વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન (અંગ્રેજી: Marriage) ઓળખવામાં આવે છે.
લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.
હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.
|
|
|
હિન્દુ લગ્ન બે વ્યક્તિઓ (મોટે ભાગે પુરુષ અને સ્ત્રી) ને અનંતકાળ માટે સુમેળ આપે છે, જેથી તેઓ ધર્મ (જવાબદારી / ફરજો), અર્થ (ધન) અને કામને અનુસરી શકે. તે જીવનસાથી તરીકે બે વ્યક્તિઓનું જોડાણ છે, અને જીવનભર સાતત્ય દ્વારા ઓળખાય છે. હિન્દુ ધર્મમાં, લગ્ન પછી સહજીવન માટે કોઈ ધાર્મિક વિધિઓ અનુસરવામાં આવતી નથી. હકીકતમાં, લગ્ન સહજીવન વિના પણ સંપૂર્ણ અથવા માન્ય માનવામાં આવે છે, કારણ કે લગ્ન બે આત્માઓ વચ્ચે છે અને તે શરીરથી પર છે. તે બે પરિવારોને પણ જોડે છે. આ પ્રસંગ માટે અનુકૂળ રંગો સામાન્ય રીતે લાલ અને સોનેરી હોય છે.
પૂજારીની મદદથી પુત્ર/પુત્રીના મેળ કરવા માટે જાતક અથવા જન્મ કુંડળી (જન્મ સમયે જ્યોતિષીય ચાર્ટ) નો ઉપયોગ સામાન્ય છે, પરંતુ સાર્વત્રિક નથી. માતા-પિતા તમિલમાં 'જોથીદાર' અથવા તેલુગુમાં 'પંથુલું અથવા સિદ્ધાંતી' અને ઉત્તર ભારતમાં 'કુંડળી મિલાન' કહેવાતા બ્રાહ્મણ પાસેથી સલાહ લે છે, જે ઘણા લગ્નેચ્છુક લોકોની વિગતો ધરાવે છે. કેટલાક સમુદાયો, જેમ કે મિથિલાના બ્રાહ્મણો, નિષ્ણાતો દ્વારા જાળવવામાં આવતા વંશાવળી રેકોર્ડ ("પંજિકાઓ") નો ઉપયોગ કરે છે.
જન્મ સમયે તારાઓ અને ગ્રહોની ગોઠવણના આધારે જાતક અથવા કુંડળી દોરવામાં આવે છે. કોઈપણ મેળાપ માટે મહત્તમ 36 ગુણાંકો અને મેળાપ માટે ન્યૂનતમ 18 ગુણાંકો છે. 18થી ઓછા ગુણાંકો સાથેના કોઈપણ યુગલને સુમેળભર્યા સંબંધો માટે શુભ મેળાપ માનવામાં આવતો નથી, પરંતુ તે લોકોની ઉદારતા પર નિર્ભર કરે છે કે તેઓ ઈચ્છે તો હજી પણ લગ્ન કરી શકે છે. જો બે વ્યક્તિઓ (પુરુષ અને સ્ત્રી)ની કુંડળી ગુણાંકોમાં આવશ્યક ગુણ પ્રાપ્ત કરે છે, તો સંભવિત લગ્ન માટે આગળની વાટાઘાટો કરવામાં આવે છે. તેમજ પુરુષ અને સ્ત્રીને એકબીજા સાથે વાત કરવાની અને સમજવાની તક આપવામાં આવે છે. એકવાર સમજૂતી થઈ જાય પછી લગ્ન થવા માટે શુભ સમયની પસંદગી કરવામાં આવે છે.
તાજેતરના વર્ષોમાં, ભારતમાં ડેટિંગ સંસ્કૃતિની શરૂઆત સાથે, ગોઠવાયેલા લગ્ન અને જન્માક્ષરના વિશ્લેષણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સંભવિત વર અને કન્યા પોતાના જીવનસાથીને જાતે પસંદ કરવાનું પસંદ કરે છે અને નહીં કે તેમના માતાપિતા પસંદ કરે તે જ. ગ્રામીણ પ્રદેશો કરતા શહેરી અને પરા વિસ્તારોમાં આ વધુ જોવા મળે છે. આજે હિંદુઓમાં લગ્નની સંસ્કૃતિ પ્રેમ-ગોઠવેલા લગ્ન અથવા ગોઠવેલા-પ્રેમ લગ્નની આવી નવી સંકલ્પના છે.
