ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા.
ખલીલ ધનતેજવી | |
---|---|
ખલીલ ધનતેજવી | |
જન્મ | ખલીલ ઇસ્માઇલ મકરાણી December 12, 1935 ધનતેજ |
મૃત્યુ | 4 April 2021 વડોદરા | (ઉંમર 85)
અંતિમ સ્થાન | વડોદરા |
વ્યવસાય | કવિ, લેખક, પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા |
ભાષા | ગુજરાતી, ઉર્દૂ |
રાષ્ટ્રીયતા | ભારત |
શિક્ષણ | ધોરણ ૪ |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી |
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.
૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.
તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.
તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૨૦૨૨ માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રી નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ખલીલ ધનતેજવી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.