દત્તવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે.
દત્તવાડા ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
દત્તવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°32′41″N 73°47′27″E / 21.544747°N 73.790971°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
તાલુકો | સાગબારા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
વનપેદાશો | મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ |
આ ગામમા પાચેક પટેલોના ઘરો પણ આવેલા છે. જેઓ ઇ.સ. ૧૯૩૬થી અહી વસે છે. મુખ્યત્વે તેમનો વ્યવસાય ખેતીનો છે. આ પ્રાંત તે વખતે એક દેશી રજવાડું હતું અને તેના છેલ્લા રાજા કરણસિંહ ફતેસિંહ હતા. ૧૯૩૬માં નિઝરથી આવેલા પાટીદાર સજનભાઈ ગુલાલભાઈ પટેલે રાજા પાસેથી લગભગ ૧૫૦ એકર જેટલી જમીન જંગલના રૂપમાં ખરીદેલી અને આદિવાસીઓ સાથે રહી જંગલમાં ખેતીનો આરંભ કર્યો હતો. તેમના વારસદારો આજે તે જમીન ખેડે છે.[સંદર્ભ આપો]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દત્તવાડા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.