યશોધર નર્મદાશંકર મહેતા (૨૪ ઓગસ્ટ ૧૯૦૯ - ૨૯ જૂન ૧૯૮૯) એ એક ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.
તેઓ તેમના ભવિષ્ય વિષયક લેખનો માટે જાણીતા છે. ૧૯૪૬માં તેમને કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
યશોધર મહેતા | |
---|---|
જન્મ | યશોધર નર્મદાશંકર મહેતા August 24, 1909 અમદાવાદ, ગુજરાત |
મૃત્યુ | June 29, 1989 અમદાવાદ, ગુજરાત | (ઉંમર 79)
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | કુમાર સુવર્ણ ચંદ્રક |
માતા-પિતા | નર્મદાશંકર મહેતા (પિતા) |
તેમનો જન્મ ૧૯૦૯માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્યકાર નર્મદાશંકર મહેતાને ઘરે થયો હતો. ૧૯૩૨માં તેમણે ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૪૦માં તેઓ લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. અને તેમણે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહ્યા હતા. ૧૯૮૯માં તેમનું હૃદયરોગથી અવસાન થયું હતું.
તેમણે ઘણાં નાટકોનાં પુસ્તકો લખ્યા છે જેમાંના અમુક આ મુજબ છે:
રણછોડલાલ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. મંબો જંબો અને ઘેલો બબલ પ્રહસનો છે અને સમર્પણ રેડિયોનાટક છે.
સરી જતી રેતી ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨) જાતીય સંબંધો અને કામુક નિરૂપણોને આલેખતી તેમજ સમાજમાં ચર્ચાસ્પદ બનેલી નવલકથા છે. ઐતિહાસિક પરિબળોમાંથી જન્મતા ઘર્ષણ અને અધ્યાત્મના વિષયને આલેખતી વહી જતી જેલમ (૧૯૫૫), તુંગનાથ (૧૯૫૭), સંધ્યારાગ (૧૯૬૩) અને મહમદ ગઝની (૧૯૬૬) ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ છે. મહારાત્રિ (૧૯૫૪) તેમના અધ્યાત્મના અનુભવને આલેખતી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા નેવું વર્ષ (૧૯૭૪–૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે.
ઐતિહાસિક પ્રેમકથા, યોગસિદ્ધિના અનુભવો અને વ્યક્તિવિશેષનાં ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે;
તેમણે તેમના પિતા નર્મદાશંકર મહેતા વિશેના નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ (૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો લખ્યા છે.
૧૯૪૬માં તેમને કુમાર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ સ્ટેશનની ઉત્તર તરફ આવેલા એક ચોકને યશોધર મહેતા ચોક નામ આપવામાં આવ્યું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article યશોધર મહેતા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.