હળપતિ એ મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ છે.
આ સમુદાયની નાની વસ્તીઓ આસપાસના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ જોવા મળે છે. તેઓ તળાવિયા અથવા તલવી રાઠોડ તરીકે પણ ઓળખાય છે.
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
---|---|
ભારત | ૬૭૫,૯૪૫ |
ગુજરાત | 643,120 |
મહારાષ્ટ્ર | ૧૮,૬૯૭ |
દમણ અને દીવ | ૧૧,૦૮૭ |
દાદરા અને નગરહવેલી | ૨,૭૦૩ |
કર્ણાટક | ૨૬૪ |
ગોવા | ૭૪ |
ભાષાઓ | |
મુખ્ય ગુજરાતી |
હળપતિ શબ્દનો અર્થ ગરીબ ખેડૂત એવો થાય છે. આધુનિક ભારતની ક્રાંતિ પછી મહાત્મા ગાંધીએ ખેડૂતોનું તેમનું નામ બદલીને હળપતિ નામના નવા બિરુદથી ઓળખાવ્યા હતા. હળપતિઓનો દાવો છે કે તેઓ રાઠોડ રાજપૂતો હતા, જેમણે આ ઉપનામ તેમના ખેતીના વ્યવસાયના લીધે મેળવ્યું હતું. તેઓ હળપતિ તરીકે પણ ઓળખાય છે, જેનો ગુજરાતીમાં અર્થ ખેડૂત છે. હળપતિ સુરત, વલસાડ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં જોવા મળે છે.
મહારાષ્ટ્રના હળપતિઓ પણ રાઠોડ સમુદાયના વંશજો હોવાનો દાવો કરે છે. તેમનું નામ (હળપતિ) પણ ખેડૂત શબ્દ પરથી આવ્યું છે. તેઓ મુખ્યત્વે થાણે જિલ્લામાં જોવા મળે છે, અને ગુજરાતી બોલે છે.
ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એમ ૪ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેઓને અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
હળપતિઓની વસ્તી મુખ્યત્વે સુરત જીલ્લાના કામરેજ, પલસાણા, બારડોલી અને નવસારી જીલ્લામાં જોવા મળે છે.
આ સમુદાયમાં વીસ પેટા સમુદાયોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય છે તળાવિયા, રાઠોરિયા, વોહરીયા, દામરીયા, વલસાડિયા, ઓલપાડિયા, માંડવીયા, ઉંબેરિયા, ઘાંઘોડિયા, ખોડિયા, ચોરીયા, ઉખેરિયા, બારમીયા,બારિયા, નારડા, હેઈવિયા, ઠાકુરા, કારચા, વતાલ, પારસી હલપતિ અને લાલદતવાળા હળપતિ. તલાવીયા સિવાયના અન્ય કુળો સમાન મોભો અને આંતરલગ્ન સબંધો ધરાવે છે. તળાવિયા કુળના લોકો પોતાને અન્ય કુળો કરતા શ્રેષ્ઠ માને છે. હળપતિઓ ગુજરાતી બોલે છે.
હળપતિ સીમાંત ખેડૂતો અને જમીન વિહોણાઓ ખેતમજૂરો છે. તેઓ ભેંસ, ગાય અને બકરાં જેવા પશુ પાળે છે અને તે ઘણીવાર દૂધ વેચવાનો વ્યવસાય પણ કરે છે, આ એક સહાયક વ્યવસાય છે. કેટલાક નાના વેપારીઓ હોય છે અને તેમાં પણ મોટાભાગે ગામડાના દુકાનદારો હોય છે. ઘણા હળપતિઓ સુરત અને અમદાવાદમાં સ્થળાંતરિત થયા છે, જ્યાં તેઓ હીરા ઘસવાના ઉદ્યોગમાં રોજગારી મેળવે છે.
હળપતિ (ખેડુતોનું જૂથ) સમાજમાં ઘણા પેટા સમુદાયોનો હોય છે, તેઓ એકબીજા સાથે લગ્ન નથી કરતા. તેમના કેટલાક પેટા સમુદાયો ભામણીયા, ગરાસીયા, કારચા, માંડવીયા, રતજોડ, રાજપૂત અને તળાવિયા શામેલ છે. તેમનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે. આ સમુદાય નાના જમીનમાલિકો અને જમીન વિહોણા ખેતમજૂરોમાં વિભાજીત થયેલો છે. તે હિન્દુ ધર્મ પાળે છે અને ધોડિયા અને વારલી જેવા પડોશી આદિવાસી સમુદાયો જેવાં રિવાજો ધરાવે છે.
હળપતિ આદિવાસીઓ નૃત્યના ખુબ શોખીન હોય છે. તેઓ તુરી, થાળી, તંબુરો, ભજનીયાં, ભૂંગળ અને ઝારી કાઠી જેવા વાદ્યો વગાડે છે. તેમના નૃત્યને 'ચાળો' તરીકે ઓળખવામાં આવે છે. જેના 'મરઘી ચાળો', 'પાટલાઘો ચાળો', 'ખિસકોલી ચાળો' વગરે તેમના નૃત્યના વિવિધ પ્રકારો છે.
'દિવાસો' હળપતિઓનો મુખ્ય તહેવાર છે અને તેઓ 'ઢીંગલી ઉત્સવ' મનાવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article હળપતિ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.