દર ને ચાલુ/હાલનો વિનિમય દર ગણવામાં આવે છે. વાયદા વિનિમય દર એ એવો વિનિમય દર છે કે જેનુ અવતરણ તેમજ વેપાર આજના દિવસે જ થાય છે પણ જેની સોંપણી તથા ચૂકવણી નિશ્વિત ભવિષ્યની તારીખે જ થાય છે.
વિનિમય તંત્રમાં "મૂળભુત ચલણ" (એક્મ ચલણ, વ્યવહારુ ચલણ)ના એક એક્મ સામે "દર ચલણ" (ભાવ ચલણ, ચૂકવણી ચલણ) ના કેટલા એક્મ વિનિમય કરી શકાય તે જણાવીને અવતરણ આપી શકાય છે. દા.ત. ઈયુઆર/યુએસડી (EUR/USD) વિનિમય દર 1.2290 (1.2290 યુએસડી (USD) પ્રતિ ઈયુઆર (EUR), કે જે ઈયુઆર/યુએસડી (EUR/USD) તરીકે પણ જાણીતા છે; વિદેશી ચલણ વિનિયમ બજાર જુઓ) છે તેમ જણાવતા એક દરમાં દર ચલણ યુએસડી (USD) તેમજ મૂળભુત ચલણ ઈયુઆર (EUR) છે તેમ કહી શકાય.
મૂળભૂત ચલણ તથા અવતરણ ચલણ નિર્ધારિત કરતી એક બજાર પ્રણાલિકા છે. વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં ક્રમ છે: ઈયુઆર (EUR) - જીબીપી (GBP) - એયુડી (AUD) - એનઝેડડી (NZD) - યુએસડી (USD)- અન્ય. આમ જો તમે ઈયુઆર (EUR)નું એયુડી (AUD)માં રૂપાન્તર કરી રહ્યા હોવ તો ઈયુઆર (EUR) મૂળભૂત ચલણ છે, એયુડી (AUD) અવતરણ ચલણ છે અને વિનિમય દર તમને જણાવશે કે 1 યૂરો માટે તમને કેટલા ઑસ્ટ્રેલિયન ડૉલર મળશે કે આપવા પડશે. સાઈપ્રસ અને માલ્ટા કે જે યુએસડી (USD) માટે આધારભૂત ગણાતા, તેમજ અન્યો યૂરોમાં શામેલ થતા તાજેતરમાં આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. યૂરોપના અમુક વિસ્તારો તેમજ યૂકે (UK) ના અવ્યવસાયિક વિસ્તારોમાં ઈયુઆર (EUR) અને જીબીપી (GBP)ને પલટાવી દેવામાં આવે છે કે જેથી કરીને યરો માટે મૂળભુત ચલણ તરીકે જીબીપી (GBP)નું અવતરણ થઈ શકે. જ્યારે બંને ચલણ યાદીમાં સામેલ ન હોય (એટલે કે બંને "અન્ય" હોય) ત્યારે મૂળભુત ચલણનું નિર્ધારણ કરવા માટે જે મૂળભુત ચલણ 1.000 કરતાં વધારે વિનિમય દર આપે તેનો ઉપયોગ કરવાની બજારની પ્રણાલિકા છે. તે દશાંશની સમસ્યાઓ તેમજ વિનિમય દરનાં 4 દશાંશ સ્થળ કરતા વધુ અવતરણને નિવારે છે. આ નિયમના કેટલાક અપવાદ છે, દા.ત. જાપાનીઓ અનેક વખત તેમના ચલણને અન્ય ચલણના મૂળભુત ચલણ તરીકે દર્શાવે છે.
