ઓથાર એ અશ્વિની ભટ્ટ લિખિત ૧૯૮૪ માં પ્રકાશિત થયેલ, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ પછી પાત્રોના ભવિષ્યને વર્ણવતી, શોકાંતિકા, રહસ્યમય ગુજરાતી નવલકથા છે.
૧૧૧૫ પૃષ્ઠો ધરાવતી આ નવલકથા બે ખંડો ધરાવે છે.
લેખક | અશ્વિની ભટ્ટ |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાશક | નવભારત સાહિત્ય મંદિર |
પ્રકાશન તારીખ | ૧૯૮૪ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
પાનાં | ૧૧૧૫ |
આ નવલકથા ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિની નિષ્ફળતા પછીનો કાળખંડ ધરાવે છે અને તેના પાત્રોના ભવિષ્યનું વર્ણન કરે છે. નવલકથા તેના મુખ્ય પાત્ર સેજલસિંહની આસપાસ વણેલી છે. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી એક શોકાંતિકા (ટ્રેજેડી), રહસ્યમયતા જેવા તત્ત્વો પણ ધરાવે છે. અશ્વિની ભટ્ટ આ પહેલાંની નવલક્થાના શીર્ષકો નાયિકાના નામથી આપતા હતા, આ નવલક્થાથી તેમણે નવલકથાને વિષવસ્તુ અધારિત નામ આપવા શરૂ કર્યા.
નવલક્થાનું મુખ્ય પાત્ર સેજલસિંહ આગનો ભોગ બનતા કુરૂપ બને છે. મોટા ભાગના સ્વજનો તેને મૃત સમજે છે પણ તેનો ઘોડો તેને ઓળખી પાડે છે. સેજલસિંહનો દિવાન તેને અપ્રકટ રાખી તેની મદદ કરતો રહે છે. સેજલસિંહ સાથે તેની સંગીની સેના અને અંગ્રેજ યુવતી 'ગ્રેઈસ' પણ નવલકથાના મુખ્ય પાત્રો છે. આ બન્ને થકી તેને પુત્રો છે અને તેની જાગીર કોને મળશે તેની અંટસ નિર્માણ થાય છે. સેજલસિંહની માતા રાજેશ્વરી તેના પુત્રોને ખેરા સિંહના પુત્રો તરીકે દર્શાવે છે. નવલકથાનો કથારસ ખજાના અને સેજલસિંહના પિતાની નિષ્ઠા પર આધારિત છે. નવલક્થાના સ્થળો અને પાત્રોના નામ કલ્પિત છે પણ તેમાં ઐતિહાસિક કાલખંડને લાગતી પૃષ્ઠ ભૂમિના વર્ણનો જોતા લેખનો ઇતિહાસ-ભૂગોળનો ઊંડો અભ્યાસ જણાઈ આવે છે.
આ નવલકથાની પ્રથમ બે આવૃત્તિની ત્રણ હજાર નકલોનું મુદ્રણ થયું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઓથાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.