ઈશ્વર

ઈશ્વર , ઈશ્વરવાદ અને કેવલેશ્વરવાદ ધર્મોમાં અને અન્ય માન્યતા સિસ્ટમ મુજબ એક દેવતા છે, જે ક્યાં તો એકેશ્વરવાદમાં એકમાત્ર દેવતા, અથવા બહુ-ઈશ્વરવાદના મુખ્ય દેવતા તરીકે અભિવ્યકત થાય છે.

ઈશ્વરને મોટેભાગે અલૌકિક સર્જક અને બ્રહ્માંડના દૃષ્ટા તરીકે જોવામાં આવે છે. ધર્મવેત્તાઓએ ઘણી બધી જુદી જુદી ઈશ્વરની વિભાવનાઓ માટે વિભિન્ન લક્ષણોનું વર્ણન કર્યું છે. આમાં સૌથી સામાન્ય વિચારણામાં સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વવ્યાપી, સંપૂર્ણપણે પરોપકારી (સંપૂર્ણ દેવતા), દૈવી સરળતા તથા શાશ્વત અને આવશ્યક અસ્તિત્વનો સમાવેશ થાય છે. ઈશ્વરને અમૂર્ત, વ્યકિતગત અસ્તિત્વ, તમામ નૈતિક જવાબદારીના સ્ત્રોત અને “ સૌથી મહાન ગ્રહણક્ષમ અસ્તિત્વ ” તરીકે પણ કલ્પવામાં આવે છે. આ બધા ગુણધર્મોને જુદી જુદી માત્રામાં પ્રાચીન યહુદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મવેત્તા તત્ત્વચિંતકોએ તેમજ અનુક્રમે મેમોનિદેશ, હિપ્પોના ઓગસ્ટાઈન, અને અલ-ગઝલીએ સમર્થન કર્યું છે. ઘણા નોંધપાત્ર મધ્યકાલિન તત્ત્વચિંતકો અને આધુનિક તત્ત્વચિંતકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિચારણાઓ વિકસાવી હતી. જ્યારે તેથી વિરુદ્ધમાં ઘણા નામાંકિત તત્ત્વચિંતકો અને બુધ્ધિમંતોએ ઈશ્વરના અસ્તિત્વની વિરોધ માં વિચારણાઓ વિકસાવી છે.

વ્યુત્પત્તિ અને ઉપયોગ

છઠ્ઠી સદીના કિશ્ચિયન કોડેક્ષ આર્જેન્ટિસમાંથી પ્રાચીનકાળમાં લખાતો જર્મન શબ્દ god આવ્યો છે. અંગ્રેજી શબ્દ પોતેજ પ્રોટો-જર્મનિક ǥuđan માંથી વ્યુત્પન્ન થયો છે. મોટાભાગના પ્રોટો-ઈન્ડો-યુરોપિયનઢાંચો:PIE સ્વરૂપ, મૂળઢાંચો:PIE પર આધારિત હતું, જેનો અર્થ થાય છે ક્યાં તો “ બોલાવવું ” કે “ આહવાન ” આપવું. ઈશ્વર (god) માટેના જર્મન શબ્દો મૂળમાં નાન્યતર જાતિ - બંને જાતિઓને લાગુ પડતા - પરંતુ જર્મન લોકો તેમના દેશી જર્મન પેગાનિઝમમાંથી (કોઈપણ ધર્મમાં ન માનનાર) ખ્રિસ્ત્રીકરણની પ્રક્રિયા દરમિયાન વાકયરચનામાં આ શબ્દ નરજાતિનો બન્યો.

ઈશ્વરનું કેપિટલ સ્વરૂપ, પ્રથમ ગ્રીક સિદ્ધાંતો રજૂ કરવા, ન્યૂ ટેસ્ટામેન્ટના અલ્ફિલાના ગોથિક અનુવાદમાં વપરાયો હતો. અંગ્રેજી ભાષામાં, એકેશ્વરવાદના ‘God’ અને બહુ-ઇશ્વરવાદના ‘gods’ વચ્ચેનો તફાવત રજૂ કરવા કેપિટલ સ્વરૂપ ચાલુ રખાયું છે. ક્રિશ્ચિયન, ઈસ્લામ, હિંદુ ધર્મ, બહાઈ ધર્મ, અને યહુદી જેવા ધર્મો વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાં ‘God’ શબ્દનો અંગ્રેજી અનુવાદિત શબ્દ બધા માટે સામાન્ય રહ્યો. નામ, કોઈપણ સંબંધિત કે સમાન એકેશ્વર દેવતાઓને સૂચિત કરે છે, જેમ કે અખેનાતન કે ઝોરોસ્ટ્રિયનિસમના પ્રાચીન એકેશ્વરવાદ.

એકેશ્વરવાદની સામાન્ય પશ્ચાદભૂમિકા સાથે સમાજમાં અંગ્રેજી શબ્દ વપરાય ત્યારે ‘God’ હંમેશા તેઓ જેમાં ભાગ લેતા હોય તે દેવતાનો ઉલ્લેખ કરે છે. વિભિન્ન અબ્રાહમિક ધર્મોની પશ્ચાદભૂમિક ધરાવતા લોકો સામાન્યરીતે તેઓ જેમાં ભાગ લેતા હોય તે દેવતાનો ઉલ્લેખ કરે છે - જો કે માન્યતા અને શ્રદ્ધા અંગેની વિગતોમાં જુદા પડતા હોઈ “ મારા ઈશ્વર ” અને “ તમારા (ભિન્ન) ઈશ્વર ” ની વિચારણા કરવાને બદલે ઈશ્વરના લક્ષણો અંગે તેઓ અસંમત થાય છે.