સ્વદેશી ચલણનો ભાવ ચલણ તરીકે ઉપયોગ કરતા દર (દા.ત. યૂરો ઝોનમાં ઈયુઆર (EUR) 0.735342 = યુએસડી (USD) 1.00) પ્રત્યક્ષ દર (તે દેશના પરીપ્રેક્ષ્યથી) તરીકે જાણીતા છે અને જે મોટા ભાગના દેશો દ્વારા ઉપયોગમાં લેવાય છે. સ્વદેશી ચલણનો એક્મ મૂળભૂત ચલણ તરીકે ઉપયોગ કરતા દર (દા.ત. યૂરો ઝોનમાં ઈયુઆર (EUR) 1.00 = યુએસડી (USD) 1.35991) અપ્રત્યક્ષ અવતરણ કે જથ્થાબંધ દર તરીકે જાણીતા છે અને બ્રિટિશ અખબારોમાં ઉપયોગ લેવાય છે તેમજ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યૂરોઝોનમાં સર્વ સાધારણ છે.
નોંધપાત્ર છે કે, પ્રત્યક્ષ દરનો ઉપયોગ કરીને, જો સ્વદેશી ચલણ મજબૂત બને (એટલે કે મૂલ્યવર્ધન થાય અથવા વધુ મૂલ્યવાન બને) તો વિનિમય દરનો આંક ઓછો થશે. તેથી વિરુદ્ધ રીતે જો વિદેશી ચલણ મજબૂત બને તો વિનિમય દરનો આંક વધશે અને સ્વદેશી ચલણનો મૂલ્યહ્રાસ થાય.
1980ની શરૂઆતથી 2006 સુધી બજાર પ્રણાલિકા એવી હતી કે મહદ્અંશે ચલણની જોડોના અવતરણ હાજર વ્યવહારો માટે 4 દશાંશ સ્થળ સુધી તેમજ વાયદા કે સાટાના વ્યવહારો માટે 6 દશાંશ સ્થળ સુધી રાખવામા આવતા. (ચોથું દશાંશ સ્થળ સામાન્ય રીતે "પીઆઇપી (pip)" કહેવાય છે). આનો અપવાદ એવા વિનિમય દરો હતા કે જેમના મૂલ્ય 1.000 થી ઓછા રહેતા તેમજ સામાન્ય રીતે જેમના અવતરણ 5 કે 6 દશાંશ સ્થળ સુધી રહેતા. જોકે એવો કોઈ અટલ નિયમ નથી, લગભગ 20 કે તેથી વધુ મૂલ્યનાં વિનિમય દરોનાં અવતરણ સામાન્ય રીતે 3 દશાંશ સ્થળ સુધી અને 80 કે તેથી વધુ મૂલ્યનાં ચલણનાં અવતરણ 2 દશાંશ સ્થળ સુધી રહેતા. 5000 થી વધુનાં ચલણનાં અવતરણ સામાન્ય રીતે કોઈ પણ દશાંશ સ્થળ વગર રહેતા (દા.ત. અગાઉનું ટર્કિશ લીરા). એટલે કેજીબીપીઓએમએર (GBPOMR) : 0.765432 - ઇયુઆરયુએસડી (EURUSD) : 1.5877 - જીબીપીબીઇએફ (GBPBEF) : 58.234 - ઇયુઆરજેપીવાય (EURJPY) : 165.29). અન્ય શબ્દોમાં કહીએ તો, અવતરણ 5 આંકમાં આપવામાં આવતા. જ્યાં દરો 1 થી ઓછા હોય ત્યાં અવતરણ સામાન્ય રીતે 5 દશાંશ સ્થળનો સમાવેશ કરી લે છે.
