રંભા મનમોહન ગાંધી (૨૭ એપ્રિલ ૧૯૧૧ - ૨૯ માર્ચ ૧૯૮૬) ગુજરાતી લેખિકા હતા જેમણે નાટકો, ટૂંકી વાર્તાઓ, ગીતો અને નિબંધો સહિત કારકિર્દીમાં ૪૪ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.
રંભા ગાંધી | |
---|---|
જન્મ | સરવાળ (તા. ધંધુકા), ગુજરાત | 27 April 1911
મૃત્યુ | 29 March 1986 | (ઉંમર 74)
વ્યવસાય |
|
ભાષા | ગુજરાતી |
નાગરિકતા | ભારતીય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
રંભા ગાંધીનો જન્મ ૨૭ એપ્રિલ ૧૯૧૧ના રોજ ગુજરાત રાજ્યના ધંધુકા શહેર નજીક સરવાળ ગામે થયો હતો. તેમણે ૧૯૩૭માં કર્વે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને હ્યુમીનીટી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૨૬માં, તેમણે મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યા. તેમની કારકિર્દી દરમિયાન, તે ૧૯૪૯થી ૧૯૫૩ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય હતા. અન્ય સામાજિક સંસ્થાઓમાં તેમની સહભાગિતા ઉપરાંત ૧૯૫૦થી ૧૯૫૪ દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ સમિતિના કાઉન્સિલર સભ્યપદે રહ્યા હતા. ૧૯૭૦ થી ૧૯૭૭ સુધી, તેમણે જૈન સમાજના સામયિકનું સંપાદન કર્યું. ૨૯ માર્ચ ૧૯૮૬ના રોજ તેમનું અવસાન થયું હતું.
તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બંગાળી અને મરાઠી સહિત ઘણી ભાષાઓ જાણતા હતા. તેઓ એક પ્રખર નાટ્ય લેખિકા હતા, જેમણે મુંબઈના ઓલ ઈન્ડિયા રેડિયો માટે ૪૦૦થી વધુ રેડિયો નાટકોના લેખન ઉપરાંત તેમાં ભાગ લીધો હતો. તેમના નાટકો પ્રાયશ્ચિત અને મંથન ને અન્ય ભાષાઓમાં અનુદિત કરવામાં આવ્યાં હતાં. આરતી અને ઇન્સાફ જેવા તેમના એકપાત્રિય અભિનયના ઘણાં નાટકોમાં સમકાલીન મધ્યમવર્ગીય જીવનને હળવી રમૂજ અને વ્યંગ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.
૧૯૫૧ થી ૧૯૯૮૩ દરમિયાન, તેમણે ૪૪ થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. તેના નાટક સંગ્રહમાં કોઈને કહશો નહીં (૧૯૫૧), પ્રણયના રંગ (૧૯૫૨), રોજની રામાયણ (૧૯૫૩), ચકમક (૧૯૫૫), પરણું તો તને જ (૧૯૫૭), દેવ તેવી પૂજા (૧૯૫૮), પ્રેક્ષકો માફ કરે (૧૯૬૧), પ્રીત ના કરિયો કોઈ (૧૯૬૩), રાજાને ગમી તે રાણી (૧૯૬૫), આંધી (૧૯૭૭), જીવન નાટક (૧૯૮૨), અને રોંગ નંબર (૧૯૮૫) નો સમાવેશ થાય છે.
ગાંધીની સંખ્યાબંધ પ્રકાશિત કૃતિઓ મૂળ ટૂંકી વાર્તા સંગ્રહો હતા, જેમાં પીપળ પાન ખરંતા (૧૯૬૬) અને મઝધાર (૧૯૭૩) નો સમાવેશ થાય છે, તેમજ તિમિરે ટમટમતા તારલા (૧૯૬૬), પ્રીતની ન્યારી રીત (૧૯૭૮), અને જય-પરજય (૧૯૮૩) જેવા ટૂંકી વાર્તા સંગ્રહોના અનુવાદ કર્યા હતા. તેમણે ઝાંઝવાના જળ (1979) નામની એક નવલકથાનો પણ અનુવાદ કર્યો હતો.
તીર અને તુક્કા (૧૯૫૯) એ તેમનો વ્યંગ નિબંધોનો સંગ્રહ છે, જ્યારે સંસારસાગર તીરેથી (૧૯૬૯) એ પત્રસંગ્રહ છે. સબરસ (૧૯૬૯), નવયુગની નવી કથા (૧૯૭૫), હરીને હસતા દીઠા (૧૯૭૮), અને તમને કેટલા થયા ? ૬૦, ૭૦, ૮૦ ? (૧૯૮૫) એ તેમના નિબંધ સંગ્રહો છે.
ગાંધીએ આનંદ ગુલાલ (૧૯૬૪) અને આનંદ મંગલ (૧૯૭૩) નામના ટુચકાઓ અને અવતરણોના સંગ્રહો પણ બહાર પાડેલા. તેના અન્ય સર્જનમાં કહેવત સંગ્રહ, બિંદુમા સિંધુ (૧૯૭૨) ; ગીત સંગ્રહ, મારે ગીત મધુરા ગાવા છે (૧૯૭૫); અને પ્રેરણાત્મક રેખાચિત્રો, સત્સંગે સદ્વિચાર (૧૯૭૭) અને સેન્તોનો સંગ કરીને (૧૯૮૩) નો સમાવેશ થાય છે તેમણે ૧૯૫૧માં લગ્નગીતો અને લગ્નગીતોની ગુંથણીનું સંપાદન કર્યું હતું.
સંસારસાગરને તીરેથી અને ભરતી અને ઓટને ભગિની નિવેદિતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article રંભા ગાંધી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.