ઠાકુર રોશન સિંહ (૨૨ જાન્યુઆરી ૧૮૯૨ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) એક ભારતીય ક્રાંતિકારી હતા, જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો.
તેમને ૧૯૨૧-૨૨ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા. તેમણે ઓગસ્ટ ૧૯૨૫ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર ૧૯૨૪માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી ૧૯૨૬માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો. રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અલ્હાબાદ જિલ્લાની મલકા/નૈની જેલમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
રોશન સિંહ | |
---|---|
રોશન સિંહ | |
જન્મની વિગત | સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | 22 January 1892
મૃત્યુ | 19 December 1927 સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 35)
સંસ્થા | હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
અમર શહીદ ઠાકુર રોશન સિંહની પ્રતિમા મલાકા જેલ, નૈની, અલ્હાબાદના ફાંસી ઘરની સામે સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં આ જગ્યાએ એક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ સ્વરૂપ રાની હોસ્પિટલ છે. સ્વરૂપ રાની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે તેમની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની નીચે ઠાકુર સાહેબે કહેલી આ પંક્તિઓ પણ અંકિત છે -
This article uses material from the Wikipedia ગુજરાતી article રોશન સિંહ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.