2005માં બાર્ક્લેસ કેપિટલ નવી પ્રણાલી સાથે બહાર આવીને પોતાના ઈલેક્ટ્રોનિક લે-વેચ પ્લેટફોર્મ પરથી 5 થી 6 દશાંશ સ્થળ સાથેના હાજર વિનિમય દરો આપ્યા. વિસ્તરણનાં સંકોચનને (પ્રસ્તાવિત દર અને બોલીના દર વચ્ચેનો તફાવત) દલીલપૂર્વક વધુ સુઘડ ભાવોની જરૂર હોય છે અને બેંકો મલ્ટીબેન્ક પ્લેટફોર્મ પર પ્રયત્ન કરો અને જીતોની સક્ષમતા આપે છે જ્યાં તમામ બેંકો સંભવતઃ એક સરખા ભાવના અવતરણ આપતી હોય. ઘણી બેન્કોએ હવે તેનુ અનુકરણ કર્યું છે. જ્યાં અધિકૃત દરો સંપૂર્ણ આંક સાથે આપવામાં આવે છે, દા. ત 1.4320 ત્યારે ઘણા રોકાણકારો તેમજ વિશ્લેષકો અનુકૂળતા માટે ધન પૂર્ણાંકને છોડી દે છે અને ફક્ત અપૂર્ણાંક ભાગ, જેમ કે 4320 નો જ ઉપયોગ કરે છે. આ અવારનવાર ઉપયોગમાં લેવાય છે, કે જ્યાં ભાવની હલચલ વર્ણવવાની જરૂર હોય, દા. ત. 1.4320 થી 1.4290ના બદલે 4320 થી 4290.
જો ચલણ મુક્ત તરલ હોય તો તેના વિનિમય દરોને બીજા ચલણના વિનિમય દર સામે ચલિત થવાની અનુમતી આપી શકાય તેમજ તેનુ નિર્ધારણ માંગ અને પુરવઠાના બજાર પરિબળો દ્વારા જ થાય છે. વૈશ્વિક સ્તરના આર્થિક બજારો, મુખ્ય રીતે બેન્કો, દ્વારા આપવામા આવતા આવા ચલણના અવતરણો સતત બદલાતા રહેતા હોય છે. પરિવર્તનશીલ કે ફેરફાર થાય તેવી પેગ (Peg) પદ્ધતી એ નિર્ધારિત વિનિમય દરોની પદ્ધતિ છે, પણ તેમાં ચલણના અવમુલ્યનની જોગવાઈ કરવામાં આવી છે. દા. ત. 1994 અને 2005 વચ્ચે, ચાઇનીસ યુઆન રેમીબી (RMB)નું મુલ્ય યુનાઈટેડ સ્ટેટ્સ ડોલર સાથે 8.2768 RMB તે $ 1ના દરે તરીકે નક્કી કરવામાં આવ્યું. ચીન આવુ કરનાર એક્માત્ર રાષ્ટ્ર નહોતુ; બીજા વિશ્વયુદ્ધ ના અંતથી માંડીને 1967 સુધી સઘળાં પશ્વિમિ યુરોપિયન રાષ્ટ્રોએ યુએસ (US) ડૉલર સાથે બ્રેન્નટોન વુડ્સ પદ્ધતિ પર આધારિત નિર્ધારિત વિનિમય દરો જાળવી રાખ્યા. [૧] સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન
આરઈઆર (RER)નો અર્થ બે ચલણની પરસ્પરના સંદર્ભમાંની ખરીદ શક્તિ એવો થાય છે. તે સ્થાનિક તેમજ વિદેશમાંની ભાવ સપાટીના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ઘટાડાના માપ પર આધારિત હોય છે ( ), જે મનસ્વી રીતે આપેલ આધાર વર્ષ માટે 1 તરીકે ગોઠવવામાં આવે છે. આ કારણસર કયું વર્ષ બે ચલણનાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ઘટાડા માટે આધારવર્ષ તરીકે પસંદ કરાયું છે, તે બાબત પર આધાર રાખીને આરઈઆર (RER) ની સપાટી મનસ્વી રીતે ગોઠવવામાં આવે છે. આરઈઆર (RER) ના પરિવર્તનો સમયાંતરે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના એક એક્મના આંતરરાષ્ટ્રીય ભાવના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના એકમના સંદર્ભના ભાવની સૂચના આપે છે. જો સમગ્ર માલસામાન સ્વદેશી તેમજ વિદેશી બજારોમાં મુક્ત રીતે લે-વેચ થઈ શકતા હોત તો બે રાષ્ટ્રોના કુલ (GDP) ઉત્પાદન માટે ખરીદ શક્તિની એકરૂપતા (PPP) યોગ્ય રહે, અને આરઈઆર (RER) સતત તેમજ એક જેટલુ રહે.
