પીઠનો દુખાવો એ પીઠમાં અનુભવાતી પીડા છે જે સામાન્ય રીતે સ્નાયુઓ, ચેતા, અસ્થિ, સાંધા અથવા મેરૂદંડના માળખામાંથી પેદા થતી હોય છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
આ દુખાવાને ગરદનનો દુખાવો, પીઠના ઉપરના ભાગમાં દુખાવો, કમરનો દુખાવો અથવા પૃચ્છઅસ્થિમાં દુખાવો એમ વિભાજિત કરવામાં આવે છે. તે અચાનક હુમલો અથવા હઠીલો દુખાવો હોઇ શકે છે. તે સતત હોઇ શકે છે અથવા છૂટોછવાયો હોઇ શકે છે, તે એક સ્થળે રહે છે અથવા શરીરના અન્ય ભાગોમાં પણ ફરતો રહે છે. દુખાવો હળવો, અથવા તીવ્ર અથવા વીંધી નાખે અથવા બળતરાનો અનુભવ થાય તેવો હોય છે. પીઠના ઉપરના ભાગમાં દુખાવો કાંડા અને હાથ સુધી પહોંચી શકે છે અથવા પીઠના નીચેના ભાગમાં પગ અથવા પંજા સુધી પહોંચી શકે છે. તેમાં દુખાવા ઉપરાંત નબળાઇ, સુન્નતા અથવા બળતરા જેવી અન્ય પીડાના લક્ષણોનો પણ સમાવેશ થાય છે.
પીઠમાં દુખાવો માનવ જાતની હંમેશની ફરિયાદ રહી છે. અમેરિકામાં તીવ્ર હળવો પીઠનો દુખાવો (જેને લમ્બાગો પણ કહેવાય છે) ફિઝીશિયનની મુલાકાત લેવાનું પાંચમું સૌથી સામાન્ય કારણ છે. પ્રત્યેક દસમાંથી નવ પુખ્ત વ્યક્તિ જીવનમાં કોઇને કોઇ એક તબક્કે પીઠમાં દુખાવાનો અનુભવ કરે છે અને કામ કરતા પ્રત્યેક દસમાંથી પાચ પુખ્ત વ્યક્તિ દર વર્ષે પીઠનો દુખાવો અનુભવે છે.
મેરૂદંડ એ ચેતાઓ, સ્નાયુઓ, કંડરા અને અસ્થિબંધનોને જોડતું જટીલ માળખું છે અને તે તમામ પીડા પેદા કરવાને સક્ષમ છે. મેરૂદંડમાંથી પેદા થતી અને પગ અને કાંડામાં જતી મોટી ચેતાઓ પીડાને અન્ય અંગો સુધી પહોંચાડી શકે છે.
પીઠના દુખાવાને રોગનિદાન મુજબ યાંત્રિક અથવા અનિર્દિષ્ટ પીઠનો દુખાવો અને ગૌણ પીઠનો દુખાવો એમ વર્ગીકૃત કરવામાં આવે છે. પીઠનો દુખાવો ધરાવતા લગભગ 98% દર્દીનું અનિર્દિષ્ટ તીવ્ર પીઠના દુખાવા સાથે નિદાન થાય છે જે ગંભીર મૂળભૂત રોગશાસ્ત્ર ધરાવતું નથી. જોકે, ગૌણ પીઠનો દુખાવો જે મૂળભૂત સ્થિતિને કારણે પેદા થાય છે, તેના લગભગ 2% કિસ્સા હોય છે. આ કેસના મૂળભૂત રોગશાસ્ત્રમાં મેટાસ્ટેટિક કેન્સર, સ્પાઇનલ ઓસ્ટિઓમાયિલિટીસ અને એપિડ્યુરલ એબસેસનો સમાવેશ થાય છે જેના 1% દર્દી હોય છે. આ સ્થિતિ સાથે સંકળાયેલી સૌથી સામાન્ય ચેતાકીય હાનિ ગાદી હર્નિયેશનની સમસ્યા છે જેમાંથી ગાદી હર્નિયેશનના 95 ટકા કિસ્સા સૌથી નીચેની બે કટિ મેખલામાં થાય છે.
