મંથરા (સંસ્કૃત: मन्थरा) એ હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે.
રામાયણમાં, તેણીએ દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીને ખાતરી આપી હતી કે અયોધ્યાનું સિંહાસન તેના પુત્ર ભરતનું જ છે અને તેના સાવકા પુત્ર રાજકુમાર રામને રાજ્યમાંથી દેશનિકાલ કરવો જોઈએ. કૈકેયીના દશરથ સાથેના લગ્ન પછી મંથરા તેની દાસી તરીકે અયોધ્યા આવી હતી. કૈકેયી અને મંથરા કૈકેય પ્રદેશમાંથી આવ્યા હતા, જે હાલના પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં હતો એવું મનાય છે. મંથરા કૈકેય પ્રદેશના રાજા અશ્વપતિના ભાઇ બૃહદ્રથની પુત્રી હતી અને તેનું નામ રેખા હતું. યુવાનવયે બીમાર પડવાથી તેની કરોડરજ્જુ વાંકી થઇ ગઇ હતી અને તે પછીથી મંથરા તરીકે ઓળખાતી થઇ. શરીરથી ત્રણ ઠેકાણેથી વાંકી હોવાથી તેનું બીજું નામ ત્રિવક્રા પડયુ હતું અને તે કુબ્જા તરીકે પણ ઓળખાતી હતી.
મંથરા | |
---|---|
રામાયણનું પાત્ર | |
મંથરા (ડાબે) કૈકૈયી સાથે | |
માહિતી | |
ઉપનામો | ત્રિવક્રા, કુબ્જા |
લિંગ | સ્ત્રી |
વ્યવસાય | દાસી |
તુલસીદાસે રામચરિતમાનસમાં મંથરાને વાક્પટુ, કુશળ અને રાજકારણી પાત્ર તરીકે વર્ણવી છે.
કૈકેયીની પારિવારિક દાસી તરીકે, મંથરા તેના જન્મના સમયથી તેની સાથે રહેતી હતી. જ્યારે તેણી સાંભળે છે કે રાજા દશરથ તેના મોટા પુત્ર રામને (ભરતને બદલે) રાજકુમાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે, ત્યારે તે ગુસ્સામાં દોડીને કૈકેયીને સમાચાર આપે છે. કૈકેયી શરૂઆતમાં પ્રસન્ન થાય છે અને મંથરાને મોતીનો હાર આપે છે.
મંથરા કૈકેયીને દશરથે આપેલા બે વરદાનની યાદ અપાવે છે જ્યારે તેણીએ એકવાર યુદ્ધમાં તેનો જીવ બચાવ્યો હતો. કૈકેયીએ આ વરદાન પછીથી વાપરવા માટે રાખ્યા હતા અને મંથરાએ તેને સમજાવી કે આ વરદાન માંગવાનો યોગ્ય સમય છે. તેણી કૈકેયીને તેના રૂમમાં ગંદા કપડા પહેરીને અને આભૂષણો વગર કોપભવનમાં સૂવાની સલાહ આપે છે. તેણીએ ક્રોધનો ડોળ કરીને ગુસ્સે થવું જોઇએ અને રડવું જોઈએ. જ્યારે દશરથ તેને સાંત્વના આપવા આવશે, ત્યારે તેણે તરત જ વરદાન માંગવું જોઈએ. પહેલું વરદાન એ હશે કે ભરતને રાજા બનાવવામાં આવશે. બીજું વરદાન એ હશે કે રામને ચૌદ વર્ષ માટે વનવાસ માટે મોકલવામાં આવે. મંથરાનું માનવું છે કે ભરતને સામ્રાજ્યમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને લોકોના હૃદયમાં પોતાનો માર્ગ બનાવવા માટે ચૌદ વર્ષનો દેશનિકાલ પૂરતો હશે.
રામના વનવાસ પછી રામાયણમાં મંથરાનો એક જ ઉલ્લેખ છે. કૈકેયી દ્વારા મોંઘા વસ્ત્રો અને આભૂષણોનું દાન કરાયા પછી તે મહેલના બગીચામાં ફરતી હતી ત્યારે ભરત અને શત્રુઘ્ન તેને મળે છે. તેને જોતા જ શત્રુઘ્ન ગુસ્સે થાય છે અને મંથરાને મારવા માટે દોડે છે. કૈકૈયી તે સમયે શત્રુઘ્નને મનાવે છે કે સ્ત્રીની હત્યા કરવી પાપ છે અને તેમ કરતા રામ બંને ભાઇઓ પર નારાજ થશે. કૌશલ્યા પણ વચ્ચે પડતા બંને ભાઇઓ શાંત થાય છે અને સ્થળ છોડી જાય છે અને કૈકેયી મંથરાને સાંત્વના આપે છે. ભરતના રામની શોધના કાર્યમાં કૈકેયીની સાથે મંથરા પણ જોડાય છે.
૧૪ વર્ષના વનવાસ પછી જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવ્યા, અને રામને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા. રામના રાજ્યાભિષેક પછી, રામ અને સીતાએ તેમના સેવકોને ઝવેરાત અને વસ્ત્રો ભેટમાં આપ્યા. પછી રામે કૈકેયીને પૂછ્યું કે મંથરા ક્યાં છે. પછી, કૈકેયીને કહેવામાં આવે છે કે મંથરાને તેના કૃત્ય માટે ખૂબ જ પસ્તાવો છે અને તે ૧૪ વર્ષથી રામની માફી માંગવાની રાહ જોઈ રહી છે. રામ એક અંધારા ઓરડામાં ગયા જ્યાં મંથરા જમીન પર સૂતી હતી. લક્ષ્મણ, સીતા અને રામને જોઈને તેણે માફી માંગી અને રામે તેને માફ કરી દીધી.
This article uses material from the Wikipedia ગુજરાતી article મંથરા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.