દ્વિપક્ષી વિનિમય દરમાં ચલણની જોડ હોય છે, જ્યારે અસરકારક વિનિમય દર એ વિદેશી ચલણના સમૂહની ભારિત સરેરાશ છે અને તે દેશની બાહ્ય સ્પર્ધાત્મકતાના સઘળા માપદંડ તરીકે જોઈ શકાય. નજીવા અસરકારક વિનિમય દર (એનઇઇઆર (NEER)) ને વેપારના અસીમ ભાર આંકના વ્યસ્તથી ભારિત કરવામાં આવે છે. વાસ્તવિક અસરકારક વિનિમય દર (REER)એ એનઈઈઆર (NEER) ને વિદેશી ભાવસપાટીના યોગ્ય સ્તર પર ગોઠવે છે અને સ્વદેશી ભાવ સપાટી પ્રમાણે ઘટી જાય છે. વૈશ્વિક રોકાણ પ્રથાને ધ્યાનમાં લેતા કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) થી ભારિત અસરકારક વિનિમય દર એનઈઈઆર (NEER)ની સરખામણીએ વધુ યોગ્ય ગણી શકાય.
ખુલ્લા વ્યાજ દરની એકરૂપતા (UIRP) કહે છે કે એક ચલણની બીજા ચલણના સંદર્ભમાંની મૂલ્યવૃદ્ધિ કે મૂલ્યહ્રાસને તેમના વ્યાજ દરમાંના તફાવતનાં પરિવર્તનો દ્વારા તટસ્થ કરી શકાય. જો યુએસ (US)ના વ્યાજ દર વધતાં હોય અને જાપાનીઝ વ્યાજ દર અચલિત રહે તો યુએસ (US) ડોલર જાપાનીઝ યેન સામે જોખમ મુક્ત નફાના પ્રમાણમાં મૂલ્યહ્રાસ પામે (હકીકતમાં નીચે સમજાવ્યા પ્રમાણે ઘણી વખત તેનું ઊંધુ (મૂલ્યવૃદ્ધિ) થાય છે) જે આર્બિટ્રેજને અટકાવે છે. ભવિષ્ય વિનિમય દર વાયદા વિનિમય દરોમાં પ્રતિબિંબિત થાય છે. આપણા ઉદાહરણમાં ડોલરનો વાયદા વિનિમય દર ડિસ્કાઉન્ટ (ઘટેલો) કહેવાય કારણ કે તે હાજર દર કરતાં વાયદા બજારનાં દરમાં ઓછા જાપાનીઝ યેન ખરીદી શકે. યેનને પ્રીમિયમ પર (વધેલા દર પર) કહી શકાય. 1990 પછી યુઆઈઆરપી (UIRP) ના કાર્યશીલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ સિદ્ધાંતના વિરૂદ્ધમાં, ફુગાવા તથા વધુ ઉપજનો સમાવેશ કરવાના કારણે ઊંચા વ્યાજ દર ધરાવતા ચલણ ઘટવાને બદલે વધવા લાગ્યા.