ઈશ્વરનાં નામો

ઈશ્વરની વિભાવનાઓ વ્યાપકપણે જુદી જુદી હોઈ શકે, પરંતુ અંગ્રેજીમાં ગોડ (God) શબ્દ- અને બીજી ભાષાઓમાં તેના પ્રતિરૂપ, જેમ કે લેટિનેટ ડયુઝ, ગ્રીક Θεός, સ્લેવિક બોગ, સંસ્કૃત ઈશ્વર, અથવા અરેબિક અલ્લાહ - શબ્દ સામાન્યરીતે કોઈપણ અને તમામ વિભાવનાઓ માટે વપરાય છે. હિબ્રુ ઇએલ (એલ) માટે સમાન શબ્દ છે, પરંતુ યહુદી ધર્મમાં ગોડ (God) ને પણ સંજ્ઞાવાચક નામ આપ્યું છે - ટેટ્રાગામેશન (સામાન્યરીતે યેહવે (Yahweh) અથવા વાયએચડબલ્યુએચ(YHWH)) તરીકે પુર્નરચના કરી છે, જેમને ધર્મના હિનોથિસ્ટીક મૂળની નિશાની ગણવામાં આવે છે. બાઈબલના ઘણા અનુવાદોમાં "લોર્ડ" (“LORD”) શબ્દ કેપિટલમાં વપરાય ત્યારે ટેટ્રાગામેશન વ્યકત કરતો શબ્દ સૂચિત કરે છે. હિંદુવાદના એકેશ્વરવાદની વિચારધારામાં ઈશ્વરને પણ વિશેષ નામ આપી શકાશે, જે, ભાગવતમાં કૃષ્ણ-વાસુદેવ કે પાછળથી વિષ્ણુ અને હરિ તરીકે તેમના નામના પ્રાચીન ઉલ્લેખો સાથે ઈશ્વરની વ્યકિતગત પ્રકૃતિ પર ભાર મૂકે છે. આદિમ ગુઆન્ચિસ (ટેનેરિફ, સ્પેન) માટે God ને અકામન (Achaman) કહે છે. ઈશ્વરના વિશેષ નામો અને વિશેષણો વચ્ચે તફાવત પાડવો મૂશ્કેલ છે, જેમ કે ન્યૂ ટેસ્ટામેન્ટમાં જીસસના નામ અને ખિતાબો, કુરાનમાં ઈશ્વરનાં નામો, અને હિંદુ ઈશ્વરના હજારો નામોની વિવિધ યાદીઓ. સમગ્ર હિબ્રૂ અને કિશ્ચિયન બાઈબલમાં ઈશ્વરના અનેક નામો છે (ઈશ્વરને હંમેશા પુરૂષ તરીકે દર્શાવાય છે), જે તેમની પ્રકૃતિ અને પાત્રનું ચિત્રણ કરે છે. તેઓ પૈકી એક ઇલોહિમ (elohim) છે, જેના અર્થ અંગે દલીલ કરવામાં આવી છે કે તે બીજી વસ્તુઓમાં “ બળવાન ”[સંદર્ભ આપો]છે, જો કે વ્યુત્પત્તિશાસ્ત્રની ચર્ચા કરાઈ છે જે અસ્પષ્ટ છે. અન્ય નામ છે એલ શદાઇ (El Shaddai), જેનો અર્થ છે, “ ઈશ્વર સર્વશકિતમાન ”.ત્રીજું નોંધપાત્ર નામ છે એલ એલ્યોન (El Elyon) , જેનો અર્થ છે “ સૌથી વધુ ઉચ્ચ ઈશ્વર ”.

ઈશ્વરની વિભાવનાઓ

ઈશ્વર 
માઇકલએન્જેલો (c. 1512) ના સિસ્ટિન ચેપલના સૂર્ય અને ચંદ્રના ભીંતચિત્રોની વગતો એ પશ્ચિમિ કળામાં ઇશ્વર, પિતાના રજૂઆતનું એક જાણીતું ઉદાહરણ છે.

ઈશ્વરની વિભાવનાઓ વ્યાપકપણે ભિન્નતા ધરાવે છે. ધર્મવેત્તાઓ તથા તત્ત્વચિંતકોએ સંસ્કૃતિના ઊગમ કાળથી ઈશ્વરની અગણિત વિભાવનાઓનો અભ્યાસ કર્યો છે. ઈશ્વરની અબ્રાહમની વિભાવનામાં ક્રિશ્ચિયનોના ટ્રિનિટેરિયન દૃષ્ટિકોણનો, યહુદી રહસ્યવાદની કબ્બાલિસ્ટિક વ્યાખ્યા, અને ઈશ્વરની ઈસ્લામી વિભાવનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક ધર્મો તેમના હિંદુવાદમાં ઈશ્વરના દૃષ્ટિકોણોમાં પ્રદેશ, સંપ્રદાય, અને જાતિ પ્રમાણે, એકેશ્વરવાદથી બહુ-ઇશ્વરવાદથી નાસ્તિક સુધીની શ્રેણીમાં ભિન્નતા પ્રવર્તે છે; બૌદ્ધ ધર્મમાં ઈશ્વર વિષેની માન્યતા લગભગ નાસ્તિક તરીકેની છે. આધુનિક સમયમાં, કેટલીક વધુ અમૂર્ત વિભાવનાઓ વિકસી છે, જેમ કે પ્રક્રિયા ધર્મશાસ્ત્ર અને ખુલ્લો ઈશ્વરવાદ. વ્યકિતગત માન્યતા ધરાવનારાઓએ યોજેલ ઈશ્વરની વિભાવનાઓમાં એટલો બધી વ્યાપક ભિન્નતા છે કે ઈશ્વરના સ્વરૂપ અંગે કોઈ સ્પષ્ટ સર્વસામાન્ય વિચારણા મળતી નથી. સમકાલિન ફ્રેન્ચ તત્ત્વચિંતક માઈકલ હેન્રીએ, આમ છતાં, જીવનની અદ્ભૂત અલૌકિક સત્ત્વ તરીકે અલૌકિક અભિગમ અને ઈશ્વરની વ્યાખ્યા સૂચવી છે.

