ગંગાલહરી એ બે અલગ અલગ રચનાઓનાં નામ છે.
આ માટે એક કથા પ્રસિદ્ધ છે. પંડિત જગન્નાથે લબંગી નામની એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં . જ્યાં સુધી તે દિલ્હીના દરબારમાં રહ્યા, તેની સાથે સુખભોગ કરતા રહ્યા. જ્યારે વાર્ધક્ય પ્રાપ્ત થયું ત્યારે તેઓ કાશી આવ્યા. પણ કાશીના પંડિતો દ્વારા મુસ્લિમ મહિલા સાથે રહેવાને કારણે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. તે અપમાન તેમનાથી સહન ન થયું. તેઓ પત્ની સાથે ગંગા કિનારે જઈને બેઠા અને પોતાની રચેલ ગંગાલહરીનું સ્તવન કરવા લાગ્યા. ગંગા પ્રસન્ન થઈ પ્રત્યેક કડીના પઠન સાથે એક એક પગ વધવા લાગી અને ૫૨૧ શ્લોકો વાંચતાં વાંચતાં ગંગા ૫૨ પગ વધીને તેમની નજીક પહોંચી ગઈ અને પતિ-પત્ની બંનેને આત્મસાત કરી લીધાં. વર્તમાનમાં ગંગાલહરીની મહત્તા એટલી બધી છે કે ઘણા લોકો તેનો નિત્ય પાઠ કરે છે. જેઠના દશેરાના દસ દિવસ સુધી તો દેવાલયો અને ગંગાતટ પર ગંગાલહરીનો પાઠ લોકો અવશ્ય કરે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ગંગાલહરી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.