પીઠનો દુખાવો એ ગંભીર તબીબી સમસ્યાની નિશાની હોઇ શકે છે. જોકે, તે મોટે ભાગે મૂળભૂત કારણ હોતું નથી.
પીઠનો દુખાવામાં સામાન્ય રીતે તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોતી નથી. પીઠમાં દુખાવો ઉપડવાની સમસ્યા મોટે ભાગે આત્મ-મર્યાદિત અને બિનપ્રગતીશીલ હોય છે. મોટા ભાગનો પીઠનો દુખાવો સોજાને કારણે હોય છે તેમાં પણ ખાસ કરીને તીવ્ર તબક્કામાં, જે લાક્ષણિક રીતે બે સપ્તાહથી ત્રણ મહિના સુધી ચાલે છે.
કેટલાક નિરીક્ષણાત્મક અભ્યાસો સૂચવે છે કે જે બે સ્થિતિ, કટિ ગાદી હર્મિનેશન અને ડીજનરેટિવ ડિસ્ક ડિસીઝને કારણે ઘણીવાર પીઠનો દુખવો થાય છે તે સામાન્ય વસતી કરતા પીડાવાળા લોકોમાં વધુ પ્રચલિત ન હોઇ શકે અને જે તંત્રને કારણે આ સ્થિતિઓ પીડા પેદા કરી શકે છે તે હજુ સુધી જાણી શકાઇ નથી. અન્ય અભ્યાસો સૂચવે છે કે 85 ટકા કેસોમાં કોઇ દેહધાર્મિક કારણ બતાડી શકાયું ન હતું.
કેટલાક અભ્યાસો સૂચેવે છે કે કામના સમયે તણાવ અને નિષ્ક્રિય પારિવારિક સંબંધો જેવા મનોસામાજિક પરિબળો એક્સ-રે અને અન્ય તબીબી ઇમેજિંગ સ્કેનમાં જોવા મળેલી માળખાકીય અસામાન્યતાઓ કરતા પીઠના દુખાવા સાથે વધુ નિકટથી જોડાયેલા હોઇ શકે છે.
પીઠના દુખાવા માટે કેટલાક સંભવિત સ્ત્રોત અને કારણો છે. જોકે, મેરૂદંડની ચોક્કસ પેશીનું નિદાન પીડા માટેનું કારણ રજૂ કરે છે. આમ એટલે થાય છે કે વિવિધ મેરૂ પેશીઓમાંથી આવતા ચિહ્નો ઘણા સમાન લાગે છે અને સ્થાનિક એનેસ્થેટિક બ્લોક જેવી અતિક્રમણકારી નિદાન સારવાર પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર તેને અલગ પાડવા મુશ્કેલ છે.
પીઠના દુખાવાનો એક સંભવિત સ્ત્રોત પીઠનો કંકાલ સ્નાયુ છે. સ્નાયુ પેશીમાં પીડા માટે સંભવિત કારણોમાં સ્નાયુ ખેંચાણ (ખેંચાયેલા સ્નાયુઓ), સ્નાયુ સંકોચન અને સ્નાયુ અસંતુલનનો સમાવેશ થાય છે. જોકે, ચિત્ર અભ્યાસો પીઠના દુખાવાના ઘણા કિસ્સામાં સ્નાયુ પેશીને નુકસાનના વિચારને ટેકો આપતા નથી અને સ્નાયુ સંકોચનનું ન્યૂરોફિઝિયોલોજી અને સ્નાયુ અસંતુલન સારી રીતે સમજી શકાયું નથી.