ઈશ્વરનું અસ્તિત્વ

સદીઓથી તત્ત્વચિંત્તકો, ધર્મવેત્તાઓ અને અન્ય ચિંતકો દ્વારા ઈશ્વરના અસ્તિત્વને સાબિત કે ગેરસાબિત કરવા ઘણી દલીલો વિચારી છે. તત્ત્વચિંતનની પરિભાષામાં, આવી દલીલો, ઇશ્વરની અસ્તિત્વમીમાંસાના જ્ઞાનમીમાંસા અંગેની વિચાર-શાખા સાથે સંબંધિત છે. ઈશ્વરના અસ્તિત્ત્વને લગતા ઘણા તત્ત્વશાસ્ત્રવિષયક પ્રશ્નો છે. ઈશ્વરની કેટલીક વ્યાખ્યાઓ કેટલીકવાર અચોક્કસ હોય છે, જ્યારે બીજી વ્યાખ્યાઓ સ્વયં-પરસ્પરવિરોધી હોય છે. ઈશ્વરના અસ્તિત્ત્વ અંગેની દલીલોમાં ખાસ કરીને આધ્યાત્મિક, પ્રયોગમૂલક, આનુમાનિક અને આત્મલક્ષી પ્રકારો સમાવિષ્ટ છે, જ્યારે બીજા વિચારો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત તથા વિશ્વમાં વ્યવસ્થા અને જટિલતાના છિદ્રોની આસપાસ ઘૂમે છે. ઈશ્વરનાં અસ્તિત્વ વિરુદ્ધની દલીલોમાં પ્રયોગમૂલક, નિગમન, અને આત્મલક્ષી પ્રકારોનો સમાવેશ થાય છે. આના પરથી કાઢેલ તારણોમાં સમાવિષ્ટ છે : “ ઈશ્વર અસ્તિત્વ ધરાવતો નથી ” (દૃઢ નાસ્તિકતા); “ ઈશ્વર લગભગ ચોક્કસપણે અસ્તિત્ત્વમાં નથી ” (હકીકત માં નાસ્તિકવાદ); “ ઈશ્વર છે કે કેમ તે કોઈ જાણતું નથી ” (અજ્ઞેયવાદ); “ ઈશ્વર છે, પરંતુ આને સાબિત કે અસાબિત કરી શકાતું નથી ” (આસ્તિકવાદ); અને “ ઈશ્વર છે અને આને સાબિત કરી શકાય છે ” (સાબિતવાદ). આ સ્થિતિ અંગે સંખ્યાબંધ ભિન્ન ભિન્ન વિચારો છે.

ધર્મવેત્તાઓનો અભિગમ

ધર્મવેત્તાઓ અને તત્ત્વચિંતકોએ ઈશ્વર અંગે સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વવ્યાપી, સંપૂર્ણ દેવતા, દૈવી સરળતા, અને શાશ્વત તથા આવશ્યક અસ્તિત્વ સહિત સંખ્યાબંધ વર્ણનો કર્યા છે. ઈશ્વરનું વર્ણન અર્મૂત, વ્યકિતગત હસ્તિ તરીકે તમામ નૈતિક જવાબદારીઓના સ્ત્રોત, અને અસ્તિત્વ ધરાવતા હોય તેવા સૌથી વધુ ગ્રહણક્ષમ તરીકે કર્યું છે. આ ગુણધર્મો હોવાનો પ્રાચીન યહુદી, ક્રિશ્ચિયનો અને મુસ્લિમ વિદ્વતાઓએ, તેમજ સેન્ટ ઓગસ્ટાઇન, અલ-ગઝલી અને મેમનીડેસે જુદી જુદી માત્રામાં દાવો કર્યો હતો.

ઈશ્વરના લક્ષણોની ચોક્કસ અસરો સમજાવવાનો પ્રયત્ન કરતી વખતે, ઈશ્વરના અસ્તિત્વ અંગે ઘણા મધ્યકાલિન તત્ત્વચિંતકોએ વિચારધારા વિકસાવી હતી. આમાંના કેટલાક ગુણધર્મોનો સમન્વય કરવા જતાં અગત્યની તાત્ત્વિક સમસ્યાઓ અને ચર્ચાઓ ઊભી થઇ હતી. ઉદાહરણ તરીકે, ઈશ્વરની સર્વ સત્તા સૂચવે છે કે મુકત એજન્ટો કામ કરવાનું કેવી રીતે પસંદ કરશે તે ઈશ્વર જાણે છે. ઈશ્વર આ જાણતા હોય, તો તેમની દેખાતી સ્વતંત્ર ઈચ્છા આભાસી હોઈ શકે, અથવા પૂર્વજ્ઞાન પૂર્વમંજિલ સૂચવતું નથી; અને ઈશ્વર તે ન જાણતો હોય, તો ઈશ્વર સર્વજ્ઞ નથી.