આ નમૂના પ્રમાણે વિદેશી વિનિમય દર તેના સમતોલ બિંદુ પર જ હોવુ જોઇએ - એવો દર કે જે સ્થિર ચાલુ ખાતાનું સમતુલન લાવી શકે. વેપારની ખાધ વાળા દેશો તેમના વિદેશી વિનિમય ભંડોળમાં ઘટાડો અનુભવશે જેથી અંતે તો તેમના ચલણનાં મૂલ્યમાં ઘટાડો (મૂલ્યહ્રાસ) આવશે. ઓછું મૂલ્યવાન ચલણ દેશના માલસામાન (નિકાસ)ને વૈશ્વિક બજારમાં સસ્તુ બનાવશે તથા આયાતને વધુ મોંઘી કરશે. અમુક વચગાળાના સમય પછી, આયાતને દબાણપૂર્વક ઘટાડી દેવામાં આવે છે અને નિકાસ વધે છે, જે વેપાર સમતુલાને સ્થિર કરે છે અને ચલણ તેના સમતોલ બિંદુ તરફ વધે છે.પીપીપી (PPP) ની જેમ ચુકવણીની સમતુલાનો નમુનો પણ વેપાર યોગ્ય માલસામાન તેમજ સેવાઓ પર કેન્દ્રિત છે અને વૈશ્વિક મૂડીના પ્રવાહના વધતાં મહત્વની ઉપેક્ષા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો નાણાં ફક્ત માલસામાન કે સેવાઓ નહી પણ મોટા પાયે નાણાકીય અસ્કયામતો જેમકે શેર કે બોન્ડને પણ નક્શીકૃત કરે છે. તેનો પ્રવાહ ચૂકવણીની સમતુલાના મૂડી ખાતામાં જાય છે, જેથી ચાલુ ખાતાની ખાધ સમતલ બને છે. મૂડી પ્રવાહના વધારાથી મિલકત બજારના નમૂનાનો ઉદય થયો છે.
નાણાકીય મિલકતો (શેર તથા બોન્ડ)ના વેપારમાં થઈ રહેલા વિસ્તરણે વિશ્લેષકો તથા વેપારીઓની ચલણ પ્રત્યેની દ્રષ્ટીને નવો આકાર આપ્યો છે. આર્થિક ચલ (વેરિએબલ્સ) જેવા કે આર્થિક વૃદ્ધિ, ફુગાવો અને ઉત્પાદકતા જ હવે ચલણની હિલચાલને ચલાવનાર એકમાત્ર પરિબળ નથી. નાણાકીય મિલકતોના આંતરરાષ્ટ્રીય વેપારમાંથી ઉદભવતા વિદેશી ચલણનાં વિનિમય વ્યવહારોની સમતુલાએ માલસામાન તેમજ સેવાઓમાંથી ઉપજતા ચલણનાં વ્યવહારોને ખુબ જ નાના બનાવી દીધા છે. મિલકત બજારનો અભિગમ ચલણને કાર્યક્ષમ નાણાકીય બજારમાં લે-વેચ થઈ શકે તેવી મિલકત તરીકે જુએ છે. પરિણામે સ્વરૂપે, ચલણ ઝડપથી અન્ય બજારો, ખાસ કરીને ઈક્વીટી, સાથેનો ગાઢ સહ-સંબંધ દર્શાવવા લાગે છે. સ્ટોક એક્સચેન્જની જેમ, વિદેશી ચલણના વિનિમય બજારમાં યોગ્ય સમયે લે-વેચ કરતા રોકાણકારો તેમજ સટ્ટાખોરો પૈસા કમાઈ કે ગુમાવી શકે છે. ચલણની હાજર તેમજ વિદેશી વિનિમયના ઓપ્શન બજારમાં લે-વેચ થઈ શકે છે. પ્રવર્તમાન બજારો ચાલુ વિનિમય દરો રજૂ કરે છે, જ્યારે ઓપ્શન એ વિનિયમ દરોના ડેરિવેટીવ્ઝ ગણવામાં આવે છે.