હળવા પીઠના દુખાવા માટેનો અન્ય સંભવિત સ્ત્રોત મેરૂદંડના મુક્ત ચલ સાંધા (દા.ત. ઝાયગેપોફિઝિયલ સાંધા/પાસા સાંધા) છે. હઠીલો પીઠનો હળવો દુખાવો ધરાવતા લગભગ ત્રીજા ભાગના લોકોમાં અને વ્હિપલેશને પગલે ગરદનનો દુખાવો ધરાવતા મોટા ભાગના લોકોમાં પીડા માટે આ મુખ્ય સ્ત્રોત જણાયા છે. જોકે, ઝાયગેપોફિઝિયલ સાંધાના દુખાવા માટેનું કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી. વ્હિપલેશને પગલે ગરદનનો દુખાવો ધરાવતા લોકોમાં સંપૂટ પેશીમાં નુકસાન સૂચવવામાં આવ્યું છે. ઝાયગેપોફિઝિયલ સાંધામાંથી પેદા થતી મેરૂ પીડા ધરાવતા લોકોમાં, એક સિદ્ધાંત એવો છે કે અંતઃસંધિગત પેશીઓ, જેમકે તેમના સાયનોવિયલ પટલના ઇનવેજિનેશન્સ અને ફાઇબરો-એડિપોઝ મેનિસ્કોઇડ્સ (તેઓ અસ્થિઓને એક બીજા પર સરળતાથી ફરવા માટે ગાદી તરીકે કામ કરે છે), વિસ્થાપિત, પીલાયેલી અથવા ફસાયેલી બની શકે છે અને બાદમાં નોસિસેપ્શન (દુખાવો) પેદા કરી શકે છે.
પીઠના દુખાવા માટે અન્ય કેટલાક સામાન્ય સંભવિત સ્ત્રોત અને કારણો છે જેમાં મેરૂ ગાદી ભંગાણ અને ડીજનરેટિવ ગાદી બિમારી અથવા ઇસ્થમિક સ્પોન્ડિલોલિસ્થેસિસ, અસ્થિવા (ડીજનરેટિવ સાંધા બિમારી) અને કટિ મેરૂ સંકીર્ણતા, આઘાત, કેન્સર, ચેપ, ભંગ, અને દાહક બિમારીનો સમાવેશ થાય છે.
કરોડરજ્જુની ચેતામાં પીડા (ગૃધ્રસી)ને 'બિન-ચોક્કસ' પીઠના દુખાવાથી અલગ પાડી શકાય છે અને અતિક્રમણકારી નિદાન પરીક્ષણ વગર પણ નિદાન કરી શકાય છે.
હવે બિન-ગાદીજન્ય પીઠના દુખાવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે જેમાં દર્દી સામાન્ય અથવા લગભગ સામાન્ય એમઆરઆઇ અને સીટી સ્કેન ધરાવે છે. રેડીયોગ્રાફિક અસાધારણતા ન ધરાવતા દર્દીઓમાં પૃષ્ઠ પ્રશાખાની ભૂમિકામાં નવી તપાસ થઇ રહી છે. જુઓ પોસ્ટિરીયર રામી સિન્ડ્રોમ
પીઠના દુખાવાની સારવાર વખતે વ્યવસ્થાપનનો ઉદેશ પીડાની તીવ્રતામાં શક્ય તેટલો ઝડપથી મહત્તમ ઘટાડો કરવો, રોજબરોજની પ્રવૃત્તિમાં વ્યક્તિની કામ કરવાની ક્ષમતા પુનઃસ્થાપિત કરવી, અવક્ષેપી પીડાનો સામનો કરવામાં દર્દીને મદદ કરવી, ચિકિત્સા પદ્ધતિની આડઅસરોની આકરણી કરવી અને કાનૂની તેમજ સામાજિક આર્થિક અંતરાયોની વચ્ચે દર્દીને સાજો થવામાં સહાય કરવાનો છે. ઘણા લોકો માટે ઉદેશ પીડાને વ્યવસ્થાપનપાત્ર સ્તરે રાખીને પુનઃવસનમાં પ્રગતી કરવાનો હોય છે જે બાદમાં લાંબા ગાળાની પીડા રાહતમાં પરીણમી શકે છે. ઘણા લોકો માટે વ્યવસ્થાપનનો ઉદેશ પીડાના વ્યવસ્થાપન માટે બિન-શસ્ત્રક્રિયા ચિકિત્સાનો ઉપયોગ કરવો અને મોટી શસ્ત્રક્રિયા ટાળવાનો હોય છે જ્યારે અન્ય કેટલાક લોકો માટે શસ્ત્રક્રિયા સારા થવા માટેનો સૌથી ઝડપી રસ્તો હોઇ શકે છે.