તત્ત્વચિંતનની છેલ્લી સદીઓએ, ઈમેન્યુઅલ કેન્ટ, ડેવિડ હ્યુમ અને એન્ટની ફલૂ જેવા તત્ત્વચિંતકો દ્વારા ઊભી કરાયેલી ઈશ્વરના અસ્તિત્વ અંગેની દલીલો બાબતમાં જોરદાર પ્રશ્નો ઊભા થયેલા જોવામાં આવ્યા છે, જો કે કેન્ટે ઠરાવ્યું કે નૈતિકતાની દલીલ પ્રમાણભૂત છે. એલ્વિન પ્લેન્ટિગા જેવાનો આસ્તિકતાવાદી જવાબ કે ધર્મ “ યોગ્ય રીતે મૂળભૂત છે ” તેની સામે દલીલ કરે છે; અથવા રિચાર્ડ સ્વીનબર્ન પુરાવાલક્ષી સ્થિતિ સ્વીકારે છે. કેટલાક આસ્તિકવાદીઓ એ બાબતમાં સંમત થાય છે કે ઈશ્વરના અસ્તિત્વ અંગેની કોઈપણ દલીલ ફરજિયાત નથી, પરંતુ શ્રદ્ધા એ તર્કની પેદાશનું કારણ નથી, પરંતુ તે જોખમ માગી લે છે. તેઓ કહે છે કે તર્કશાસ્ત્રના કાયદાની જેમ ઈશ્વરના અસ્તિત્ત્વની દલીલો અદ્ધર હોય તો તેમાં કોઈ જોખમ રહેશે નહીં, પાસ્કલે પરિસ્થિતિ અંગે સંક્ષેપમાં જણાવ્યું છે કે : “ જે કારણની જાણ નથી તે કારણો હૃદય પાસે છે. ” મોટાભાગના મુખ્ય ધર્મો ઈશ્વરને રૂપક તરીકે સ્વીકારતા નથી, પરંતુ રોજ-બ-રોજના આપણા અસ્તિત્વને પ્રભાવિત કરનાર હસ્તિ તરીકે સ્વીકારે છે. કેટલાક આસ્તિકો પ્રમાણમાં ઓછી શકિતશાળી અપાર્થિવ હસ્તિઓના અસ્તિત્વનો સ્વીકાર કરે છે અને તેઓને દેવદૂત, સંત, જીન, દાનવ અને દેવાનું નામ આપે છે.

આસ્તિકવાદ અને કેવલેશ્વરવાદ

આસ્તિકવાદ સામાન્યરીતે એમ માને છે કે ઈશ્વર વાસ્તવિકપણે, નિરપેક્ષપણે અને મનુષ્યના વિચારોથી સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે; ઈશ્વરે તમામ વસ્તુનું સર્જન કર્યું છે અને તેનો નિભાવ કરે છે; ઈશ્વર સર્વશકિતમાન અને શાશ્વત છે; વ્યકિતગત છે અને બ્રહ્માંડ સાથે આંતરક્રિયા કરે છે, ઉદાહરણ તરીકે ધાર્મિક અનુભવ અને મનુષ્યોની પ્રાર્થનાઓ. તે માને છે કે ઈશ્વર અનુભવાતીત અને વિશ્વવ્યાપી છે; આમ, ઈશ્વર સાથોસાથ અનંત અને અમુક રીતે વિશ્વના કામકાજમાં હાજર હોય છે. બધા આસ્તિકવાદીઓ ઉપરનાં તમામ વિધાનોને માન્ય રાખતાં નથી, પરંતુ સામાન્યરીતે સારી એવી સંખ્યામાં તે વિધાનોને સ્વીકારે છે, સી.એફ. પરિવારનું મળતાપણું. કેથલિક સિદ્ધાંત માને છે કે ઈશ્વર અમર્યાદિતપણે સરળ છે અને તે યાદૃચ્છિક રીતે સમયને અધીન નથી. મોટાભાગના આસ્તિકવાદીઓ માને છે કે ઈશ્વર સર્વશકિતમાન, સર્વજ્ઞ અને કરુણામય છે, જો કે આ માન્યતા વિશ્વમાં દૂષણ અને દુ:ખ માટે ઈશ્વરની જવાબદારી બાબત પ્રશ્નો ઉઠાવે છે. કેટલાક આસ્તિકવાદીઓ ઈશ્વરને સ્વજાગૃત કે હેતુલક્ષી, જે સર્વશકિતમાન, સર્વજ્ઞતા અને કરુણાને મર્યાદિત કરતા અસ્તિત્વ તરીકે વર્ણન કરે છે. આની વિરુદ્ધ ખુલ્લી આસ્તિકવાદ સમર્થન કરે છે કે સમયની પ્રકૃતિને કારણે, ઈશ્વરની સર્વસત્તાનો અર્થ એવો નથી કે દેવતા ભવિષ્યની આગાહી કરી શકે. “ આસ્તિકવાદ ” કેટલીકવાર સામાન્યપણે ઈશ્વર કે ઈશ્વરોમાં, એટલે કે એકેશ્વરવાદ કે બહુ-ઇશ્વરવાદમાં કોઈપણ માન્યાતાનો ઉલ્લેખ કરવા વપરાય છે.

