બદનક્ષી અથવા માનહાની એ અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર છે, કે જેમાં કોઈ પણ વ્યાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો કરવા, લખાણો પ્રગટ કરવા કે નિશાનીઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો અને અભિવ્યક્તિનો અધિકાર છે; પરંતુ એનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની બદનક્ષી ન કરી શકે. ભારતમાં બદનક્ષી એ એક અપકૃત્ય અને ગુનો ગણવામાં આવે છે.
ભારતીય દંડસંહિતા (ઈંડિયન પેનલ કૉડ) (૧૮૬૦) મુજબ જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની આબરુને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરુને નુકસાન પહોંચશે એમ જાણવા છતાં, અથવા, એમ માનવાને કારણ હોવા છતાં, બોલી અથવા વાંચી શકાય તેવા ઈરાદાવાળ શબ્દોથી, અથવા ચેષ્ટાથી, અથવા દેખી શકાય તેવી આકૃતિથી એના પર આરોપ મૂકે અથવા પ્રસિદ્ધ કરે, તો તેણે તે વ્યક્તિની બદનક્ષી કરી કહેવાય. આ ગુનાની સજા માટે ૨ વર્ષ સુધીની કેદ કે દંડ અથવા બંનેની કાયદા (કલમ: ૪૯૯, ૫૦૦)માં જોગવાઈ કરવામાં આવી છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article બદનક્ષી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.