તમામ સ્થિતિઓ માટે અથવા સમાન સ્થિતિ સાથે તમામ વ્યક્તિઓ માટે તમામ સારવાર કામમાં આવતી નથી અને કેટલાક લોકોએ તેમને સાનુકૂળ શ્રેષ્ઠ સારવાર નક્કીકરવા માટે કેટલીક સારવારના વિકલ્પ ચકાસવાની જરૂર પડે છે. સ્થિતિનો વર્તમાન તબક્કો (તીવ્ર અથવા હઠીલી) પણ સારવારની પસંદગી કરવા માટેનું નિર્ણાયક પરિબળ છે. પીઠનો દુખાવો ધરાવતા બહુ જ ઓછા દર્દીઓને (અંદાજે 1 ટકાથી 10 ટકા દર્દીઓને) શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
સ્થિતિના ચોક્કસ કારણ, અંગસ્થિતિ તાલીમ વર્ગો અને શારીરિક વ્યાયામ પીડામાં રાહત આપવામાં મદદ રૂપ બની શકે છે.
નીચે મુજબની સ્થિતિવાળા દર્દીઓમાં શસ્ત્રક્રિયા ઘણીવાર યોગ્ય પુરવાર થાય છેઃ
લઘુત્તમ અતિક્રમણકારી શસ્ત્રવૈદક કાર્યવાહી પીઠના દુખાવાના ચિહ્નો અને કારણો માટે ઘણી વાર ઉકેલ છે. આ પ્રકારની કાર્યવાહી મેરૂદંડ શસ્ત્રક્રિયા કરતા વધુ લાભ આપે છે, જેમકે વધુ ચોક્કસ નિદાન અને સાજા થવામાં ટૂંકો સમય.
પીઠના દુખાવાની સારવારમાં શસ્ત્રક્રિયા છેલ્લો વિકલ્પ હોય છે. તેની ત્યારે જ ભલામણ કરવામાં આવે છે જ્યારે અન્ય તમામ વિકલ્પો ચકાસી લેવાયા હોય અથવા સ્થિતિ ઇમરજન્સીની હોય. પીઠની શસ્ત્રક્રિયાના અભ્યાસોની 2009 પ્રણાલીગત સમીક્ષામાં જણાયું હતું કે, ચોક્કસ નિદાન માટે શસ્ત્રક્રિયા અન્ય સામાન્ય સારવાર કરતા પ્રમાણમાં સારી છે પરંતુ લાંબા ગાળે શસ્ત્રક્રિયાના લાભ ઘટી શકે છે.
પીઠનો દુખાવો પેદા કરતી વિવિધ સ્થિતિઓની સારવારમાં વિવિધ પ્રકારની શસ્ત્રવૈદક કાર્યવાહીનો ઉપયોગ થાય છે. તે તમામને ચેતા પ્રતિસંકોચન, શરીરના ભાગોનું સંયોજન અને વિકૃતિ સુધારા શસ્ત્રક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકારની શસ્ત્રક્રિયા પ્રાથમિક રીતે એવા જૂના દર્દીઓ પર કરવામાં આવે છે જેઓ ચેતા બળતરા અથવા ચેતા ઇજાથી પીડાય છે. અસ્થિમય ભાગોના સંયોજનને મેરૂ સંયોજન પણ કહેવાય છે અને બે કે તેથી વધુ અસ્થિમય ભાગોનું મેટલવર્કની મદદથી સંયોજન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. શસ્ત્રક્રિયાનો પાછળનો પ્રકાર સામાન્ય રીતે કોજેનિટલ વિકૃતિ સુધારવા અથવા આંચકાકીય ભંગને કારણે સર્જાયેલા દુખાવાની સારવારમાં ઉપયોગ થાય છે. કેટલાક કિસ્સામાં વિકૃતિ સુધારામાં અસ્થિમય ટુકડાઓ દૂર કરવા અથા મેરૂદંડ માટે સ્થિરતા જોગવાઇ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
પીઠના દુખાવાની શસ્ત્રક્રિયામાં મુખ્ય ઉપયોગમાં લેવાતી કાર્યવાહીમાં ડિસેટોમીઝ, મેરૂ સંયોજનs, લેમિનેક્ટોમીઝ, ગાંઠ દૂર કરવી અને વર્ટિબ્રોપ્લાસ્ટીઝનો સમાવેશ થાય છે.