કેવલેશ્વરવાદી એમ માને છે કે ઈશ્વર સંપૂર્ણપણે અનુભવાતીત છે : ઈશ્વર છે, પરંતુ વિશ્વનું સર્જન કરવા જરૂરી હતું તેની પાર વિશ્વમાં તે દખલ કરતો નથી. આ દૃષ્ટિએ, ઈશ્વર માણસના જેવો નથી (એન્થ્રોપમોર્ફિક), અને શાબ્દિક રીતે પ્રાર્થનાનો જવાબ આપતો નથી કે કોઈ ચમત્કાર કરતો નથી. કેવલેશ્વરવાદમાં સામાન્ય માન્યતા એ છે કે માનવતામાં ઈશ્વરને કોઈ રસ નથી અને કદાચ માનવતાથી પણ તે વાકેફ નહીં હોય. પાનડેઈઝમ અને પાનએનડેઈઝમ, અનુક્રમે નીચે દર્શાવેલી પાનથેઇસ્ટિક કે પાનએનથેઇસ્ટિક માન્યતાઓ સાથે કેવલેશ્વરવાદને જોડે છે.

એકેશ્વરવાદનો ઇતિહાસ

ચિત્ર:Allah-eser2.png
17 મી સદીના ઓટોમાન કલાકાર હાફિઝ ઓસ્માન દ્વારા અરેબિક કેલિગ્રાફીમાં લખવામાં આવેલ ઇશ્વરનું નામ.ઇસ્લામમાં, ઇશ્વરને મનુષ્યની લાક્ષણિકતાઓ અર્પણ કરવી તે પાપ છે.

કરેન આર્મસ્ટ્રોંગ જેવા કેટલાક લેખકો એકેશ્વરવાદની વિભાવનામાં હેનોથિયેઝમ (કેવલેશ્વરવાદ) અને મોનોલેટ્રિઝમ (એકેશ્વરવાદ)ના વિચારોનો ક્રમિક વિકાસ જુવે છે. પ્રાચીન પૂર્વની નજીકમાં, દરેક શહેરનો એક સ્થાનિક પેટ્રન દેવ હતો, જેમ કે, લારસા ખાતે શામશ અર (Ur) ખાતે સીન. ચોક્કસ ઈશ્વરની વૈશ્વિક સર્વોચ્ચતાનો પ્રથમ દાવો કરે છે, જેનાં મૂળ છેક બ્રોન્ઝ યુગમાં, અખેનાતેનના ગ્રેટ હ્યુમ ટૂ ધ એટેન , અને ઝોરોસ્ટરની ગાથાઓથી અહુરા મઝદા સાથે, તારીખના પ્રશ્નો પર આધારિત છે. તે જ સમયગાળામાં, એટલે કે નસાદિયા સુક્તા સાથે, વૈદિક ભારતમાં અદ્વૈતવાદ કે એકેશ્વરવાદ. તત્વજ્ઞાન એકેશ્વરવાદ અને તેની સંકળાયેલ સંપૂર્ણ સત્ અને અસતની વિભાવનાઓ પ્રાચીનકાળમાં આવિષ્કાર પામે છે, ખાસ કરીને પ્લેટો જેમણે (સી.એફ યુથિફ્રો દુવિધા), નિયોપ્લેટોનિઝમમાં ધ વન ના વિચારમાં વિગતે વર્ણન કર્યું હતું.

ઓકસફર્ડ કમ્પેનિયન ટુ ર્વલ્ડ માઈથોલોજી પ્રમાણે, “ પ્રાચીન હિબ્રૂઓ વચ્ચે સંબંધના અભાવને લીધે એકેશ્વરવાદને– પણ મોનોલેટ્રી, અનેક પૈકી એક જ ઈશ્વરની– સંપૂર્ણપણે પ્રાર્થના બનાવી અશક્યતા ...અને તેમ છતાં એવી દલીલ કરી શકાય છે કે યહુદીવાદમાં એકેશ્વરવાદની પ્રથમ સ્થાપના માટે ઈ.સ. પૂર્વેના પ્રથમ શતકથી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી યહુદી ધર્મગુરુ કે ટેલમુડિક (યહુદીનો ધર્મગ્રંથ) ની પ્રક્રિયા જરૂરી હતી. ” ઈસ્લામના સિદ્ધાંતમાં, જે વ્યકિત સ્વયંસ્ફૂર્તિથી એકેશ્વરવાદની “ શોધ ” કરે તેને હનીફ (hanif) કહે છે, મૂળ હનીફ (hanif) અબ્રાહમ છે. ઓસ્ટ્રિયન નૃવંશશાસ્ત્રી વિલ્હેલમ સ્કમીડટે 1910માં ઉર્મોનોથેઝ્મ્સ , “ મૂળ ” કે “ આદિમ એકેશ્વરવાદ ” ની કલ્પના કરી જે સિદ્ધાંતનો તુલનાત્મક ધર્મમાં વ્યાપકપણે અસ્વીકાર થયો, પરંતુ હજુ કયારેક સર્જક સર્કલોમાં બચાવ થાય છે.