હિન્દુ ધર્મ અનુસાર લગ્નના આઠ પ્રકાર હોય છે. બધાને ધાર્મિક મંજૂરી નથી.
આઠ પ્રકાર છે:
લગ્ન સમારોહ મોંઘા હોઈ શકે છે, અને તેનો ખર્ચ સામાન્ય રીતે માતા-પિતા દ્વારા ઉઠાવવામાં આવે છે. મધ્યમ અથવા ઉચ્ચ વર્ગના લગ્ન માટે 500 થી વધુ લોકોની મહેમાન સૂચિ હોવી તે અસામાન્ય નથી. મોટે ભાગે, જીવંત સંગીતના સાધનોનું બેન્ડ વગાડવામાં છે. વૈદિક વિધિ કરવામાં આવે છે અને પછી પરિવાર અને મિત્રો દંપતીને આશીર્વાદ આપે છે. આમંત્રિતોને ઘણી વાનગીઓ પીરસવામાં આવે છે. ભારતના જુદા-જુદા ભાગોમાં પ્રથાઓના આધારે લગ્નની ઉજવણીમાં એક અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ વૈદિક લગ્ન, હિન્દુ લગ્નના રિવાજોના જુદા જુદા પ્રકારમાંના એક હતા. પ્રેમ લગ્ન ઐતિહાસિક હિન્દુ સાહિત્યમાં પણ જોવા મળે છે અને તેને ઘણાં નામો, જેમ કે ગંધર્વ વિવાહ દ્વારા વિવિધ રીતે વર્ણવવામાં આવ્યાં છે. કેટલાક ગરીબ વૈષ્ણવ સમુદાયોમાં હજી પણ કાંતી-બદલ નામનો રિવાજ છે, જે કૃષ્ણની મૂર્તિની સામે એકાંતમાં ખૂબ જ સરળ રીતે કરવામાં આવતી મોતીઓની માળાની આપ-લે છે, જેને સ્વીકાર્ય પ્રેમ લગ્નનું એક રૂપ માનવામાં આવે છે.
જુના હિંદુ સાહિત્યમાં સાથે ભાગી જવાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ પોતે રૂક્મિણી સાથે ઘોડાના રથ પર ભાગી ગયા હતા. એવું લખાયેલું છે કે રુક્મિણીના પિતા તેની ઇચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે તેના લગ્ન કરવા જઇ રહ્યા હતા. રુક્મિણીએ કૃષ્ણને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેને લઇ જવા માટેનું સ્થળ અને સમયની મોકલ્યું હતું.
ભારતના જુદા જુદા ભાગોમાં પરીણિત હિન્દુ મહિલાઓ જુદા જુદા રીતરિવાજો પાળે છે. મોટે ભાગે સિંદૂર, મંગલસૂત્ર અને બંગડીઓ વિવાહિત સ્ત્રીના સંકેતો તરીકે માનવામાં આવે છે.
વરે કન્યાના ગળામાં બાંધેલું મંગળસૂત્ર, વિવાહિત યુગલને ખરાબ નજરથી બચાવવા અને પતિના જીવનની આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો મંગળસૂત્ર ખોવાઈ જાય અથવા તૂટી જાય તો તે અશુભ સંકેત બને છે. સ્ત્રીઓ તેમના પતિ પ્રત્યેની તેમની ફરજની યાદગીરી તરીકે દરરોજ તેને પહેરે છે.
સિંદૂર એ બીજું નોંધપાત્ર પ્રતીક છે - જ્યારે સ્ત્રી સિંદૂર લગાડતી નથી, ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે વિધવા હોય છે. બિંદી (ચાંદલો), એક કપાળની સજાવટ, મોટે ભાગે પત્નીઓ દ્વારા લગાડવામાં આવે છે, જેને "ત્રીજી આંખ" તરીકે માનવામાં આવે છે, અને તે ખરાબ નસીબને દૂર રાખે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article લગ્ન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.