આંતરકશેરૂકા ગાદી જ્યારે હર્નિયેટ થઇ હોય અથવા ફાટી ગઇ હોય ત્યારે ડિસેટોમી હાથ ધરવામાં આવે છે. તેમાં ચેતા મૂળ પર દબાણ કરતી અને બહાર નિકળી રહેલી ગાદીને દૂર કરવામાં આવે છે તેમાં ગાદીનો કોઇ ભાગ અથવા તેના સંપૂર્ણ ભાગને દૂર કરવામાં આવે છે. ચેતા પર દબાણ મુકતા ગાદીના પદાર્થને ચોક્કસ ગાદી પર કરાયેલા નાના કાપા મારફતે દૂર કરવામાં આવે છે. પીઠની શસ્ત્રક્રિયાનો તે સૌથી લોકપ્રિય પ્રકાર છે જેમાં સફળતાનો દર ઊંચો છે. આ કાર્યવાહી બાદ સાજા થવાનો સમયગાળો છ સપ્તાહથી વધુ સમય ચાલતો નથી. એન્ડોસ્કોપ દ્વારા અસ્થિમય ટુકડાઓને દૂર કરવાની પ્રક્રિયાના પ્રકારને પરક્યુટેનિયસ ડિસ્ક રિમૂવલ કહેવામાં આવે છે.
પ્રમાણભૂત ડિસેટોમીઝ તરીકે માઇક્રો ડિસેટોમીઝ હાથ ધરાઇ શકે છે જેમાં નાના કાપાનો લાભ આપવા માટે વિપુલદર્શકનો ઉપયોગ થાય છે અને આમ સાજા થવાની પ્રક્રિયા ટૂંકી બને છે.
સમગ્ર ગાદી દૂર કરાયેલી હોય તેવા કિસ્સામાં અથવા કશેરૂકાઓ અસ્થિર બનાવતી અન્ય સ્થિતિમાં મેરૂ સંયોજન હાથ ધરવામાં આવે છે. અસ્થિને સાજા થવા માટે વધુ શક્તિ પ્રદાન કરવા આ કાર્યવાહીમાં અસ્થિ કલમનો ઉપયોગ કરીને બે કે તેથી વધુ કશેરૂકાઓને જોડવામાં આવે છે. મેરૂ સંયોજન બાદ સાજા થવામાં દર્દીની ઊંમર, શસ્ત્રક્રિયા કરવા માટેના કારણ અને કેટલા અસ્થિ વિભાગોનું સંયોજન કરાયું છે તેના આધારે એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે.
મેરૂ સંકીર્ણતા અથવા ગાદી હર્નિયેશનના કિસ્સામાં ચેતા પરનું દબાણ હળવું કરવા માટે લેમિનેક્ટોમીઝ હાથ ધરાઇ શકે છે. આવી કાર્યવાહી દરમિયાન સર્જન વધારાની લેમિના દૂર કરીને અથવા કાપીને ચેતા માટે વધુ જગ્યા પુરી પાડીને મેરૂ માગર્ને પહોળો કરે છે. સાજા થવાનો સમય સ્થાપિત કરવા માટે સ્થિતિની ગંભીરતા અને દર્દીનો સામાન્ય આરોગ્ય દરજ્જો મુખ્ય પરિબળ છે. સાજા થવાનો સમય 8 સપ્તાહથી લઇને 6 મહિના સુધીનો હોઇ શકે છે.
બિનાઇન અને મેલાઇનન્ટ ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે પીઠ શસ્ત્રક્રિયા કરી શકાય છે. પ્રથમ કિસ્સામાં, શસ્ત્રક્રિયાનો ઉદેશ બિનાઇન વૃદ્ધિને કારણે ચેતા પર ઉભા થયેલ દબાણને મુક્ત કરવાનો છે જ્યારે બીજા ક્રમની કાર્યવાહીનો ઉદેશ કેન્સરને શરીરના અન્ય ભાગમાં ફેલાતું અટકાવવાનો છે. સાજા થવાનો સમય દૂર કરાયેલી ગાંઠના પ્રકાર, દર્દીની આરોગ્ય સ્થિતિ અને ગાંઠના કદ પર આધાર રાખે છે.