બજાર આધારીત વિનિમય દર ચલણનાં બેમાંથી કોઈ પણ એક ઘટકનું મૂલ્ય બદલાતાં પરિવર્તિત થશે. ચલણ તેના ઉપલબ્ધ પૂરવઠા કરતા માંગ જ્યારેપણ વધે ત્યારે વધુ મૂલ્યવાન બનતું જાય છે. ઉપલબ્ધ પુરવઠા કરતાં માંગ ઘટતા તે ઓછું મૂલ્યવાન બને છે (તેનો અર્થ એવો નથી કે લોકોને પૈસાની જરૂર નથી, પણ એવો થાય કે તેઓ હવે પોતાની સંપત્તિ કોઈ બીજા સ્વરૂપ, સંભવતઃ કોઈ બીજા ચલણમાં રાખવાનું પસંદ કરે છે). ચલણની વધેલ માંગ વધી ગયેલ વ્યવહારીક નાણાંકીય માંગ, અથવા તો વધી ગયેલ સટ્ટાકૃત નાણાંકીય માંગને કારણે હોય છે. વ્યવહારીક નાણાંકીય માંગ દેશના વ્યાપારી પ્રવૃત્તિના સ્તર, કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) અને રોજગારના સ્તર સાથે ઊંડો સહ-સંબંધ ધરાવે છે. જેટલા વધુ લોકો બેરોજગાર હશે, તેટલો જ પ્રજા માલસામાન અને સેવાઓ પાછળ ઓછો ખર્ચ કરશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓને કારણે નાણાંની માંગમાં થતા પરિવર્તનને સમાયોજિત કરવા માટે મધ્યસ્થ બેંકોને પ્રાપ્ય નાણાં પૂરવઠો સરભરમાં વધુ મુશ્કેલી પડતી નથી.
સટ્ટાકૃત નાણાંકીય માંગનું સમાધાન કરવો મધ્યસ્થ બેંકો માટે ખૂબ મુશ્કેલ છે પણ તે વ્યાજ દરોના પરિવર્તન દ્વારા એ કામ કરવાનો પ્રયત્ન કરે છે. જો રોકાણકારને ઊંચો નફો (એટલે કે વધુ વ્યાજ દર) મળતો હોય તો તેઓ ચલણ ખરીદવાનું પસંદ કરે. દેશના વ્યાજ દર જેટલા વધુ ઊંચા હોય, તેટલી જ વધુ તે દેશના ચલણની માંગ હોય. એક દલીલ એવી પણ છે કે ચલણ બજારમાં થતી સટ્ટાખોરી દેશના વાસ્તવિક આર્થિક વિકાસને રૂંધી પણ શકે છે, કેમકે ચલણના મોટા સટ્ટાખોરો ચલણની ખોટ ઉભી કરી તે મધ્યસ્થ બેંકને ચલણ સ્થિર રાખવા માટે પોતાના ચલણ ભંડોળ વેચવા માટે મજબૂર કરી ઈરાદાપૂર્વક ચલણ પર અધોગામી દબાણ લાવે છે. (આવું થતા જ સટ્ટાખોરો બેન્ક પાસેથી ઓછા દરે ચલણ પરત ખરીદી તેમની પરિસ્થિતિ સરળ કરીને નફો લઈ જઈ શકે છે).
ઘણાં દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભ મળી શકે, જો તેઓ પોતાના ચલણમાં હેરાફેરી કરીને તેને કૃત્રિમ રીતે નીચા મૂલ્યે રાખે તો. એવી દલીલ છે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચીને ઘણા લાંબા સમયથી આવું કરવામાં સફળતા મેળવી છે. જોકે, વાસ્તવિક-દુનિયાની પરિસ્થિતિઓમાં, 2005માં યુઆનની 22% મૂલ્યવૃદ્ધિ ચીનની યુએસ(US) ને થતી નિકાસમાં 38.7% વૃદ્ધિ કરી છે.
2010માં જાપાન અને બ્રાઝિલ તેમજ અન્ય દેશોએ તેમની સસ્તા નિકાસને સહાય કરવા તેમજ પોતાના લથડી ગયેલા અર્થતંત્રને ટેકો આપવાની આશા સાથે તેમના ચલણનો મૂલ્યહ્રાસ કરવાનો પ્રયાસ કર્યો. નીચો વિનિમય દર વિદેશી ઉપભોક્તાઓ માટે દેશના માલસામાનનો ભાવ ઘટાડે છે પણ આવી હેરાફેરી કરનાર દેશ માટે માલસામાન, ખાસ કરીને આયાત કરેલ માલસામનનો ભાવ વધારી નાખે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article વિનિમય દર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.