એકેશ્વરવાદ અને પાનઈશ્વરવાદ

એકેશ્વરવાદ માને છે કે માત્ર એક જ ઈશ્વર છે, અને દાવો કરે છે કે, એક સાચા ઈશ્વરની જુદાં જુદાં નામોથી જુદાં જુદાં ધર્મોથી પ્રાર્થના થાય છે. તમામ ઈશ્વરવાદીઓ, ઈશ્વરને જાણતા હોય કે ન જાણતા હોય તો પણ, એક જ ઈશ્વરની ખરેખર પૂજા કરે છે, એવા અભિપ્રાય પર હિંદુધર્મમાં અને શીખધર્મમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જુદા જુદાં ધર્મના અનુયાયીઓ, આમ છતાં, ઈશ્વરની ઉત્તમ પ્રાર્થના કેવી રીતે થાય અને મનુષ્યજાત માટે ઈશ્વરની યોજના કઈ છે તે અંગે સામાન્યરીતે સહમત નથી. એકેશ્વરવાદ ધર્મોના પરસ્પરવિરોધી દાવાઓના સંકલન કરવા અંગે જુદા જુદા અભિગમો પ્રવર્તે છે. એક અભિપ્રાય ખાસ વ્યકિતઓએ વ્યકત કર્યો છે, જેઓ માને છે કે તેઓ પસંદ કરાયેલ લોકો છે અથવા સામાન્યરીતે સાક્ષાત્કાર કે તેને દૈવી તત્ત્વનો મુકાબલો કરીને સંપૂર્ણ સત્યમાં સંપૂર્ણ પ્રવેશ મેળવ્યો છે, જે બીજા ધર્મના અનુયાયીઓને મળ્યો નથી. બીજો અભિપ્રાય ધાર્મિક અનેકતાવાદનો છે. અનેકતાવાદી ખાસ કરીને માને છે કે તેનો જ ધર્મ સાચો છે, પરંતુ બીજા ધર્મોના આંશિક સત્યને નકારતા નથી. ખ્રિસ્તી ધર્મમાં અનેકતાવાદીના અભિપ્રાયનું એક ઉદાહરણ સુપરસેશનિઝમ છે, એટલે કે, એવી માન્યતા કે એક વ્યકિતનો ધર્મ આગલા ધર્મોની પરિપૂર્ણતા છે. ત્રીજો અભિગમ સંબંધિત સમાવેશનનો છે, જ્યાં દરેકને સમાન હક તરીકે જોવામાં આવે છે; ક્રિશ્ચિયનિટીમાં ઉદાહરણ સાર્વત્રિકતાનું છે : એવો સિદ્ધાંત છે કે મોક્ષ આખરે દરેકને મળી શકે છે. ચોથો અભિગમ સંવાદિતાનો છે, જુદા જુદા ધર્મોના જુદા જુદા તત્ત્વોને સંયોજિત કરવાનો છે. સંવાદિતાનું ઉદાહરણ નવા યુગનું આંદોલન છે.

પાનઇશ્વરવાદ માને છે કે ઈશ્વર બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ ઈશ્વર છે, જ્યારે પાનએન્થેઇઝમ માને છે કે ઈશ્વર સમાવેશ કરે છે, પરંતુ બ્રહ્માંડને મળતો આવતો નથી; બંને વચ્ચેનો તફાવત ગૂઢ છે. લિબરલ કેથલિક ચર્ચનો, થિયોસોફીનો પણ આવો જ દૃષ્ટિકોણ છે, તેમજ પાનએન્થેઇઝમમાં માનતા વૈષ્ણવવાદ સિવાયના હિંદુવાદના કેટલાક મંતવ્યો શીખવાદ, બૌદ્ધ ધર્મના કેટલાક પ્રભાગો, નિયોપેગ્નિઝમ અને તાઓઈઝમના વિભાગો, તથા વિવિધ નામવાળા સંપ્રદાયો અને સંપ્રદાયોની વ્યકિતઓ આવો જ અભિપ્રાય ધરાવે છે. કબાલા, યહુદી ગૂઢવાદ, ઈશ્વરના પાન્થેઇસ્ટિક/પાનએન્થેઇસ્ટિક દૃષ્ટિકોણને રજૂ કરે છે - જેમાં હસિદિક જુદાઇઝમ, ખાસ કરીને તેમના સ્થાપક ધ બાલ શેમ ટોવનો વ્યાપક સ્વીકાર કરાયો છે - પરંતુ તે માત્ર વ્યકિતગત ઈશ્વરના યહુદી દૃષ્ટિકોણમાં ઉમેરા તરીકે છે, ઈશ્વરનો વ્યકિત તરીકે ઈન્કાર કે તે મર્યાદિત કરનાર મૂળ પાન્થેઇસ્ટિક ભાવનાના અર્થમાં નથી.

અસાધારણ આસ્તિકવાદ અને નાસ્તિકવાદ

ધર્મશાસ્ત્ર સાથે સંબંધિત અસાધારણ આસ્તિકવાદ એ આસ્તિકવાદનું સ્વરૂપ છે, જે માને છે કે ઈશ્વર, ક્યાં તો અસત્ તત્ત્વની સમસ્યાના પરિણામ તરીકે સંપૂર્ણપણે સારો નથી કે સંપૂર્ણપણે દુષ્ટ નથી. આનું એક ઉદાહરણ શેતાન કે દાનવ થઇ શકશે. નાસ્કિતવાદ માને છે કે બ્રહ્માંડને આધ્યાત્મિક કે આધ્યાત્મિક હસ્તિના કોઈપણ ઉલ્લેખ વિના સમજાવી શકાય. કેટલાક નાસ્તિકો ઈશ્વરની વિભાવનાને નકારે છે, તેની સાથે એવું પણ સ્વીકારે છે કે તે ઘણાને માટે મહત્વપૂર્ણ છે; અન્ય નાસ્તિકો ઈશ્વરને માનવીય મૂલ્યો અને આકાંક્ષાઓના પ્રતીક તરીકે સમજે છે. બૌદ્ધવાદની ઘણી શાખાઓને નાસ્તિક ગણવામાં આવે છે.