લગભગ 50 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પીઠનો હળવો દુખાવો અનુભવે છે. ગર્ભાવસ્થા દરમિયાન પીઠમાં દુખાવો નોંધપાત્ર પીડા અને અક્ષમતા પેદા કરી શકે તેટલો ગંભીર હોય છે અને બીજી ગર્ભાવસ્થામાં દર્દીમાં પીઠનો દુખાવો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન વજન વધારો, વ્યાયામ, કામ કર્યાનો સંતોષ અથવા જન્મ લંબાઇ, જન્મ વજન અને અપગર સ્કોર જેવા ગર્ભાવસ્થાના પરીણામોના સંદર્ભમાં ગર્ભાવસ્થા સાથે પીઠના દુખાવાનું વધેલું જોખમ જણાયું નથી.
ગર્ભાવસ્થાના પીઠના હળવા દુખાવા સાથે સંકળાયેલા હોવાનું જણાતા ગર્ભાવસ્થાના જૈવયાંત્રિક પરિબળોમાં ઉદરીય સેગિટ્ટલ અને ટ્રાન્સવર્સ ડાયામીટર અને કટિ લોર્ડોસિસની ઊંડાઇનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થાના પીઠના દુખાવાને વિકટ બનાવતા લાક્ષણિક પરિબળોમાં ઉભા રહેવું, બેસવું, આગળ નમવું, વજન ઊંચકવું અને ચાલવાનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થામાં પીઠનો દુખાવો જાંઘ અને નિતંબમાં પીડાના ફેલાવા, દર્દીને ઊંઘમાંથી ઉઠાડવાની ક્ષમતા ધરાવતો રાત્રી સમયનો ગંભીર દુખાવો, રાત્રીના સમયે વધતો દુખાવો અથવા દિવસના સમય દરમિયાન વધતા દુખાવા દ્વારા રજૂ કરી શકાય છે. ઊચી અસર, વજન ઉચકવાની પ્રવૃત્તિઓ ખાસ કરીને અસમમીતિય વજન જેમકે, વજન ઉચકવાની સાથે વધુ પડતું વળવું, એક પગની અંગસ્થિતિ, દાદરા ચડવા અને પીઠના અંતિમ ભાગ પર પુનરાવર્તિત વેગ અથવા કુલાના હલનચલનને ટાળવાથી પીડમાં રાહત થઇ શકે છે. ઘૂંટણથી વળ્યા વગર જમીન તરીફ સીધા વળવું ગર્ભાવસ્થા અને સામાન્ય વ્યક્તિઓમાં પીઠના નીચેના ભાગમાં ગંભીર અસર પેદા કરી શકે છે જે તણાવ તરફ દોરી જાય છે તેમાં પણ ખાસ કરીને લમ્બો-સેકરલ ક્ષેત્રમાં તે મલ્ટિફિડસમાં તણાવ પેદા કરે છે.
રાષ્ટ્રીય સરકારો દ્વારા પીઠના દુખાવાને માંદગી રજા પર રહેલા કામદારોના નુકસાન મારફતે ઉત્પાદકતાને મોટી અસર કરતા કારણ તરીકે નિયમિત રજૂ કરાયું છે. કેટલીક રાષ્ટ્રીય સરકારો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ, એ સમસ્યા સામે લડવામાં મદદ કરવા જાહેર આરોગ્ય જાગૃતિ અભિયાનો શરૂ કર્યા છે. દા.ત. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવનું બેટર બેક અભિયાન. યુનાઇટેડ સ્ટેટ્સમાં કમરના દુખાવાની આર્થિક અસર દર્શાવે છે કે તે 45 વર્ષથી નીચેની ઉંમરના લોકોને તેમની પ્રવૃત્તિ મર્યાદિત કરવા માટેનું પ્રથમ ક્રમનું કારણ છે. ફિઝીશિયનની ઓફિસમાં નોંધાતી ફરિયાદમાં તેનો બીજો ક્રમ આવે છે. તે હોસ્પિટલમાં દાખલ થવા માટેની પાંચમાં ક્રમની સૌથી સામાન્ય જરૂરિયાત છે અને શસ્ત્રક્રિયા માટેનું ત્રીજું અગ્રણી કારણ છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article પીઠનો દુખાવો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.