કૈલાશ સત્યાર્થી (હિંદી ભાષા:कैलाश सत्यार्थी; અંગ્રેજી: Kailash Satyarthi;) (જન્મ: ૧૧ જાન્યુઆરી ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે .
તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.
કૈલાશ સત્યાર્થી | |
---|---|
જન્મ | ૧૧ જાન્યુઆરી ૧૯૫૪ વિદિશા |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | Children's rights activist, શિક્ષણશાસ્ત્રી, વિદ્યુત એન્જિનિયર |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://www.kailashsatyarthi.net/ |
તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.
કૈલાશભાઈ નવી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર, પુત્રવધુ અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમના સામાજીક આંદોલન સિવાયના જીવનમાં તેઓ ઉમદા રસોઈ બનાવનાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article કૈલાશ સત્યાર્થી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.