ઈશ્વર અને વૈજ્ઞાનિક સ્થિતિ

સ્ટીફન જય ગોલ્ડે તત્ત્વચિંતનના વિશ્વને જેને તે “ નોન-ઓવરલેપિંગ મેજિસ્ટેરિયા ” એનઓએમએ (NOMA) કહે છે, તેમાં વિભાજીત કરવાનો અભિગમ વિચાર્યો હતો. આ દૃષ્ટિકોણમાં, અલૌકિકના પ્રશ્નો જેમ કે ઈશ્વરનાં અસ્તિત્વ અને સ્વરૂપ અંગેના પ્રશ્નો છે, પ્રયોગમૂલક નથી અને ધર્મશાસ્ત્રનું યોગ્ય સ્ત્રોત છે. ત્યારબાદ વિજ્ઞાનની પદ્ધતિઓનો, કુદરતી વિશ્વ અંગેના ધર્મવિષયક કોઈપણ પ્રશ્નોનો જવાબ આપવા ઉપયોગ કરવો જોઇએ અને ધર્મશાસ્ત્રનો ઉપયોગ અંતિમ અર્થ અને નૈતિક મૂલ્ય અંગેના પ્રશ્નોના જવાબ આપવા માટે કરવો જોઇએ. આ દૃષ્ટિએ, કુદરતી ઘટનાઓ પર સુપરનેચરલના આપખુદ શાસનમાંથી કોઇપણ ધર્મવિષયક પદ્મચિહ્નોનો સમજમાં આવેલો અભાવ, વિજ્ઞાનને કુદરતી વિશ્વમાં એકમાત્ર કર્તા બનાવે છે.

રિચાર્ટ ડોકિન્સે રજૂ કરેલો બીજો અભિપ્રાય એવો છે કે, ઈશ્વરનું અસ્તિત્વ એ ધર્મવિષયક પ્રશ્ન છે, કેમ કે “ ઈશ્વર સાથેનું બ્રહ્માંડ તેના વિનાના બ્રહ્માંડ કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનું હશે, અને તે તફાવત વૈજ્ઞાનિક હશે. ” કાર્લ સાગને દલીલ કરી હતી કે બ્રહ્માંડના સર્જકનો સિદ્ધાંત સાબિત કરવો કે સામાન્ય કરાવવો મૂશ્કેલ હતું અને તેનો પ્રતિકાર કરી શકે તેવી એકમાત્ર ગળે ઊતરે તેવી વૈજ્ઞાનિક શોધ એ છે કે તે અનંત જૂનું બ્રહ્માંડ હશે.

ઈશ્વરની મનુષ્ય તરીકે કલ્પના કરનાર વાદ (એન્થ્રોપોમોર્ફિઝમ)

પાસ્કલ બોયેર દલીલ કરી છે કે, વિશ્વની આસપાસ જણાતી અલૌકિક વિભાવનાઓની વ્યાપક વ્યૂહરચના છે ત્યારે સામાન્યપણે, અલૌકિક હસ્તિઓ લોકોની જેમ વધુ વર્તે છે. દેવો અને સ્પિરિટની રચના વ્યકિતઓ જેવી હોય છે, જે ધર્મનું સૌથી વધુ જાણીતું લક્ષણ પૈકીનું એક છે. ગ્રીક દંતકથાઓમાંથી તે ઉદાહરણો ટાંકે છે, જે તેમના મતે બીજી ધર્મ-વ્યવસ્થાઓ કરતાં વધુ આધુનિક સોપ-ઓપેરા જેવું છે. બર્ટ્રાન્ડ ડુ કેસલ અને ટિમોથી જર્ગેન્સેને ઔપચારિકતા મારફત દર્શાવ્યું કે બોયેરનું સ્પષ્ટીકરણ મોડેલ, અવલોકનપાત્ર હસ્તિઓને સીધેસીધા મધ્યસ્થી તરીકે નહીં મૂકવાના ભૌતિકશાસ્ત્રના પ્રકૃતિના અભ્યાસ સાથે મળતું આવે છે. નૃવંશશાસ્ત્રી સ્ટેવર્ટ ગુથેરી દલીલ કરે છે કે, લોકો મનુષ્યનાં લક્ષણે વિશ્વના અમાનવીય પાસાં પર પ્રક્ષેપિત કરે છે, કારણ કે તેનાથી તે પાસાં વધુ પરિચિત બને છે. સિગમન્ડ ફ્રેઉડે પણ સૂચવ્યું હતું કે ઈશ્વરની વિભાવનાઓ વ્યકિતના પિતાની કલ્પનાઓ છે.

તે જ પ્રમાણે, એમિલી ડર્કહેમ પ્રાચીનો પૈકી એક હતા, જેમણે સૂચવ્યું કે દેવતાઓ સુપરનેચરલ હસ્તિઓનો સમાવેશ કરવા મનુષ્યના સામાજિક જીવનનું વિસ્તરણ રજૂ કરે છે. આ તર્કના ધોરણે, મનોવિજ્ઞાની મટ્ટ રોસ્માનોએ કહ્યું છે કે, માણસો વિશાળ સમૂહોમાં રહેવાનું શરૂ કરે છે, ત્યારે તેઓએ નૈતિકતાને અમલમાં મૂકવાના સાધનો તરીકે ઈશ્વરનું સર્જન કર્યું હોય. નાનાં સમૂહોમાં, નૈતિકતા અફવા કે પ્રતિષ્ઠા જેવાં સામાજિક બળોની અમલમાં મૂકી શકાશે. આમ છતાં મોટા સમૂહોમાં સામાજિક બળોનો ઉપયોગ નૈતિકતાના અમલ માટે કરવાનું ખૂબ મૂશ્કેલ બને છે. તે દર્શાવે છે કે વધુ જાગરુક દેવતાઓ અને સ્પિરિટનો સમાવેશ કરીને, મનુષ્યોએ સ્વાર્થીપણાને નિયંત્રિત કરવાનો અને વધુ સહકારી સમૂહો ઊભાં કરવાનો અસરકારક વ્યૂહ શોધી કાઢયો હતો.

ઇશ્વરમાં માન્યતાનું વિતરણ

ઈશ્વર 
2005 ની યુરોપિય દેશોની વસતી ગણતત્રીમાં જે લોકોએ પ્રતિભાવ આપ્યો કે તેઓ "માને છે કે ઇશ્વર છે" તેની ટકાવારી. રોમન કેથોલિક (ઉદા. પોલેન્ડ, પોર્ટ્યુગલ) પૂર્વિય રૂઢિચુસ્ત (ગ્રીસ, રોમાનિયા) અથવા મુસ્લિમ (તુર્કી)બહુમતીવાળા દેશોએ સૌથી વધારે મત આપ્યા હતા.

2000ના રોજ, વિશ્વની વસતિ લગભગ 53 % લોકો ત્રણ અબ્રાહમિક ધર્મો પૈકી એકમાં (33 % ખ્રિસ્તી, 20 % ઈસ્લામ, <1% યહુદી), 6% બુદ્ધ ધર્મી, 13 % હિંદુ ધર્મી, 6% પરંપરાગત ચાઈનીઝ ધર્મ, 7 % બીજા વિવિધ ધર્મો, અને 15 % કરતાં ઓછા બિન-ધાર્મિક તરીકે મુકરર કરેલ છે. મોટાભાગની આ ધાર્મિક માન્યતાઓમાં ઈશ્વર કે ઈશ્વરો સામેલ છે.

મુખ્ય ત્રણ

  • ઈશ(કાળ બ્રહ્મ)

ગીતા અ.૧૧ શ્લોક ૩૨, અ.૧૫ શ્લોક ૧૬

  • ઈશ્વર(પર બ્રહ્મ)

ગીતા અ.૧૫ શ્લોક ૧૬

  • પરમેશ્વર(પરમ અક્ષર બ્રહ્મ)

ગીતા અ.૮ શ્લોક ૩, અ. ૮ શ્લોક ૯ અ. ૧૫ શ્લોક ૧૭

સંદર્ભો

નોંધ

બાહ્ય કડીઓ

Tags:

ઈશ્વર વ્યુત્પત્તિ અને ઉપયોગઈશ્વર નાં નામોઈશ્વર ની વિભાવનાઓઈશ્વર નું અસ્તિત્વઈશ્વર ધર્મવેત્તાઓનો અભિગમઈશ્વર એકેશ્વરવાદનો ઇતિહાસઈશ્વર અને વૈજ્ઞાનિક સ્થિતિઈશ્વર ઇશ્વરમાં માન્યતાનું વિતરણઈશ્વર મુખ્ય ત્રણઈશ્વર સંદર્ભોઈશ્વર નોંધઈશ્વર બાહ્ય કડીઓઈશ્વર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગણેશગુજરાતના રાજ્યપાલોભારતનો રાષ્ટ્રધ્વજઇસરોભેંસસંયુક્ત આરબ અમીરાતપરશુરામએપ્રિલ ૨૫ચણોઠીસીતામકરંદ દવેગોરખનાથભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસજયંત પાઠકકલાપીમોરબીકાલ ભૈરવડેન્ગ્યુમોહેં-જો-દડોસાવિત્રીબાઈ ફુલેચીપકો આંદોલનચંદ્રએ (A)રૂઢિપ્રયોગરા' ખેંગાર દ્વિતીયકાળા મરીહવામાનકારડીયારમાબાઈ આંબેડકરમોરારજી દેસાઈક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭જાહેરાતસૌરાષ્ટ્રઝાલાપારસીસંયુક્ત રાષ્ટ્રસંઘપાટણસ્વપ્નવાસવદત્તાભારતનો ઇતિહાસતક્ષશિલાપાટણ જિલ્લોઆચાર્ય દેવ વ્રતલીમડોયજુર્વેદપુરાણતરબૂચમંદિરસમાજસ્નેહલતાજવાહરલાલ નેહરુવિશ્વ પર્યાવરણ દિવસસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસિકંદરબારડોલી સત્યાગ્રહઆણંદ જિલ્લોઘોડોસંત રવિદાસગુજરાતી થાળીધરતીકંપઆયુર્વેદત્રેતાયુગબાબરમધુ રાયરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)વ્યક્તિત્વહિમાલયકર્ક રાશીવિશ્વની અજાયબીઓરવિન્દ્રનાથ ટાગોરઅપ્સરારસાયણ શાસ્ત્રબહુચર માતાકસ્તુરબામહિનોચંદ્રગુપ્ત મૌર્યગાંધીનગર લોક સભા મતવિસ્તારકબજિયાતભુજ🡆 More